19 July, 2025 09:22 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
બેદાર તળાવ પરનાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું હતું
ગુજરાતમાં અમદાવાદના ચંડોળા તળાવ પર બની ગયેલી ગેરકાયદે વસાહતો પર બુલડોઝર ફેરવ્યા બાદ હવે સરખેજ વિસ્તારમાં બેદાર તળાવ પર બનેલાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યાં છે.
બેદાર તળાવની ફરતે અને તળાવમાં ગેરકાયદે રીતે ઔદ્યોગિક પ્રકારનાં દબાણ ઊભાં કરી દેવામાં આવ્યાં હતાં. આ દબાણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બુલડોઝર, બ્રેકર મશીન, ગૅસકટર સહિતનાં સાધનોની મદદથી તોડવાની કામગીરી હાથ ધરીને એક પછી એક ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યાં હતાં.