મહારાષ્ટ્રમાં જુગારના અડ્ડા પર પોલીસના દરોડા, લખો રૂપિયા સાથે વાહનો પણ કર્યા જપ્ત

29 September, 2024 07:33 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

Maharashtra Crime: દરોડા બાદ પોલીસ વિભાગમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના આમગાંવ વિસ્તારમાં પોલીસે (Maharashtra Crime) જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે 12 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્થળ પરથી 3.6 લાખ રૂપિયા રોકડા અને અન્ય વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. દરોડા બાદ પોલીસ વિભાગમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને એક પોલીસ આરોપીની બદલી કરવામાં આવી હતી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, નાગપુર ગ્રામીણ પોલીસના સહાયક પોલીસ અધિક્ષક અનિલ મ્સ્કે અને તેમની ટીમને ટીપ મળી હતી જેને આધારે ગુરુવારે જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. નાગપુરમાં આ જુગારનો અડ્ડો ઘણા અઠવાડિયાથી ચાલતો હતો.

આ દરોડા દરમિયાન પોલીસે 3.62 લાખ રૂપિયા રોકડા, ત્રણ કાર, પાંચ ટુ-વ્હીલર, અનેક મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ જપ્ત કરી હત, જેની કુલ કિંમત લગભગ 17.89 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. આ કાર્યવાહી બાદ પોલીસ અધિક્ષક ડૉ. હર્ષ પોદ્દારે (Maharashtra Crime) ખાતાકીય બેદરકારીની તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિસ્તારના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રશાંત કાલેએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે યોગ્ય પગલાં લીધા ન હતા. આ પછી, પ્રશાંત કાલેની નાગપુર ગ્રામીણ પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવી હતી, જ્યારે બીટ ઈન્ચાર્જ ગજાનન માહુરે અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ રોશન કાલેને બેદરકારીના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે આ જુગારધામ (Maharashtra Crime) ગુનેગાર રમેશ બરગટ ચલાવતો હતો, જે મધ્યપ્રદેશના સિવની, બાલાઘાટ અને નાગપુરના રામટેક, કુહી, કમ્પટી અને દેવલાપર જેવા સ્થળોએથી જુગારીઓને અહીં બોલાવતો હતો. બરગટે જુગારીઓના સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું, જેમાં તે લોકેશન બદલીને ગ્રાહકોને જાણ કરતો હતો. આ સાથે પોલીસ આ મામલે હજી કેટલા આરોપીઓ જોડાયેલા છે તેની પણ તપાસ કરી રહી છે.

બીજી એક ઘટનામાં મીરા રોડ-ઈસ્ટમાં વિનયનગરમાં (Maharashtra Crime) આવેલી રાધા નામની હૉસ્પિટલમાંથી ગયા અઠવાડિયે ૨૧ લાખ રૂપિયાની રોકડ રકમની ચોરી થઈ હતી. કાશીગાવ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરતાં ખ્યાલ આવ્યો હતો કે ૨૧ સપ્ટેમ્બરે હૉસ્પિટલના કબાટમાં રાખવામાં આવેલી ૨૧ લાખ રૂપિયાની કૅશ બીજા કોઈ નહીં પણ હૉસ્પિટલના ડ્રાઇવર સોનુ અલાઉદ્દીન શેખે તેના સાથીઓ મનીષ કુમાર મિશ્રા અને વીરેન્દ્ર પુરીની મદદથી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આથી કાશીગાવ પોલીસે આરોપીઓની બિહારના કટીહાર જિલ્લામાં આવેલા ગામમાંથી ધરપકડ કરી હતી અને તેમની પાસેથી ચોરી થયેલા ૨૧ લાખ રૂપિયામાંથી ૧૮ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. આરોપી ડ્રાઇવરે હૉસ્પિટલમાં ચોરી કરવા જતી વખતે પોતાની ઓળખ છુપાવવા માટે બુરખો પહેર્યો હતો. જોકે ચોરીની ઘટના બાદથી તે ગાયબ થઈ ગયો હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો એટલે ચોરી તેણે જ કરી હોવાની શંકા ઊભી થઈ હતી.

Crime News maharashtra maharashtra news nagpur mumbai news