Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

‘રામાયણ’ બાદ વધુ એક પૌરાણિક ફિલ્મ બનાવી શકે છે નિતેશ તિવારી

15 October, 2021 05:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું

નિતેશ તિવારી

નિતેશ તિવારી


નિતેશ તિવારીએ જણાવ્યું હતું કે જો તેને સત્યમ શ્રીવાસ્તવના પુસ્તકની સ્ટોરી પસંદ પડશે તો તે ફિલ્મ પણ બનાવી શકે છે. નિતેશ તિવારી  ‘રામાયણ’ બનાવવામાં વ્યસ્ત છે. એમાં ખૂબ જ સ્પેશ્યલ ઇફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવશે અને એ માટે ઑસ્કર વિજેતા ટીમ કામ કરી રહી છે. તાજેતરમાં જ સત્યમનું પુસ્તક ‘ધ વિલ્ડર ઑફ ધ ત્રિશૂલ’ને નિતેશ તિવારીએ રિલીઝ કર્યું હતું. એ વખતે પૂછવામાં આવ્યું હતું કે શું આ બુક પરથી તે ફિલ્મ બનાવશે?

એનો જવાબ આપતાં નિતેશે કહ્યું હતું કે ‘આ એક અઘરો સવાલ છે. હું ખૂબ પ્રામાણિકપણે કહીશ કે પહેલાં તો હું આ બુક વાંચીશ, કારણ કે આખી સ્ટોરી જાણવી ખૂબ જરૂરી છે. એનો અંત જાણવા માટે હું ઉત્સુક છું. હું એક વખત બુક વાંચી લઈશ અને જો મને એમાં કંઈક એક્સાઇટિંગ લાગ્યું તો હા, હું કેમ નહીં બનાવું. સત્યમે પૌરાણિક કથા લખી છે અને એમાં થોડી કલ્પનાનો પણ ઉમેરો કર્યો છે. જોકે બુકમાં ઘણાંબધાં પૌરાણિક પાત્રો છે જે આપણાં સાહિત્યમાં દેવી અને દેવતાઓના રૂપમાં હાજર છે. તેણે બન્ને તત્ત્વોને ખૂબ સરસ રીતે જાળવી રાખ્યાં છે. સ્ટોરી જ્યાં ઘટી છે એ કાલ્પનિક છે, પરંતુ પાત્રો જાણીતાં છે. એથી એમાં ઉત્સાહ અને સામંજસ્યની લાગણી છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2021 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK