કંગના રનોટનું કહેવું છે કે અજય દેવગન તેની ફિલ્મને કદી પ્રમોટ નહીં કરે.
kangana Ranaut
કંગના રનૌત
કંગના રનોટનું કહેવું છે કે અજય દેવગન તેની ફિલ્મને કદી પ્રમોટ નહીં કરે. કંગનાની ‘ધાકડ’નું ટ્રેલર હાલમાં રિલીઝ થયું છે. ૨૦ મેએ આ ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં કંગના એજન્ટ અગ્નિના રોલમાં દેખાવાની છે. તે આ ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. અજય દેવગને થોડા સમય અગાઉ બૉલીવુડમાં મૈત્રીભાવ હોવાનું નિવેદન આપ્યું હતું. એ વિશે પૂછવામાં આવતાં કંગનાએ કહ્યું કે ‘અજય દેવગન કદી મારી ફિલ્મને પ્રમોટ નહીં કરે. તે અન્યોની ફિલ્મોને પ્રમોટ કરશે, પરંતુ મારી ફિલ્મ પ્રમોટ નહીં કરે. ‘થલાઇવી’ને લઈને અક્ષયકુમારે ચૂપચાપ મને કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે આઇ લવ યૉર ‘થલાઇવી’. જોકે તે પણ મારી ફિલ્મનું ટ્રેલર શૅર નહીં કરે. અજય દેવગન મહિલાપ્રધાન ફિલ્મોમાં કામ કરે છે, પરંતુ શું તે મારી ફિલ્મમાં કામ કરશે? જે રીતે અર્જુન રામપાલે મારી ફિલ્મને સપોર્ટ કર્યો હતો એ રીતે જો તે પણ મારી સાથે કામ કરે તો હું તેની અતિશય આભારી થઈશ. જોકે જગજાહેર છે કે આવું નહીં બને. હું જે રીતે બધા ઍક્ટર્સને સપોર્ટ કરું છું ઠીક એ જ રીતે તેઓ મને પણ સપોર્ટ કરે. ‘ધ કશ્મીર ફાઇલ્સ’ અને ‘શેરશાહ’ની પ્રશંસા કરનારી હું પ્રથમ હતી. મેં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કરણ જોહરની ફિલ્મની પણ પ્રશંસા કરી હતી. મેં જાહેરમાં તેમની પ્રશંસા કરી હતી, છુપાઈને કૉલ નહોતા કર્યા. જોકે મને ખાતરી છે કે એક દિવસ આ સ્થિતિ પણ બદલાઈ જશે.’