અજય દેવગનની આ ફિલ્મ ૨૦૨૨ની ત્રણ જૂને થિયેટર્સમાં થશે રિલીઝ
મૈદાન પોસ્ટર
અજય દેવગનની ‘મૈદાન’ ૨૦૨૨ની ૩ જૂને થિયેટર્સમાં રિલીઝ થવા માટે સજ્જ થઈ ગઈ છે. આ ફિલ્મને બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે. ‘બધાઈ હો’ના અમિત રવિન્દરનાથ શર્માએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને આ ફિલ્મના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવશે. ફિલ્મમાં અજય દેવગન કોચ સૈયદ અબ્દુલ રહીમના રોલમાં દેખાશે. તેમણે ઇન્ડિયન ફુટબૉલ ટીમમાં ૧૯૫૦થી માંડીને જીવ્યા ત્યાં સુધી કોચ અને મૅનેજરની કામગીરી સંભાળી હતી. ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શૅર કરીને અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘મૈદાન’ની સ્ટોરી દરેક ભારતીયને પોતાની લાગશે. મને આ ફિલ્મ પર અતૂટ વિશ્વાસ છે. તમારા કૅલેન્ડરમાં તારીખ નોંધીને રાખી લો. ૨૦૨૨ની ત્રીજી જૂને વર્લ્ડવાઇડ થિયેટર્સમાં રિલીઝ થવાની છે.’
બીજી તરફ બોની કપૂરે પણ ટ્વીટ કર્યું હતું કે ‘એક એવી અજાણી વાસ્તવિક સ્ટોરી જે દરેક ભારતીયને ગર્વ પમાડશે. ‘મૈદાન’ વર્લ્ડવાઇડ થિયેટર્સમાં ૨૦૨૨ની ત્રીજી જૂને રિલીઝ થવાની છે.’