Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોના કહેવા પર ટ્‌વિટર પર આવ્યો હતો આમિર?

કોના કહેવા પર ટ્‌વિટર પર આવ્યો હતો આમિર?

09 August, 2022 04:06 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઇમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશન માટે પ્રેસ મીટ રાખવામાં આવી હતી, પરંતુ એ મોડેથી શરૂ થવા બદલ આમિર ખાને મીડિયા પાસે માફી માગી હતી

અમિતાભ બચ્ચન અને આમિર ખાન

અમિતાભ બચ્ચન અને આમિર ખાન


આમિર ખાને જણાવ્યું હતું કે તે અમિતાભ બચ્ચનના કહેવા પર ટ્વિટર પર આવ્યો હતો. આ વાતનો ખુલાસો તેણે ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૪મી સીઝનમાં કર્યો હતો. દેશ આઝાદીના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. દેશભક્તિ પર આધારિત કવિતા અમિતાભ બચ્ચન ગાઈ રહ્યા છે અને એ જ વખતે આમિર ખાનની એન્ટ્રી થતાં ‘રંગ દે બસંતી’ ટ્રૅક પ્લે થાય છે. દર્શકોને મળીને, તેમની સાથે હાથ મિલાવીને કર્નલ મિતાલી મધુમિતા સાથે શોની શરૂઆત કરે છે. મિતાલી મધુમિતા પહેલી મહિલા ભારતીય આર્મી ઑફિસર છે. શોમાં તેઓ પોતાની પ્રેરણાદાયી જર્ની વિશે પણ જણાવે છે. સાથે જ અમિતાભ બચ્ચન આમિરને પૂછે છે કે તું ટ્વિટર પર છે? તો એનો જવાબ આપતાં આમિરે કહ્યું કે ‘હા હું ટ્વિટર પર છું એનું શ્રેય અમિતજીને જાય છે. હું જ્યારે લંડનમાં અભિષેક બચ્ચન સાથે ‘ધૂમ 3’નું શૂટિંગ કરી રહ્યો હતો. તેઓ ત્યાં આવ્યા હતા. એક દિવસ અમારી વચ્ચે વાતચીત દરમ્યાન અમીતજીએ મને પૂછ્યું કે ‘તું ટ્વિટર પર કેમ નથી, તારા ફૅન્સની ઇચ્છા છે કે તું ટ્વિટર જૉઇન કરે.’ અમિતજીએ મને કહ્યું એટલા માટે મેં બે-ત્રણ અઠવાડિયાંમાં ટ્વિટર જૉઇન કર્યું. જોકે મને જાણ નહોતી કે શું પોસ્ટ કરું, એથી હું મારા ફ્રેન્ડની ફિલ્મોને પ્રમોટ કરતો હતો.’

ચેન્નઇમાં ‘લાલ સિંહ ચઢ્ઢા’ના પ્રમોશન માટે પ્રેસ મીટ રાખવામાં આવી હતી, પરંતુ એ મોડેથી શરૂ થવા બદલ આમિર ખાને મીડિયા પાસે માફી માગી હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2022 04:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK