ફૅમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઘણી ચર્ચા કર્યા બાદ અને સાયરા બાનુજીની પરવાનગી સાથે મેં નક્કી કર્યું છે કે દિલીપકુમાર સા’બનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દઉં. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.’
દિલીપકુમારનું ટ્વિટર શટડાઉન થતાં ફૅન્સ નારાજ
દિલીપકુમારના મૃત્યુ બાદ તેમના ઑફિશ્યલ ટ્વિટર અકાઉન્ટને હવે શટડાઉન કરવામાં આવ્યું છે. આ અકાઉન્ટને બંધ કરવામાં આવતાં તેમના ચાહકો નારાજ થયા છે. દિલીપકુમારનું મૃત્યુ ૯૮ વર્ષની ઉંમરે સાત જુલાઈએ થયું હતું. વધતી ઉંમરને કારણે તેમને હિન્દુ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આ વિશે તેમના ફૅમિલી ફ્રેન્ડ ફૈઝલ ફારુકીએ ટ્વીટ કર્યું હતું કે ‘ઘણી ચર્ચા કર્યા બાદ અને સાયરા બાનુજીની પરવાનગી સાથે મેં નક્કી કર્યું છે કે દિલીપકુમાર સા’બનું ટ્વિટર અકાઉન્ટ બંધ કરી દઉં. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર.’
આ ટ્વીટ બાદ તેમના ચાહકોને ખૂબ જ દુઃખ થયું હતું અને તેઓ નારાજ પણ થયા હતા. તેમણે સજેશન આપ્યું હતું કે તેમની યાદોને અને ફોટોને સાચવવા માટે પણ આ અકાઉન્ટને ચાલુ રાખવામાં આવે.