જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસને ટ્રાન્સફર કરવા માટે તેણે અપીલ કરી હતી
કંગના રનોટ
કોર્ટે કંગના રનોટે કરેલી અરજીને ફગાવી દીધી છે. જાવેદ અખ્તરે કરેલા માનહાનિના કેસમાં કંગનાએ કેસને ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. કંગનાએ થોડા સમય અગાઉ જણાવ્યું હતું કે તેને મહારાષ્ટ્રની ન્યાયપ્રણાલી પર ભરોસો નથી રહ્યો. આ આખું પ્રકરણ ૨૦૨૦નું છે. કંગનાએ ટીવી પર ઇન્ટરવ્યુ દરમ્યાન જાવેદ અખ્તરનું નામ લઈને તેમના વિશે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સાથે જ કેટલાક આરોપો પણ તેમના પર ઠોકી દીધા હતા. એને જોતાં જાવેદ અખ્તરે ૨૦૨૦ની બીજી નવેમ્બરે અંધેરી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કંગના વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. જોકે કંગનાએ એ કેસને ટ્રાન્સફર કરતી અપીલ કરી હતી. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે કંગનાની અરજીને રદ કરી છે.