મારા અનુભવ પરથી હું એમ કહી શકું છું કે દાલ ચાવલથી સારું કાંઈ નથી. આલિયા તો દાલ ચાવલ પર તડકા જેવી છે, જેમાં આચાર પણ છે. તે મારા માટે સર્વસ્વ છે. તેનાથી સારી લાઇફ-પાર્ટનર તો મને મળી જ ન શકે.’
રણબીરે આલિયાને કહી ‘દાલ ચાવલ પર તડકા’
‘શમશેરા’માં ડબલ રોલ કરવો ચૅલેન્જિંગ હતું રણબીર માટે
ADVERTISEMENT
રણબીર કપૂર માટે ‘શમશેરા’માં ડબલ રોલ કરવો એક્સાઇટિંગ તો હતું જ સાથે જ તેના માટે ચૅલેન્જિંગ પણ હતું. પહેલી વખત રણબીર ડબલ રોલમાં દેખાશે. આ ફિલ્મમાં તે પિતા શમશેરા અને દીકરા બલ્લીના પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ લીડ રોલમાં છે. હિન્દી, તામિલ અને તેલુગુમાં બાવીસ જુલાઈએ રિલીઝ થનારી ‘શમશેરા’ને કરણ મલ્હોત્રાએ ડિરેક્ટ અને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે. કઈ રીતે પોતે ડબલ રોલ કરવા માટે તૈયાર થયો એ વિશે રણબીર કપૂરે કહ્યું કે ‘મને ફિલ્મની સ્ટોરી જ્યારે નરેટ કરવામાં આવી ત્યારે મને ડબલ રોલ ઑફર નહોતો કરવામાં આવ્યો. જોકે મેં જ્યારે સ્ટોરી સાંભળી તો મેં આદિત્ય ચોપડા અને કરણ મલ્હોત્રાને સામેથી પિતાનો રોલ પણ ભજવવાની તૈયારી દેખાડી હતી. આ ગ્રેટ, ઇન્ટરેસ્ટિંગ અને ઍક્ટર કરવા ચાહે એવો રોલ છે. મારે આદિ અને કરણને આ રોલ માટે મનાવવા પડ્યા હતા. કરણે કેટલીક લુક ટેસ્ટ લીધા બાદ તે માન્યો હતો. એ બન્ને કૅરૅક્ટર્સ અનોખાં છે અને મારા જેવા ઍક્ટરને આવા બે અલગ રોલ કરવાની તક મળવી એ મારા માટે એક્સાઇટિંગ અને ચૅલેન્જિંગ પણ હતું.’