કાજોલ અને રેવતી ‘ધ લાસ્ટ હુર્રે’ દ્વારા મહિલાના જીવન પર પ્રકાશ પાડવાની છે
રેવતી અને કાજોલ
કાજોલ અને રેવતી ‘ધ લાસ્ટ હુર્રે’ દ્વારા મહિલાના જીવન પર પ્રકાશ પાડવાની છે. આ ફિલ્મને સૂરજ સિંહ અને શ્રદ્ધા અગરવાલ પ્રોડ્યુસ કરશે અને રેવતી ડિરેક્ટ કરવાની છે. આ ફિલ્મમાં સુજાતાના પાત્રને કાજોલ ભજવવાની છે. ફિલ્મમાં દેખાડવામાં આવશે કે કઈ રીતે વિવિધ પડકારો હોવા છતાં પણ એક માતા તરીકે સુજાતા તમામ સ્થિતિઓને મહાત આપે છે. ફિલ્મ વિશે રેવતીએ કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધ લાસ્ટ હુર્રે’માં સુજાતાની જે જર્ની છે એ મારા દિલની ખૂબ નજીક છે. એ ન માત્ર સુસંગત છે પરંતુ એ પ્રેરણાદાયી પણ છે. સૂરજ, શ્રદ્ધા અને હું જ્યારે આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યાં હતાં ત્યારે અમારા દિમાગમાં સૌથી પહેલો વિચાર કાજોલનો આવ્યો હતો. તેની નમ્ર એવી ઊર્જાથી ભરેલી આંખો અને તેની સુંદર સ્માઇલ કે જેને જોઈને વિશ્વાસ બેસે છે કે કંઈ પણ શક્ય છે. ઠીક આવી જ સુજાતા છે. હું આ પાર્ટનરશિપમાં અને કાજોલ સાથે આ સ્ટોરી પર કામ કરવા માટે ઉત્સાહિત છું.’
આ ફિલ્મ વિશે કાજોલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ સુંદર જર્ની છે અને એને લોકો સુધી પહોંચાડવી જરૂરી છે. એવામાં રેવતી જો મને ડિરેક્ટ કરે તો એનાથી મને સુજાતાનું પાત્ર અને તેની સ્ટ્રેંગ્થ ભજવવાની સ્ટ્રેંગ્થ મળે છે.’
ADVERTISEMENT
રેવતી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી હતી કે ‘સુપર ઑસમ ડિરેક્ટર રેવતી સાથે મારી ફિલ્મની જાહેરાત કરવાની મને અતિશય ખુશી છે. તે મને ‘ધ લાસ્ટ હુર્રે’માં ડિરેક્ટ કરવાની છે. દિલને સ્પર્શી જનારી એવી સ્ટોરી છે કે એને સાંભળતાં જ મેં તરત હા પાડી દીધી હતી. શું હું તમારી પાસેથી ‘યિપ્પી’ સાંભળી શકું છું પ્લીઝ?’