Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > શૈલેશ લોઢાના કમબૅકની આશા છે અસિતકુમાર મોદીને

શૈલેશ લોઢાના કમબૅકની આશા છે અસિતકુમાર મોદીને

19 June, 2022 07:02 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અસિત કુમાર મોદીને આશા છે કે શૈલેશ લોઢા ફરી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબૅક કરશે.

અસિત મોદી

અસિત મોદી


અસિત કુમાર મોદીને આશા છે કે શૈલેશ લોઢા ફરી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં કમબૅક કરશે. આ શોમાં દયાબેનની એન્ટ્રી થવાની છે એવી ચર્ચા જોરશોરમાં છે. જોકે હજી એક-બે મહિનાનો સમય લાગી શકે છે. આ સાથે જ હાલમાં શો છોડનાર શૈલેશ લોઢા પણ કમબૅક કરશે એવી આશા રાખવામાં આવી રહી છે. આ વિશે પૂછવામાં આવતાં અસિત કુમાર મોદીએ કહ્યુ કે ‘અમે ટૅલન્ટેડ ઍક્ટરની શોધ કરી રહ્યા છીએ. જોકે શૈલેશ લોઢા પણ ફરી પાછા આવી શકે છે. મારા કોઈ પણ ઍક્ટર શો છોડે ત્યારે મને એ જરા પણ ગમતું નથી. શો છોડવા પહેલાં મેં તેમની સાથે ઘણી ડીટેલમાં વાતો કરી હતી. જોકે તેમને નવી તક મળતાં તેઓ આ શો છોડવા માગતા હતા. અમે ઇચ્છીએ છીએ કે તેઓ કમબૅક કરે. જોકે હું કોઈની રાહ જોઈ શકું એમ નથી, કારણ કે આ શો અમારા દરેક કરતાં વધુ મહત્ત્વનો છે. જો તેઓ કમબૅક ન કરે તો મારે દર્શકો માટે તેમની જગ્યાએ કોઈ નવા માણસને પસંદ કરવો રહ્યો.’


Whatsapp-channel Whatsapp-channel

19 June, 2022 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK