પોતાનું ફાઉન્ડેશન શરૂ કરી તેણે એના દ્વારા લોકોને મદદ કરવાનું નક્કી કર્યું છે
ગુરમીત ચૌધરી
ગુરમીત ચૌધરીએ પોતાનું ફાઉન્ડેશન શરૂ કરીને એના દ્વારા લોકોને મદદ કરાવાનું નક્કી કર્યું છે. ધ ગુરમીત ચૌધરી ફાઉન્ડેશને ઇન્ડોનેશિયાથી ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ મગાવ્યાં છે. કોરોના વાઇરસના બીજા ફેઝમાં લોકોને ઑક્સિજનની ખૂબ જ તકલીફ પડી રહી છે અને એથી જ તેણે આ મશીન મગાવ્યાં છે. આ વિશે વાત કરતાં ગુરમીતે કહ્યું હતું કે ‘ધ ગુરમીત ચૌધરી ફાઉન્ડેશન આ વાઇરસની સામે દેશને એમ્પાવર કરવાની સાથે લોકોની હેલ્થકૅર સિસ્ટમને પણ વધુ સારી બનાવવાની કોશિશ કરી રહ્યું છે. મારા આ લક્ષ્યને પહોંચી વળવા મેં એ તરફ કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. આ માટે હું ઇન્ડિયા ક્લબ ઑફ જકાર્તાનો આભાર માનું છું. તેમણે મને આ માટે ખૂબ જ મદદ કરી હતી. ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સને ઇન્ડિયાના નાનકડાથી નાનકડા ગામમાં પણ મોકલવામાં આવશે. રિસોર્સિસની કમીને કારણે જે નાનકડાં શહેર અને ગામડાંઓ આ મહામારીનો ભોગ બની રહ્યાં છે એમના સુધી મારે પહોંચવું છે.’