‘ખતરોં કે ખિલાડી’ જીત્યા પછી પણ ઍક્ટ્રેસે કશું કર્યું નથી અને એની પાછળનું જે સ્પેસિફિક કારણ છે એ જાણવા જેવું છે
કરિશ્મા તન્ના
સ્ટાર પ્લસના શો ‘ક્યોં કિ સાસ ભી કભી બહૂ થી’થી કરીઅરની શરૂઆત કરનારી કરિશ્મા તન્ના ગયા વર્ષે ‘ખતરોં કે ખિલાડી’ જીતી, પણ એ પછી તેણે ખાસ કાંઈ કર્યું નથી, જેની પાછળ બે કારણ જવાબદાર છે. એક તો ગયું આખું વર્ષ લૉકડાઉનમાં પસાર થયું અને આ લૉકડાઉન દરમ્યાન જે કોઈ ઑફર આવી એ કરિશ્માને અટ્રૅક્ટ નહોતી કરતી. કરિશ્મા મા કે બહેનનું કૅરેક્ટર કરવા નથી માગતી અને તેની ઇચ્છા છે કે તે એવી જ વેબ-સિરીઝ કરે જેનું સેન્ટર કૅરૅક્ટર તે કરતી હોય.
કરિશ્માને એકતા કપૂરથી લઈને અપલોઝ એન્ટરટેઇનમેન્ટ જેવા મોટા સ્ટુડિયોમાંથી કૉન્ટૅક્ટ પણ કરવામાં આવ્યો છે, પણ કરિશ્માએ દરેક વખતે
પોતાની આ વાત પકડી રાખી છે. કરિશ્મા તન્નાએ ‘નાગિન’ પણ કરી અને એ પછી તેણે ડેઇલી સોપ કરવાની પણ ના પાડી દીધી અને ૭ સિરિયલની ઑફર નકારી કાઢી હતી.