Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ભૂમિકાનું રિપ્લેસમેન્ટ કરશે ટીના ફિલિપ

ભૂમિકાનું રિપ્લેસમેન્ટ કરશે ટીના ફિલિપ

25 June, 2021 11:17 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્ટાર ભારતના શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનમાં એન્ટર થનારી ટીનાએ મીરાના કૅરૅક્ટરને આત્મસાત્ કરવા અગાઉના તમામ એપિસોડ જોઈ લીધા

ટીના ફિલિપ

ટીના ફિલિપ


સ્ટાર ભારતના શો ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ની સેકન્ડ સીઝનમાં એક મોટો ચેન્જ આવી રહ્યો છે. આ ચેન્જ મુજબ મીરાનું કૅરૅક્ટર કરનારી ભૂમિકા ગુરંગે શો છોડતાં હવે તેની જગ્યાએ ટીના ફિલિપ આવશે. ટીના ફિલિપે અગાઉ અનેક શો કર્યા છે, પણ એ લાઇફમાં પહેલી વાર કોઈનું રિપ્લેસમેન્ટ કરશે. ટીના કહે છે, ‘આમ તો આ રિપ્લેસમેન્ટ છે, પણ હું એને પણ નવા કૅરૅક્ટર તરીકે જ જોઉં છું. મીરાના કૅરૅક્ટરમાં ભૂમિકાએ જેકંઈ ઍડ કર્યું હતું એ બધું સારું કન્ટેન્ટ રાખીને હું મારી સાઇડથી નવું કન્ટેન્ટ ઉમેરીશ.’

મીરાના પાત્રને જોવા અને સમજવા માટે ટીનાએ એક વીક સુધી પોતાની જાતને ફ્લૅટમાં પૂરી દીધી હતી અને સિરિયલના અત્યાર સુધીના તમામ એપિસોડ જોઈ લીધા હતા. ટીના કહે છે, ‘હોમવર્ક ઇમ્પોર્ટન્ટ છે. જો હોમવર્ક ન કરીએ તો ઑડિયન્સ સુધી પહોંચીએ નહીં. મેં મારી રીતે મીરાનું કૅરૅક્ટર સ્કેચ કર્યું છે અને એ જે લેવલ પર છે એનાથી એક લેવલ વધારે ઉપર લઈ જવાની કોશિશ હું કરવાની છું.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2021 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK