તેની ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝન ૨૬ ઑગસ્ટે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે માધવ મિશ્રા આમ આદમી હોવાથી દરેક સાથે સરળતાથી કનેક્ટ થઈ શકે છે. તેની ‘ક્રિમિનલ જસ્ટિસ’ની ત્રીજી સીઝન ૨૬ ઑગસ્ટે ડિઝની + હૉટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. આ શોમાં તે માધવ મિશ્રાનું પાત્ર ભજવી રહ્યો છે. પહેલી બે સીઝનમાં તેના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘માધવ મિશ્રા એક આમ આદમી છે જેથી આ પાત્ર દરેક સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે. તેનું વર્તન, મૅનરિઝમ, તેનું ટાઇમિંગ, તેની બૉડી-લૅન્ગ્વેજ દરેક વસ્તુ એકદમ સરળ હોવાથી સરળતાથી સમજી શકાય છે. તે એકદમ રેગ્યુલર વ્યક્તિ છે જે તમને સરળતાથી મુંબઈ લોકલમાં મળી શકે છે. આથી જ દર્શકો આ પાત્ર સાથે ખૂબ જ કનેક્ટ થયા છે.’