Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પ્રૉમિસ કરો કે હવે તમે વૈષ્ણોદેવી જાઓ ત્યારે નાભા માતાના મંદિરે અચૂક જશો

પ્રૉમિસ કરો કે હવે તમે વૈષ્ણોદેવી જાઓ ત્યારે નાભા માતાના મંદિરે અચૂક જશો

29 September, 2024 01:49 PM IST | Mumbai
Alpa Nirmal

જમ્મુના જિન્દ્રા‍હ ગામ પાસે નાભા માતા શક્તિપીઠ આવેલી છે. કહેવાય છે કે માતા સતીની નાભિ અહીં પડી હતી. આર્મીના જવાનો દ્વારા દેખભાળ થતું આ મંદિરનું પ્રાકૃતિક રૂપ જેટલું અનન્ય છે એટલી જ અનુકરણીય છે મઢની ચોખ્ખાઈ અને વ્યવસ્થા

નાભા માતા શક્તિપીઠ

તીર્થાટન

નાભા માતા શક્તિપીઠ


ભારતના તાજ સમા રાજ્ય જમ્મુ અને કાશ્મીરનો ઇતિહાસ ઉખેડીએ તો એના છેડા છેક સતયુગને અડે. અરે, અમુક વિદ્વાનોના મતે તો આ સંપૂર્ણ ક્ષેત્ર ઇન્દ્રનું હતું (એટલે જ એ સ્વર્ગ સમાન હશે). કહે છે કે ત્યાર બાદ જમ્બુદ્વીપના આ ક્ષેત્ર પર રાજા અગ્નિદ્રનું આધિપત્ય રહ્યું. સતયુગની વાત કરીએ તો પુરાણોમાં ઉલ્લેખ છે કે સતયુગ દરમ્યાન આ ભૂમિ સપ્તર્ષિમાંના એક કશ્યપ ઋષિનું નિવાસસ્થાન હતું અને આથી જ આ પ્રદેશને કાશ્મીર નામ મળ્યું. પૃથ્વીના ગોળા પર છેક કૅસ્પિયન સાગરથી લઈ કાશ્મીર સુધીની સમસ્ત ધરતી, સમુદ્ર, પર્વતો, દ્વીપો કશ્યપ વંશજોનાં હતાં. કશ્યપ ઋષિની એક પત્ની કદ્રના ગર્ભથી નાગોની ઉત્પત્તિ થઈ, જેમાં ૮ પ્રમુખ નાગ હતા; અનંત (શેષ), વાસુકિ, તક્ષક, કર્કોટક, પદ્‍મ, મહાપદ્‍મ, શંખ અને કુલિક. અહીંથી નાગવંશની સ્થાપના થઈ. આમ મૂળે આ પ્રદેશ તેમનું રાજ્ય કહેવાય છે, જેની પાકી સાબિતી આપે છે આ રાજ્યમાં આવેલું અનંતનાગ.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

29 September, 2024 01:49 PM IST | Mumbai | Alpa Nirmal

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK