સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે.
કામવેદ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
હું અને મારી વાઇફ બન્ને ૫૪ વર્ષનાં છીએ. વાઇફને મેનોપૉઝ આવ્યો એ પહેલાં અમારી સેક્સલાઇફ ઘણી સારી હતી. માસિક બંધ થયા પછી તેની કામેચ્છા સાવ ઘટી ગયેલી. એ દરમ્યાન હું હસ્તમૈથુન કરતો અને એમાંથી આનંદ લઈ લેતો. એ સમયગાળા દરમ્યાન મને ગંભીર બીમારીની સમસ્યા આવી. તબિયત સુધરતાં છ મહિના લાગ્યા. હવે અમે ફોરપ્લે કરીએ છીએ અને હળવી ચેષ્ટાઓ પણ માણીએ છીએ, પણ સમાગમ કરવાના પ્રયત્નમાં નિષ્ફળ જવાય છે. વાઇફને પીડા થાય છે અને મારી ઉત્તેજના શમી જાય છે. હસ્તમૈથુન કરી શકું છું, પણ સમાગમની ઇચ્છા ખૂબ ઓછી થાય છે. કામેચ્છા જગાવવા શું કરવું? વિરાર
તમે હળવી મસ્તી માણો છો અને હસ્તમૈથુન કરી શકો છો એ જ બતાવે છે કે તમને કોઈ ફિઝિકલ સમસ્યા નથી. કદાચ મેનોપૉઝના સમયગાળા દરમ્યાનના સમાગમના પીડાકારક અનુભવોને કારણે તમારા બન્નેમાં કોઈક પ્રકારની ઍન્ગ્ઝાઇટી હોય એવું બની શકે છે.
ADVERTISEMENT
લાંબી બીમારીમાં તમને શું થયેલું એ તમે કહ્યું નથી એટલે એની તમારા પર્ફોર્મન્સ પર કેટલી અસર પડતી હશે એ કહેવું મુશ્કેલ છે અને સેક્સની બાબતમાં અધ્ધર જવાબ આપવાનું ટાળું છું.
મને લાગે છે કે તમે બે-ત્રણ દિવસ શહેરથી દૂર ક્યાંક શાંતિ અને એકાંત મળે ત્યાં ફરવા જાઓ. સાથે જ નક્કી કરી રાખો કે તમારે સમાગમ નથી જ કરવાનો. આટલા નિર્ણયથી તમારા મનને સમાગમ દરમ્યાન શું થશે એની ઍન્ગ્ઝાઇટી નહીં રહે અને તમે મુક્તપણે મસ્તી કરી શકશો. સમાગમ કરવાનું દબાણ મગજમાં ન હોય અને સ્પર્શનો આનંદ વધુમાં વધુ મળતો જાય તો કામેચ્છા ચોક્કસ વધશે.
તમારી પત્નીને મેનોપૉઝ પછી યોનિમાર્ગમાં ચીકણાહટની ઊણપને કારણે યોનિપ્રવેશ વખતે દુખાવો થતો હશે. યોનિપ્રવેશ કરતાં પહેલાં યોગ્ય ચીકાશ પેદા ન થતી હોય તો કોપરેલ તેલનો પણ ઉપયોગ કરી શકો. ઘણી વાર તેલ લગાવવાથી પણ ઉત્તેજનામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. તેલ લગાવવાથી સંભવ છે કે દુખાવો બિલકુલ નહીં થાય અને યોનિપ્રવેશ સરળ બનશે.