Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > શેખ હસીનાને ભ્રષ્ટાચારના કેસમાં વધુ પાંચ વર્ષની સજા

શેખ હસીનાને ભ્રષ્ટાચારના કેસમાં વધુ પાંચ વર્ષની સજા

Published : 02 December, 2025 08:53 AM | IST | Bangladesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગલાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાનને ઑલરેડી કરપ્શનના ત્રણ કેસમાં ૨૧ વર્ષની જેલ અને માનવતાવિરોધી કૃત્ય બદલ ઇન્ટરનૅશલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલ દ્વારા મોતની સજા ફરમાવાઈ છે

શેખ હસીના

શેખ હસીના


બંગલાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પૂર્વાંચલના એક પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીના કેસમાં ઢાકાની વિશેષ અદાલતે દોષી ઠેરવ્યાં હતાં. બંગલાદેશના ઍન્ટિ-કરપ્શન કમિશને આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ભ્રષ્ટાચારને લગતા છ કેસ શેખ હસીના અને તેમના પરિવારના સદસ્યો પર ઠોક્યા હતા. આમાંથી ત્રણ કેસની સુનાવણી ગયા અઠવાડિયે થઈ હતી જેમાં દરેકમાં તેમને ૭-૭ વર્ષની સજા એટલે કે કુલ ૨૧ વર્ષની કેદ સંભળાવવામાં આવી હતી. ગઈ કાલે સોમવારે જમીન-ફાળવણીમાં ભ્રષ્ટાચારના મામલે શેખ હસીનાને પાંચ વર્ષની જેલ સંભળાવવામાં આવી હતી. આ સાથે તેમનાં નાનાં બહેન શેખ રેહાનાને ૭ વર્ષની અને તેમની ભાણેજ (જે બ્રિટનનાં સંસદસભ્ય રહી ચૂકેલાં છે એ) ટ્યુલિપ રિઝવાના સિદ્દીકને બે વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2025 08:53 AM IST | Bangladesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK