Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બાન્દ્રામાં ત્રણ જગ્યાએ પાડ્યા દરોડા

Mumbai: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બાન્દ્રામાં ત્રણ જગ્યાએ પાડ્યા દરોડા

23 October, 2021 06:18 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એજન્સી સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાએ રેડ પાડી છે.

એનસીબી ઓફિસ મુંબઈ

એનસીબી ઓફિસ મુંબઈ


મહારાષ્ટ્રમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એજન્સી સતત કાર્યવાહી કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક જગ્યાએ રેડ પાડી છે, જેમાં મુંબઈ ક્રુઝ શીપ રેડ કેસ પણ સામેલ છે. આ દરમિયાન મુંબઈ એનસીબીએ બાન્દ્રામાં ત્રણ જગ્યાએ દરોડા પાડ્યા છે. એનસીબીના સૂત્રોએ જણાવ્યું હુતં કે, એનસીબીની એક ટીમ હોટેલ તાજ લૈંડ્સ એંડ ગઈ છે. જે લોકો દિલ્લીથી આવ્યા હતા અને ક્રૂજ પાર્ટીનો હિસ્સો બન્યા હતા, તે લોકો આ જ હોટલમાં રોકાયા હતા. 

ક્રુઝ શીપ રેડ કેસ સાથે સંલગ્ન જાણકારી મેળવવા માટે ટીમ ત્યાં ગઈ છે. જોકે, ત્યાં કોઈ રેડ કરવામાં નથી આવી કે કોઈ સર્ચ ચાલી રહ્યું નથી.



નોંધનીય છે કે મુંબઈ ક્રુઝ શીપ ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કરી એનસીબીની ટીમે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત અનેક લોકોની ધરપકડ કરી છે. આ મામલે આર્યન ખાન હાલમાં આર્થર જેલમાં બંધ છે. અનેક વાર તેમના જામીન માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. એનસીબી આ મામલે સતત તપાસ કરી રહી છે. તે દરમિયાન આ કેસમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે.


ઉલ્લેખનીય છે કે ગુરુવારે અભિનેત્રીને અનન્યા પાંડેને ડ્રગ્સ કેસ મામલે એનસીબીએ બોલાવી હતી. આ ઉપરાંત ગત રોજ એટલે કે શુક્રવારે પણ અભિનેત્રી પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી. જયાં તેની 4 કલાક પૂછપરછ ચાલી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 06:18 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK