રાજ્યના અહમદનગર જિલ્લામાં બીજેપીનાં નૂપુર શર્માનું સોશ્યલ મીડિયા પર સમર્થન કરવા બદલ ટોલા દ્વારા ૨૩ વર્ષની એક વ્યક્તિ પર ધારદાર હથિયારથી હુમલો કરી તેને ગંભીર હાલતમાં છોડી દેવાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
નૂપુર શર્મા
મુંબઈ (પી.ટી.આઇ.) : રાજ્યના અહમદનગર જિલ્લામાં બીજેપીનાં નૂપુર શર્માનું સોશ્યલ મીડિયા પર સમર્થન કરવા બદલ ટોલા દ્વારા ૨૩ વર્ષની એક વ્યક્તિ પર ધારદાર હથિયારથી હુમલો કરી તેને ગંભીર હાલતમાં છોડી દેવાયો હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું.
ચોથી ઑગસ્ટે થયેલી આ ઘટના સંદર્ભે ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે હાલના તબક્કે તપાસ પ્રાથમિક તબક્કામાં હોવાથી હુમલા પાછળનો હેતુ જણાવવો ઘણું વહેલું ગણાશે.
હુમલાનો ભોગ બનેલો પ્રતીક ઉર્ફે સની રાજેન્દ્ર પવારને માથા તેમ જ શરીરના અન્ય હિસ્સામાં થયેલી ઈજાને કારણે તેને હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. અહમદનગર જિલ્લા મુખ્ય મથકથી ૨૨૨ કિલોમીટર દૂર આવેલા કર્જત શહેરમાં ગુરુવારે સાંજે અક્કાબાઈ ચોક ખાતે એક મેડિકલ શૉપની સામે મુસ્લિમ સમાજના લગભગ ૧૪ માણસોએ તલવાર, દાંતરડાં, લાકડી અને હૉકી-સ્ટિકથી તેના પર હુમલો કર્યો હતો.