Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Aryan Khan Case: તારીખ પે તારીખ.. હવે 27 ઓક્ટોબરે જામીન અરજી પણ સુનાવણી 

Aryan Khan Case: તારીખ પે તારીખ.. હવે 27 ઓક્ટોબરે જામીન અરજી પણ સુનાવણી 

26 October, 2021 08:54 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે આર્યન ખાનને ક્રુઝમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો.

આર્યન ખાન

આર્યન ખાન


બોમ્બે હાઈકોર્ટ (Bombay High court)એ આર્યન ખાન(Aryan khan)ની જામીન અરજીની સુનાવણી બુધવાર (27 ઓક્ટોબર) પર મુલતવી રાખી છે. ભારતના ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી કે જેઓ ક્રુઝ પર ડ્રગ્સના સંબંધમાં આર્યન ખાનની જામીન અરજી માટે હાજર થઈ રહ્યા છે, તેમણે બોમ્બે હાઈકોર્ટમાં દલીલ કરતાં કહ્યું કે આર્યન ખાનને વિશેષ ગેસ્ટ તરીકે ક્રુઝ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. 

ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું કે, આર્યન ખાનને ક્રુઝમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવામાં આવ્યો હતો. તેમને પ્રતિક ગાબાએ આમંત્રિત કર્યા હતા જેઓ એક આયોજકની જેમ હતા. તેમણે આરોપી 1 આર્યન અને આરોપી 2 અરબાઝ મર્ચન્ટને આમંત્રણ આપ્યું હતું. બંનેને એક જ વ્યક્તિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 



રોહતગીએ આગળ કહ્યું કે, ક્રુઝ પર એનસીબીની હાજરીને કેટલીક પૂર્વ માહિતીને આભારી છે. એવું લાગે છે કે NCB પાસે અગાઉથી માહિતી હતી કે આ ક્રૂઝ પરના લોકો પાસે ડ્રગ્સ છે તેથી તેઓ ચોક્કસ હાજર હતા. તેમણે કહ્યું કે જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે આર્યન ખાન પાસેથી કંઈ મળ્યું ન હતું.


પોતાની દલીલોને આગળ ધપાવતાં તેમણે કહ્યું કે, `મારા ક્લાયન્ટ, અરબાઝ અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તપાસ પણ કરવામાં આવી હતી, આરોપી 1 (આર્યન ખાન) પાસેથી કંઈપણ મળી આવ્યું ન હતું. તેણે કોઈ ડ્રગ્સ લીધું છે કે કેમ તે જાણવા માટે કોઈપણ તબક્કે કોઈ તબીબી તપાસ હાથ ધરવામાં આવી નથી. 

અરબાઝ મર્ચન્ટ પાસેથી છ ગ્રામ ચરસની રિકવરી અંગે વાત કરતાં રોહતગીએ કહ્યું હતું કે આર્યન ખાનને તેની સાથે ત્યાં પહોંચવા સિવાય તેની સાથે કોઈ સંબંધ નથી અને આર્યન પાસેથી ડ્રગ્સની કોઈ રિકવરી થઈ નથી અને તેના સેવનના કોઈ પુરાવા મળ્યા નથી.


મુંબઈની વિશેષ અદાલતે બુધવારે આર્યન અને અન્ય બેને ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટમાં NDPS કોર્ટના જામીન નામંજૂર કરવાના આદેશ સામે જામીન અરજી દાખલ કરી હતી.

NCBની ટીમે કોર્ડેલિયા ક્રુઝ જહાજ પર કથિત ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ કર્યો હતો જે 2 ઓક્ટોબરે મધ્ય સમુદ્રમાં ગોવા જઈ રહ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં બે નાઈજિરિયન નાગરિકો સહિત કુલ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 October, 2021 08:54 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK