એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે.
દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ (પી.ટી.આઇ.) : એકનાથ શિંદેના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસનો મત જીત્યા બાદ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ટૂંક સમયમાં રાજ્યના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. નાગપુર ઍરપોર્ટથી ફડણવીસના સમર્થકોએ એક વિજયયાત્રા પણ કાઢી હતી. ૩૦ જૂને એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સોમવારે વિશ્વાસનો મત જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે ‘અમને થોડોક શ્વાસ તો લેવા દો. કેટલાક દિવસો ભારે વ્યસ્ત રહ્યા હતા. હું અને ફડણવીસ બેસીશું તેમ જ કૅબિનેટ વિસ્તરણ અંગે ચર્ચા કરીશું.’