Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નશેડીઓએ ૧૦ કારનો કચ્ચરઘાણ કાઢ્યો

નશેડીઓએ ૧૦ કારનો કચ્ચરઘાણ કાઢ્યો

Published : 24 May, 2026 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કલવામાં ડ્રગ્સના બંધાણીઓના કારસ્તાનને કારણે સ્થાનિક લોકોમાં રોષ અને ભય : રાતના સમયે પોલીસનું પૅટ્રોલિંગ વધારવાની રહેવાસીઓની માગણી

નશામાં ધુત ડ્રગ્સના બંધાણીઓએ કારની જે વલે કરી છે એ દેખાડતો રહેવાસી.

નશામાં ધુત ડ્રગ્સના બંધાણીઓએ કારની જે વલે કરી છે એ દેખાડતો રહેવાસી.


થાણેના કલવા વિસ્તારમાં ડ્રગ્સના બંધાણીઓ દ્વારા ફેલાવવામાં આવતા આતંકની વધુ એક ઘટના સામે આવી છે. અહીંના ગણપતિપાડા વિસ્તારમાં પાર્ક કરવામાં આવેલી ૧૦ કારનો ડ્રગ્સના બંધાણીઓએ કચ્ચરઘાણ વાળ્યો હોવાની ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે પોતાનાં વાહનોના તૂટેલા કાચ જોઈને કારમાલિકો અચંબામાં પડી ગયા હતા.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષ બન્ને જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા પોલીસ રાતના સમયે આ વિસ્તારમાં પૅટ્રોલિંગ વધારે એવી માગણી પણ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં રાતના સમયે ડ્રગ્સ ઉપરાંત અન્ય નશો કરતા નશેડીઓનો આતંક વધતો જાય છે અને એને ડામવા માટે પોલીસે પૅટ્રોલિંગ વધારવું જોઇએ. 



આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો કલવા પોલીસ-સ્ટેશનની બહાર ભેગા થયા હતા અને ફરિયાદ નોંધાવીને દોષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની અને આ દૂષણનો કાયમી સ્વરૂપે અંત લાવવા પગલાં લેવાની માગણી કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

24 May, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK