Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દહિસરમાં પાળેલાં પ્રાણીઓ માટે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ

દહિસરમાં પાળેલાં પ્રાણીઓ માટે ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ

16 January, 2022 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ શહેરમાં આ પ્રકારનું આ પ્રથમ સ્મશાનગૃહ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મૃત્યુ પામેલાં પાળેલાં પ્રાણીઓના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બીએમસીએ દહિસર સ્મશાનમાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ શરૂ કર્યું હોવાનું જણાવતાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે કહ્યું હતું કે મુંબઈ શહેરમાં આ પ્રકારનું આ પ્રથમ સ્મશાનગૃહ છે. દહિસર સ્મશાનના ૨૫૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં આ સુવિધા વિકસાવવામાં આવી છે, જે માટે બીએમસીએ સર્ક્યુલર પણ ઇશ્યુ કર્યો છે. શહેરમાં પાળેલાં પ્રાણીઓ માટે સામાન્ય સ્મશાન નથી એમ જણાવતાં મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હાલમાં જે પણ સુવિધાઓ છે એ સુવિધા ખાનગી છે અને એમાં વેઇટિંગ પિરિયડ ઘણો લાંબો હોવાથી બીએમસીએ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


Whatsapp-channel Whatsapp-channel

16 January, 2022 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK