મંગળવારે લોઢાની આગેવાની હેઠળના મુંબઈ ભાજપના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક નિવેદન આપવા બદલ પટોળે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.
નાના પટોલેની મોદી અંગેની ટિપ્પણીનો વિરોધ કરતા મુંબઇ BJP પ્રમુખને અટકમાં લેવાયા
મુંબઈ ભાજપના વડા મંગલ પ્રભાત લોઢા અને અન્ય પક્ષના કાર્યકરોને બુધવારે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા જ્યારે તેઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા નાના પટોળેની તેમની `હું મોદીને મારી શકું છું, અપશબ્દ કહી શકું છું` ટિપ્પણી પર વિરોધ કરી રહ્યા હતા. આ પહેલા, મંગળવારે લોઢાની આગેવાની હેઠળના મુંબઈ ભાજપના પ્રતિનિધિમંડળે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીને મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક નિવેદન આપવા બદલ પટોળે વિરુદ્ધ કડક કાર્યવાહીની માગણી કરી હતી.
પ્રતિનિધિમંડળે રાજ્યપાલ કોશ્યારીને એક પત્ર સોંપ્યો હતો જેમાં પટોળે વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરવામાં આવી હતી. લોઢાએ ચેતવણી આપી હતી કે જો 19 જાન્યુઆરી, બુધવારે સવારે 11 વાગ્યા સુધીમાં નાના પટોળે વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ભાજપના કાર્યકરો સાથે ચર્ચગેટ ખાતે ગાંધી પ્રતિમા સામે ઉપવાસ પર ઉતરશે. પટોલે એક વાયરલ ન્યૂઝ ક્લિપમાં પોતાને એવું કહેતા બતાવ્યા કે તેઓ મોદીને પતાવી શકે છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરી શકે છે તે પછી પોતે વિવાદમાં આવ્યા હતા.