Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આફતાબની આજે નાર્કો ટેસ્ટ થવાની શક્યતા

આફતાબની આજે નાર્કો ટેસ્ટ થવાની શક્યતા

28 November, 2022 10:07 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આફતાબની નાર્કો ટેસ્ટ વખતે પાંચ સભ્યોની ટીમ એ રૂમમાં હાજર રહેશે

ફાઇલ તસવીર Shraddha Walkar Murder

ફાઇલ તસવીર


દિલ્હી પોલીસે ઝડપેલા શ્રદ્ધા વાલકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની આજે નાર્કો ટેસ્ટ કરાય એવી શક્યતા છે. ગયા અઠવાડિયે તેની પૉલિગ્રાફ ટેસ્ટ હાથ ધરાઈ હતી. એફએસએલ દ્વારા એ માટે પૂરતી તૈયારીઓ પણ કરાઈ છે.

દિલ્હીના રોહિણીમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં એક ખાસ રૂમ આ ટેસ્ટ માટે અલૉટ કરાયું છે. આફતાબની નાર્કો ટેસ્ટ વખતે પાંચ સભ્યોની ટીમ એ રૂમમાં હાજર રહેશે, જેમાં હૉસ્પિટલના બે ડૉક્ટરો, એક ફિઝિશ્યન અને એક ઍનેસ્થેસિયા આપનાર હશે, જેમાંથી ફિઝિશ્યન આફતાબના શારીરિક પૅરામિટર્સ પર ધ્યાન આપશે. આ સિવાય એફએસએલના બે સાઇકૉલૉજિસ્ટ અને એક ફોટોગ્રાફર પણ હાજર રહેશે. આ આખી ટેસ્ટની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવામાં આવશે.



એવું કહેવાય છે કે આફતાબને પૉ‌લિગ્રાફ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા એ પ્રશ્નો ફરી નાર્કો ટેસ્ટમાં પણ પૂછવામાં આવશે અને ત્યાર બાદ બન્ને ટેસ્ટનાં પરિણામો સરખાવીને તપાસ કરાશે. જો તે કોઈ સવાલના જવાબમાં જુઠ્ઠું બોલ્યો હશે તો એ પણ એમાં સ્પષ્ટ થઈ જશે. 


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2022 10:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK