Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > યુપીના ભદોહીમાં દુર્ગા પંડાલમાં આગ લાગતાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ

યુપીના ભદોહીમાં દુર્ગા પંડાલમાં આગ લાગતાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ

04 October, 2022 09:46 AM IST | Bhadohi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઘટના આરતી વખતે બની હતી, ત્યારે પંડાલની અંદર ૧૫૦થી વધુ લોકો હાજર હતા

દુર્ગા પંડાલમાં આગ

દુર્ગા પંડાલમાં આગ


ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાના એક દુર્ગા પંડાલમાં લાગેલી આગમાં મરણાંક વધીને પાંચ થઈ ગયો છે. રવિવારે મોડી રાતે ભદોહી જિલ્લાના ઔરાઈ શહેરમાં દુર્ગા પૂજા પંડાલમાં આગ લાગવાથી ૧૨ વર્ષના એક છોકરાનું મોત થયું હતું તેમ જ ઓછામાં ઓછા બાવન લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોની ઓળખ અંકુશ સોની (૯), જયા દેવી (૪૫), નવીન (૧૦), આરતી ચૌબે (૪૮) અને હર્ષવર્ધન તરીકે થઈ છે. આ ઘટનામાં કુલ ૬૭ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ત્રણની હાલત ગંભીર છે. પ્રાથમિક દૃષ્ટિએ આ આગ શૉર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ ઘટના ઔરાઈ પોલીસ સ્ટેશન નજીકના પંડાલમાં બની હતી. 

આ ઘટના આરતી વખતે બની હતી, ત્યારે પંડાલની અંદર ૧૫૦થી વધુ લોકો હાજર હતા. ૩૦થી વધુ લોકો દાઝી ગયા હતા. તેમને નજીકના સૂર્યા ટ્રોમા સેન્ટર, સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જેમને ગંભીર ઈજાઓ થઈ હતી તેમને વારાણસી યુનિવર્સિટીના ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.  


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2022 09:46 AM IST | Bhadohi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK