તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.
અમરિંદર સિંહ. તસવીર/એએફપી
રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી પાર્ટીને નુકસાન થાય.
તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.
ADVERTISEMENT
ગેહલોતે ટ્વીટ કરી લખ્યું હતું કે “કેપ્ટન સાહેબ પાર્ટીના આદરણીય નેતા છે અને મને આશા છે કે તેઓ પાર્ટીના હિતને આગળ રાખતા કામ ચાલુ રાખશે.”
कैप्टन साहब पार्टी के सम्मानित नेता हैं एवं मुझे उम्मीद है कि वो आगे भी पार्टी का हित आगे रखकर ही कार्य करते रहेंगे। pic.twitter.com/4bPmB4T3bP
— Ashok Gehlot (@ashokgehlot51) September 19, 2021
ઉલ્લેખનીય છે કે સિંહે શનિવારે અચાનક પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. અગાઉ ગુજરાતમાં પણ આવી જ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.