Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શ્રદ્ધા હત્યાકાંડ: બ્રેકઅપ કરવા માંગતી હતી શ્રદ્ધા , એટલે આફતાબે હત્યા બાદ કર્યા ટુકડા

શ્રદ્ધા હત્યાકાંડ: બ્રેકઅપ કરવા માંગતી હતી શ્રદ્ધા , એટલે આફતાબે હત્યા બાદ કર્યા ટુકડા

29 November, 2022 04:40 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શ્રદ્ધા કોઈપણ ભોગે આફતાબને છોડવા માંગતી હતી.

શ્રદ્ધા વાલકર

શ્રદ્ધા વાલકર


શ્રદ્ધા મર્ડર કેસ (Shraddha Murder Case)માં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. શ્રદ્ધા કોઈપણ ભોગે આફતાબને છોડવા માંગતી હતી. 3-4 મેના રોજ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો, પરંતુ આફતાબ હેરાન થઈ રહ્યો હતો. જેનાથી નારાજ થઈને તેણે આ હત્યા કરી નાખી હતી. હકીકતમાં, આરોપી આફતાબના હુમલા અને વલણથી પરેશાન હતો. શ્રદ્ધા તેનાથી છુટકારો મેળવવા માંગતી હતી. બીજી તરફ આફતાબનો નાર્કો ટેસ્ટ 1 ડિસેમ્બરે થશે. દિલ્હી પોલીસે 1 ડિસેમ્બરે કોર્ટમાં અરજી કરી હતી. નોંધનીય છે કે આરોપી આફતાબનો પોલીગ્રાફિક ટેસ્ટ ગઈકાલે એટલે કે સોમવારે જ પૂર્ણ થઈ ગયો છે. આજે ફરી આફતાબના કેટલાક મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે પોલીગ્રાફિક ટેસ્ટ બાદ છે.

દિલ્હી પોલીસ (New Delhi Police)ના જણાવ્યા અનુસાર, મુંબઈ (Mumbai)માં શ્રદ્ધાના ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ પણ આફતાબ જ્યારે મુંબઈ પોલીસની પૂછપરછમાં સામેલ થવા જઈ રહ્યો હતો ત્યારે તેના ફ્રિજમાં શરીરના કેટલાક અંગો હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 13 હાડકાં મળી આવ્યા છે. જે જંગલની આસપાસના વિસ્તારમાંથી મળી આવ્યા છે.



બીજી તરફ, શ્રદ્ધાની હત્યા બાદ આફતાબનું ઈન્ટરનેટ સર્ચ શંકાસ્પદ છે. તેણે શંકાસ્પદ શોધખોળ કરી, તેણે શું શોધ્યું, હવે તેની તપાસ કરવામાં આવી રહી છે. જો કે કેટલીક સર્ચ તેણે ડિલીટ કરી નાખી છે.દિલ્હી પોલીસ આફતાબ દ્વારા ડિલીટ કરાયેલી સર્ચને શોધવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે SITની રચના કરી છે, શોધ હજુ ચાલુ છે. 


પોલીગ્રાફી ટેસ્ટનો રિપોર્ટ આવવાનો બાકી છે, પોલીગ્રાફી ટેસ્ટથી જ ખ્યાલ આવે છે કે આરોપી સાચુ બોલી રહ્યો છે કે નહી. નાર્કો ટેસ્ટ પણ સામાન્ય માન્ય નથી. જો કે, જો નાર્કો ટેસ્ટ દ્વારા કોઈ રિકવરી થાય તો તે કોર્ટમાં માન્ય છે. નાર્કો ટેસ્ટ દ્વારા રિકવરીની કેટલીક વધુ શક્યતાઓ હોઈ શકે છે.

નોંધનીય છે કે 18 મેના રોજ આફતાબ અને શ્રદ્ધા વચ્ચે ઝઘડો થયો હતો. આફતાબે એક હાથે શ્રદ્ધાનું મોં દબાવ્યું. જ્યારે શ્રદ્ધાએ ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે આરોપીએ બીજા હાથથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ પછી તેણે લાશને બાથરૂમમાં રાખી દીધી. બાદમાં તેણે મૃતદેહના લગભગ 38 ટુકડા કર્યા અને પછી તેને ફ્રીઝમાં રાખ્યા. તે રાત્રે 2 વાગ્યે ફ્રીઝમાંથી મૃતદેહનો ટુકડો કાઢીને મહેરૌલીના જંગલમાં ફેંકી દેતો હતો.


Whatsapp-channel Whatsapp-channel

29 November, 2022 04:40 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK