Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પુખ્ત વયના બે અપરિણીત લોકો વચ્ચે સંમતિથી બંધાયેલો શારીરિક સંબંધ ખરાબ ચારિયની નિશાની નથી : સુપ્રીમ કોર્ટ

પુખ્ત વયના બે અપરિણીત લોકો વચ્ચે સંમતિથી બંધાયેલો શારીરિક સંબંધ ખરાબ ચારિયની નિશાની નથી : સુપ્રીમ કોર્ટ

Published : 09 June, 2026 09:16 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુખ્ત વયના બે અપરિણીત લોકો વચ્ચે સંમતિથી બંધાયેલો શારીરિક સંબંધ ખરાબ ચારિયની નિશાની નથી : સુપ્રીમ કોર્ટ

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં નોંધ્યું છે કે પુખ્ત વયના બે અપરિણીત લોકો વચ્ચે પરસ્પર સંમતિથી બંધાયેલા શારીરિક સંબંધ કોઈ વ્યક્તિના ખરાબ ચારિયનું પ્રમાણ ન બની શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે દરેક સંબંધ લગ્નમાં પરિણમતો નથી એથી માત્ર સંબંધ લગ્ન સુધી ન પહોંચ્યો એના આધારે એવું ન માની શકાય કે એક પક્ષે બીજા સાથે છેતરપિંડી કરી છે.

જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે તેલંગણ સ્ટેટ લેવલ પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડને એક ઉમેદવારની નિમણૂક કરવાનો નિર્દેશ આપતાં આ ટિપ્પણી કરી હતી. આ ઉમેદવારની પોલીસ-કૉન્સ્ટેબલ તરીકેની પસંદગી એક જૂના ફોજદારી કેસને કારણે રદ કરવામાં આવી હતી.



૨૦૧૪માં આ ઉમેદવાર પર પાડોશમાં રહેતી મહિલા સાથે લગ્નની લાલચ આપીને બળાત્કાર કરવાનો આરોપ હતો, જે બાદમાં ૨૦૧૫માં લોકઅદાલતમાં સમાધાન દ્વારા ઉકેલાયો હતો. આ કેસમાં કોઈ ચાર્જશીટ થઈ નહોતી છતાં બોર્ડે ખરાબ ચારિત્ર્યનું કારણ આપીને નિમણૂક અટકાવી દીધી હતી.


સુપ્રીમ કોર્ટે ઉમેદવારની અપીલ સ્વીકારીને જણાવ્યું હતું કે સંમતિથી સંબંધ બાંધતા અપરિણીત યુગલને રોકતો કોઈ કાયદો નથી એથી આના આધારે વ્યક્તિનું ચારિય ખરાબ હોવાનું કહી ન શકાય અને ઉમેદવારની ભરતી ન કરવાનો બોર્ડનો નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 09:16 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK