Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જેલમાં પહેલાં ત્રણ મહિના સિધુની કોઈ કમાણી નહીં

જેલમાં પહેલાં ત્રણ મહિના સિધુની કોઈ કમાણી નહીં

21 May, 2022 09:19 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુને ૧૯૮૮ના રોડ રેજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક વર્ષની સખત સજા કરવામાં આવ્યાને એક દિવસ બાદ તેઓ ગઈ કાલે પટિયાલામાં કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા.

પટિયાલામાં ગઈ કાલે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી રહેલા કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુ.  પી.ટી.આઇ.

પટિયાલામાં ગઈ કાલે કોર્ટ સમક્ષ સરેન્ડર કરી રહેલા કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુ. પી.ટી.આઇ.


પટિયાલા (પી.ટી.આઇ.) ઃ કૉન્ગ્રેસના નેતા નવજોત સિંહ સિધુને ૧૯૮૮ના રોડ રેજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક વર્ષની સખત સજા કરવામાં આવ્યાને એક દિવસ બાદ તેઓ ગઈ કાલે પટિયાલામાં કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે સિધુને મેડિકલ એક્ઝામિનેશન માટે લઈ જવામાં આવ્યા હતા. હિંસાના આ કેસમાં ૬૫ વર્ષના ગુરનામ સિંહનું મોત થયું હતું. 
જેલમાં સિધુને ત્રણ મહિના સુધી કોઈ વેતન નહીં આપવામાં આવે. પંજાબના જેલ મેન્યુઅલ અનુસાર કમાણી શરૂ કરતાં પહેલાં સિધુ પટિયાલા સેન્ટ્રલ જેલમાં ત્રણ મહિના સુધી વેતન વિના કામ કરશે. એ પછી તેઓ બિનકુશળ, અર્ધકુશળ કે કુશળ કેદી છે એ નક્કી કરવામાં આવશે, જેના પછી તેમની કૅટેગરી અનુસાર ૩૦ રૂપિયાથી લઈને ૯૦ રૂપિયા પ્રતિ દિવસ તેમની કમાણી રહેશે. દોષી અપરાધી દિવસમાં આઠ કલાક કામ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 09:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK