Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો

દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો

20 October, 2021 12:27 PM IST | New Delhi
Agency

આર-વૅલ્યુ ૧થી ઓછી હોવાનો અર્થ છે કે સંક્રમણ મંદ પડ્યું છે.  આર-વૅલ્યુ ૧થી જેટલી વધારે એટલું ઝડપથી સંક્રમણ ફેલાય છે અને પારિભાષિક રીતે તેને જ મહામારી કહેવામાં આવે છે.

દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો

દેશમાં કોરોનાના વ્યાપનો દર ઘટ્યો


કોરોના વાઇરસ કેટલો ઝડપથી ફેલાઈ રહ્યો છે તે દર્શાવતી આર-વૅલ્યુ એટલે કે વ્યાપનો દર ભારતમાં સતત ઘટાડા પર છે. ગત સપ્ટેમ્બરથી ભારતની આર-વૅલ્યુ ૧થી નીચે રહી છે જે દર્શાવે છે કે સંક્રમણ ઘટી રહ્યું છે.
આર-વૅલ્યુમાં આર રિપ્રોડક્શન નંબર માટે છે, જે દર્શાવે છે કે એક સંક્રમિત વ્યક્તિમાંથી સરેરાશ લોકોમાંથી કેટલા લોકો સુધી સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આર-વૅલ્યુ ૧થી ઓછી હોવાનો અર્થ છે કે સંક્રમણ મંદ પડ્યું છે.  આર-વૅલ્યુ ૧થી જેટલી વધારે એટલું ઝડપથી સંક્રમણ ફેલાય છે અને પારિભાષિક રીતે તેને જ મહામારી કહેવામાં આવે છે.
ચેન્નઈના એક ઇન્સ્ટિટ્યુટના સંશોધકોએ કરેલા સંશોધન પ્રમાણે દેશમાં સૌથી વધારે ઍક્ટિવ કેસ ધરાવતાં દસ રાજ્યોની આર-વૅલ્યુ ૧૮ ઑક્ટોબર સુધી ૧થી નીચે જ છે. જોકે ઘણાં શહેરોમાં હજી આર-વૅલ્યુ ચિંતાજનક છે. આ સંશોધનની આગેવાની કરી રહેલા સિતાભ્ર સિન્હાએ કહ્યું હતું કે તાજેતરના તહેવારોને કારણે કલકત્તાની આર-વૅલ્યુ ૧થી ઉપર ચાલી ગઈ છે. બૅન્ગલોરની આર-વૅલ્યુ પણ ૧થી વધુ છે. જ્યારે મુંબઈ, પુણે અને ચેન્નઈની આર-વૅલ્યુ ૧ની એકદમ નજીક છે. ૨૫ સપ્ટેમ્બરથી ૧૮ ઑક્ટોબર વચ્ચે ભારતની આર-વૅલ્યુ ૦.૯૦ જોવા મળી છે.

13058
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા કેસ નોંધાયા હતા. તેમજ ૨૪ કલાકમાં ૧૬૪ કોરોનાં-મૃત્યુ નોંધાયાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

20 October, 2021 12:27 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK