ચારધામ દેવસ્થાનમ બોર્ડની ૨૦૧૯માં રચના કરાઈ ત્યારથી ચારધામના પુરોહિતો દ્વારા આ બોર્ડનો ભંગ કરવાની માગણી થતી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઉત્તરાખંડ સરકારે ગઈ કાલે ચારધામ દેવસ્થાનમ બોર્ડનો ભંગ કર્યો હતો. મુખ્ય પ્રધાન પુષ્કર સિંઘ ધામીએ જણાવ્યું હતું કે ‘તમામ પાસાંનો અભ્યાસ કર્યા બાદ અમે ચારધામ દેવસ્થાનમ બોર્ડ ઍક્ટને પાછો ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો.’ ચારધામ દેવસ્થાનમ બોર્ડની ૨૦૧૯માં રચના કરાઈ ત્યારથી ચારધામના પુરોહિતો દ્વારા આ બોર્ડનો ભંગ કરવાની માગણી થતી હતી.