Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ટીમના માલિક શાહરુખ ખાને ઍન્દ્રે રસેલને IPLમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી

ટીમના માલિક શાહરુખ ખાને ઍન્દ્રે રસેલને IPLમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી

Published : 07 December, 2025 11:59 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલકાતા નાઇટ રાઇડર્સના CEO વેન્કી મૈસુરે કર્યો રસપ્રદ ખુલાસો

શાહરુખ ખાન અને ઍન્દ્રે રસેલ

શાહરુખ ખાન અને ઍન્દ્રે રસેલ


કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના CEO વેન્કી મૈસુરે ધુરંધર ઑલરાઉન્ડર ઍન્દ્રે રસેલની IPLમાંથી નિવૃત્તિ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘હું જોઈ શકતો હતો કે રસેલ ટીમમાંથી રિલીઝ થવા વિશે ખૂબ જ ચિંતિત હતો. તેથી જ્યારે મેં આ વાત ટીમના માલિક શાહરુખ ખાન સાથે શૅર કરી ત્યારે શાહરુખે તેને IPLમાંથી નિવૃત્તિ લેવાની સલાહ આપી હતી.’ 
વેન્કી મૈસુરે વધુમાં કહ્યું હતું કે ‘ખેલાડીઓ ભાગ્યે જ એવું અનુભવે છે કે તેમનું કામ આ લીગમાં પૂરું થઈ ગયું છે, પરંતુ તેને એ પણ સમજાયું કે ૨૦૨૬ની IPL આવશે ત્યાં સુધીમાં તે ૩૮ વર્ષનો થઈ જશે. ઍન્દ્રે રસેલ હજી પણ શાનદાર છે અને અન્ય લીગ રમી રહ્યો છે. દરેક વ્યક્તિ તેને પાવરકોચ કહેવા લાગ્યા છે અને મને લાગે છે કે એ વસ્તુ તેને ગમે છે. મહત્ત્વપૂર્ણ નિર્ણય સ્વીકારી લેવામાં આવ્યો છે અને હવે ટીમમાં બધા ખુશ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 11:59 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK