Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેં ઑફિશ્યલી નિવૃત્તિ નથી લીધી, બંગલાદેશમાં ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમીને જ રિટાયર થઈશ

મેં ઑફિશ્યલી નિવૃત્તિ નથી લીધી, બંગલાદેશમાં ત્રણેય ફૉર્મેટની સિરીઝ રમીને જ રિટાયર થઈશ

Published : 09 December, 2025 12:20 PM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક વર્ષથી વધુ સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલા શાકિબ-અલ-હસને કરી સ્પષ્ટતા...

શાકિબ-અલ-હસન

શાકિબ-અલ-હસન


એક વર્ષથી વધુ સમયથી ઇન્ટરનૅશનલ ક્રિકેટથી દૂર રહેલા શાકિબ-અલ-હસને ગયા વર્ષે ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જોકે ઇંગ્લૅન્ડના ક્રિકેટર મોઈન અલીના પૉડકાસ્ટમાં તેણે સ્પષ્ટતા કરી છે કે ‘મેં ઑફિશ્યલી બધાં ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી નથી. આ પહેલી વાર છે જ્યારે હું આ કહી રહ્યો છું. મારી યોજના બંગલાદેશ પાછા જઈને ત્રણેય ફૉર્મટની સંપૂર્ણ શ્રેણી રમવાની છે અને પછી નિવૃત્તિ લેવાની છે.’

શાકિબ-અલ-હસન મે ૨૦૨૪થી બંગલાદેશ પાછો ફર્યો નથી. ગયા વર્ષે ઑગસ્ટમાં આવામી લીગ સરકારને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી પાર્ટીના ભૂતપૂર્વ સંસદસભ્ય શાકિબનું નામ એક કથિત હત્યા-કેસમાં FIRમાં નોંધાયું હતું. જોકે એ સમયે તે દેશમાં નહોતો. ત્યારથી તેણે પાકિસ્તાન અને ભારતમાં ટેસ્ટ-મૅચ રમી છે. કાનપુરમાં ભારત સામેની બીજી ટેસ્ટ તેની છેલ્લી ઇન્ટરનૅશનલ મૅચ હતી.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2025 12:20 PM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK