Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મારી ગેરહાજરી છતાં બંગલાદેશની ટીમે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં ખુશ છું : શાકિબ

મારી ગેરહાજરી છતાં બંગલાદેશની ટીમે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં ખુશ છું : શાકિબ

09 January, 2022 02:35 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાના પરિવાર સાથે સમય વ્યક્ત કરવા માટે શાકિબે બે ટેસ્ટની સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

શાકિબ-અલ-હસન

શાકિબ-અલ-હસન


માઉન્ટ માઉંગાનુઈના મેદાનમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં બંગલાદેશે ન્યુ ઝીલૅન્ડને હરાવતાં ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસને ખુશી વ્યકત કરી છે. પોતાના પરિવાર સાથે સમય વ્યક્ત કરવા માટે શાકિબે બે ટેસ્ટની સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેણે કહ્યું કે ‘જીતવા માટે બંગલાદેશની ટીમને સિનિયર ખેલાડીઓની જરૂર નથી.’ ફાસ્ટ બોલર ઇબાદોત હુસેને બીજી ઇનિંગ્સમાં ૪૬ રન આપીને ૬ વિકેટ લેતાં ન્યુ ઝીલૅન્ડ માત્ર ૧૬૯ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. 
જીતવા માટેનો ૪૦ રનનો લક્ષ્યાંક બંગલાદેશે ૧૬.૫ ઓવરમાં જ આંબ્યો હતો. બંગલાદેશની ટીમે ૨૦૨૨નો વિદેશમાં ટેસ્ટ-વિજય સાથે શાનદાર પ્રારંભ કર્યો હતો. ગયા વર્ષે તે સાતમાંની પાંચ ટેસ્ટ હારી ગયું હતું. 
શાકિબે કહ્યું કે ‘આ જીતનનું શ્રેય તમામ ખેલાડી અને કોચિંગ-સ્ટાફને જાય છે, કારણ કે ટીમે અલગ કન્ડિશન તેમ જ પ્રેશરમાં સારી રમતનું પ્રદર્શન કર્યું હતું. એક ટેસ્ટ-વિજયથી કંઈ બદલાતું નથી, પરંતુ બદલાવની તક જરૂર ઊભી થાય છે. આપણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં પણ સારું પ્રદર્શન કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2022 02:35 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK