Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન: શિખર ધવન જે પ્રશંસાનો હકદાર છે તે તેને મળી નથી!

રવિ શાસ્ત્રીનું મોટું નિવેદન: શિખર ધવન જે પ્રશંસાનો હકદાર છે તે તેને મળી નથી!

25 November, 2022 03:40 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ન્યૂઝીલેન્ડમાં ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા ધવને શુક્રવારે અહીં ટોચના ક્રમમાં 77 બોલમાં 72 રન ફટકાર્યા હતા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ને લાગે છે કે મોટાભાગે વિરાટ કોહલી જેવા ખેલાડીઓ લાઈમલાઈટમાં રહે છે, જ્યારે અનુભવી ઑપનર શિખર ધવન (Shikhar Dhawan) એક ખેલાડી અને કેપ્ટન તરીકે સારો દેખાવ કરવા છતાં તેની પ્રશંસાને થતી નથી.

ન્યૂઝીલેન્ડમાં ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહેલા ધવને શુક્રવારે અહીં ટોચના ક્રમમાં 77 બોલમાં 72 રન ફટકાર્યા હતા અને શુભમન ગિલ સાથે 124 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.



બેટ્સમેન ધવનની ઈનિંગથી પ્રભાવિત થઈને શાસ્ત્રીએ બ્રોડકાસ્ટર પ્રાઈમ વીડિયો પર કહ્યું હતું કે, “તે ઘણો અનુભવી ખેલાડી છે. તે જે પ્રશંસાને પાત્ર છે તે તેને મળતી નથી.”


તેમણે કહ્યું કે, “સાચું કહું તો, `સ્પોટલાઈટ` માત્ર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર જ રહે છે, પરંતુ જો તમે ODI ક્રિકેટમાં તેનો રેકોર્ડ જુઓ તો તમને કેટલીક ઇનિંગ્સ જોવા મળશે જેમાં તેણે ટોચની ટીમો સામે જબરદસ્ત મેચ રમી છે જે એક મોટો રેકોર્ડ છે.

શાસ્ત્રીએ કહ્યું કે 36 વર્ષીય ઓપનિંગ બેટ્સમેન પાસે શ્રેષ્ઠ ઝડપી બોલરો સામે સફળતા મેળવવા માટે તમામ પ્રકારના શોટ્સ છે.


તેમણે કહ્યું કે, “ટોપ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની હાજરીથી ઘણો ફરક પડે છે. તેની પાસે ટોચના વર્ગની ઝડપી બોલિંગનો સામનો કરવા માટે પુલ શોટ, કટ શોટ અને ડ્રાઇવ શોટ જેવા તમામ પ્રકારના શોટ છે. જ્યારે બોલ બેટ પર આવે છે, ત્યારે તે તેને રમવાનું પસંદ કરે છે અને મને લાગે છે કે તેનો અહીં અનુભવ ઘણો ઉપયોગી થશે.”

શાસ્ત્રીએ તેના શરૂઆતના વર્ષોમાં ધવનને `ગન પ્લેયર` ગણાવ્યો હતો. “ઘણા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓ છે, પરંતુ મને લાગે છે કે રમતના આ ફોર્મેટમાં ધવનનો અનુભવ નિર્ણાયક રહેશે.”

ધવને વનડેમાં 6500થી વધુ રન ફટકાર્યા છે. આ પહેલીવાર નથી કે જ્યારે ધવન ટીમનું સુકાન સંભાળી રહ્યો હોય, તે અગાઉ પણ ભારતીય ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે, જેમાં તેણે શ્રીલંકા સામે 2-1થી, દક્ષિણ આફ્રિકા સામે 2-1થી અને વેસ્ટ ઈન્ડિઝ સામે 3-0થી સિરીઝ જીતી હતી. સારા પરિણામો મળ્યા હતા.

ધવનને તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની ટીમ પંજાબ કિંગ્સની કેપ્ટનશિપ સોંપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: વન-ડેના વર્લ્ડ કપનું આજથી રિહર્સલ

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2022 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK