RBIએ રેપોરેટ ૫.૨૫ ટકા પર યથાવત‍્ રાખ્યો

07 February, 2026 11:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

નાની રકમના ફ્રૉડ બદલ RBI ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનું વિચારે છે

ફાઇલ તસવીર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ એની નવીનતમ મૉનેટરી પૉલિસી કમિટી (MPC) સમીક્ષામાં સાતત્યનો વિકલ્પ પસંદ કર્યો, રેપોરેટ ૫.૨૫ ટકા પર યથાવત્ રાખ્યો અને તટસ્થ નીતિ વલણ જાળવી રાખ્યું કારણ કે એ વૈશ્વિક અનિશ્ચિતતાઓ સાથે સ્થિતિસ્થાપક સ્થાનિક વૃદ્ધિને સંતુલિત કરે છે. આ મુદ્દે RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું હતું કે લાંબા સમય સુધી પૉલિસી-રેટ નીચો રહેશે. MPCએ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તટસ્થ વલણ જાળવી રાખ્યું છે, જે રાહતનો અંત નહીં પણ થોભવાનો સંકેત આપે છે. 

નાની રકમના ફ્રૉડ બદલ RBI ૨૫,૦૦૦ રૂપિયાનું વળતર આપવાનું વિચારે છે

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે ગ્રાહક-સુરક્ષા વધારવા, નાણાકીય સમાવેશને આગળ વધારવા, ધિરાણનો પ્રવાહ વધારવા, અર્બન કો-ઑપરેટિવ બૅન્કો (UCB)ને મજબૂત બનાવવા, નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપની (NBFC) માટે વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને નાણાકીય બજારોને વધુ ગાઢ બનાવવાના હેતુથી પગલાંના સમૂહની જાહેરાત કરી હતી.

ગ્રાહક-સુરક્ષા માટે ગવર્નર સંજય મલ્હોત્રાએ ત્રણ ડ્રાફ્ટ-માર્ગદર્શિકા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતોઃ ખોટી રીતે વેચાણ કરવા પર, લોનની વસૂલાત અને વસૂલાત-એજન્ટોની સંડોવણી પર અને ગેરકાયદે ઇલેક્ટ્રૉનિક બૅન્કિંગ-વ્યવહારો માટે ગ્રાહક જવાબદારી મર્યાદિત કરવા પર.

નાના મૂલ્યના ફ્રૉડના વ્યવહારોમાં થયેલા નુકસાન માટે ગ્રાહકોને ૨૫,૦૦૦ રૂપિયા સુધીની ભરપાઈ કરવા માટે એક માળખું રજૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

reserve bank of india rbi governor indian government india business news