દર વર્ષે, લાખો ભક્તો ભગવાન વેંકટેશ્વર પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે તિરુમાલા મંદિરમાં પોતાના વાળ અર્પણ કરે છે. આ પરંપરાને અનુસરીને, અનંત અંબાણીએ મંદિરમાં વાળ અર્પણની વિધિ પણ કરી.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ રવિવાર, 28 જૂન, 2026 ના રોજ આંધ્રપ્રદેશમાં તિરુમાલા શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરની મુલાકાત લીધી. તેમની મુલાકાત દરમિયાન, તેમણે વહેલી સવારે પવિત્ર સુપ્રભાત સેવા વિધિમાં ભાગ લીધો, પરંપરાગત વાળ અર્પણ (મુંડન) કર્યું, અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) માટે ઘણી મહત્તવપૂર્ણ જાહેરાતો કરી. તેમની મુલાકાતમાં માત્ર ધાર્મિક વિધિઓ જ નહીં પરંતુ પર્યાવરણીય સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને યાત્રાળુઓની સુવિધાઓ સંબંધિત પહેલોનો પણ સમાવેશ થાય છે. (તસવીરો: સોશિયલ મીડિયા)
28 June, 2026 06:06 IST | Tirupati | Gujarati Mid-day Online Correspondent