સમારોહના આ પહેલા તબક્કામાં, કુલ 66 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 58 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. બાકીના પુરસ્કારો સમારોહના બીજા તબક્કા દરમિયાન એનાયત કરવામાં આવશે. (તસવીરો: એજન્સી અને સોશિયલ મીડિયા)
રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે સાંજે આયોજિત પદ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા, 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને પદ્મ શ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ગુજરાતની પાંચ અગ્રણી હસ્તીઓને પદ્મશ્રી ઍ એનાયત કરવામાં આવ્યો હતો. જે ગુજરાતીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કલા ક્ષેત્રે મીર હાજીભાઈ કાસમભાઈ ‘હાજી રમકડું’, સામાજિક કાર્ય માટે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલ, કલા ક્ષેત્રે ધાર્મિકલાલ ચૂનીલાલ પંડ્યા અને અભિનેતા-દિગ્દર્શક અરવિંદ વૈદ્યનો સમાવેશ થાય છે. (તસવીરો: એજન્સી અને સોશિયલ મીડિયા)
25 May, 2026 09:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent