કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar
ટેલિવિઝન અભિનેત્રી અલ્પના બુચની દીકરી ભવ્યા બુચના તાજેતરમાં મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ ઉજવણીમાં નજીકના પરિવાર, મિત્રો અને ટેલિવિઝન ઉદ્યોગના ઘણા સભ્યો હાજર રહ્યા હતા, લગ્નની તસવીરો હવે ઓનલાઈન સામે આવી રહી છે.
નૅશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જાનકી બોડીવાલા હાલમાં રાની મુખર્જી અભિનીત `મર્દાની 3`ની સફળતાનો આનંદ માણી રહી છે. જાનકીએ તજતેરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે પોતાનું સપનું સાકાર થયું હોઇ પડદા પાછળની સુંદર ઝલક બતાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. `મર્દાની 3`એ સિક્વલનો ત્રીજો ભાગ છે અને તે ૩૦મી જાન્યુઆરીએ રીલીઝ થયો હતો. `મર્દાની 3` જાનકી બોડીવાલા એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી છે.
આજે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્યપથ પર સંજય લીલા ભણસાલીએ ભારતીય સિનેમાની મહત્તા દર્શાવતાં `ભારત ગાથા` ઝાંખી રજૂ કરી. આ વિશેષ ટેબ્લો થકી તેઓએ દુનિયાને બતાવ્યું કે સિનેમા એ ભારતીય કથાઓનું એક પ્રબળ માધ્યમ છે.
રંગભૂમિને વફાદાર એવા વરિષ્ઠ રંગકર્મી રાજુ બારોટના અવસાનથી સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલ જાણીતા કલાકારનું હાર્ટ ઍટેકથી અવસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે, છતાં હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
23 January, 2026 10:00 IST | Ahmedabad | Viren Chhaya
નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમાએ ભારતીય સિનેમાના પ્રદર્શનના સાત ગૌરવપૂર્ણ વર્ષોની ઉજવણી કરી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC)ના નેજા હેઠળ, નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા (NMIC)એ આજે ભારતીય સિનેમાના સમૃદ્ધ વારસા અને કાયમી પ્રભાવની વિચારશીલ રીતે રજૂઆત કરનારા કાર્યક્રમ સાથે NMICને સાત વર્ષ પુરાં થયાં તેની ઉજવણી કરી. ૨૦૧૯માં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલું, નેશનલ મ્યુઝિયમ ઓફ ઈન્ડિયન સિનેમા તેની કલાકૃતિઓ, ઇન્ટરેક્ટિવ ઇન્સ્ટોલેશન્સ, આર્કાઇવલ સામગ્રી અને ઇમર્સિવ પ્રદર્શનોના વિશાળ સંગ્રહ દ્વારા ભારતના સિનેમેટિક વારસાને સાચવવા, દસ્તાવેજીકરણ કરવા અને પ્રદર્શિત કરવા માટે સમર્પિત એક અગ્રણી સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે.
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.
14 January, 2026 12:30 IST | Mumbai | Viren Chhaya
કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK