અસિત કુમાર મોદીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 18 વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને તેની વાર્તામાં વણી રહ્યો છે. વિવિધ પાત્રો અને કુટુંબ-કેન્દ્રિત વાર્તાઓ દ્વારા, આ શોએ દેશભર અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક બંધન બનાવ્યું છે. આ દિશામાં એક નવા પગલાં સાથે શોએ `રૂપા રતન સાડી શૉપ` રજૂ કરી છે. આ ઉમેરો એક નવી સ્ટોરી લાઇન તરીકે કામ કરશે, જે ભારતનો ઉત્તમ પરંપરાગત પોશાક સાડી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
17 April, 2026 05:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અસિત કુમાર મોદીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 18 વર્ષ કરતાં વધુ સમયથી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને તેની વાર્તામાં વણી રહ્યો છે. વિવિધ પાત્રો અને કુટુંબ-કેન્દ્રિત વાર્તાઓ દ્વારા, આ શોએ દેશભર અને વિશ્વભરના પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક બંધન બનાવ્યું છે. આ દિશામાં એક નવા પગલાં સાથે શોએ `રૂપા રતન સાડી શૉપ` રજૂ કરી છે. આ ઉમેરો એક નવી સ્ટોરી લાઇન તરીકે કામ કરશે, જે ભારતનો ઉત્તમ પરંપરાગત પોશાક સાડી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
17 April, 2026 05:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પદ્મવિભૂષણ ગાયિકા આશા ભોસલેનો દેહ ગઈ કાલે પંચમહાભૂતમાં વિલીન થયો હતો. તેમને પ્રિય સફેદ અને પીળાં ફૂલોથી શણગારેલો મોક્ષરથ લોઅર પરેલના તેમના નિવાસસ્થાન કાસા ગ્રાન્ડથી નીકળ્યો ત્યારે તેમને અશ્રુભીની વિદાય આપવા માટે હજારો લોકો રસ્તા પર ઊમટી આવ્યા હતા.
આશા ભોસલેનું રવિવારે સવારે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં ૯૨ વર્ષની વયે મલ્ટીપલ ઑર્ગન-ફેલ્યરને લીધે અવસાન થયું હતું. સોમવારે સવારથી બૉલીવુડની સેલિબ્રિટીઝ, મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો અને રાજકારણીઓ સહિત ફૅન્સ પણ આશા ભોસલેનાં અંતિમ દર્શન કરવા તેમના ઘરે પહોંચ્યા હતા.
રાષ્ટ્રીય સન્માનના ભાગરૂપે રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલા આશા ભોસલેના પાર્થિવ દેહને મોક્ષરથમાં મૂકવામાં આવ્યો ત્યારે પોલીસ-બૅન્ડે ધૂન વગાડી હતી. મોક્ષરથ પર ટ્રેડિશનલ મહારાષ્ટ્રિયન નથવાળો તેમનો ફોટો મૂકવામાં આવ્યો હતો. લોઅર પરેલના નિવાસસ્થાનથી લગભગ પાંચ કિલોમીટર દૂર દાદરના શિવાજી પાર્કની સ્મશાનભૂમિ સુધી અંતિમયાત્રા નીકળી હતી. ‘આશાતાઈ અમર રહે’ના નારા સાથે રસ્તામાં રાહ જોતા હજારો લોકોએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી હતી.
શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર દરમ્યાન મુંબઈ પોલીસે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરીને આશા ભોસલેને સલામી આપી હતી. તેમને આપવામાં આવેલા સંપૂર્ણ રાજકીય સન્માનના ભાગરૂપે પોલીસ-ટીમે ‘લાસ્ટ પોસ્ટ’ના નાદ સાથે આ પરંપરાગત ગન-સલામી આપી હતી. આશાતાઈના દીકરા આનંદ ભોસલેએ માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ આપ્યો હતો.
(તસવીરો : રાણે આશિષ, સૈયદ સમીર અબેદી, આશિષ રાજે)
14 April, 2026 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેના અંતિમ સંસ્કાર દાદરના શિવાજી પાર્ક ખાતે થયા હતા. દરમિયાન રાજકારણી નેતાઓ સહિત ફિલ્મ અને ક્રિકેટ જગતના અનેલ સેલેબ્સ સ્વર્ગસ્થ ગાયિકાને ભાવનાત્મક વિદાય આપવા પહોંચ્યા હતા. આશા ભોંસલેનું રવિવારે બપોરે 92 વર્ષની વયે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી, તેમના પાર્થિવ શરીરને રવિવારે સાંજે લોઅર પરેલ સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યું હતું, જ્યાં તેમને સોમવાર, 13 એપ્રિલ, 2026 ના રોજ સવારે 11 વાગ્યે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા.
13 April, 2026 07:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પીઢ ગાયિકા આશા ભોસલેનું ગઇકાલે ૯૨ વર્ષની વયે મુંબઈમાં નિધન થયું. આશા ભોસલેના અંતિમ સંસ્કાર આજે ૧૩મી એપ્રિલના રોજ સાંજે ચાર વાગ્યે શિવાજી પાર્ક સ્મશાનગૃહમાં કરવામાં આવનાર છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. હાલ તેઓના પાર્થિવ દેહના અંતિમ દર્શન તેમના ચાહકો કરી શકે તે માટે તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો છે. (તસવીર- સમીર આબેદી)
13 April, 2026 12:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
એલી અવરામ તાજેતરમાં જ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી બ્રેક લઈને વેલનેસ અને સેલ્ફકૅર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અભિનેત્રીએ ગોવામાં એક વેલનેસ પ્રોગ્રામમાં હાજરી આપી હતી, જ્યાં તેણીએ પોતાની જાત સાથે ફરીથી જોડાવા અને માનસિક શાંતિ મેળવવામાં સમય વિતાવ્યો હતો. સુંદર સ્ક્રીન પ્રેસન્સ અને ફિટનેસ-કેન્દ્રિત જીવનશૈલી માટે જાણીતી, એલીએ શેર કર્યું કે આ સમારંભે તેણીને તેના ઝડપી જીવનના સતત દબાણથી દૂર રહેવામાં મદદ કરી. તેણીએ કહ્યું કે, આ અનુભવથી તેણીને રોજિંદા તણાવથી અલગ થવા અને તેણીની આંતરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી મળી.
07 April, 2026 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
IPl 2026 માં ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ (RR)ના વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના બૉલરોને આડે હાથ લીધા હતા. તેણે મૅચ દરમિયાન MI ના જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા અને દીપક ચહર જેવા દિગ્ગજ બૉલરો સામે આક્રમક બૅટિંગ કરી હતી. વૈભવે બુમરાહના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો. (તસવીરો: વૈભવ સૂર્યવંશી ઇન્સ્ટાગ્રામ)
08 April, 2026 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિવારે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત BCCI નમન અવૉર્ડ્સમાં ૨૦૨૪-’૨૫ની સીઝન માટે સ્મૃતિ માન્ધનાને ભારતની બેસ્ટ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૦૬થી શરૂ થયેલા BCCI નમન અવૉર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે સૌથી વધુ પાંચ અવૉર્ડ જીતવા મામલે સ્મૃતિ માન્ધનાએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બરાબરી કરી હતી. બન્નેના જર્સી નંબર પણ ૧૮ છે. સ્મૃતિ માન્ધનાએ ૨૦૨૪-’૨૫ સીઝનમાં ૩૬ મૅચમાં ૧૮૦૦ રન કર્યા હતા. શુભમન ગિલે ૨૦૨૪-’૨૫ સીઝનમાં પચીસ મૅચમાં ૧૫૬૫ રન કરીને પોલી ઉમરીગર બેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર અવૉર્ડ જીત્યો હતો. ૨૦૨૩માં તે પહેલી વખત આ અવૉર્ડ જીત્યો હતો. ICC ચૅરમૅન જય શાહે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને સન્માનિત કર્યા હતા. તેણે ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન્સ અવૉર્ડથી સન્માનિત કરી હતી. આ ત્રણેયને સમારોહમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સ્ટૅન્ડિંગ ઓવેશન વચ્ચે રોજર બિન્ની, રાહુલ દ્રવિડ, મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્સ મળ્યા.
સબરીમાલા મંદિરના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી ત્યારે એ સુનાવણીમાં સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ખાસ્સી દલીલો થઈ. એ દલીલોનો મુખ્યત્વે મુદ્દો એ હતો કે સબરીમાલામાં બિરાજમાન અય્યપ્પા ભગવાન નૈષ્ઠિક બ્રહ્મચારી સ્વરૂપમાં હોવાથી દસથી પચાસ વર્ષની મહિલા એટલે કે રજસ્વલાના તબક્કામાં હોય તે મહિલાઓ દર્શન નથી કરી શકતી, જેને લીધે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં નથી આવતો. સબરીમાલા મંદિરમાં સૌકોઈ દર્શનાર્થે જઈ શકે એવા ભાવથી દાખલ કરવામાં આવેલી પિટિશનના બચાવમાં કરવામાં દલીલોમાંથી એક દલીલે સૌકોઈનું ધ્યાન ખેંચ્યું અને એ ચર્ચા સપાટી પર આવી. દલીલના ભાગરૂપે કોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશમાં કેટલાંક મંદિરો એવાં પણ છે જ્યાં વર્ષના અમુક સમયે પુરુષોને પ્રવેશ નથી મળતો. આ પ્રકારનાં દેશમાં ૬ મંદિરો છે જેમાં સૌથી વધારે મંદિરો કેરલમમાં છે. પહેલા નંબરે આવે છે કેરલમનું અટ્ટુકલ ભગવતી મંદિર. પુરુષોને પ્રવેશબંધી જાહેર કરનારાં મોટા ભાગનાં મંદિરો દક્ષિણ ભારત અને ખાસ તો કેરલમમાં છે, જ્યાં દેવીના શક્તિ સ્વરૂપને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સ્ત્રીત્વના સન્માનમાં પુરુષો માટે પ્રવેશ મર્યાદિત રાખવામાં આવે છે.
10 April, 2026 05:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK