Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજનાં વન્ડર વુમન છે અર્ચના કેળકર દેશમુખ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
આજનાં વન્ડર વુમન છે અર્ચના કેળકર દેશમુખ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન: થિયેટર-થૅરેપીનું ફ્યૂઝન બનાવ્યું છે અર્ચના કેળકર દેશમુખે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજના આપણાં વન્ડર વુમન છે અર્ચના કેળકર દેશમુખ. સામાજિક મુદ્દાઓ પર નાટક, શૉર્ટ ફિલ્મ હોય કે પછી નુક્કડ નાટકો, અર્ચનાએ તેમના આ કર્યો દ્વારા સમાજમાં જાગરૂકતા લાવવા માટે પોતાને સમર્પિત કરી દીધા છે. આ સાથે તેઓ થિયેટર દ્વારા બાળકો અને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતાં લોકો માટે થૅરેપી સૅશન અને કાર્યશાળા (વર્કશૉપ) પણ યોજે છે. તો ચાલો જાણીએ તેમના આ આનોખા કર્યો વિશે.

13 May, 2026 05:43 IST | Mumbai | Viren Chhaya
આ વિરોધને કારણે, અત્યાર સુધીમાં ઓછામાં ઓછી ત્રણ લોકલ ટ્રેન સેવાઓ રદ કરવી પડી હતી, જેના કારણે ઑફિસથી પરત ફરતા હજારો મુસાફરોને અસુવિધા થઈ રહી છે. (તસવીરો: સમીર આબેદી અને રાજેન્દ્ર આકલેકર)

Photos: મધ્ય રેલવે લોકલ સેવા ઠપ્પ, CSMT ખાતે ટ્રેન મૅનેજરોના વિરોધથી લોકો ફસાયા

પ્રતીકાત્મક તસવીર

દસમાના રિઝલ્ટમાં જુઓ કેવા ઝળક્યા છે આ ગુજરાતીઓ

આ નાટકના દિગ્દર્શક પ્રિતેશ સોઢા છે અને લેખક પ્રયાગ દવે છે

ભારતનો લાડકવાયો દીનદયાલઃ રાષ્ટ્ર પ્રેમ અને આધ્યાત્મનું સંતુલન જાળવનારની જીવનકથા




IPL 2026 RR vs MI: મૅચમાં જોરદાર જીત બાદ વૈભવ સૂર્યવંશીએ શૅર કરી ખાસ પોસ્ટ

IPl 2026 માં ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ (RR)ના વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના બૉલરોને આડે હાથ લીધા હતા. તેણે મૅચ દરમિયાન MI ના જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા અને દીપક ચહર જેવા દિગ્ગજ બૉલરો સામે આક્રમક બૅટિંગ કરી હતી. વૈભવે બુમરાહના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો. (તસવીરો: વૈભવ સૂર્યવંશી ઇન્સ્ટાગ્રામ)

08 April, 2026 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

​ક્રિકેટ બોર્ડનો અવૉર્ડ જીતવામાં સ્મૃતિ માન્ધનાએ કરી લીધી વિરાટ કોહલીની બરાબરી

રવિવારે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત BCCI નમન અવૉર્ડ્‍સમાં ૨૦૨૪-’૨૫ની સીઝન માટે સ્મૃતિ માન્ધનાને ભારતની બેસ્ટ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૦૬થી શરૂ થયેલા BCCI નમન અવૉર્ડ્‍સમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે સૌથી વધુ પાંચ અવૉર્ડ જીતવા મામલે સ્મૃતિ માન્ધનાએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બરાબરી કરી હતી. બન્નેના જર્સી નંબર પણ ૧૮  છે. સ્મૃતિ માન્ધનાએ ૨૦૨૪-’૨૫  સીઝનમાં ૩૬ મૅચમાં ૧૮૦૦  રન કર્યા હતા. શુભમન ગિલે ૨૦૨૪-’૨૫ સીઝનમાં પચીસ મૅચમાં ૧૫૬૫ રન કરીને પોલી ઉમરીગર બેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર અવૉર્ડ જીત્યો હતો. ૨૦૨૩માં તે પહેલી વખત આ અવૉર્ડ જીત્યો હતો. ICC ચૅરમૅન જય શાહે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને સન્માનિત કર્યા હતા. તેણે ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન્સ અવૉર્ડથી સન્માનિત કરી હતી. આ ત્રણેયને સમારોહમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સ્ટૅન્ડિંગ ઓવેશન વચ્ચે રોજર બિન્ની, રાહુલ દ્રવિડ, મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્‍સ મળ્યા.

17 March, 2026 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


Photos: મધ્ય રેલવે લોકલ સેવા ઠપ્પ, CSMT ખાતે ટ્રેન મૅનેજરોના વિરોધથી લોકો ફસાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ખાતે બુધવારે સાંજે પીક અવર્સ દરમિયાન મધ્ય રેલવેની લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. તાજેતરમાં યહ જાહેર કરાયેલા રેલવે સૅફ્ટી પરિપત્ર નં. 15 ના વિરોધમાં ટ્રેન મૅનેજરોએ `વર્ક-ટુ-રૂલ` વિરોધ શરૂ કર્યા બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ. (તસવીરો: સમીર આબેદી અને રાજેન્દ્ર આકલેકર) 13 May, 2026 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent


ભારતનો લાડકવાયો દીનદયાલઃ રાષ્ટ્ર પ્રેમ અને આધ્યાત્મનું સંતુલન જાળવનારની જીવનકથા

ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.

12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK