Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું રણજીત ઠાકોરને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું રણજીત ઠાકોરને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

‘જીવવું હોય તો પર્યાવરણ બચાવો’: વન્યજીવ બચાવતા રણજીત ઠાકોરની પ્રેરણાદાયક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું રણજીત ઠાકોરને જેમણે પર્યાવરણ બચાવવાનું બીડું પોતાના ખભા પર ઉપાડ્યું છે. તે અમદાવાદમાં રજિસ્ટર્ડ વન્યજીવન રેસ્કયુઅર છે. આવો તેમના વિશે વધુ જાણીએ...

25 March, 2026 09:31 IST | Mumbai | Hetvi Karia
અધિકારીઓના જણાવ્યા અનુસાર, રૂ. 2 કરોડથી વધુ કિંમતની વસ્તુઓ સંબંધિત ફરિયાદીઓને પરત કરવામાં આવી હતી. (તસવીરો: મિડ-ડે)

મુંબઈ પોલીસે 2 કરોડ રૂપિયાથી વધુ કિંમતની વસ્તુઓ ફરિયાદીઓને પરત કરી, જુઓ તસવીરો

જંગલના અંતરનાદનો પડઘો એટલે ફિલ્મ

દેવન્દ્ર બાડીગરની ફિલ્મ `વન્યા`: પ્રગતિના નામે થતા વિનાશ સામે એક વનવાસીનો પડકાર

આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ દેવેન્દ્ર જોશીની રચનાઓ કવિવાર

કવિવાર : જિંદગી પણ કેટલા નખરા બતાવે છે! કવિ દેવેન્દ્ર જોશી




​ક્રિકેટ બોર્ડનો અવૉર્ડ જીતવામાં સ્મૃતિ માન્ધનાએ કરી લીધી વિરાટ કોહલીની બરાબરી

રવિવારે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત BCCI નમન અવૉર્ડ્‍સમાં ૨૦૨૪-’૨૫ની સીઝન માટે સ્મૃતિ માન્ધનાને ભારતની બેસ્ટ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૦૬થી શરૂ થયેલા BCCI નમન અવૉર્ડ્‍સમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે સૌથી વધુ પાંચ અવૉર્ડ જીતવા મામલે સ્મૃતિ માન્ધનાએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બરાબરી કરી હતી. બન્નેના જર્સી નંબર પણ ૧૮  છે. સ્મૃતિ માન્ધનાએ ૨૦૨૪-’૨૫  સીઝનમાં ૩૬ મૅચમાં ૧૮૦૦  રન કર્યા હતા. શુભમન ગિલે ૨૦૨૪-’૨૫ સીઝનમાં પચીસ મૅચમાં ૧૫૬૫ રન કરીને પોલી ઉમરીગર બેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર અવૉર્ડ જીત્યો હતો. ૨૦૨૩માં તે પહેલી વખત આ અવૉર્ડ જીત્યો હતો. ICC ચૅરમૅન જય શાહે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને સન્માનિત કર્યા હતા. તેણે ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન્સ અવૉર્ડથી સન્માનિત કરી હતી. આ ત્રણેયને સમારોહમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સ્ટૅન્ડિંગ ઓવેશન વચ્ચે રોજર બિન્ની, રાહુલ દ્રવિડ, મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્‍સ મળ્યા.

17 March, 2026 02:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

T-20 વર્લ્ડ કપ ચૅમ્પિયન્સ ટીમ ઇન્ડિયાનો ફૅમિલી સાથે જીતનો જલસો, જુઓ તસવીરો

મૅન્સ T20 વર્લ્ડ કપ ટાઇટલ ઘરઆંગણે ડિફેન્ડ કર્યા બાદ ભારતીય ટીમ અને કોચિંગ સ્ટાફે ફૅમિલી સાથે અમદાવાદના મેદાન પર જીતની ઉજવણી કરી હતી. ફૅમિલીના સભ્યો સાથેની તેમની યાદગાર ક્ષણ કૅમેરામાં કેદ થઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

10 March, 2026 04:19 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent


અક્ષરધામ ખાતે નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો

વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે ચાર માસ સુધી નિર્જલ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર ૧૧ વર્ષની ઉંમરે શરૂ થયેલી સમગ્ર ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાન્નિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો. 26 March, 2026 02:16 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent


કવિવાર : જિંદગી પણ કેટલા નખરા બતાવે છે! કવિ દેવેન્દ્ર જોશી

કવિવારની શ્રેણીમાં આજે મુંબઈના સર્જક દેવેન્દ્ર જોશીની ગઝલો મૂકવી છે. ૭૮ વર્ષના દેવેન્દ્રભાઈએ ગઝલ-સર્જન થકી પોતાની જાતને નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રાખી છે. મૂળે ટેક્સ્ટટાઇલ ટેકનોલોજીમાં સ્નાતક દેવેન્દ્ર જોશી વર્ષ ૨૦૦૩માં ઇંડિયન પેટ્રોકેમિકલમાંથી સેવાનિવૃત્ત થયા ત્યાર પછી આ કવિએ પોતાને સાહિત્ય અને સંગીતમાં ઓતપ્રોત કરી નાખી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

24 March, 2026 01:11 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK