બૉલિવૂડ ફિલ્મ મેકર બોની કપૂરના પરિવારમાં આ દિવસોમાં ઉત્સવપૂર્ણ લગ્નનો માહોલ છે. તેમની દીકરી અંશુલા કપૂર સોમવારે મુંબઈમાં તેના બૉયફ્રૅન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ છે, જેમાં કપૂર પરિવારના સભ્યો સામેલ થઈને વિવિધ પરંપરાગત વિધિઓમાં સામેલ થયા છે.
બૉલિવૂડ ફિલ્મ મેકર બોની કપૂરના પરિવારમાં આ દિવસોમાં ઉત્સવપૂર્ણ લગ્નનો માહોલ છે. તેમની દીકરી અંશુલા કપૂર સોમવારે મુંબઈમાં તેના બૉયફ્રૅન્ડ રોહન ઠક્કર સાથે લગ્ન કરવા જઈ રહી છે. લગ્ન પહેલાની ઉજવણી શરૂ થઈ છે, જેમાં કપૂર પરિવારના સભ્યો સામેલ થઈને વિવિધ પરંપરાગત વિધિઓમાં સામેલ થયા છે.
વૉર્નર બ્રધર્સ ઇન્ડિયાએ તેની આગામી ફિલ્મ, ‘ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ’ માટે પાંચ નવા પાત્રોનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ 14 ઑગસ્ટ, 2026 ના રોજ ભારતમાં થિયેટરો અને IMAX માં રિલીઝ થવાની તૈયારીમાં છે. તે અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રજૂ કરવામાં આવશે.
સોશિયલ મીડિયા સ્ટાર અને અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે તેનું કારણ તેની ફૅશન કે કપડાંની પસંદગી નથી; તેના ધર્મ સાથે જોડાયેલ છે. તાજેતરમાં જ તેણે ધર્મ પરિવર્તન કર્યું હોવાની અફવાઓને જાહેરમાં નકાર્યા બાદ ઉર્ફીએ આસામમાં ગુવાહાટીના પ્રખ્યાત કામાખ્યા મંદિરની મુલાકાત લીધી હતી. તેની મંદિર મુલાકાતના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. (તસવીરો: ઉર્ફી જાવેદ ઇન્સ્ટાગ્રામ)
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં પોતાને યોગિની ગણાવનાર શિલ્પા શેટ્ટીએ ગઈ કાલે બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુડગાંવમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લોકોને સ્ટેજ પરથી યોગ કરાવ્યા હતા.
જુહી ચાવલાનું માનવું છે કે તેના જીવનમાં યોગનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તે છેલ્લાં લગભગ ૨૦ વર્ષથી દરરોજ યોગાસન કરી રહી છે અને આજે પણ પોતાના દૈનિક જીવનમાં યોગને ખાસ સ્થાન આપે છે. જુહીનું કહેવું છે કે તેની તંદુરસ્તી, માનસિક શાંતિ અને સકારાત્મકતા પાછળ યોગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
Father’s Day Special: આજે છે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે. સદીઓથી માતાના રોલની જેટલી મહાનતા વર્ણવાઈ છે, એટલી પિતાજીના રોલની નહીં. હંમેશાથી મૂંગા મોંએ પરિવાર માટે જાતને હોમી દેનારા પિતાની વાતો આપણે ઓછી યાદ કરીએ છીએ. એમાં સવાલ થાય કે ફિલ્મી દુનિયાની ઝાકઝમાળ અને રાત-દિવસ શૂટિંગમાં વ્યસ્ત રહેનારા એક્ટર્સ પપ્પા તરીકેનો રોલ કેટલો બખૂબી નિભાવી શકે છે? આજે વાત કરીએ એ પાંચ એક્ટર્સની જેઓએ પડદા પરના રોલની સાથે જીવનમાં એક પિતા તરીકેનો રોલ પણ પૂરી સભાનતાથી નિભાવ્યો છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે ઉર્વશી પારેખ. ઉર્વશીબહેન પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાયેલાં છે. લેફ્ટ-હેન્ડેડ બેટ્સમેન અને રાઇટ-હેન્ડેડ બૉલર તરીકે જાણીતા ઉર્વશીબહેન લગભગ દરેક વીકેન્ડ પર ટુર્નામેન્ટ રમે છે, અને મોટાભાગની ટુર્નામેન્ટમાં વિજેતા બને છે. આ ફિલ્ડમાં ૧૩૦ કરતાં પણ વધારે એવોર્ડસ મેળવ્યા છે.
દેશભરમાં યુવા મહિલા ફૂટબૉલરો માટે તકો વધારવાના હેતુથી `નારી શક્તિ ટ્રાયલ્સ` કાર્યક્રમ 40 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. આ પહેલ ભારતમાં ખાસ કરીને છોકરીઓ માટે રચાયેલ થોડા મહિલા-આગેવાની હેઠળના ફૂટબૉલ સ્કાઉટિંગ કાર્યક્રમોમાંની એક છે, જે રમતમાં વધુ માળખાગત અને સુલભ માર્ગો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
થાણેમાં રવિવાર તેમ જ સોમવારે પડેલા સાંબેલાધાર વરસાદે જનજીવન વેરવિખેર કરી નાખ્યું હતું. વેગવાન પવનોએ વૃક્ષો ધરાશાયી કર્યાં હતાં. હવામાન વિભાગ દ્વારા થાણે જિલ્લા માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તેમ જ થાણેમાં ફરવા માટે જાણીતો તલાવપાળી લેક ગઈ કાલે ઓવરફ્લો થયા પછી થાણે જિલ્લા પ્રશાસને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદ અને ૮૦થી ૯૦ કિલોમીટરની ઝડપે ફૂંકાતા તેજ પવનને કારણે પૂર અને ભેખડો ધસી પડવાનું જોખમ વધી ગયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થાણેના કલેક્ટર ડૉ. શ્રીકૃષ્ણ પાંચાલે નાગરિકોની સુરક્ષા માટે જિલ્લાનાં તમામ કિલ્લાઓ, ડૅમ, તળાવો, નદીકિનારા અને ધોધ જેવાં પ્રવાસી સ્થળોએ જવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. અગાઉ આવાં સ્થળોએ ડૂબી જવાથી અને અકસ્માતોને કારણે થયેલી જાનહાનિને ટાંકીને કલેક્ટરે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને વહીવટી તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે.07 July, 2026 09:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મકરંદ દવેનો જન્મ ગોંડલમાં થયેલો. ત્યાં જ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં ભાગ લેવા અભ્યાસને પડતો મૂક્યો હતો. તેમની કવિતાઓમાં પરમ અનુભૂતિનો સ્પર્શ આપણને થાય છે, તે તેમના ગુરુ નાથાલાલ જોશીને લીધે. તેમના સહવાસે મકરંદભાઈએ આત્મ તરફની યાત્રા આરંભી. લેખિકા કુન્દનિકા કાપડિયા સાથે લગ્ન બાદ તેઓએ વલસાડના ધરમપુર ખાતે નંદીગ્રામની સંકલ્પના સાકારીને આધ્યાત્મિકતાની ધૂણી ધખાવી. તેમણે કુમાર, ઉર્મિ નવરચના, સંગમ, પરમાર્થી વગેરે સામયિકો અને જય હિંદ દૈનિકના સંપાદનનું કામ પણ બખૂબી કર્યું.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK