19મી સદીના આત્મજ્ઞાની સંત Shrimad Rajchandraના 125મા સમાધિદિન નિમિત્તે રાજકોટમાં “પરમકૃપાળુદેવ પરમ પ્રયાણ પર્વ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વ 4 એપ્રિલથી 7 એપ્રિલ 2026 દરમિયાન શાસ્ત્રી મેદાન ખાતે યોજાઈ રહ્યું છે. આ આયોજન Shrimad Rajchandra Gyan Mandir Trust દ્વારા કરવામાં આવ્યું છે.
06 April, 2026 06:51 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
એલી અવરામ તાજેતરમાં જ પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી બ્રેક લઈને વેલનેસ અને સેલ્ફકૅર પર ધ્યાન કેન્દ્રિત કર્યું. અભિનેત્રીએ ગોવામાં એક વેલનેસ પ્રોગ્રામમાં હાજરી આપી હતી, જ્યાં તેણીએ પોતાની જાત સાથે ફરીથી જોડાવા અને માનસિક શાંતિ મેળવવામાં સમય વિતાવ્યો હતો. સુંદર સ્ક્રીન પ્રેસન્સ અને ફિટનેસ-કેન્દ્રિત જીવનશૈલી માટે જાણીતી, એલીએ શેર કર્યું કે આ સમારંભે તેણીને તેના ઝડપી જીવનના સતત દબાણથી દૂર રહેવામાં મદદ કરી. તેણીએ કહ્યું કે, આ અનુભવથી તેણીને રોજિંદા તણાવથી અલગ થવા અને તેણીની આંતરિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી મળી.
07 April, 2026 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કર્ણાટકના જંગલોની શાંત ઘટાઓ વચ્ચે, ‘વન્યા’ (Vanya) એક શાંત ગર્જનાની જેમ ઉભરી આવે છે. આ વાર્તા એવા મૂળિયાંની છે જે સરકારી તંત્રના બુલડોઝર કરતાં પણ વધુ ઊંડા છે. નિર્દેશક બાડિગેર દેવેન્દ્રની આ કન્નડ પેરેલલ સિનેમાની અમૂલ્ય કૃતિએ નવેમ્બર 2025માં 56મા IFFIના ઇન્ડિયન પેનોરમામાં પ્રીમિયર થયા બાદ વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ધૂમ મચાવી છે. (તસવીર સૌજન્ય - દેવેન્દ્ર બાડીગર)
24 March, 2026 05:41 IST | Mumbai | Chirantana Bhatt
ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ દિલ્હી (IFFD) ખાતે સિનેમાના ઇતિહાસ અને વારસાને પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્યથી એક ખાસ પ્રદર્શન સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલ તૂલી રિસર્ચ સેન્ટર ફોર ઇન્ડિયા સ્ટડીઝ (T.R.I.S.) ઈન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ પ્રદર્શનનું આયોજન આર્ટ કલેકટર, લેખક અને સંસ્થા-નિર્માતા નેવિલ તૂલી દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય અને વિશ્વ સિનેમા બન્નેને લગતા દુર્લભ ફોટોગ્રાફ્સ, વિન્ટેજ પોસ્ટર્સ, ફિલ્મ કલાકૃતિઓ અને આર્કાઇવલ સામગ્રી રજૂ કરવામાં આવી છે. (તસવીરો: તૂલી રિસર્ચ સેન્ટર ફોર ઇન્ડિયા સ્ટડીઝ)
અભિનેત્રી અને ગાયિકા ટિયા બાજપાઈએ તેનું મલ્ટી લેગ્વેજ મ્યુઝિક આલ્બમ, ‘લવ માફિયા’ સાથે વૈશ્વિક સ્તરે પ્રવેશ કર્યો છે. આ આલ્બમ આંતરરાષ્ટ્રીય મેકર પ્રિન્સ રોમલ, જેમને આર્યન રોમલ સાથે મળીને બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટની એક ખાસિયત એ છે કે ટિયાએ પાંચ અલગ અલગ ભાષાઓમાં ગીતો ગાયા છે જેમ કે અંગ્રેજી, હિન્દી, સ્વાહિલી, કોરિયન અને લૅટિન.
અભિનેત્રી જાહ્નવી કપૂર તાજેતરમાં 29 વર્ષની થઈ. પોતાની ટ્વેન્ટીઝ (Twenties) નો છેલ્લો જન્મદિવસ તેણે ખૂબ જ આરામદાયક અંદાજમાં ઉજવ્યો. સ્વાદિષ્ટ ખોરાક, કેઝ્યુઅલ આઉટફિટ્સ અને અનેક બલૂન્સ સાથે પાર્ટી ડૅકોર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું હતું. જન્મદિવસની પાર્ટી માટે મેનુ તૈયાર કરનાર શેફએ આ ઉજવણીની કેટલીક તસવીરો પણ શેર કરી છે.
રવિવારે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત BCCI નમન અવૉર્ડ્સમાં ૨૦૨૪-’૨૫ની સીઝન માટે સ્મૃતિ માન્ધનાને ભારતની બેસ્ટ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૦૬થી શરૂ થયેલા BCCI નમન અવૉર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે સૌથી વધુ પાંચ અવૉર્ડ જીતવા મામલે સ્મૃતિ માન્ધનાએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બરાબરી કરી હતી. બન્નેના જર્સી નંબર પણ ૧૮ છે. સ્મૃતિ માન્ધનાએ ૨૦૨૪-’૨૫ સીઝનમાં ૩૬ મૅચમાં ૧૮૦૦ રન કર્યા હતા. શુભમન ગિલે ૨૦૨૪-’૨૫ સીઝનમાં પચીસ મૅચમાં ૧૫૬૫ રન કરીને પોલી ઉમરીગર બેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર અવૉર્ડ જીત્યો હતો. ૨૦૨૩માં તે પહેલી વખત આ અવૉર્ડ જીત્યો હતો. ICC ચૅરમૅન જય શાહે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને સન્માનિત કર્યા હતા. તેણે ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન્સ અવૉર્ડથી સન્માનિત કરી હતી. આ ત્રણેયને સમારોહમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સ્ટૅન્ડિંગ ઓવેશન વચ્ચે રોજર બિન્ની, રાહુલ દ્રવિડ, મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્સ મળ્યા.
મૅન્સ T20 વર્લ્ડ કપ ટાઇટલ ઘરઆંગણે ડિફેન્ડ કર્યા બાદ ભારતીય ટીમ અને કોચિંગ સ્ટાફે ફૅમિલી સાથે અમદાવાદના મેદાન પર જીતની ઉજવણી કરી હતી. ફૅમિલીના સભ્યો સાથેની તેમની યાદગાર ક્ષણ કૅમેરામાં કેદ થઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
શ્રી નાગર મંડળ, અંધેરી હરહંમેશ નવા નવા કાર્યક્રમો અને મહોત્સવો માટે ઉત્સાહિત રહેતું હોય છે. વર્ષ ૧૯૬૬માં સ્થપાયેલ આ મંડળ ટૂંક જ સમયમાં સાઈઠ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે હાટકેશ જયંતીના ઉપલક્ષમાં મહાપાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરક જયંતી ઊજવી રહેલા SNMAનાં પ્રમુખ અર્ચિતા મહેતા અને ઉપપ્રમુખ જાગૃતિ વૈષ્ણવના નેજા હેઠળ સમગ્ર કારોબારી સમિતિએ અથાક મહેનત કરીને ઇષ્ટદેવ મહાદેવને રીઝવવા મહાલઘુરુદ્ર પૂજા સહિતના આયોજનો સફળતાપૂર્વક યોજીને આશરે અઢીસો જેટલા નાગરોને ભક્તિ અને આનંદમાં તરબોળ કર્યા હતા.07 April, 2026 12:06 IST | Mumbai | Dharmik Parmar
કવિવારની શ્રેણીમાં આજે યુવાકવિ તેજસ દવેની રચનાઓ માણવી છે. તેજસ દવે ઉત્તમ સંચાલન પણ કરી જાણે છે. કવિતાઓ, ગીતો, અછાંદસો, નાટકો લખનાર તેજસ દવે પાસેથી આપણને `ઓગળતી જિંદગીના સમ` નામે સંગ્રહ મળે છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
07 April, 2026 02:29 IST | Mumbai | Dharmik Parmar
31 March, 2026 02:23 IST | Mumbai | Dharmik Parmar
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK