આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના 250 કરોડ રૂપિયાના નવા ઘરમાં રહેવા ગયા છે. આ દંપતીએ નવેમ્બરમાં ઘરે પૂજા કરી હતી. આલિયાએ તાજેતરમાં પૂજાના ફોટા શેર કર્યા છે, જેમાં આલિયા, રણબીર, નીતુ અને રાહા તેમના ઘર માટે હવન કરતા જોવા મળે છે. આ સુંદર ફોટોઝ બતાવે છે કે આ દંપતી એક નવી સફર પર સાથે શરૂઆત કરી રહ્યું છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના 250 કરોડ રૂપિયાના નવા ઘરમાં રહેવા ગયા છે. આ દંપતીએ નવેમ્બરમાં ઘરે પૂજા કરી હતી. આલિયાએ તાજેતરમાં પૂજાના ફોટા શેર કર્યા છે, જેમાં આલિયા, રણબીર, નીતુ અને રાહા તેમના ઘર માટે હવન કરતા જોવા મળે છે. આ સુંદર ફોટોઝ બતાવે છે કે આ દંપતી એક નવી સફર પર સાથે શરૂઆત કરી રહ્યું છે.
સાઉથની ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ અને નિર્માતા-દિગ્દર્શક રાજ નિદિમોરુ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સાથે, બન્નેએ હવે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે. (તસવીરો: સમન્થા ઇન્સ્ટાગ્રામ)
સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ ગઈ કાલે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં તેમની યાદમાં સાંજે પાંચથી સાડાસાત વાગ્યા સુધી પ્રાર્થનાસભા ‘સેલિબ્રેશન ઑફ લાઇફ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં સોનુ નિગમે દિવંગત ધર્મેન્દ્રનાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પ્રાર્થનાસભાના સ્થળને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને તમામ સ્વજનો પ્રાર્થના કરી શકે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલે મળીને સંયુક્ત રીતે આ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું અને એમાં પરિવારના સભ્યો, મિત્રો અને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.
08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ છેલ્લાં ૭૯ વર્ષથી પોતાના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરતી આવી છે. આ સંસ્થા છેલ્લાં ૫૮ વર્ષથી પોતાના સમાજના બાળકો તથા યુવાનોને માટે વક્તૃત્વ તથા ચિત્રકામ વિગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે. તાજેતરમાં જ આ સંસ્થાનો ૭૯મો વાર્ષિક વિદ્યોત્તેજક ઇનામી સમારોહ યોજવામાં આવ્યો હતો. ન્યુ મરીન લાઈન્સના પાટકર હોલમાં યોજયેલ આ સમારંભ શ્રીમતી સુધાબેન નિરંજનભાઇ દુબલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના અલગ અલગ તડના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. જાણીતા કવિ અને વાર્તાકાર સંજય પંડ્યા પણ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.05 December, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઠંડીના આગમન સાથે જ જાણે રસોડામાં તાજા શાકભાજીની મહેફિલ જામી ગઈ હોય એવું લાગે છે. અને એમાંય વાત જ્યારે ગુજરાતી શિયાળુ વાનગીઓની આવે, ત્યારે મારા મનમાં માત્ર એક જ નામ ગુંજે, લીલી તુવેર (અથવા લીલવા). આ લીલાછમ, મીઠા દાણા માત્ર એક સામગ્રી નથી, પણ બાળપણની મીઠી યાદો, મમ્મીના હાથની હૂંફ અને આપણા રસોડાની સંસ્કૃતિ છે. ખાસ કરીને ઉત્તરાયણનું ઊંધિયું હોય કે વલસાડી ઊંબાડિયું, ઉત્તર ગુજરાતના પ્રખ્યાત `તુવેર ટોઠા` હોય કે પછી તુવેર ઢોકળી; આ યાદી અહીં જ અટકતી નથી. પુલાવ, રીંગણ-તુવેર, ઢેબરાં, કઢી, ખીચડી, વડાં, પોળી, ઘી-તુવેર, મિસળ અને ઢેકરા જેવી અનેક વાનગીઓમાં તુવેરના દાણા જે સહજતાથી ભળી જાય છે, તે જોઈને લાગે છે કે ગુજરાતી રસોડામાં જાણે સ્વાદનો જાદુ પથરાઈ ગયો હોય. મને આજે પણ યાદ છે, બપોરની નવરાશમાં મમ્મી જ્યારે હિંચકા પર બેસીને દાણા ફોલતી, અને અમે બાળકો તુવેરનો આનંદ માણતા. એ નિર્દોષ મજા અને મીઠામાં બાફેલા દાણાનો સ્વાદ... આજે પણ જીભ પર રમ્યા કરે છે. તો, આ શિયાળે, ચાલો આપણે લીલવાની અદ્ભુત દુનિયામાં ખોવાઈ જઈએ અને ગુજરાતની હોમ શેફ્સ પાસેથી એવી ખાસ વાનગીઓ શીખીએ, જે સ્વાદની સાથે આપણી સંસ્કૃતિની સુગંધ પણ પીરસશે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK