હૉન્ગકૉન્ગમાં બહુમાળી રહેણાંક ટાવરમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ગુરુવારે બીજા દિવસે પણ અગ્નિશમન દળોએ પ્રયત્નો કર્યા હતા. આ ઘટનામાં હવે મૃત્યુઆંક 75 પર પહોંચી ગયો છે અને 280 થી વધુ લોકો ગુમ છે, અધિકારીઓએ આ આગને 70 વર્ષમાં શહેરની સૌથી ખરાબ આપત્તિ ગણાવી હતી. વધુમાં લગભગ 76 લોકો ઘાયલ થયા હતા, જેમાં 15 ની હાલત અત્યંત ગંભીર છે અને 28 હજી પણ ગંભીર છે. મૃતકોમાં એક અગ્નિશમનના જવાનનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજી પણ ઇમારતોમાં ફસાયેલા છે. (તસવીરો: એજન્સી)
27 November, 2025 09:16 IST | Hong Kong | Gujarati Mid-day Online Correspondent
ઢોલિવૂડ ફિલ્મોના ઍકટર મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 2024માં લગ્ન કર્યા કર્યા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ પાવર કપલને લોકોએ ‘MaJa’ (મલ્હાર અને પૂજા) એવું નામ આપ્યું હતું અને તેમના લગ્ન MaJaNiWedding આ સાથે હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થયું હતું. હવે પૂજા અને મલ્હારના લગ્નને એક વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ આજે તેમની પહેલી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. બન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર તેમનું એક વર્ષનું લગ્ન જીવન કેવી રીતે વિતાવ્યું તે તેની એક ઝલખ બતાવી છે. આ પોસ્ટ પર ચાહકો અને મિત્રો ‘મજા’ને શુભેછાઓ આપી રહ્યા છે. તો ચાલો જોઈએ પૂજા અને મલ્હારે શું પોસ્ટ કર્યું છે. (તસવીરો: પૂજા જોષી અને મલ્હાર ઠાકર ઇન્સ્ટાગ્રામ)
26 November, 2025 06:01 IST | Mumbai | Viren Chhaya
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવાર, 24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. આ અભિનેતા દાયકાઓનો વારસો છોડીને ગયા છે. 60 વર્ષ કરતાં વધુ લાંબા કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યા પછી, તેમના મૃત્યુથી વિશ્વભરના લાખો ચાહકો શોકમાં છે. બૉલિવૂડના આ હી-મૅનને ભારે સુરક્ષા વચ્ચે અને તેમના નજીકના મિત્રો, પરિવાર અને ફિલ્મ જગતના અન્ય કલાકારોની હાજરીમાં ખાનગી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. (તસવીરો: સતેજ શિંદે)
બૉલિવૂડના દિગ્ગજ ઍકટર ધર્મેન્દ્રનું 89 ની વયે નિધન થયું છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત આખો દેશ દુઃખી છે. ફિલ્મમાં હી-મૅન તરીકે તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર તેમના અભિનય સાથે પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. તેમના નિધન બાદ ધર્મેન્દ્રના ફિલ્મો અને જીવન વિશે કેટલીક વાતો અને કિસ્સાઓ હવે લોકો યાદ કરી રહ્યા છે તો ચાલો જાણીએ તેમના વિશેની આ બાબતો. (તસવીરો: મિડ-ડે ફાઇલ તસવીર)
બૉલિવૂડ ઍકટર આમિર ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની રીના દત્તા છૂટાછેડા પછી પણ સારા મિત્રો રહ્યા છે. બન્ને ઘણા કાર્યક્રમોમાં સાથે જોવા મળ્યા છે. તેવી જ રીતે તાજેતરમાં પણ આમિરે મુંબઈમાં રીનાના કલા પ્રદર્શન (Art Exhibition) ની મુલાકાત લીધી અને તેને આશ્ચર્યચકિત કરી દીધી હતી. (તસવીરો: રીના દત્તા ઇન્સ્ટાગ્રામ)
ગુજરાતી સિનેમામાં દરેક નવી ફિલ્મો સાથે નવા રેકોર્ડ બની રહ્યા છે. દિવાળી અને નવેમ્બર 2025 દરમિયાન રિલીઝ થયેલી ‘ચણિયા ટોળી’ હોય કે પછી ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ તેમ જ આ વર્ષે રિલીઝ થયેલી ‘વશ: લેવલ 2’ જેવી શાનદાર ફિલ્મમોને દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો, જેનાથી ઢોલિવૂડ ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર મબલખ કમાણી કરી છે. 2025 નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અત્યંત લાભદાયક રાખ્યું છે, તો ચાલો જાણીએ કે વર્ષ 2025 માં કઈ ફિલ્મોએ સૌથી વધુ કમાણી કરી છે. (તસવીરો: સોશિયલ મીડિયા)
20 November, 2025 10:00 IST | Mumbai | Viren Chhaya
મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.
08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
હૉન્ગકૉન્ગમાં બહુમાળી રહેણાંક ટાવરમાં લાગેલી ભીષણ આગને કાબુમાં લેવા માટે ગુરુવારે બીજા દિવસે પણ અગ્નિશમન દળોએ પ્રયત્નો કર્યા હતા. આ ઘટનામાં હવે મૃત્યુઆંક 75 પર પહોંચી ગયો છે અને 280 થી વધુ લોકો ગુમ છે, અધિકારીઓએ આ આગને 70 વર્ષમાં શહેરની સૌથી ખરાબ આપત્તિ ગણાવી હતી. વધુમાં લગભગ 76 લોકો ઘાયલ થયા હતા, જેમાં 15 ની હાલત અત્યંત ગંભીર છે અને 28 હજી પણ ગંભીર છે. મૃતકોમાં એક અગ્નિશમનના જવાનનો પણ સમાવેશ થાય છે. ઘણા લોકો હજી પણ ઇમારતોમાં ફસાયેલા છે. (તસવીરો: એજન્સી)27 November, 2025 09:16 IST | Hong Kong | Gujarati Mid-day Online Correspondent
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘ઉજ્જયી પ્રાણાયામ’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
27 November, 2025 02:15 IST | Mumbai | Rachana Joshi
25 November, 2025 10:31 IST | Mumbai | Jigisha Jain
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK