આ પ્રદર્શન ઝેન ક્રાફ્ટઆર્ટ માટે વધુ એક પગલું દર્શાવે છે, જે ભારતીય કલાનું વૈશ્વિક સ્તરે ધ્યાન દોરવા અને સંગ્રાહકો અને પ્રેક્ષકોની નવી પેઢી સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતની અગ્રણી આર્ટ કંપની, ઝેન ક્રાફાર્ટે પ્રખ્યાત સમકાલીન કલાકાર વિવેક શર્માના નવા પ્રદર્શન, ‘સેક્રેડ જેસ્ચર્સ’નું ઉદ્ઘાટન કર્યું. મુંબઈના કાલા ઘોડા સ્થિત જહાંગીર આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદઘાટન પ્રખ્યાત લેખક અને કટારલેખક શોભા ડી દ્વારા કરવામાં આવ્યું. આ પ્રદર્શન 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી ચાલશે અને દરરોજ સવારે 11:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
સાઉથની ફિલ્મોની સુપર સ્ટાર અભિનેત્રી સમન્થા રુથ પ્રભુ અને નિર્માતા-દિગ્દર્શક રાજ નિદિમોરુ આજે લગ્નના બંધનમાં બંધાયા છે. આ સાથે, બન્નેએ હવે સત્તાવાર રીતે લગ્ન કરી લીધા છે. (તસવીરો: સમન્થા ઇન્સ્ટાગ્રામ)
સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ ગઈ કાલે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં તેમની યાદમાં સાંજે પાંચથી સાડાસાત વાગ્યા સુધી પ્રાર્થનાસભા ‘સેલિબ્રેશન ઑફ લાઇફ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં સોનુ નિગમે દિવંગત ધર્મેન્દ્રનાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પ્રાર્થનાસભાના સ્થળને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને તમામ સ્વજનો પ્રાર્થના કરી શકે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલે મળીને સંયુક્ત રીતે આ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું અને એમાં પરિવારના સભ્યો, મિત્રો અને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
ઢોલિવૂડ ફિલ્મોના ઍકટર મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 2024માં લગ્ન કર્યા કર્યા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ પાવર કપલને લોકોએ ‘MaJa’ (મલ્હાર અને પૂજા) એવું નામ આપ્યું હતું અને તેમના લગ્ન MaJaNiWedding આ સાથે હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થયું હતું. હવે પૂજા અને મલ્હારના લગ્નને એક વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ આજે તેમની પહેલી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. બન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર તેમનું એક વર્ષનું લગ્ન જીવન કેવી રીતે વિતાવ્યું તે તેની એક ઝલખ બતાવી છે. આ પોસ્ટ પર ચાહકો અને મિત્રો ‘મજા’ને શુભેછાઓ આપી રહ્યા છે. તો ચાલો જોઈએ પૂજા અને મલ્હારે શું પોસ્ટ કર્યું છે. (તસવીરો: પૂજા જોષી અને મલ્હાર ઠાકર ઇન્સ્ટાગ્રામ)
26 November, 2025 06:01 IST | Mumbai | Viren Chhaya
મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.
08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
આજના કવિવારના લેખમાં વાત કરવી છે રમેશ પારેખના ગામ અમરેલીનાં કવયિત્રી પારુલ ખખ્ખરની. પારુલબહેનનો જન્મ રાજકોટમાં થયો. આજ સુધી તેમને અનેક સન્માનો મળી ચૂક્યાં છે. પહેલવહેલી દસમાં ધોરણમાં કવિતાસર્જન કરનાર પારુલબહેનનો લગ્ન પછીનો સમયગાળો સંતાનઉછેરમાં પસાર થવાથી સર્જન તરફ બ્રેક લાગી ગયો હતો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
02 December, 2025 11:31 IST | Mumbai | Dharmik Parmar
26 November, 2025 03:19 IST | Mumbai | Viren Chhaya
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK