સુપરસ્ટાર ધર્મેન્દ્રના નિધન બાદ ગઈ કાલે બાંદરા-વેસ્ટની તાજ લૅન્ડ્સ એન્ડ હોટેલમાં તેમની યાદમાં સાંજે પાંચથી સાડાસાત વાગ્યા સુધી પ્રાર્થનાસભા ‘સેલિબ્રેશન ઑફ લાઇફ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં સોનુ નિગમે દિવંગત ધર્મેન્દ્રનાં ગીતો પર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ પ્રાર્થનાસભાના સ્થળને ફૂલોથી ડેકોરેટ કરવામાં આવ્યું હતું અને તમામ સ્વજનો પ્રાર્થના કરી શકે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. સની દેઓલ, બૉબી દેઓલ, હેમા માલિની અને એશા દેઓલે મળીને સંયુક્ત રીતે આ પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું અને એમાં પરિવારના સભ્યો, મિત્રો અને બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.
ઢોલિવૂડ ફિલ્મોના ઍકટર મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ 2024માં લગ્ન કર્યા કર્યા હતા. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના આ પાવર કપલને લોકોએ ‘MaJa’ (મલ્હાર અને પૂજા) એવું નામ આપ્યું હતું અને તેમના લગ્ન MaJaNiWedding આ સાથે હૅશટૅગ સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થયું હતું. હવે પૂજા અને મલ્હારના લગ્નને એક વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ આજે તેમની પહેલી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા છે. બન્નેએ પોતાના સોશિયલ મીડિયા પર તેમનું એક વર્ષનું લગ્ન જીવન કેવી રીતે વિતાવ્યું તે તેની એક ઝલખ બતાવી છે. આ પોસ્ટ પર ચાહકો અને મિત્રો ‘મજા’ને શુભેછાઓ આપી રહ્યા છે. તો ચાલો જોઈએ પૂજા અને મલ્હારે શું પોસ્ટ કર્યું છે. (તસવીરો: પૂજા જોષી અને મલ્હાર ઠાકર ઇન્સ્ટાગ્રામ)
26 November, 2025 06:01 IST | Mumbai | Viren Chhaya
પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવાર, 24 નવેમ્બર, 2025 ના રોજ 89 વર્ષની વયે અવસાન થયું. આ અભિનેતા દાયકાઓનો વારસો છોડીને ગયા છે. 60 વર્ષ કરતાં વધુ લાંબા કરિયરમાં 300 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યા પછી, તેમના મૃત્યુથી વિશ્વભરના લાખો ચાહકો શોકમાં છે. બૉલિવૂડના આ હી-મૅનને ભારે સુરક્ષા વચ્ચે અને તેમના નજીકના મિત્રો, પરિવાર અને ફિલ્મ જગતના અન્ય કલાકારોની હાજરીમાં ખાનગી રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. (તસવીરો: સતેજ શિંદે)
બૉલિવૂડના દિગ્ગજ ઍકટર ધર્મેન્દ્રનું 89 ની વયે નિધન થયું છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સહિત આખો દેશ દુઃખી છે. ફિલ્મમાં હી-મૅન તરીકે તરીકે જાણીતા અભિનેતા ધર્મેન્દ્ર તેમના અભિનય સાથે પરંતુ પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહ્યા હતા. તેમના નિધન બાદ ધર્મેન્દ્રના ફિલ્મો અને જીવન વિશે કેટલીક વાતો અને કિસ્સાઓ હવે લોકો યાદ કરી રહ્યા છે તો ચાલો જાણીએ તેમના વિશેની આ બાબતો. (તસવીરો: મિડ-ડે ફાઇલ તસવીર)
મુંબઈમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાન વર્ષા ખાતે વિમેન્સ વર્લ્ડ કપ મહારાષ્ટ્રની પ્લેયર્સને ગઈ કાલે સન્માનિત કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વાઇસ કૅપ્ટન સ્મૃતિ માન્ધના, સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ અને સ્પિનર રાધા યાદવને દરેકને ૨.૨૫ કરોડ રૂપિયાનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ત્રણેય પ્લેયરને મહારાષ્ટ્રનું ગૌરવ ગણાવી હતી.
08 November, 2025 01:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગુજરાતની યાત્રાધામ પરંપરામાં ડાકોરનું સ્થાન માત્ર નકશામાં નોંધાયેલું એક શહેર નથી, પરંતુ રણછોડરાયજીના દર્શનથી લઈને ગોમતી તળાવની નિર્વિકાર શાંતિ સુધી લાખો શ્રદ્ધાળુઓ માટે એક ઊંડો આધ્યાત્મિક પ્રવાસ છે. `મિની દ્વારકા` ગણાતા આ ડાકોરમાં આવો ત્યારે આ પવિત્ર અનુભવ ત્યારે જ પૂર્ણ ગણાય, જ્યારે યાત્રી ડાકોરની ધરતી પર મળતા દૂધ ગોટાના દિવ્ય સ્વાદનો અનુભવ કરે. ચણાના લોટ અને મસાલાથી બનેલા આ ગોટા માત્ર એક સામાન્ય ફરસાણ નથી, પરંતુ પેઢીઓથી ચાલતી પરંપરા, વિશ્વાસ અને સ્વાદનું એવું જીવંત પ્રતીક છે, જેનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે. બન્યું એવુ કે આ વર્ષની દેવ દિવાળીના શુભ દિવસે, ડાકોરના ઠાકોરનાં દર્શન કરવાનો મોકો મળ્યો. જેમાં મારી બાળપણની મિત્ર માનસી, તેની બે (ચાર વર્ષની) જુડવા દીકરીઓ સ્વરા અને સારા, અને અમારી ખાસ મિત્ર રાખી જોબનપુત્રા સાથે અમે ડાકોર પહોંચ્યા.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
25 November, 2025 11:46 IST | Mumbai | Dharmik Parmar
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK