સલમાન ખાન અને તેના પરિવારના મિત્ર કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં આખો ખાન પરિવાર હાજર હતો. આ કાર્યક્રમમાંથી બહાર આવેલા વીડિયો અને તસવીરોમાં સલમાન ખાન સ્પષ્ટપણે એકદમ ભાવુક દેખાઈ રહ્યો છે. સલમાન ભારે સુરક્ષા અને નજીકના મિત્રો સાથે અંતિમ સંસ્કાર સ્થળે પહોંચ્યો હતો. દરમિયાન તે રડી પડ્યો હતો. (તસવીરો: યોગેન શાહ)
સલમાન ખાન અને તેના પરિવારના મિત્ર કુમુદ રાણેના અંતિમ સંસ્કારમાં આખો ખાન પરિવાર હાજર હતો. આ કાર્યક્રમમાંથી બહાર આવેલા વીડિયો અને તસવીરોમાં સલમાન ખાન સ્પષ્ટપણે એકદમ ભાવુક દેખાઈ રહ્યો છે. સલમાન ભારે સુરક્ષા અને નજીકના મિત્રો સાથે અંતિમ સંસ્કાર સ્થળે પહોંચ્યો હતો. દરમિયાન તે રડી પડ્યો હતો. (તસવીરો: યોગેન શાહ)
બૉલિવૂડ ફિલ્મ મેકર કરણ જોહર પૅરિસમાં રોલેન્ડ-ગેરોસ 2026 માં મૅન્સ ક્વાર્ટર-ફાઇનલ મૅચમાં હાજરી આપી હતી. આ વર્ષની શરૂઆતમાં, કરણ જોહરે એક મુખ્ય વર્લ્ડ ફૅશન અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ભારતીય સંગીત ક્ષેત્રના જાણીતા ગાયક અને સંગીતકાર આશિત દેસાઈએ તાજેતરમાં જ તેમનો ૭૫મો જન્મદિવસ ઉજવ્યો છે. સંગીત જગતમાં તેમના દાયકાઓથી ચાલી આવતા પ્રદાનની આ અવસરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તેમના પુત્ર આલાપ દેસાઈ અને પુત્રવધૂ સ્નેહા દેસાઈએ આ `૭૫ ગ્લોરિયસ યર્સ`ની ઉજવણીની કેટલીક ખાસ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. ચાલો કરીએ તેના પર એક નજર…
એક્ટર આદિનાથ કોઠારે હાલમાં ટેલિવિઝન, ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ પર છવાયેલો રહે છે. જબરદસ્ત પાત્રો ભજવીને આદિનાથ હિન્દી અને મરાઠી એમ બંને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોલા પાડી રહ્યો છે. આજે વાત કરીએ કે કઇ રીતે `સિસ્ટમ` માટે તેનું સિલેક્શન થયું હતું.
25 May, 2026 12:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફ્રાન્સના ફ્રેન્ચ રિવિયેરામાં યોજાનારા પ્રતિષ્ઠિત Cannes Film Festival માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 12 મે થી 23 મે, 2026 દરમિયાન યોજાનારા 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે પણ બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ ગ્લેમર અને ફેશનનો જાદુ ચલાવવા તૈયાર છે. રેડ કાર્પેટ પર ભારતીય સ્ટાર્સની હાજરીને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
08 May, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેશભરમાં યુવા મહિલા ફૂટબૉલરો માટે તકો વધારવાના હેતુથી `નારી શક્તિ ટ્રાયલ્સ` કાર્યક્રમ 40 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. આ પહેલ ભારતમાં ખાસ કરીને છોકરીઓ માટે રચાયેલ થોડા મહિલા-આગેવાની હેઠળના ફૂટબૉલ સ્કાઉટિંગ કાર્યક્રમોમાંની એક છે, જે રમતમાં વધુ માળખાગત અને સુલભ માર્ગો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
મુંબઈના બાન્દ્રા સ્થિત કાર્ટર રોડ એમ્ફીથિયેટર ખાતે 5 જૂન, 2026 ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ભામલા ફાઉન્ડેશને પર્યાવરણીય સંરક્ષણ અને ક્લાઇમેટ જાગૃતિમાં યોગદાન આપવા બદલ અનેક અગ્રણી વ્યક્તિઓનું સન્માન કર્યું. આ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP), બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), ગોદરેજ અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી આયોજિત કરવામાં આવ્યો હતો. તે વૈશ્વિક અભિયાનો `NowForClimate` અને `BhoomiNamaskar3` ની થીમ પર આધારિત હતો.09 June, 2026 05:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિવારના આજના એપિસોડમાં વાત કરીએ વેણીભાઈ પુરોહિતની. ગુજરાતી ભાષાના આ ઉત્તમ કવિ અને વાર્તાકારનો જન્મ ખંભાળિયામાં થયેલો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં તેમ જ માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં પૂર્ણ કરેલ. તેઓએ પ્રૂફરીડિંગથી લઈને વિવિધ અખબારોમાં પત્રકાર તરીકે પણ નોંધપાત્ર કામ કર્યું. નોંધપાત્ર છે કે તેમણે ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. નાનપણથી જ વેણીભાઈને સંગીતનો વારસો મળ્યો હતો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK