અગાઉ આપણે એવી ચીજવસ્તુની વાત કરી હતી જે ક્યારેય કોઈની પાસેથી માગીને લેવી ન જોઈએ પણ આજે આપણે એવી ચીજવસ્તુની વાત કરવાના છીએ જે ભેટ તરીકે મળે તો સૌથી વધુ લાભદાયી પરિણામ આપે છે
ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani
રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેને ચેક બાઉન્સ કેસમાં 4 ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેણે 5 ફેબ્રુઆરીની સાંજે આત્મસમર્પણ કર્યું. આનો અર્થ એ થયો કે રાજપાલ યાદવ છેલ્લા છ દિવસથી તિહાર જેલમાં છે. નોંધનીય છે કે રાજપાલ યાદવ પહેલા ઘણા અન્ય દિગ્ગજ કલાકારો જેલમાં સમય વિતાવી ચૂક્યા છે. ચાલો જાણીએ કે કોણે કેટલા દિવસ જેલમાં વિતાવ્યા છે.
ટેલિવિઝન અભિનેત્રી અલ્પના બુચની દીકરી ભવ્યા બુચના તાજેતરમાં મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ ઉજવણીમાં નજીકના પરિવાર, મિત્રો અને ટેલિવિઝન ઉદ્યોગના ઘણા સભ્યો હાજર રહ્યા હતા, લગ્નની તસવીરો હવે ઓનલાઈન સામે આવી રહી છે.
નૅશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જાનકી બોડીવાલા હાલમાં રાની મુખર્જી અભિનીત `મર્દાની 3`ની સફળતાનો આનંદ માણી રહી છે. જાનકીએ તજતેરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે પોતાનું સપનું સાકાર થયું હોઇ પડદા પાછળની સુંદર ઝલક બતાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. `મર્દાની 3`એ સિક્વલનો ત્રીજો ભાગ છે અને તે ૩૦મી જાન્યુઆરીએ રીલીઝ થયો હતો. `મર્દાની 3` જાનકી બોડીવાલા એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી છે.
આજે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના કર્તવ્યપથ પર સંજય લીલા ભણસાલીએ ભારતીય સિનેમાની મહત્તા દર્શાવતાં `ભારત ગાથા` ઝાંખી રજૂ કરી. આ વિશેષ ટેબ્લો થકી તેઓએ દુનિયાને બતાવ્યું કે સિનેમા એ ભારતીય કથાઓનું એક પ્રબળ માધ્યમ છે.
રંગભૂમિને વફાદાર એવા વરિષ્ઠ રંગકર્મી રાજુ બારોટના અવસાનથી સમગ્ર કલાજગતમાં શોકનો માહોલ છે. ઉત્તરાખંડના પ્રવાસે ગયેલ જાણીતા કલાકારનું હાર્ટ ઍટેકથી અવસાન થયું હોવાની પ્રાથમિક માહિતી છે, છતાં હજી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.
23 January, 2026 10:00 IST | Ahmedabad | Viren Chhaya
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.
14 January, 2026 12:30 IST | Mumbai | Viren Chhaya
આજે સમગ્ર દેશમાં મહાશિવરાત્રીનું પાવન પર્વ અતિ ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઇ રહ્યું છે. નાસિકસ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે શિવરાત્રી નિમિત્તે ખાસ અભિષેકવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું.15 February, 2026 12:00 IST | Mumbai | Dharmik Parmar
ઘર માટે શુકનિયાળ કહેવાય એવી ઘણી ચીજવસ્તુઓ હવેના સમયમાં બજારમાં મળે છે પણ એવી ચીજવસ્તુથી ખાસ કંઈ લાભ થતો નથી. શુકનિયાળ કહેવાય એવી ચીજવસ્તુ હંમેશાં ભેટમાં આવવી જોઈએ. એ ક્યારેય માગવી પણ ન જોઈએ. એવી કઈ-કઈ ચીજવસ્તુઓ છે જે ખરીદવાને બદલે હંમેશાં ભેટરૂપે મળે એવો આગ્રહ રાખવો જોઈએ? ચાલો જોઈએ.
15 February, 2026 04:06 IST | Mumbai | Acharya Devvrat Jani
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK