મુંબઈમાં દર વર્ષે યોજાતી ‘મુંબઈ ક્વીર પ્રાઇડ માર્ચ’, જે રેઈન્બો માર્ચ તરીકે પણ ઓળખાય છે, તેનું આયોજન LGBTQIA+ સમુદાયના લોકો દ્વારા સમાનતા અને માન્યતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 2008 માં થઈ હતી, જ્યારે મુંબઈમાં પહેલી પ્રાઇડ પરેડ યોજાઈ હતી. ભારતમાં ક્વીર સમુદાયની માન્યતા તરફ આ પરેડને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. (તસવીરો: આશિષ રાજે)
પાવર ડ્રેસિંગ હવે ફક્ત બોર્ડરૂમ સુધી મર્યાદિત નથી રહ્યું. આજના સમયમાં તે આત્મવિશ્વાસ અને સ્ટાઇલનું મજબૂત ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. બૉલિવૂડની ટૉપ અભિનેત્રીઓ સાબિત કરી રહી છે કે સારી રીતે ટેલર કરાયેલો સૂટ ફક્ત પ્રોફેશનલ લુક નહીં, પરંતુ સેલ્ફ-કૉન્ફિડન્સ અને પ્રભાવનું પણ પ્રતિક બની શકે છે. ક્લાસિક મોનોક્રોમથી લઈને બોલ્ડ કલર પસંદગી સુધી, આ અભિનેત્રીઓ પેન્ટસૂટને નવી ઓળખ આપી રહી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૅન્યુઅલ મૅક્રૉન હાલમાં ભારત મુલાકાતે છે. તેઓ ગઈ કાલે મુંબઈ પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન, મૅક્રૉન અનેક બૉલિવૂડ કલાકારોને પણ મળ્યા હતા. ફિલ્મ સૅલેબ્સ સાથેની તેમની મુલાકાત દરમિયાન, મૅક્રૉન કલા અને સંસ્કૃતિ વિશે ચર્ચા કરી હતી. અનિલ કપૂર અને શબાના આઝમી, ઘણા પ્રખ્યાત કલાકારો અને સંગીતકાર પણ હાજર હતા. (સૌજન્ય: X)
રાજપાલ યાદવ તિહાર જેલમાં છે. દિલ્હી હાઈકોર્ટે તેને ચેક બાઉન્સ કેસમાં 4 ફેબ્રુઆરીએ આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. જો કે, તેણે 5 ફેબ્રુઆરીની સાંજે આત્મસમર્પણ કર્યું. આનો અર્થ એ થયો કે રાજપાલ યાદવ છેલ્લા છ દિવસથી તિહાર જેલમાં છે. નોંધનીય છે કે રાજપાલ યાદવ પહેલા ઘણા અન્ય દિગ્ગજ કલાકારો જેલમાં સમય વિતાવી ચૂક્યા છે. ચાલો જાણીએ કે કોણે કેટલા દિવસ જેલમાં વિતાવ્યા છે.
ટેલિવિઝન અભિનેત્રી અલ્પના બુચની દીકરી ભવ્યા બુચના તાજેતરમાં મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન થયા. આ ઉજવણીમાં નજીકના પરિવાર, મિત્રો અને ટેલિવિઝન ઉદ્યોગના ઘણા સભ્યો હાજર રહ્યા હતા, લગ્નની તસવીરો હવે ઓનલાઈન સામે આવી રહી છે.
નૅશનલ એવોર્ડ વિજેતા એક્ટ્રેસ જાનકી બોડીવાલા હાલમાં રાની મુખર્જી અભિનીત `મર્દાની 3`ની સફળતાનો આનંદ માણી રહી છે. જાનકીએ તજતેરમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી જેમાં તેણે પોતાનું સપનું સાકાર થયું હોઇ પડદા પાછળની સુંદર ઝલક બતાવીને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. `મર્દાની 3`એ સિક્વલનો ત્રીજો ભાગ છે અને તે ૩૦મી જાન્યુઆરીએ રીલીઝ થયો હતો. `મર્દાની 3` જાનકી બોડીવાલા એક પોલીસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી છે.
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.
14 January, 2026 12:30 IST | Mumbai | Viren Chhaya
મુંબઈમાં દર વર્ષે યોજાતી ‘મુંબઈ ક્વીર પ્રાઇડ માર્ચ’, જે રેઈન્બો માર્ચ તરીકે પણ ઓળખાય છે, તેનું આયોજન LGBTQIA+ સમુદાયના લોકો દ્વારા સમાનતા અને માન્યતાને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત 2008 માં થઈ હતી, જ્યારે મુંબઈમાં પહેલી પ્રાઇડ પરેડ યોજાઈ હતી. ભારતમાં ક્વીર સમુદાયની માન્યતા તરફ આ પરેડને એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. (તસવીરો: આશિષ રાજે)20 February, 2026 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કહેવાય છે કે અમદાવાદીઓને ખાવા પીવા માટે કોઈ બહાનાની જરૂર નથી હોતી, બસ એક નવો સ્વાદ અને ત્યાં પહોંચવા માટે એક્ટિવાની ચાવી જોઈએ. વાત જ્યારે ખાણી-પીણીની હોય ત્યારે માણેકચોક કે લૉ ગાર્ડન તો સૌના મોઢે હોય જ, પણ આજે મારે તમને એક એવા અનોખા વિસ્તારની સફરે લઈ જવા છે, જેનું નામ જ એક વાનગી પરથી પડી ગયું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પૂર્વ અમદાવાદના મણિનગર (ઈસ્ટ) અને ખોખરાને જોડતા એ ઐતિહાસિક `ઈડલી ચાર રસ્તા`ની. 2013માં તિરુચીના એક ભાષણમાં નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું, “મણિનગરમાં આપણી પાસે એક નાનું તમિલનાડુ છે.” રાષ્ટ્રીય સ્તરે આ વિસ્તારની ઓળખ કદાચ ત્યારે બની, પરંતુ અમદાવાદીઓ માટે પૂર્વ મણિનગર-ખોખરા તો દાયકાઓથી જ પોતાના અંદર એક નાનું તમિલનાડુ સમેટીને બેઠું છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK