આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...
10 May, 2026 07:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સના ફ્રેન્ચ રિવિયેરામાં યોજાનારા પ્રતિષ્ઠિત Cannes Film Festival માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 12 મે થી 23 મે, 2026 દરમિયાન યોજાનારા 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આ વખતે પણ બોલિવૂડના અનેક જાણીતા ચહેરાઓ ગ્લેમર અને ફેશનનો જાદુ ચલાવવા તૈયાર છે. રેડ કાર્પેટ પર ભારતીય સ્ટાર્સની હાજરીને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
08 May, 2026 05:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘કોસ્ચ્યુમ આર્ટ અને ડ્રેસ કોડ’ ‘ફૅશન ઇઝ આર્ટ’ હેઠળ ફૅશન જગતમાં એક પ્રીમિયર ઇવેન્ટ મૅટ ગાલા 2026માં વિશ્વભરના સેલિબ્રિટીઓ સામેલ થયા હતા. આ ઇવેન્ટમાં ભારતીય ડિઝાઇન અને કારીગરીની હાજરી ખાસ કરીને મનમોહક હતી. કરણ જોહર, ઇશા અંબાણી અને મનીષ મલ્હોત્રા સહિત અનેક ભારતીય હસ્તીઓએ તેમના આઉટફિટ દ્વારા પરંપરાગત કલા અને મૉડર્ન ડિઝાઇનનું અનોખું કૉમ્બિનેશન રજૂ કર્યું. (તસવીરો: મિડ-ડે)
05 May, 2026 05:08 IST | New York | Gujarati Mid-day Online Correspondent
એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈની શેરીઓમાં રહેતા એક યંગ આર્ટિસ્ટ અને રૅપર `અજય રાજભર`ને. પોતાની નબળી આર્થિક પરિસ્થિતિને તેણે બહાનું બનાવવાના બદલે તેને પ્રેરણામાં ફેરવી મહેનતનો રસ્તો પસંદ કર્યો. આજે તેની આ જ મહેનતના બળ પર તે બૉલિવૂડ ઉદ્યોગના મોટા નામો સાથે જોડાયેલો છે.
IPl 2026 માં ગઈ કાલે રાજસ્થાન રૉયલ્સ (RR)ના વૈભવ સૂર્યવંશીએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) ના બૉલરોને આડે હાથ લીધા હતા. તેણે મૅચ દરમિયાન MI ના જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ, હાર્દિક પંડ્યા અને દીપક ચહર જેવા દિગ્ગજ બૉલરો સામે આક્રમક બૅટિંગ કરી હતી. વૈભવે બુમરાહના પહેલા જ બૉલ પર છગ્ગો ફટકાર્યો. (તસવીરો: વૈભવ સૂર્યવંશી ઇન્સ્ટાગ્રામ)
08 April, 2026 03:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રવિવારે નવી દિલ્હીમાં પ્રતિષ્ઠિત BCCI નમન અવૉર્ડ્સમાં ૨૦૨૪-’૨૫ની સીઝન માટે સ્મૃતિ માન્ધનાને ભારતની બેસ્ટ વિમેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટરનો અવૉર્ડ મળ્યો હતો. ૨૦૦૬થી શરૂ થયેલા BCCI નમન અવૉર્ડ્સમાં બેસ્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટર તરીકે સૌથી વધુ પાંચ અવૉર્ડ જીતવા મામલે સ્મૃતિ માન્ધનાએ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની બરાબરી કરી હતી. બન્નેના જર્સી નંબર પણ ૧૮ છે. સ્મૃતિ માન્ધનાએ ૨૦૨૪-’૨૫ સીઝનમાં ૩૬ મૅચમાં ૧૮૦૦ રન કર્યા હતા. શુભમન ગિલે ૨૦૨૪-’૨૫ સીઝનમાં પચીસ મૅચમાં ૧૫૬૫ રન કરીને પોલી ઉમરીગર બેસ્ટ મેન્સ ઇન્ટરનૅશનલ ક્રિકેટર અવૉર્ડ જીત્યો હતો. ૨૦૨૩માં તે પહેલી વખત આ અવૉર્ડ જીત્યો હતો. ICC ચૅરમૅન જય શાહે કર્નલ સી. કે. નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો રોજર બિન્ની અને રાહુલ દ્રવિડને સન્માનિત કર્યા હતા. તેણે ભારતનાં ભૂતપૂર્વ કૅપ્ટન મિતાલી રાજને પણ લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ ફૉર વિમેન્સ અવૉર્ડથી સન્માનિત કરી હતી. આ ત્રણેયને સમારોહમાં હાજર લોકોએ સ્ટૅન્ડિંગ ઓવેશન આપ્યું હતું. સ્ટૅન્ડિંગ ઓવેશન વચ્ચે રોજર બિન્ની, રાહુલ દ્રવિડ, મિતાલી રાજને લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ્સ મળ્યા.
આમ તો ગુજરાતીઓ ક્યાંય પાછા પડે નહીં! એ પછી ધંધામાં હોય કે ધર્મમાં. તાજતેરમાં જ કેટલાય ઉજાગરા વેઠીને આપેલી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE), SSC, CBSEનું ટેન્થનું રિઝલ્ટ બહાર પડ્યું હતું. તેમાં આપણાં ગુજરાતી વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ભૂખ-તરસ નેવે મૂકીને કરેલી મહેનતના પરિણામ આવ્યા બાદ આ વિદ્યાર્થીઓએ આશાના પણ અનેક સૂરજ સેવ્યા છે. વિષમ પરિસ્થિતિમાંથી આવનાર વિદ્યાર્થીઓ પણ જમાના સાથે કદમતાલ મિલાવવા માંગે છે. આવો, જાણીએ એવા જ ગુજરાતી તારલાઓની કહાની...12 May, 2026 08:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.
12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
08 May, 2026 03:34 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK