CNN અનુસાર, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે બુધવારે દેશમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ કટોકટીની સ્થિતિ જાહેર કરી. અધિકારીઓએ કેટલાક લોકોના મોતની પુષ્ટિ કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. (ફોટા/ANI)
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં પોતાને યોગિની ગણાવનાર શિલ્પા શેટ્ટીએ ગઈ કાલે બારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ગુડગાંવમાં યોજાયેલી એક ઇવેન્ટમાં લોકોને સ્ટેજ પરથી યોગ કરાવ્યા હતા.
જુહી ચાવલાનું માનવું છે કે તેના જીવનમાં યોગનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. તે છેલ્લાં લગભગ ૨૦ વર્ષથી દરરોજ યોગાસન કરી રહી છે અને આજે પણ પોતાના દૈનિક જીવનમાં યોગને ખાસ સ્થાન આપે છે. જુહીનું કહેવું છે કે તેની તંદુરસ્તી, માનસિક શાંતિ અને સકારાત્મકતા પાછળ યોગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
Father’s Day Special: આજે છે ઇન્ટરનેશનલ ફાધર્સ ડે. સદીઓથી માતાના રોલની જેટલી મહાનતા વર્ણવાઈ છે, એટલી પિતાજીના રોલની નહીં. હંમેશાથી મૂંગા મોંએ પરિવાર માટે જાતને હોમી દેનારા પિતાની વાતો આપણે ઓછી યાદ કરીએ છીએ. એમાં સવાલ થાય કે ફિલ્મી દુનિયાની ઝાકઝમાળ અને રાત-દિવસ શૂટિંગમાં વ્યસ્ત રહેનારા એક્ટર્સ પપ્પા તરીકેનો રોલ કેટલો બખૂબી નિભાવી શકે છે? આજે વાત કરીએ એ પાંચ એક્ટર્સની જેઓએ પડદા પરના રોલની સાથે જીવનમાં એક પિતા તરીકેનો રોલ પણ પૂરી સભાનતાથી નિભાવ્યો છે.
આમિર ખાનની સુપર હિટ ફિલ્મ ‘લગાન’ની 25મી વર્ષગાંઠ નિમિત્તે મુંબઈમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ફિલ્મની ક્રૂ અને કસ્ટે હાજરી આપી હતી. જોકે તેમાં સૌથી વધુ અભિનેતા અમીન હાજી તેમની પત્ની, ચાર્લોટ વ્હિટબી-કોલ્સ અને તેમની બે પુત્રીઓ, સમર હાજી અને સ્કાય હાજીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. લગાનમાં બઘાનું પાત્ર ભજવનાર અમીન હાજીના પરિવારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. (તસવીરો: સોશિયલ મીડિયા)
બૉક્સ-ઑફિસ પર સની દેઓલની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાનના બૅનર હેઠળ કરવામાં આવ્યું છે અને એ ૧૪ ઑગસ્ટથી દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ગઈ કાલે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મનાં તમામ મુખ્ય પાત્રોના લુક્સ જાહેર કર્યા છે.
અભિનેત્રી અને ભાજપ સાંસદ કંગના રનૌતે તાજેતરમાં જોધપુરના શ્રી ચામુંડા માતા મંદિર અને ગજાનન મહારાજ મંદિરની મુલાકાત લીધી હતી. તેની મુલાકાત દરમિયાન, તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 4,400 દિવસ કાર્યકાળ પૂર્ણ કરવા અને ભારતમાં સતત સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બનવા બદલ અભિનંદન અને પ્રાર્થના કરી. (તસવીર: અભિનેત્રી સોશિયલ મીડિયા)
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે ઉર્વશી પારેખ. ઉર્વશીબહેન પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાયેલાં છે. લેફ્ટ-હેન્ડેડ બેટ્સમેન અને રાઇટ-હેન્ડેડ બૉલર તરીકે જાણીતા ઉર્વશીબહેન લગભગ દરેક વીકેન્ડ પર ટુર્નામેન્ટ રમે છે, અને મોટાભાગની ટુર્નામેન્ટમાં વિજેતા બને છે. આ ફિલ્ડમાં ૧૩૦ કરતાં પણ વધારે એવોર્ડસ મેળવ્યા છે.
દેશભરમાં યુવા મહિલા ફૂટબૉલરો માટે તકો વધારવાના હેતુથી `નારી શક્તિ ટ્રાયલ્સ` કાર્યક્રમ 40 થી વધુ શહેરોમાં વિસ્તૃત કરવામાં આવી રહ્યો છે. આ પહેલ ભારતમાં ખાસ કરીને છોકરીઓ માટે રચાયેલ થોડા મહિલા-આગેવાની હેઠળના ફૂટબૉલ સ્કાઉટિંગ કાર્યક્રમોમાંની એક છે, જે રમતમાં વધુ માળખાગત અને સુલભ માર્ગો પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે.
મુંબઈ (Mumbai)ના મલાડ (Malad)માં આવેલી ઓરિસ સેરેનિટી (Auris Serenity) સોસાયટીના જૈન સમાજ દ્વારા મુનિસુવ્રત દેરાસર પ્રતિષ્ઠા મહોત્સવ (Munisuvrat Derasar Pratishtha Mahotsav)ની ઉજવણી અત્યંત ભક્તિભાવ, એકતા અને ભવ્ય સહભાગિતા સાથે કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક રહીશો, મુંબઈ બહારથી આવેલા મુલાકાતીઓ અને વ્યાપક જૈન સમાજના સભ્યો સહિત આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સોસાયટીના રહેવાસીઓના સામૂહિક પ્રયાસો અને મજબૂત સમર્થનથી નિર્મિત આ દેરાસર, દૈનિક સેવા-પૂજાની સુવિધા ઘરની નજીક લાવીને વરિષ્ઠ નાગરિકો, બાળકો અને પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા રાખવામાં આવી રહી છે. ચાલો જોઈએ આ મહોત્વસની એક ઝલક.27 June, 2026 12:15 IST | Mumbai | Rachana Joshi
આખા ધાણા, વરિયાળી, અજમો અને જીરુંને ધીમી આંચે શેકીને અધકચરા પીસવામાં આવે, પછી તેમાં ઝીણા સમારેલા આદુ-મરચાં, હિંગ, હળદર, આમચૂર પાવડર અને ગરમ મસાલાનું સંતુલિત મિશ્રણ ઉમેરાય, ત્યારે એક અનોખી સુગંધ સર્જાય છે. આ તમામ સામગ્રી જ્યારે બાફેલા બટાકા અને ચણાદાળના માવા સાથે એકરૂપ થાય છે, ત્યારે તેની સોડમ જ સ્વાદપ્રેમીઓને આકર્ષવા માટે પૂરતી બની જાય છે. ત્યારબાદ આ મસાલેદાર પૂરણને સમોસાના પાતળા પડમાં ભરીને શુદ્ધ સીંગતેલમાં સોનેરી અને ખસ્તા થાય ત્યાં સુધી તળવામાં આવે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK