Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજના કવિવારના એપિસોડમાં વાંચો કવિ સુધીર દેસાઈની રચનાઓ

કવિવાર : વ્હાલપનું નામ! એને બોલું તો કેમ કરી બોલું? : કવિ સુધીર દેસાઈ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું.  `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar
નવા ઓન્કોલોજી વિભાગમાં મેડિકલ અને સર્જિકલ ઓન્કોલોજી સાથે એડવાન્સ ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, સ્ક્રિનિંગ, એડવાન્સ ઇમેજિંગ, બાયોપ્સી, કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટેડ થેરાપી ઉપલબ્ધ રહેશે. દર્દીઓને જરૂરી સપોર્ટિવ કેર પણ આપવામાં આવશે.

ઝાયનોવા શૅલ્બી હોસ્પિટલમાં નવો ઓન્કોલોજી વિભાગ શરૂ, કેન્સર સારવાર હવે એક છત હેઠળ

સામૂહિક રુદ્રાભિષેક કરતાં ભાવિકભક્તો

મુંબઈ: બોરીવલીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો સામૂહિક રુદ્રાભિષેક કાર્યક્રમ

હેવી બ્લાઉઝનો ટ્રેન્ડ

સાડી નહીં, હવે બ્લાઉઝ બની રહ્યાં છે શો-સ્ટૉપર




જેટપૅક ફ્લાઇંગ મશીનથી ટ્રોફીની હવાઈ એન્ટ્રી થઈ

T20 વર્લ્ડ કપની ધમાકેદાર ઓપનિંગ સેરેમનીમાં નોરા ફતેહી, બાદશાહ, રિષભ શર્માના પર્ફોર્મન્સ (તસવીરો: અતુલ કાંબળે)

08 February, 2026 10:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Mantastic: ક્રિકેટ જગતના ગુરુ દ્રોણ, જાણો દિનેશ લાડ ખરેખર છે કોણ?

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.

14 January, 2026 12:30 IST | Mumbai | Viren Chhaya


મુંબઈ: બોરીવલીના BAPS સ્વામિનારાયણ મંદિરમાં યોજાયો સામૂહિક રુદ્રાભિષેક કાર્યક્રમ

તાજેતરમાં જ દેશભરમાં મહાશિવરાત્રિની અતિ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. મુંબઈનાં વિવિધ દેવાલયો પણ `હર હર ભોલે`ના જયનાદ સાથે ગુંજી ઊઠ્યા હતાં. બોરીવલીના યોગીનગરમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો હાજર રહ્યા હતા. 17 February, 2026 10:19 IST | Mumbai | Dharmik Parmar


કવિવાર : વ્હાલપનું નામ! એને બોલું તો કેમ કરી બોલું? : કવિ સુધીર દેસાઈ

આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું.  `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.

17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK