વિલેપાર્લે સ્થિત `કલાગુર્જરી સંસ્થા` દ્વારા તાજેતરમાં જ લઘુનાટિકાઓની ભજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૦મી ડિસેમ્બરે આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો દ્વારા વિવિધ લઘુનાટિકાઓની પ્રસ્તુતિ કરાઇ હતી.
26 December, 2025 12:45 IST | Mumbai | Dharmik Parmar
2025માં બોલીવુડએ ફરી એકવાર સાબિત કર્યું કે પ્રેમ, સંબંધો અને માનવ ભાવનાઓ પર આધારિત વાર્તાઓ હંમેશા પ્રેક્ષકોને સ્પર્શે છે. ક્લાસિક રોમાન્સથી લઈને આધુનિક સંબંધોની જટિલતા સુધી, આ વર્ષે ઘણી ફિલ્મોએ ચર્ચા જગાવી. અહીં ૨૦૨૫ ની શ્રેષ્ઠ રોમેન્ટિક બૉલિવુડ ફિલ્મો પર એક નજર કરીએ:
26 December, 2025 05:56 IST | Mumbai | Hetvi Karia
નાતાલ 2025 ની ઉજવણી શરૂ થઈ ગઈ છે, જેમાં બૉલિવૂડ સેલેબ્સ આ તહેવારને સંપૂર્ણ ઉત્સાહથી ઉજવતા જોવા મળ્યા હતા. પરિવાર સાથે સેલિબ્રેશન અને પાર્ટીઓથી લઈને ભવ્ય સજાવટ અને સ્ટાઇલિશ ફેસ્ટિવલ આઉટફિટ સુધી, સ્ટાર્સ રજાના મૂડમાં જોવા મળ્યા છે. તો ચાલો જોઈએ કે આ વર્ષે આ સેલેબ્સ કેવી રીતે કરી રહ્યા છે નાતાલની ઉજવણી. (તસવીર: મિડ-ડે)
કિંજલ દવેના લગ્ન જોજો ઍપના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે નક્કી થઈ ગયાં છે અને તેમના ગોળધાણાંના સમારોહમાં અનેક જાણીતા લોકોએ હાજરી આપી હતી. પરંતુ, કારણકે કિંજલ દવેએ આંતરજ્ઞાતિય વિવાહ નક્કી કર્યા છે તેથી પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેનો અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો છે. સમાજે એવું નિવેદન બહાર પાડ્યું હતું કે, કિંજલ દવે અને તેના પરિવારને નાતબહાર કરવામાં આવે છે અને જો કોઈ તેમની સાથે સંબંધ રાખશે તો તેમને પણ નાતબહાર કરવામાં આવશે. આ સમગ્ર ઘટના બાદ કિંજલ દવેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેના પછી વર્લ્ડ બ્રાહ્મણ આૅર્ગેનાઇઝેશન દ્વારા માગણી કરાઈ કે કિંજલ દવે માફી માગે. ત્યાર બાદ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક લોકો સાથે વાત કરી અને આ વિશે તેમનું શું કહેવું છે અંગે તેમનો મત જાણવાનો પ્રયત્ન કર્યો. જાણો આ મુદ્દે વધુ...
આર્જેન્ટિનાનો મહાન ફુટબૉલર લીઅનલ મેસી તેની GOAT ઇન્ડિયા ટૂર અંતર્ગત ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો હતો, જ્યાં તેની મુલાકાત ભારતીય GOAT સચિન તેન્ડુલકર સાથે થઈ હતી. આ સમયે અન્ય મહાનુભવો પણ હાજર હતા. તેમજ ફેન્સનો ઉત્સાહ પણ ચરમસીમાએ હતો.(તસવીરોઃ આશિષ રાજે)
વિલેપાર્લે સ્થિત `કલાગુર્જરી સંસ્થા` દ્વારા તાજેતરમાં જ લઘુનાટિકાઓની ભજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૦મી ડિસેમ્બરે આયોજિત આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો દ્વારા વિવિધ લઘુનાટિકાઓની પ્રસ્તુતિ કરાઇ હતી.26 December, 2025 12:45 IST | Mumbai | Dharmik Parmar
સાક્ષરભૂમિ તરીકે ઓળખાતું ગુજરાતનું નડિયાદ એવું શહેર છે, જેણે દુનિયાને સરદાર પટેલ જેવા લોખંડી પુરુષ આપ્યા છે. નડિયાદ માત્ર શિક્ષણ અને સંસ્કારનું કેન્દ્ર નથી, પરંતુ ચટાકેદાર વાનગીઓ માટે પણ જાણીતું ધામ છે. અને જ્યારે તમે નડિયાદમાં હોવ અને કોઈને પૂછો કે, “અહીંયાનું સૌથી ફેમસ શું?” તો જવાબમાં ‘નડિયાદી ભૂસું’ કે પંજાબ બેકરીના પફ તો આવે જ, પણ સાથે એક નામ આદરપૂર્વક લેવાય છે, અને તે છે ચીમનકાકાનો સેવ રગડો. મેં સાંભળ્યું હતું કે આ રગડો ખાવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. એટલે જ, મારી નડિયાદ યાત્રા દરમિયાન વહેલી સવારે હું મીના આંટી, ધુવેશભાઈ અને સાહિલભાઈ સાથે કારસાથી આનંદભાઈને લઈને નડિયાદના ‘મોગલકોટ’ વિસ્તાર તરફ રવાના થઈ હતી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK