મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો: અતુલ કાંબળે)
બૉલિવુડના પીઢ અભિનેતા શરત સક્સેનાએ તેમની કરોડરજ્જુની સર્જરી બાદ સ્વાસ્થ્ય અંગેની વિગતો શૅર કરી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં હૉસ્પિટલથી લઈને ઘરે પરત ફરવા સુધીની તેમની સફરની ઝલક જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે તેમની કરોડરજ્જુની સર્જરી છ કલાક સુધી ચાલી હતી. (તસવીરો: શરત સક્સેના ઇન્સ્ટાગ્રામ)
સોશિયલ મીડિયા જગતમાં દરરોજ કેટલાય ચહેરાઓ આપણું મનોરંજન કરતાં રહે છે. પરંતુ અમુક ક્રિએટર્સ એવા હોય છે જેમનું કૉન્ટેન્ટ તેમના ફોલોઅર્સ માટે રીતસરની આદત જ બની જાય છે! જેમના વીડિયોઝ અને પોસ્ટ્સ જોયા વગર તેમનું ફીડ જાણે તેમને અધૂરું લાગવા માંડે છે. પણ શું તમનેય પણ એવા પ્રશ્ન થાય છે કે આપણા આ માનીતા ઇન્ફ્લુએન્સર્સ કૅમેરાની પાછળ કેવા છે? કઈ રીતે તેઓ આટલા પૉપ્યુલર થયા? આખરે સોશિયલ મીડિયાની આ વાઇરલ જર્નીએ તેમની રિઅલ લાઈફમાં કેવો બદલાવ લાવી દીધો? અને જો તમારે પણ આમની જેમ મજેદાર કૉન્ટેન્ટ પીરસીને સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર બનવું હોય તો શું કરવાનું? જ્યારે તેઓ સોશિયલ મીડિયા માટે કૉન્ટેન્ટ બનાવે છે તો કઈ વસ્તુનું ધ્યાન રાખે છે, તેમના કેટલાક રસપ્રદ કિસ્સાઓ અને કેટલીક ખાસ ટિપ્સ જે તમને પણ કામ લાગી શકે છે. બસ, તો... હવે તમારું ડિજિટલ સાથીદાર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દર બુધવારે તમારે માટે લઇને આવશે ખાસ રજૂઆત `Digitally Yours`! જો તમે આ લેખ વાંચો પછી તમારા ધ્યાનમાં કોઈ એવા ઇન્ફ્લુએન્સર હોય જેમના વિશે અમારે માહિતી બધા સુધી પહોંચાડવી જોઈએ તો તમે અમને ઈ-મેઇલ કરી શકો છો અથવા ઇન્સ્ટાગ્રામ પર DM પણ કરી શકો છો. તો, આજના એપિસોડમાં આપણે મળીશું છે વૉઇસ-ડબિંગ અને સોશિયલ મીડિયાની દુનિયાના જાણીતા આર્ટિસ્ટ કેતન કાવાને.
મુંબઈમાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને તેમના ફિલ્મી કરિયર અને હિન્દી સિનેમામાં આપેલા યોગદાન માટે સંગીતમય કાર્યક્રમ દ્વારા યાદ કરવામાં આવ્યા. ‘પ્યાર હી પ્યાર બેશુમાર’ નામનો આ કાર્યક્રમ શુક્રવાર, 21 ઓગસ્ટ 2026ના રોજ બાંદ્રા વેસ્ટના સેન્ટ એન્ડ્રુઝ ઓડિટોરિયમમાં યોજાયો હતો.
`તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC) ના ક્રિએટર અને નિર્માતા અસિત કુમાર મોદી શોની કાસ્ટ અને ટીમ સાથે અમેરિકા પહોંચ્યા છે. કલાકારો ટીમ ન્યૂ યઑર્કમાં ફૅડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન દ્વારા આયોજિત `હાર્મની ઇન હેરિટેજ - ઇન્ડિયા ડે પરેડ 2026` માં ભાગ લેશે.
ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર બરાબર જામ્યો છે ત્યારે મળીએ આ રમતનું પૅશન ધરાવતા અને એને પ્રોફેશન બનાવવા માગતા ગુજરાતીઓને. ક્રિકેટપ્રેમી ભારત ફુટબૉલમાં વર્લ્ડ લેવલ પર ઘણું પાછળ છે ત્યારે આ ગેમમાં કોઈ કરીઅર બનાવવા માગતું હોય તો આશ્ચર્ય જરૂર થાય, પણ આ દીવાનાઓ તો કહે છે...
ફુટબૉલના આગામી ત્રણ વર્લ્ડ કપમાં હું ભારતની ટીમને જોતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને તાલીમ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું છે. ખેલાડીઓને તૈયાર થવામાં વાર લાગશે, છતાં ડંકે કી ચોટ પર કહું છું કે ફુટબૉલમાં કરીઅર છે, છે ને છે જ. ફુટબૉલમાં પણ પૈસો, પ્રસિદ્ધિ અને સ્ટારડમ છે. બસ, રમવાનું ઝનૂન અને પાગલપંતી ખતમ ન થવાં જોઈએ. અન્ય સ્પોર્ટ સાથે તુલના કરવાની જરૂર નથી. આજથી ૨૦ વર્ષ પહેલાં ફુટબૉલ રમવાની વાત કરી ત્યારે અનેક લોકોએ મને કહ્યું હતું, પાગલ છે? ફુટબૉલનો ક્રેઝ હોતો હશે? એમાં કરીઅર અને પૈસા નથી; જોકે હું આજે પણ ફુલ ટાઇમ પ્રોફેશનલ ફુટબૉલર છું.
આ શબ્દો છે ઇન્ડિયન સુપર લીગ (ISL)ની Sporting Club Delhiના ૩૬ વર્ષના ડિફેન્ડર આશુતોષ મહેતાના. આશુતોષ કહે છે, ‘દરેક સ્પોર્ટ્સપર્સનનું ડ્રીમ હોય છે વર્લ્ડ કપ રમવાનું, પરંતુ વાસ્તવિકતાને સ્વીકારવી જરૂરી છે. ૨૦ વર્ષમાં ફુટબૉલજગત ઘણું બદલાયું છે. નવા ભારતના યુવા ખેલાડીઓ મૉડર્ન ફુટબૉલ રમે છે. તેઓ આક્રમક અને ઊર્જાથી ભરપૂર છે. એક દિવસ આવશે જ્યારે તેઓ ભારતને વૈશ્વિક ફલક પર લઈ જશે. મને હંમેશાંથી ફુટબૉલ જ રમવું હતું. આ સ્પોર્ટ કેમ એનો મારી પાસે જવાબ નથી. બે દાયકાથી વિશ્વમાં નંબર વન મનાતી ગેમમાં છું અને ભારતના ટૉપ લેવલના ખેલાડીઓમાં મારી ગણના થાય છે. ક્યાંક પહોંચવા મેદાનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. કોઈને લાગતું હોય કે આ ઘેલછા છે તો માનજો તમે સાચી દિશામાં છો. પાગલ નહીં બોલા તો આપ ગલત રાસ્તે પે હો, ફિર છોડ દો...’
લોકલ મૅચથી નૅશનલ ટીમ સુધી
આશુતોષ મલાડનો રહેવાસી છે. સ્કૂલમાં ભણવામાં ઍવરેજ સ્ટુડન્ટ હતો. રમતગમતમાં અતિશય રુચિ હતી. ટીવી પર ફુટબૉલ ટુર્નામેન્ટ જોવાનો ક્રેઝ હતો. ૧૦૦-૨૦૦ મીટરની દોડ અને હાઈ જમ્પ સ્પર્ધામાં ભાગ લેતો. કોચ ખાલિદ જમીલ અત્યારે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) દ્વારા નિમાયેલી નૅશનલ મેન્સ ફુટબૉલ ટીમના કોચ છે. તેમણે આશુતોષની ક્ષમતાને ઓળખીને કહ્યું, ફુટબૉલ રમવું જોઈએ. આશુતોષ કહે છે, ‘ત્યાર બાદ તેમના માર્ગદર્શનમાં ફુટબૉલ રમવાનું શરૂ કર્યું. જોકે પ્રોફેશનલ ફુટબૉલર બનવું સરળ નહોતું. શરૂઆતમાં લોકલ મૅચ રમીને કુશળતા કેળવી, રમતનાં વિવિધ પાસાંઓને સમજવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૦માં I-Leagueની ટીમ Mumbai FCમાં પહેલો મોટો બ્રેક મળ્યો. જુદી-જુદી ૧૦ ક્લબ માટે રમ્યો છું. ૨૦૧૪માં ISLની સૌપ્રથમ સીઝનમાં FC Pune City ટીમમાં સ્થાન મળ્યું. NorthEast United FC માટે રમતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેના કારણે નૅશનલ ટીમના દરવાજા ખૂલ્યા. લાંબા સમય સુધી ડોમેસ્ટિક ફુટબૉલમાં સતત સારું પ્રદર્શન કર્યા પછી માર્ચ, ૨૦૨૧માં વર્ષો જૂનું સપનું પૂરું થયું. તત્કાલીન હેડ કોચે ઓમાન-UAE ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે સિલેક્ટ કર્યો. Blue Tigersની જર્સી પહેરીને ભારત માટે ડેબ્યુ કર્યું. આ મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. જોકે ડિફેન્ડર તરીકે મારા પ્રદર્શનની નોંધ લેવાઈ. આંતરરાષ્ટ્રીય ફુટબૉલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હું પહેલો ગુજરાતી ફુટબૉલર બન્યો. આ સિદ્ધિ અને અત્યારે હું જે સ્થાન પર છું એનું સંપૂર્ણ શ્રેય કોચ ખાલિદ જમીલને જાય છે. ૧૨ વર્ષ સુધી તેઓ મારા કોચ રહ્યા. ISLની પ્રથમ સીઝનથી જ ટોચની ફ્રૅન્ચાઇઝી માટે પ્રોફેશનલ ફુટબૉલર તરીકે રમું છું.’
ફુટબૉલ કલ્ચર
વૈશ્વિક ફુટબૉલ અને ભારતનું ફુટબૉલ કલ્ચર તદ્દન જુદું છે. યુરોપ-અમેરિકામાં ફુટબૉલ રિલિજિયન સમાન છે. પેઢીઓથી લોકો મૅચ જોવાના દીવાના છે. સ્થાનિક ક્લબને ફુલ સપોર્ટ કરે છે. લોકલ મૅચના દિવસે પણ આખું શહેર ઊમટી પડે છે. ભારતમાં ક્રિકેટનો પ્રભાવ છે અને ફુટબૉલના ચાહકો બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ બંગાળ, કેરલમ અને નૉર્થ-ઈસ્ટમાં સ્થાનિક ફુટબૉલનો ક્રેઝ છે; જ્યારે બાકીના વિદેશી ક્લબોને વધુ ફૉલો કરે છે. તફાવત વિશે આશુતોષ કહે છે, ‘યુરોપ અને અમેરિકામાં દેશના ખૂણે-ખૂણે ફુટબૉલ રમાય છે. ભારતમાં આ કલ્ચર ચોક્કસ રાજ્યો પૂરતું સીમિત છે. કેરલમ, કલકત્તા, ગોવા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં ફુટબૉલ જીવનશૈલીનો ભાગ છે. કલકત્તામાં ૭૦,૦૦૦ની મેદની ઊમટે છે. આ વાતાવરણ આખા ભારતમાં નથી. અત્યારે દેશના હજારો યુવાનો વર્લ્ડ કપ જોવા રાતના ઉજાગરા કરે છે. પોતાની ફેવરિટ ટીમના રંગમાં રંગાઈ જાય છે. જોકે એમાં કંઈ ખોટું નથી. જે દિવસે ભારતીય ચાહકો મોડી રાત્રે યુરોપિયન મૅચો જોવાની સાથે સાંજે સ્થાનિક મેદાન પર ભારતીય ક્લબોને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જશે એ દિવસે ભારતીય ફુટબૉલ કલ્ચર ખરા અર્થમાં વૈશ્વિક બની જશે. જોકે ISL આવ્યા પછી ભારતીય ફુટબૉલરો લાઇમલાઇટમાં આવ્યા. ખેલાડીને રિસ્પેક્ટ અને ઓળખ મળ્યા. ફાઇનૅન્શિયલ લાભ પણ મળવા લાગ્યો છે. મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સુવિધાના નામે મીંડું હતું. આજે પણ દેશમાં ફુટબૉલનાં મેદાનોની કમી છે. માળખાગત સુવિધાઓ મર્યાદિત છે છતાં નવી પેઢીના ફુટબૉલરો મૅચ્યોર્ડ અને સ્માર્ટ છે. મૉડર્ન ફુટબૉલ સાથે તેમનો પરિચય થઈ રહ્યો છે. તાલીમ દરમ્યાન ખેલાડીની સ્લીપ, હાઇડ્રેશન, ન્યુટ્રિશન, ફિટનેસ વગેરે બાબતો પર ખાસ ધ્યાન અપાય છે. ઘણા પેરન્ટ્સ પૂછે છે, મારા દીકરાને ફુટબૉલર બનવું છે તો શું કરીએ? હું તેમને કહું છું, આક્રમક ગેમ છે; સર્જ્યન બનવું સહેલું છે, ફુટબૉલર બનવું અઘરું છે; દરેક ગેમ નવી ચૅલેન્જ લઈને આવે છે; ડિસિપ્લિન અને અલગ માઇન્ટસેટ હોય તો રમવા દો.’ ૩૫૦ ગેમ રમી ચૂક્યો છું, ૩૬ વર્ષનો થયો અને હજી મેદાનમાં રહેવું છે. સોશ્યલ મીડિયા પર સ્પોર્ટ્સમૅનની લાઇફ ફૅન્સી લાગે છે, પણ હકીકતમાં અમારી લાઇફ બોરિંગ છે. વ્યાયામ, ઊંઘ, વજન કરીને ખાવાનું, પ્રૅક્ટિસ આ બધું જીવન સાથે એવું વણાઈ ગયું છે કે એના વિના શું કરીશ એ વિચાર ડરામણો છે. મને બીજું કંઈ કરતાં આવડતું નથી. જોકે એક દિવસ મેદાન છોડવાનું છે. જે દિવસે રમવાનું બંધ થયું એ ડાઉનફૉલ હશે.
મેસી મૅજિક
ફુટબૉલનો સુપરસ્ટાર લીઅનલ મેસી ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે કાન ફાડી નાખે એટલા જોરથી ફૅન્સ મેસી... મેસી....ની બૂમો પાડતા હતા. આશુતોષ મહેતા માટે પણ જિંદગીની એ યાદગાર ક્ષણ હતી જ્યારે તે મેસીને રૂબરૂ મળ્યો. જોકે ભાષાની મર્યાદાના લીધે વધુ વાતચીત થઈ ન શકી. રસપ્રદ વાત એ કે આશુતોષનો ફેવરિટ ફુટબૉલર મેસી નહીં પણ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો છે. તે કહે છે, ‘મારો ઑલ-ટાઇમ પસંદીદા પ્લેયર હંમેશાં રોનાલ્ડો જ રહેશે. ૪૧ વર્ષની ઉંમરે પણ જે હાઈ એનર્જી, ફિટનેસ અને ઝનૂન સાથે મેદાન પર ઊતરે છે એ મને સૌથી વધુ ઇન્સપાયર કરે છે. ગેમ પર તેનો જબરદસ્ત પ્રભાવ હોય છે. એક પ્લેયર તરીકે મને આ ઇન્ટેન્સિટી આકર્ષે છે.’
12 July, 2026 05:52 IST | Mumbai | Varsha Chitaliya
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બૉક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે ઉર્વશી પારેખ. ઉર્વશીબહેન પ્રોફેશનલ ક્રિકેટ સાથે જોડાયેલાં છે. લેફ્ટ-હેન્ડેડ બેટ્સમેન અને રાઇટ-હેન્ડેડ બૉલર તરીકે જાણીતા ઉર્વશીબહેન લગભગ દરેક વીકેન્ડ પર ટુર્નામેન્ટ રમે છે, અને મોટાભાગની ટુર્નામેન્ટમાં વિજેતા બને છે. આ ફિલ્ડમાં ૧૩૦ કરતાં પણ વધારે એવોર્ડસ મેળવ્યા છે.
મુંબઈના પ્રખ્યાત `લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ` દ્વારા શુક્રવાર, 11 સપ્ટેમ્બરના રોજ `લાલબાગચા રાજા`ની પહેલી ઝલક જાહેર કરવામાં આવી હતી. ગણેશોત્સવના તહેવારની શરૂઆતના થોડા દિવસો પહેલાં જ યોજાયેલા આ અનાવરણ સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસવીરો: અતુલ કાંબળે)11 September, 2026 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૈન ધર્મનું સૌથી પવિત્ર અને આત્મશુદ્ધિનું પર્વ એટલે પર્યુષણ. ‘પરિ’ એટલે બધી બાજુથી અને ‘ઉષણ’ એટલે આત્માની નજીક વસવું. એટલે જ પર્યુષણ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ પોતાની અંદર ડોકિયું કરી આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવને જીવનમાં ઉતારવાનો અવસર છે. વર્ષ ૨૦૨૬માં શ્વેતાંબર જૈનો માટે પર્યુષણ પર્વ ૮ સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયો છે જે ૧૫ સપ્ટેમ્બરે સંવત્સરી સાથે પૂર્ણ થશે. આ દિવસોમાં ઉપવાસ, એકાસણાં, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, તપ અને આત્મચિંતન દ્વારા મન-વચન-કર્મની શુદ્ધિ કરવામાં આવે છે. જયારે દિગંબર જૈનો ૧૬થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન દશલક્ષણ પર્વમાં દસ ઉત્તમ ધર્મોનું પાલન કરશે અને ક્ષમાવાણી દ્વારા ક્ષમાયાચના કરશે. પર્યુષણમાં તપ અને ઉપવાસનું જેટલું મહત્વ છે એટલુંજ આહારના નિયમોનું છે. લીલોતરી શાકભાજી અને કંદમૂળનો ત્યાગ, શુદ્ધતા અને સાત્વિકતાના નિયમો વચ્ચે વિવિધ પ્રકારની દાળ, અનાજ અને ઉપલબ્ધ સામગ્રીમાંથી બનતી વાનગીઓ રસોડામાં તૈયાર થાય છે. રસપ્રદ વાત એ છે કે ઘણી વસ્તુઓનો ત્યાગ હોવા છતાં જૈન રસોઈમાં સ્વાદની કોઈ કમી રહેતી નથી. તો આવો, પર્યુષણ સ્પેશ્યલ રેસિપી શીખીએ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK