રંગભૂમિ વિશેની માહિતી આપતું પુસ્તક 'નાટ્ય રંગોત્સવ'નું મુંબઈમાં લોકાર્પણ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત પુસ્તક 'નાટ્યરંગોત્સવ' ( લેખક સતીશ વ્યાસ)નું 30 મે 2026 (શનિવાર)ના રોજ સાંજે 6:00 વાગે એસ. પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી ખાતે યોજાશે. રંગભૂમિના ઇતિહાસ વિશેની નોંધો ધરાવતા આ પુસ્તકનું લોકાર્પણ જાણીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી કરશે તથા સંગીતકાર-લેખક સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે વિકાસ ઘનશ્યામ નાયક અને શાહ કેયુરી શાહ ભવાઈનો અંશ રજૂ કરશે. ડૉક્ટર પ્રીતિ જરીવાલા એકોક્તિ રજૂ કરશે. ચિરાગ વોરા, રમાકાંત ભગત, નિલેશ જોશી તથા ભક્તિ રાઠોડ અને મીનળ પટેલ વાચીકમ્ (વાચિક અભિનય) રજૂ કરશે. અભિનેત્રી ભક્તિ રાઠોડ સર્જક સાથે સંવાદમાં સતીશ વ્યાસ સાથે ગોષ્ઠિ કરશે. અમી શાહ, રાજુલ દિવાન, મંજરી અને સ્નેહલ મુઝુમદાર, તુષાર ભૂતા(ડફલી) તથાસુરેશ રાજડા અને મીનળ પટેલ જૂની રંગભૂમિનાં ગીતોની ઝલક રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે તથા આભાર દર્શન શ્રીમતી લીના વ્યાસ કરશે. સમગ્ર કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ભીખુભાઈ ચિતલિયાના સહકારથી યોજાઈ રહ્યો છે.
read more
કાંદિવલીની સોસાયટીમાં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ
કાંદિવલી સ્થિત પંચશીલ ગાર્ડન સોસાયટી કે જે 'ગોકુળિયું ગામ' તરીકે પણ જાણીતી છે. અહીં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બહેનો દ્વારા'તુલી ચંદના'ની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે પરંપરાગત રીતે 'ગોરમા' (ગૌરી વ્રત)નું પૂજન પણ કરવામાં આવ્યું હતું. અધિકમાસના વિશેષ મહિમાને સમજાવવા મીનાબેન ભુતા, મનીષા મુનિ, સ્મિતા જૈન અને સોનલ શેઠિયા દ્વારા દરરોજ નવી પૂજા અને અલગ-અલગ વાર્તાઓ કહેવામાં આવે છે. વ્રત અને કથાના આ સુંદર મહિમાને સાંભળીને ઉપસ્થિત તમામ વૈષ્ણવો અને ભક્તો આનંદ અને ભક્તિના રસમાં તરબોળ થઈ ગયા છે.
read more
જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ
જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક “ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાતી ભાષામાં પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે વર્ષ ૧૯૨૬થી કાર્યરત સંસ્થા આર. આર. શેઠ પોતાની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ઉત્તમ લેખકોના પુસ્તકો ગુજરાતી વાચકો સુધી પહોંચાડવામાં આ સંસ્થાનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂરા કરવાની સિદ્ધિ તરીકે આર. આર. શેઠ ગુજરાતી ભાષાની પ્રથમ અને ભારતીય ભાષાઓની બીજા ક્રમાંકની પ્રકાશન સંસ્થા છે. આ ઐતિહાસિક ઘટનાનો સમગ્ર શ્રેય ગુજરાતી ભાષાના વાચકો અને લેખકોને જાય છે. આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી પ્રસંગે ગુજરાતના મહત્વના શહેરોમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૫૧ ગઝલોનો ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારો, વિવેચકો અને કવિઓ દ્વારા કરવામાં આવેલા આસ્વાદના પુસ્તક ‘ઘેરો ગુલાલ’નું લોકાર્પણ ૩૦મી મે શનિવારે, સાંજે ૫ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં થનાર છે. આ પુસ્તકનું સંપાદન જાણીતા કવિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સંપાદક હર્ષદ ત્રિવેદી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ જવાહર બક્ષીના સર્જન, પ્રદાન અને ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રભાવ વિશે વાત કરશે. જાણીતા લેખક રવીન્દ્ર પારેખ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. આ સંપાદનમાં સમાવિષ્ટ થયેલી કવિ જવાહર બક્ષીની થોડી ગઝલો લેખક પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરશે. સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે અને પ્રવેશ નિઃશુલ્ક છે.
read more
ગાંધીનગરમાં 'સંનિધિ' કાર્યક્રમ અંતર્ગત જવાહર બક્ષીના ગઝલસંગ્રહનું લોકાર્પણ અને ગઝલ મહેફિલ
ગુજરાતી સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ 'અમૃત ગઝલ પારિતોષિક' પ્રથમ પ્રાપ્ત કરનાર અગ્રગણ્ય ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ચૂંટેલી ગઝલોનો સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંગ્રહનું લોકાર્પણ સંસ્થાના મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા કરશે. આ સમારંભ આગામી તા. ૨૨મી મે ૨૦૨૬, શુક્રવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યે ગુજરાત સાહિત્ય અકાદમી,ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર -૧૦/એ, ગાંધીનગર ખાતે યોજાયો છે. આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે અને ગઝલો સાથે સંકળાયેલી રસપ્રદ વાતો કરશે. સહુ રસિકજનોને જાહેર આમંત્રણ છે.
read more
ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના દસ્તાવેજ કેમ્પના વિરોધીઓને ભાસ્કર શેટ્ટીએ વખોડ્યા
શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટીએ ધારાવાસીઓને ડીઆરપી (DRP) કેમ્પમાં હાજર રહેવા અપીલ કરી શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટી (પ્રભાગ ક્ર. ૧૮૮) એ ધારાવીના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) દ્વારા અcluster (અનિર્ણીત - Undecided) મામલાઓ માટે આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. શેટ્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત પાત્ર બનવા માટેની આ એક સુવર્ણ તક છે. આ સાથે જ તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી પક્ષો દ્વારા ધારાવીના રહીશોને આ કેમ્પનો લાભ લેતા અટકાવવા અને નિરુત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. તેમણે તમામ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો છે કે તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વધુમાં વધુ લોકોને આ કેમ્પમાં આવવા પ્રોત્સાહિત કરે જેથી ધારાવાસીઓને ન્યાય અને યોજનાનો લાભ મળી શકે.
read more
મુંબઈમાં આમ પગલુઝને માટે લૉન્ચ કરાઈ આમબ્યુલન્સ અને પછી વાઇરલ થયો વીડિયો
મુંબઈના રસ્તાઓ પર આ અઠવાડિયે એક અનોખી એમ્બ્યુલન્સ જોવા મળી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટે નહોતી. આ હતી ‘આમ્બ્યુલન્સ’. કેરીપ્રેમીઓ માટે ખાસ તૈયાર કરાયેલો ઇન્સ્ટામાર્ટનો આ ક્રિએટિવ કેમ્પેઇન હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં ઉનાળો અને કેરી વચ્ચેનો સંબંધ કોઈને સમજાવવાની જરૂર નથી. કેરીની સીઝન શરૂ થાય એટલે લોકોની અંદરનો “આમ પાગલુ” બહાર આવી જાય છે. View this post on Instagram A post shared by INDIANS (@indians) આ જ ભાવનાને રમૂજી અંદાજમાં રજૂ કરવા માટે ઇન્સ્ટામાર્ટે મુંબઈની સડકો પર ‘આમ્બ્યુલન્સ’ ઉતારી છે. એમ્બ્યુલન્સ જેવી ડિઝાઇન કરાયેલી આ વાન પર “Down with mango fever?” જેવા મેસેજ લખાયેલા છે, જે લોકોને તરત જ આકર્ષી લે છે. આ વાનમાં કેરીથી જોડાયેલા વિઝ્યુઅલ્સ અને મસ્ત મજાના ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે લોકો રસ્તા પર જ ઉભા રહી વીડિયો અને ફોટા પાડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો આ “આમ્બ્યુલન્સ”ના વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, “દરેક હીરો કેપ પહેરતો નથી, કેટલાક માત્ર કેરીથી ભરેલી આમ્બ્યુલન્સ ચલાવે છે.” છેલ્લાં કેટલાક વર્ષોથી ઇન્સ્ટામાર્ટ કેરીની સીઝનને ક્રિએટિવ માર્કેટિંગ સાથે જોડતું આવ્યું છે. આ વખતે બ્રાન્ડે માત્ર એક પ્રોમોશનલ કેમ્પેઇન નહીં પરંતુ લોકોના ઉનાળાની લાગણીઓ અને નોસ્ટાલ્જિયાને ટચ કરતો અનુભવ સર્જ્યો છે. માર્કેટિંગની દુનિયામાં હવે ફિઝિકલ એક્ટિવેશન માત્ર રસ્તા સુધી મર્યાદિત નથી રહ્યાં. તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે. ‘આમ્બ્યુલન્સ’ પણ એનું જ એક મજેદાર ઉદાહરણ બની છે.
read more
રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી
રવિવાર 10 મે 2026 ના રોજ મધર્સ ડે (માતૃદિન)ના અવસરે રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા, માહિમ ખાતે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા બાળકોની પડખે ઊભી રહેલાઈ માતાઓનું સન્માન અને ઉજવણી કરવામાં આવી, જે દરેક પડકારનો સામનો શક્તિ, આશા અને બિનશરતી પ્રેમથી કરે છે. સંસ્થાએ આ માતાઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેઓ તેમની ગંભીર બીમારીઓ દરમિયાન સતત તેમના બાળકોની સાથે ઊભી છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
read more
જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ
આપણા સુપ્રસિદ્ધ અધ્યાત્મરંગી કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૬૦ વર્ષની સર્જન કાવ્ય યાત્રામાંથી ચૂંટેલી ગઝલોનો સંગ્રહ ' ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.ગુજરાતી ગઝલના સમૃધ્ધ ઇતિહાસને દ્રષ્ટિએ નીવડેલા ગઝલકારોની ચુનંદી ગઝલોનું સંપાદન અધિકારી વિવેચક દ્વારા કરવામાં આવતી આ શ્રેણીમા આ સંગ્રહનું સંપાદન ધ્વનિલ પારેખે કર્યું છે.આ સંગ્રહનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા કરશે. આ સમારંભ આગામી તા. ૧૭ મી મે ૨૦૨૬ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી જૈન ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે કરશે.આ કાર્યક્રમ 'આપણે હરિ ભજનમાં રહીએ' ના લોકાર્પણ સમારોહની સાથે સંલગ્ન છે.સૌ કવિતા અને સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક જાહેર નિમંત્રણ છે. પ્રવેશ નિઃશુલ્ક છે
read more
કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ
તાજેતરમાં આપણા અગ્રણી પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયેલાં અને કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત પ્રાચીન અર્વાચીન અને આધુનિક ભજનોના વિશિષ્ટ ગ્રંથ 'આપણે હરિ ભજનમાં રહીએ'નો એક લોકાર્પણ સમારંભ આગામી તા.૧૭ મી મે,રવિવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી.જૈન સભાગૃહમાં રાખવામાં આવ્યો છે. આ ભજન સંગ્રહનું લોકાર્પણ સુપ્રસિદ્ધ કવિ સાહિત્યકાર અને ભજન મર્મજ્ઞ શ્રી દલપત પઢિયાર કરશે અને આ સંપાદન વિશે ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ સમારોહમાં જાણીતા સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ શ્રી ભીખુભાઈ ચિતલિયા અને પ્રવીણ પ્રકાશનના માલિક સંચાલક શ્રી ગોપાલભાઈ માકડિયા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાં ઉપસ્થિત રહેશે. જાણીતા ગાયિકા સુ શ્રી રેખા ત્રિવેદી ભજનોની સ્વરગંગા વહાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાત્મરંગી અને આર્ષ કવિશ્રી જવાહર બક્ષી કરશે કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા આ સંપાદન વિશે થોડી વાત કરશે. સૌ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.
read more
બોરિવલીના દૈવી ઈટરનીટીમાં બુધવારે સાંજે 'નિબંધના ભાવવિશ્વમાં' કાર્યક્રમ અને પુસ્તક મેળાનું સાયુજ્ય
મુંબઈના જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર તેમ જ પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળો હાલ બોરિવલીના સાઈબાબા નગરમાં ચાલી રહ્યો છે. એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં વિવિધ વિષયોનાં પુસ્તકોની ગોઠવણી કરવામાં આવેલ છે, જેનો મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ લાભ લઈ રહ્યા છે. સ્વાદિષ્ટ વાનગી ઉપર ટોપિંગ હોય એમ આ પુસ્તક મેળા સાથે કેટલીક રસપ્રદ ગોષ્ઠિઓનું પણ આયોજન થઈ રહ્યું છે. બોરિવલીના દૈવી ઈટરનીટીમાં યોજાયેલ આ બૂકફેરમાં હવે બુધવારે સાંજે 'નિબંધના ભાવવિશ્વમાં' નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે. દાયકાઓ બાદ મઘઈ પાનની જોડી જેવા પુસ્તકમેળા અને સાહિત્યગોષ્ઠિનું સાયુજ્ય મુંબઈના સાહિત્યના ભાવકોને જોવા મળી રહ્યું છે એમ કહી શકાય. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા ભવ્ય પુસ્તકમેળામાં બુધવાર એટલે કે છઠ્ઠી મેની સાંજે સાડા સાત વાગ્યે કવિ-નિબંધકાર સંદીપ ભાટિયા નિબંધો વિશે વાત કરવાના છે. તેમની સાથે મુંબઈનાં જાણીતા લેખિકા નીલા સંઘવી તેમ જ સ્મિતા શુક્લ છેલ્લા કેટલાક દાયકાના ઉત્તમ નિબંધોના અંશનું વાચિકમ પ્રસ્તુત કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કવિ-લેખક-એન્કર સંજય પંડ્યા કરી રહ્યા છે. સમગ્ર આયોજનની વહીવટી વ્યવસ્થા આયોજક ટ્રસ્ટ વતી દર્શના વોરા સંભાળી રહ્યાં છે. સંજય પંડ્યા જણાવે છે કે અહીં એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં સરસ રીતે પુસ્તકોની ગોઠવણી થઈ છે અને વાચકો ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકાશકોનાં વાર્તાસંગ્રહ, નવલકથા, બાળ સાહિત્ય, કવિતા તથા અન્ય વિષયોનાં પુસ્તકો ખરીદી રહ્યાં છે. છઠ્ઠી મેની સાંજે પુસ્તકો ખરીદવા પહોંચી જજો અને સાડા સાત વાગે આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપશો. આબાલવૃદ્ધ સહુને આકર્ષે એવા આ સ્થળનું સરનામું પણ નોંધી લેશો- દૈવી ઇટરનિટી, એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમ. ભાવકોને સમયસર પહોંચી જવા આયોજકો દ્વારા નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
read more
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ દ્વારા નવ બાળકોને મળ્યું નવું જીવન
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના ગરીબ પરિવારોના 2 થી 10 વર્ષના નવ યુવાન યોદ્ધાઓને ડૉ. શાંતનુ સેન અને તેમની ટીમની દેખરેખ હેઠળ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ સ્વસ્થ જીવન જીવવાની બીજી તક આપવામાં મળી. થેલેસેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને કૅન્સર સામે લડતા, આ બાળકોએ જીવલેણ બીમારીઓ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
read more
મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ 11 એપ્રિલે ડૉ. બાલ ભાલેરાવ)ની પ્રતિમાનું અનાવરણ કરશે
મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ શનિવાર, 11 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે સ્વર્ગસ્થ ડૉ. રાજારામ અમૃત ભાલેરાવ (ડૉ. બાલ ભાલેરાવ)ની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ ગિરગાંવના કેલેવાડી સ્થિત સાહિત્ય સંઘ પરિસરમાં યોજાશે. આ કાર્યક્રમ ડૉ. ભાલેરાવની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહ્યો છે. મરાઠી ભાષા, સાહિત્ય અને રંગભૂમિના પ્રચાર અને પ્રસારમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત સાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મધુ મંગેશ કર્ણિક દ્વારા કરવામાં આવશે. મુખ્ય મહેમાન અને વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં વિશ્વાસ પાટીલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે, જેઓ હાલમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન (અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે, તેમનું સાહિત્ય સંઘ દ્વારા સન્માન પણ કરવામાં આવશે. ડૉ. ભાલેરાવની પ્રતિમાની સ્થાપનાની કલ્પના કરનાર અને તેને સાકાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ પ્રમુખ અચલા જોશી પણ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. અનાવરણ સમારોહ સાહિત્ય સંઘ ભવનના પહેલા માળે યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન આ પ્રસંગને યાદ કરવા માટે, જ્ઞાનેશ પેંઢારકર અને તેમની ટીમ દ્વારા એ. એન. ભાલેરાવ થિયેટરમાં સાહિત્ય સંઘના નાટકોના લોકપ્રિય ગીતો સાથે એક સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. વધુમાં, સાહિત્ય સંઘની યાત્રા અને વારસાને દર્શાવતું એક ફોટો પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અસંખ્ય અગ્રણી લેખકો, કલાકારો અને નાટ્ય જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. મુંબઈ મરાઠી સાહિત્ય સંઘે મરાઠી સાહિત્ય અને રંગભૂમિ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે.
read more
ADVERTISEMENT