ખાનવેલમાં એક જ દિવસમાં એક લાખ જેટલા વૃક્ષોનું રોપણ
ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના ખાનવેલ ખાતે રવિવારે ખાનવેલ રિસોર્ટ્સ અને સ્થાનિક આદિવાસી સમાજના સંયુક્ત ઉપક્રમે એક જ દિવસમાં અંદાજે એક લાખ વૃક્ષોના રોપનું વાવવામાં આવ્યા હતા. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ વિશાળ વૃક્ષારોપણ અભિયાનમાં મોટી સંખ્યામાં સ્થાનિક આદિવાસી લોકો, સ્વયંસેવકો તેમજ ખાનવેલ રિસોર્ટ્સના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો, વૃક્ષોનું મહત્ત્વ સમજાવવાનો અને હરિયાળું તથા સ્વચ્છ પર્યાવરણ માટે વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકોના જણાવ્યા મુજબ, વૃક્ષારોપણ સાથે રોપાઓના જતન અને સંવર્ધન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે.
read more
ઝરૂખોમાં 'સ્વામી આનંદ' અને 'જીવન સાથે જોડાયેલું હાસ્ય' એ વિષય પર વક્તવ્ય
જાણીતા વક્તા ,અધ્યાપક અશ્વિન મહેતા અને જાણીતા કલાકાર પ્રવીણ વ્યાસ વક્તવ્ય આપશે સ્વામી આનંદના નિબંધો ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. જાણીતા અધ્યાપક અશ્વિન મહેતા આ શનિવારના ઝરૂખોમાં 'સ્વામી આનંદનું જીવન દર્શન' વિશે વાત કરશે. અશ્વિન મહેતા વર્ષો સુધી મીઠીબાઈ કૉલેજમાં ગુજરાતી સાહિત્યના અધ્યાપક તથા વિભાગ અધ્યક્ષ રહ્યા છે. સંચાલક, કટારલેખક અને વક્તા તરીકે પણ તેઓ જાણીતા છે. બીજા એવા જ સજ્જ વક્તા પ્રવીણ વ્યાસ 'જીવન સાથે જોડાયેલું હાસ્ય' એ વિષય પર વક્તવ્ય આપશે. પ્રવીણ વ્યાસ જાણીતા હાસ્ય કલાકાર છે તથા નાટક અને ફિલ્મોમાં પણ એમણે અભિનય દ્વારા લોકચાહના મેળવી છે . ૧૧ જુલાઈ શનિવાર સાંજે ૭.૨૦ વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. સાઈબાબા મંદિર બીજા માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે સર્વ સાહિત્ય રસિકોને જાહેર નિમંત્રણ છે.
read more
મોક્ષમાર્ગની 16 ભાવનાઓને અંગ્રેજી ભાષામાં રજૂ કરતું પુસ્તક 11 જુલાઈએ થશે લોકાર્પિત
જૈન દર્શનના ગહન તત્ત્વોને વૈશ્વિક વાચકો સુધી પહોંચાડવાના હેતુથી 'Bhāvanās: Directions to Dhyāna – 16 Reflections for Moksha-Mārga' નામના અંગ્રેજી પુસ્તકનું લોકાર્પણ 11 જુલાઈ, 2026ના રોજ બોરિવલી સ્થિત ચંદાવરકર ઉપાશ્રય ખાતે યોજાશે. પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલું આ પુસ્તક પ્રાચીન જૈન ગ્રંથો 'શાંત-સુધારસ' અને 'યોગશાસ્ત્ર'ના અમૂલ્ય તત્ત્વોનું પ્રથમવાર અંગ્રેજી ભાષામાં અનુવાદિત સ્વરૂપ છે. પુસ્તકમાં સમાવિષ્ટ 16 ભાવનાઓ માનવ મનને ચંચળતાથી શાંતિ તરફ અને શાંતિથી આત્મમુક્તિના માર્ગ તરફ દોરી જતી આધ્યાત્મિક સાધનાઓ તરીકે રજૂ કરવામાં આવી છે. જૈન તત્ત્વચિંતન અને ધ્યાનસાધનાના આ સિદ્ધાંતોને સરળ અને આધુનિક ભાષામાં રજૂ કરીને વિશ્વભરના અંગ્રેજી વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું પ્રકાશન સન્માર્ગ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે. પુસ્તકના લોકાર્પણ સમારોહમાં જૈન સમાજના આગેવાનો, સાધુ-સાધ્વી ભગવંતો, સાહિત્યપ્રેમીઓ અને આધ્યાત્મિક રસિકોની ઉપસ્થિતિ રહેવાની સંભાવના છે. કાર્યક્રમની વિગતો: તારીખ: 11 જુલાઈ, 2026સમય: સવારે 9:30 વાગ્યેસ્થળ: ચંદાવરકર ઉપાશ્રય, બોરિવલી, મુંબઈઆર્ટિસ્ટ: હિરલ ભગત
read more
કલા ગુર્જરી, સ્થાપક સંસ્થા- મુંબઈના સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવા નિમંત્રણ
કલા ગુર્જરી, સ્થાપક સંસ્થા- મુંબઈ વિલેપારલે પશ્ચિમ (મુંબઈ) સંસ્થા ૩૭ વર્ષથી કાર્યરત સાંસ્કૃતિક સંસ્થા છે અને કલાના વિવિધ સ્વરૂપ જેવા કે સાહિત્ય, સંગીત, નાટક, નૃત્ય વગેરેના જાહેર કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન નિયમિત રૂપે કરે છે. કલા ગુર્જરીના આ સાંસ્કૃતિક યજ્ઞમાં સહભાગી થવા અને નિતનવા કાર્યક્રમોમાં ભાગ લેવા સંસ્થાના આજીવન અથવા PATRON સભ્ય તરીકે જોડાવા અને સાંસ્કૃતિક કાર્યક્રમના આયોજનમાં પ્રવૃત્ત થવા માટે નિમંત્રણ છે. સાથે સાથે કલાગુર્જરીના હાલના આજીવન અને PATRON સભ્યોને સંસ્થાના કાર્યક્રમમાં સહભાગી થવા વિનંતી કરે છે અને પોતાના નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ સંસ્થાના એડ્રેસ પર અથવા મોબાઈલ નંબર 9594261960 અથવા ઈમેલ એડ્રેસ kalagurjaristhapak.sanstha@gmail.com ઉપર મોકલી આપવા વિનંતી છે. - લિ. કલા ગુર્જરી સંસ્થા સ્થાપક સંસ્થા (મુંબઈ)
read more
SVKMની UPG કોલેજ અને 19માં MIFF 2026 એ સિનેમા, શિક્ષણ અને ઉદ્યોગ જોડાણ માટે એક ઐતિહાસિક પ્લેટફોર્મ બનાવ્યું
પ્રાયોગિક શિક્ષણ અને ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરતા, SVKM ની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સે (UPG) ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NFDC) દ્વારા આયોજિત 19મા મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (MIFF) 2026 સાથે સફળતાપૂર્વક ભાગીદારી કરી છે. 15 થી 21 જૂન 2026 દરમિયાન યોજાયેલ MIFF એ ડોક્યુમેન્ટરી, શોર્ટ ફિક્શન અને એનિમેશન ફિલ્મો માટે ભારતનો અગ્રણી આંતરરાષ્ટ્રીય મહોત્સવ છે. આ પ્રતિષ્ઠિત સહયોગના ભાગરૂપે, UPG કોલેજ એક શૈક્ષણિક ભાગીદાર અને સ્ક્રીનિંગ વેન્યુ (ફિલ્મ પ્રદર્શન સ્થળ) તરીકે ઉભરી આવી છે, જે વિદ્યાર્થીઓ અને સિનેમા પ્રેમીઓને વિવિધ વાર્તાઓ સાથે જોડાવા અને સિનેમા તેમજ મીડિયા જગતની જાણીતી હસ્તીઓ સાથે વાતચીત કરવાની ઉત્કૃષ્ટ તક પૂરી પાડે છે. કોલેજ કેમ્પસમાં આ સપ્તાહભરની ઉજવણી દરમિયાન અનેક સ્ક્રીનિંગ્સ, ચર્ચાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. ઉદ્ઘાટન સમારોહમાં 'તુલસીદાસ જુનિયર' ફિલ્મના ડાયરેક્ટર અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા મૃદુલ તુલસીદાસ અને અભિનેત્રી કુમારી નાઝનીન મદન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં જાણીતા અભિનેત્રી, લેખિકા અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિ, SAB TV ના મેનેજિંગ ડિરેક્ટર કૈલાશ અધિકારી અને ફિલ્મ નિર્માતા કબીર ખુરાના હાજર રહ્યા હતા, જેમણે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને વાર્તા કહેવાની કળા (સ્ટોરીટેલિંગ) તેમજ મનોરંજનના બદલાતા સ્વરૂપો વિશે મૂલ્યવાન વિચારો શેર કર્યા હતા. આ ભાગીદારીથી ડિપાર્ટમેન્ટ ઓફ ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયા તેમજ માસ્ટર ઓફ આર્ટસ ઇન ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયા પ્રોગ્રામના વિદ્યાર્થીઓને અમૂલ્ય અનુભવ મળ્યો, ખાસ કરીને 'ફિલ્મ ફેસ્ટિવલ ક્યુરેશન' ના ક્ષેત્રમાં જે તેમના અભ્યાસક્રમનો એક અભિન્ન ભાગ છે. વિદ્યાર્થીઓએ સ્ક્રીનિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, પબ્લિસિટી અને ફેસ્ટિવલ સંબંધિત પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને આ રીતે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો. MIFF ના સત્તાધિકારીઓ દ્વારા આ પહેલની પ્રશંસા કરવામાં આવી હતી. કેમ્પસની મુલાકાત દરમિયાન, ફેસ્ટિવલના વરિષ્ઠ અધિકારીઓએ વ્યવસ્થાઓ અને કાર્યક્રમોના આયોજનના ખૂબ વખાણ કર્યા અને ભવિષ્યમાં પણ સંસ્થા સાથે સહયોગ કરવાની આતુરતા દર્શાવી. આ પ્રસંગે વાત કરતા ઉષા પ્રવીણ ગાંધી કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મૃતિ નાણાવટીએ વર્ગખંડની બહાર વિદ્યાર્થીઓ માટે અર્થપૂર્ણ તકો ઊભી કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ઉદ્યોગ-લક્ષી શિક્ષણ પ્રદાન કરવા પ્રત્યે સંસ્થાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી. આ સહયોગની સફળતા પર ટિપ્પણી કરતા ડિપાર્ટમેન્ટ ઓફ ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયાના કો-ઓર્ડિનેટર આશિષ મહેતાએ જણાવ્યું હતું કે, 'MIFF સાથે સતત ચાર વર્ષથી અમારું જોડાણ એ અમારી એ માન્યતાને દર્શાવે છે કે સિનેમા માત્ર મનોરંજન નથી પરંતુ શિક્ષણ, સંવાદ અને સાંસ્કૃતિક આદાનપ્રદાનનું એક શક્તિશાળી માધ્યમ છે. આવા સહયોગ શિક્ષણ જગત અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ઘટાડવામાં મદદ કરે છે અને સાથે જ ફિલ્મ નિર્માતાઓ અને મીડિયા પ્રોફેશનલ્સની આગામી પેઢીને તૈયાર કરે છે.' MIFF અને UPG કોલેજ વચ્ચેના આ સફળ જોડાણે ભવિષ્યની ભાગીદારી માટે નવા માર્ગો ખોલ્યા છે અને દેશમાં ફિલ્મ, ટેલિવિઝન અને મીડિયા શિક્ષણ માટે અગ્રણી કેન્દ્રોમાંના એક તરીકે સંસ્થાના સ્થાનને ફરીથી સાબિત કર્યું છે. મુંબઈની SVKM ની ઉષા પ્રવીણ ગાંધી કોલેજ ઓફ આર્ટસ, સાયન્સ એન્ડ કોમર્સ એ NAAC દ્વારા (A+) ગ્રેડ મેળવેલી સંસ્થા છે, જે તેના નવતર અભ્યાસક્રમો અને ઉદ્યોગ-લક્ષી અભિગમ માટે જાણીતી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફિલ્મ, ટેલિવિઝન એન્ડ ન્યૂ મીડિયા વિદ્યાર્થીઓને સિનેમા, ટેલિવિઝન, ડિજિટલ મીડિયા અને ઉભરતા સર્જનાત્મક ઉદ્યોગોમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરવાના હેતુથી અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ ઓફર કરે છે.
read more
આત્મનિર્ભર નારી by Vandana Creations ગ્રાન્ડ ગેટ-ટુગેધર : મહિલા સાહસિકતા અને સશક્તિકરણનો અનોખો ઉત્સવ
આત્મનિર્ભર નારી ગ્રુપ દ્વારા આયોજિત પ્રથમ ગ્રાન્ડ ગેટ-ટુગેધરમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલા ઉદ્યોગસાહસિકો, વ્યવસાયિકો, શિક્ષિકાઓ, હેલ્થ અને વેલનેસ નિષ્ણાતો તેમજ ગૃહિણીઓએ ઉત્સાહભેર ભાગ લેશે. કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને નેટવર્કિંગ, વ્યવસાયિક વિકાસ, આત્મનિર્ભરતા અને પરસ્પર સહયોગ માટે એક મજબૂત મંચ પૂરું પાડવાનો છે. કાર્યક્રમમાં ફૂડ, શિક્ષણ, હેલ્થકેર, વેલનેસ, રિયલ એસ્ટેટ, ભરતી અને રોકાણ, ફેશન, ગિફ્ટિંગ, હેન્ડીક્રાફ્ટ, હોમ ડેકોર, ડાન્સ, ફિઝિયોથેરાપી, કેટરિંગ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, યોગ, આધ્યાત્મિક માર્ગદર્શન અને બ્યુટી સહિત અનેક ક્ષેત્રોની મહિલાઓએ ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ વચ્ચે નેટવર્કિંગ, બિઝનેસ રેફરલ, જ્ઞાનની આપ-લે, સહયોગ અને વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવશે. ઉપસ્થિત મહિલાઓ એકબીજાના વ્યવસાયને જાણવાની, નવા સંપર્કો સ્થાપિત કરવાની અને ભવિષ્યમાં સાથે મળીને વિકાસ કરવાની તક પ્રાપ્ત કરી શકશે. આત્મનિર્ભર નારી સાથે જોડાયેલી અનેક ગૃહિણીઓ પણ મહિલાઓના સશક્તિકરણ માટે સક્રિય રીતે કાર્ય કરી રહી છે અને ગ્રુપની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. આ સહયોગ અને એકતાના કારણે આત્મનિર્ભર નારી આજે મહિલાઓ માટે એક વિશ્વસનીય પરિવાર સમાન મંચ બની ગયું છે. આત્મનિર્ભર નારીનું આ પ્રથમ ગ્રાન્ડ ગેટ-ટુગેધર મહિલા એકતા, સાહસિકતા, સ્વાવલંબન અને પરસ્પર સહયોગનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે અને ભવિષ્યમાં વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા આપશે.
read more
ભક્તિવેદાંત હૉસ્પિટલ અને સંકટ મોચન હનુમાન મંદિર દ્વારા યોજાતી આંખ તપાસ શિબિરની ચોથી વર્ષગાંઠ
સંકટ મોચન હનુમાન મંદિર સમિતિ, લોઢા હેરિટેજ દ્વારા શરૂ થયેલી આંખની સંભાળ પહેલને આજે 14 જૂન, 2022 ના રોજ ચાર વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષોમાં, હજારો જરૂરિયાતમંદ દર્દીઓએ મફત તપાસ અને મફત આંખની શસ્ત્રક્રિયાઓનો લાભ મેળવ્યો છે. સંસ્થા 2022 થી સતત ચાલી રહેલી આ પહેલ ભવિષ્યમાં પણ અવિરત સેવા પૂરી પાડતી રહેશે. આ બધું ફક્ત દાતાઓના સહકાર દ્વારા જ શક્ય બન્યું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ ડૉક્ટરો, સ્વયંસેવકો અને ભક્તોનો સંસ્થાએ હૃદયપૂર્વક આભાર સંસ્થાએ માન્યો છે. સંસ્થાએ પ્રાર્થના કરી છે કે આગળ વધતાં તેમનો સહયોગ ચાલુ રહેશે.
read more
'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે' ઍવોર્ડ માટે 22મી જૂન સુધીમાં અરજીઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં સબમિટ કરવા હાકલ
મહિલા યુનિવર્સિટી વતી આ વર્ષે શરૂ કરાયેલા પ્રતિષ્ઠિત 'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે ઍવોર્ડ' માટે SNDT અરજીઓ મગાવવામાં આવી છે. શિક્ષણ, સામાજિક કાર્ય, મહિલા સશક્તિકરણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાના કાર્યને માન્યતા આપવા માટે આ ઍવોર્ડ આપવામાં આવશે. મહર્ષિ ધોંડો કેશવ કર્વે યુનિવર્સિટીની 111મી વર્ષગાંઠ નિમિત્તે 5મી જુલાઈ 2026ના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે અને પુરસ્કારનું સ્વરૂપ પ્રશસ્તિપત્ર અને રોકડ હશે. શિક્ષણ, સામાજિક કાર્ય અને સામાજિક સમસ્યા નિવારણ, મહિલા સશક્તિકરણ (મહિલાઓ માટેના કર્યો અને મહિલાઓ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય), નાણા, વહીવટ, સંરક્ષણ અને વિજ્ઞાન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓના નામ આ ઍવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. ઍવોર્ડમાં રસ ધરાવતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી નામાંકન માટે 22 જૂન 2026 સુધી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી રજીસ્ટ્રાર, SNDT મહિલા વિદ્યાપીઠ, 1, નાથીબાઈ ઠાકરસી માર્ગ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ - 400020 ને સાંજે 5 વાગ્યે અથવા તે પહેલાં નિયત સમયમાં જરૂરી દસ્તાવેજો સાથે બે કૉપીમાં સબમિટ કરવાની રહેશે. ઍવોર્ડ, પાત્રતાના માપદંડો અને અરજી ફોર્મ સંબંધિત વિગતવાર માહિતી યુનિવર્સિટીના વેબસાઇટ www.sndt.ac.in પર ઉપલબ્ધ છે. યુનિવર્સિટી વતી વિનંતી કરવામાં આવી છે કે રસ ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ આ તકનો લાભ લઈ નિયત સમયમર્યાદામાં તેમની અરજીઓ સબમિટ કરવી જોઈએ.
read more
જવાહર બક્ષીની ૫૧ ગઝલોના આસ્વાદના પુસ્તક “ઘેરો ગુલાલ”નું વિમોચન
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી દ્વારા સંપાદિત અને આર આર શેઠ કંપનીએ પ્રકાશિત કરેલા પુસ્તક “ઘેરો ગુલાલ “નું લોકાર્પણ થયું હતું. તેમાં ગુજરાતના ૫૪ અગ્રગણ્ય સાહિત્યકારોએ જવાહર બક્ષીની ૫૧ ચુનંદા ગઝલોનો આસ્વાદ કરાવ્યો છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં આ પ્રસંગે હર્ષદ ત્રિવેદી,રવીન્દ્ર પારેખ તથા સમીર ભટ્ટે જવાહર બક્ષી ના આજીવન સર્જન કાર્યના વિવિધ પાસાંઓને બિરદાવ્યા હતાં. જવાહરની તમામ રચનાઓમાંથી પસાર થતાં આધુનિક ગઝલના સંધિકાળમાં આવેલા અને આજ સુધી કાર્યરત રહેલા જવાહર બક્ષીએ પરંપરાગત, પ્રયોગશીલ તથા અનેક પ્રકારોની ગઝલોમાં પ્રેમ, જીવન. સામાજિક નિસ્બત તેમજ આધ્યાત્મિક ગઝલો આપી મોટું કામ કર્યું છે. એ તપના કવિ છે. તેમણે પોતાને દ્રષ્ટિમાં યોગ્ય ન લાગતી ૭૦૦ ગઝલ ફાડી નાખી ૬૦ વર્ષના સર્જનમાં માત્ર ઉત્તમ અને શુદ્ધ કાવ્યમય બે ગઝલ સંગ્રહ આપ્યા છે. આજે આવો વિવેક જોવા મળતો નથી. જવાહર બક્ષીએ પ્રતિભાવ આપતાં જુનાગઢની મિલન સંસ્થા અને મુંબઈના શૂન્ય, મરીઝ, બેફામ સૈફ વગેરેના સહવાસમાં ગઝલની અનેક અભિવ્યક્તિ તથા ગઝલની સરહદો વિસ્તારતી રચના વિશે વાત કરી હતી તથા પોતાની ગઝલોનું પઠન કરી વિદ્વાન અને રસિક શ્રોતાઓની દાદ મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આર આર શેઠ પ્રકાશનના ચિંતન શેઠે કર્યું હતું. આ પુસ્તક હવે બધે જ ઉપલબ્ધ થશે.
read more
રંગભૂમિ વિશેની માહિતી આપતું પુસ્તક 'નાટ્ય રંગોત્સવ'નું મુંબઈમાં લોકાર્પણ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત પુસ્તક 'નાટ્યરંગોત્સવ' ( લેખક સતીશ વ્યાસ)નું 30 મે 2026 (શનિવાર)ના રોજ સાંજે 6:00 વાગે એસ. પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી ખાતે યોજાશે. રંગભૂમિના ઇતિહાસ વિશેની નોંધો ધરાવતા આ પુસ્તકનું લોકાર્પણ જાણીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી કરશે તથા સંગીતકાર-લેખક સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે વિકાસ ઘનશ્યામ નાયક અને શાહ કેયુરી શાહ ભવાઈનો અંશ રજૂ કરશે. ડૉક્ટર પ્રીતિ જરીવાલા એકોક્તિ રજૂ કરશે. ચિરાગ વોરા, રમાકાંત ભગત, નિલેશ જોશી તથા ભક્તિ રાઠોડ અને મીનળ પટેલ વાચીકમ્ (વાચિક અભિનય) રજૂ કરશે. અભિનેત્રી ભક્તિ રાઠોડ સર્જક સાથે સંવાદમાં સતીશ વ્યાસ સાથે ગોષ્ઠિ કરશે. અમી શાહ, રાજુલ દિવાન, મંજરી અને સ્નેહલ મુઝુમદાર, તુષાર ભૂતા(ડફલી) તથાસુરેશ રાજડા અને મીનળ પટેલ જૂની રંગભૂમિનાં ગીતોની ઝલક રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે તથા આભાર દર્શન શ્રીમતી લીના વ્યાસ કરશે. સમગ્ર કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ભીખુભાઈ ચિતલિયાના સહકારથી યોજાઈ રહ્યો છે.
read more
કાંદિવલીની સોસાયટીમાં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ
કાંદિવલી સ્થિત પંચશીલ ગાર્ડન સોસાયટી કે જે 'ગોકુળિયું ગામ' તરીકે પણ જાણીતી છે. અહીં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બહેનો દ્વારા'તુલી ચંદના'ની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે પરંપરાગત રીતે 'ગોરમા' (ગૌરી વ્રત)નું પૂજન પણ કરવામાં આવ્યું હતું. અધિકમાસના વિશેષ મહિમાને સમજાવવા મીનાબેન ભુતા, મનીષા મુનિ, સ્મિતા જૈન અને સોનલ શેઠિયા દ્વારા દરરોજ નવી પૂજા અને અલગ-અલગ વાર્તાઓ કહેવામાં આવે છે. વ્રત અને કથાના આ સુંદર મહિમાને સાંભળીને ઉપસ્થિત તમામ વૈષ્ણવો અને ભક્તો આનંદ અને ભક્તિના રસમાં તરબોળ થઈ ગયા છે.
read more
જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ
જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક “ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાતી ભાષામાં પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે વર્ષ ૧૯૨૬થી કાર્યરત સંસ્થા આર. આર. શેઠ પોતાની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ઉત્તમ લેખકોના પુસ્તકો ગુજરાતી વાચકો સુધી પહોંચાડવામાં આ સંસ્થાનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂરા કરવાની સિદ્ધિ તરીકે આર. આર. શેઠ ગુજરાતી ભાષાની પ્રથમ અને ભારતીય ભાષાઓની બીજા ક્રમાંકની પ્રકાશન સંસ્થા છે. આ ઐતિહાસિક ઘટનાનો સમગ્ર શ્રેય ગુજરાતી ભાષાના વાચકો અને લેખકોને જાય છે. આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી પ્રસંગે ગુજરાતના મહત્વના શહેરોમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૫૧ ગઝલોનો ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારો, વિવેચકો અને કવિઓ દ્વારા કરવામાં આવેલા આસ્વાદના પુસ્તક ‘ઘેરો ગુલાલ’નું લોકાર્પણ ૩૦મી મે શનિવારે, સાંજે ૫ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં થનાર છે. આ પુસ્તકનું સંપાદન જાણીતા કવિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સંપાદક હર્ષદ ત્રિવેદી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ જવાહર બક્ષીના સર્જન, પ્રદાન અને ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રભાવ વિશે વાત કરશે. જાણીતા લેખક રવીન્દ્ર પારેખ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. આ સંપાદનમાં સમાવિષ્ટ થયેલી કવિ જવાહર બક્ષીની થોડી ગઝલો લેખક પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરશે. સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે અને પ્રવેશ નિઃશુલ્ક છે.
read more
ADVERTISEMENT