Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
કૉસ્મિક હાર્ટ ગૅલેરી દ્વારા વિશેષ પ્રદર્શન

કૉસ્મિક હાર્ટ ગૅલેરી દ્વારા વિશેષ પ્રદર્શન

કૉસ્મિક હાર્ટ ગૅલેરી એક ખાસ પ્રદર્શન રજૂ કરવા જઈ રહી છે. ‘આઇ ઑફ ધ ટાઇગર’ નામના આ પ્રદર્શનમાં 200 ગામના કલાકારો દ્વારા બનાવાયેલ આકર્ષક પેન્ટિંગ્સ મૂકવામાં આવશે, જે અસલ તસવીરો જેવા જ લાગે છે. આ પ્રદર્શન પ્રિન્સેસ દિયા કુમારી ફાઉન્ડેશન, રણથંભોર સ્કૂલ ઑફ આર્ટ, બિટ્ટુ સહગલના સેન્ચ્યુરી નેચર ફાઉન્ડેશન અને યેસ બૅન્કના સહયોગીથી યોજાયું છે. આ પ્રદર્શન વન્યજીવ સંરક્ષણ અંગે વાતચીત અને જરૂરી પગલાં ઉપાડવા તરફની એક પહેલ છે. પ્રદર્શનની તારીખ: જૂન 27, 2024 સુધી સમય: સવારે 11 થી સાંજે 7 | મંગળ - શનિ

read more

અચ્છા, તો હવે આ એઆઈ મશીન ભાવતી રસોઈ બનાવી આપશે?

અચ્છા, તો હવે આ એઆઈ મશીન ભાવતી રસોઈ બનાવી આપશે?

તાજેતરમાં જ વન્ડરશેફ નામની એક પ્રીમિયમ કિચન પ્રોડક્ટ્સ કંપનીએ 'શેફ મેજિક' નામની અત્યાધુનિક પ્રોડક્ટ બહાર પાડી છે. આ એક કિચન રોબોટ છે જે તમને રસોઈ બનાવી આપે છે. આ મશીનમાં 200થી વધુ વાનગીઓ પ્રી-લોડેડ કરવામાં આવી છે. આ મશીનમાં સ્માર્ટફોન જેવી ટચસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય ક હે. તમારે ફક્ત સ્ક્રીન પર રેસીપી પસંદ કરવાની છે, પછી મશીન તમને જણાવશે કે કઈ સામગ્રી ઉમેરવાની છે. તે ઘટકોનું વજન કરશે અને પછી તે બધી પ્રક્રિયાઓ જેમ કે મિક્સિંગ, કટીંગ, બોઇલિંગ, રોસ્ટિંગ, બ્લેન્ડિંગ વગેરે જાતે કરી આપશે. તેના સ્થાપક અને સીઈઓ રવિ સક્સેનાએ જણાવ્યું હતું કે, 'અમે શેફ મેજિકથી 3 વર્ષમાં રૂ. 200 કરોડના વેચાણનો લક્ષ્યાંક રાખ્યો છે. આ પ્રોડક્ટ વિદેશી બજારોમાં પણ વેચવામાં આવશે. અમેરિકા માટે અલગ-અલગ વોલ્ટેજ મશીન પણ બનાવવામાં આવ્યા છે અમે તેને જૂનથી વૈશ્વિક બજારોમાં ઉપલબ્ધ કરાવીશું.' શેફ સંજીવ કપૂર દ્વારા શેફ મેજિકમાં 200થી વધુ ભારતીય અને વિદેશી વાનગીઓની રજૂ કરવામાં આવી છે. આ મશીનમાં લોકપ્રિય ભારતીય ડિશથી લઈને વેગન, જૈન, કોન્ટિનેંટલ, થાઈ, ચાઈનીઝ, ઈટાલિયન, મેક્સીકન અને અન્ય વૈદિક વાનગીઓ આવરી લેવામાં આવી છે. શેફ સંજીવ કપૂરે જણાવે છે કે, 'ભારતીય લોકો સ્થૂળતા, હૃદયની સમસ્યાઓ અને ડાયાબિટીસ જેવી જીવનશૈલીની બિમારીઓથી પીડિત છે. આજકાલ યુવાનો બહારના ખોરાકનું વધુ સેવન કરવા લાગ્યા છે. બહારના ખોરાકનું નિયમિત સેવન સ્વાસ્થ્ય માટે સારું નથી.' શેફ સંજીવ કપૂરે મેજિકને માત્ર બનાવ્યું જ નથી પણ, રસોઈને રસપ્રદ પણ બનાવી છે જેથી કોઈ પણ વ્યક્તિ પોતાની પસંદગીનો ખોરાક ઘરે સરળતાથી બનાવી શકે.' શેફ મેજિકની મોબાઈલ ઍપ પણ છે જેના દ્વારા મશીનને રિમોટલી કંટ્રોલ કરી શકાય છે. રેસીપી પસંદ કરી શકાય છે આ મશીનમાં રેસિપી સેવ પણ કરી શકાય છે.

read more

બાલભારતીનો  'વાર્તાવંત' કાર્યક્રમ

બાલભારતીનો 'વાર્તાવંત' કાર્યક્રમ

દર મહિનાનાં ચોથા શનિવારે બાલભારતીમાં 'વાર્તાવંત' કાર્યક્રમનું સુંદર આયોજન થાય છે. આ વખતે પણ નવાં ઉપક્રમ સાથે ૨૩-૦૩-૨૪ને શનિવારે બાલભારતીમાં 'વાર્તાવંત' કાર્યક્રમ થયો. ઉપક્રમ હતો આમંત્રિત વાર્તાકાર પોતાની એક વાર્તાનું પઠન કરે અને ત્યારબાદ પોતાની સર્જન પ્રક્રિયા વિશે વાત કરે. આયોજક હેમંત કારિયાએ કાર્યક્રમની શરૂઆત હોળીની શુભેચ્છાઓ આપીને કરી. રંગોની વાત કરતાં સાહિત્યના રંગની વાત કરી. સાહિત્યમાં પણ અનેક રંગો છે. વાર્તા, લઘુવાર્તા, ટૂંકીવાર્તા, નવલકથા, લઘુનવલ, આત્મકથા, ચરિત્રકથા વગેરે. કાર્યક્રમની શરૂઆત વાર્તાકાર બાદલ પંચાલથી થઈ. બાદલભાઈએ શરૂઆતમાં એમની વાર્તા 'અનુમાન'નું પઠન કર્યું.  ત્યારબાદ એમની સર્જન પ્રક્રિયા વિશે વાત કરતા કહ્યું કે ' હું મારી મમ્મીને હોસ્પિટલમાં ડાયાલીસીસ માટે લઈને ગયેલો. હોસ્પિટલમાં થતી તમામ પ્રક્રિયા હું જોઈ રહ્યો હતો. મમ્મીને ઘરે લઈને આવ્યાં પછી મેં જે જોયેલું એ લખ્યું અને વાર્તા લખાઈ 'ડાયાલીસીસ સેન્ટર' આમ મારી વાર્તા લખવાની શરૂઆત થઈ. ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીમાં ચોપ્પન વાર્તા લખાઈ છે. ૨૬ વાર્તા પ્રકાશિત થઈ છે.‌ 'અનુમાન' એમની બેતાલીસમી વાર્તા છે.' આસપાસના નિરીક્ષણમાંથી એમને વાર્તા મળતી થઈ છે. તેઓ ઓફિસે જતાં એક છોકરીને છાપરા પર ઊભેલી જોઈ. અને એમાંથી તેમને વાર્તા મળી 'છાપરા પર પાંખો.'બાદલભાઈ કહે છે કે ' દર શનિવારે લખવું એટલે લખવું. આ મારો એક ક્રમ છે જે મેં જાળવી રાખ્યો છે.' ત્યારબાદ એક નાનકડો કોફી બ્રેક જેમાં ગરમાગરમ કડક મીઠી કોફી અને જે માણ્યું એની ચર્ચા સાથે નવાં આવેલાં શ્રોતા સાથેનો પરિચય જાણે મેળો... કોફી પીતાં જે ચર્ચા થાય એમાંથી પણ ઘણું જાણવાં જોવા મળે. વાર્તા પણ મળી જ જાય હોં...... કોફી બ્રેક પછી નાનકડી મીઠડી એક છોકરી નામ એનું 'કથા' જે બાદલભાઈની દિકરી છે. કથાએ એનાં મીઠા સ્વરે બાળગીત સંભળાવ્યું.જાણો છો કયુ ? અરે, પેલુ ' વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા' અને સાથે અમે પણ સૂર પૂરાવ્યો. ખૂબ મજા આવી. આભાર 'કથા' આજનાં ઉપક્ર્મનો બીજો દોર શરૂ થયો. લેખિકા નવલકથાકાર વાર્તાકાર પ્રેરણા લિમડીથી. પ્રેરણાબેને પણ એમની વાર્તા 'સ્પર્શ'નું પઠન કર્યું. પ્રેરણાબેન સર્જન પ્રક્રિયા વિશે જણાવતાં કહે છે કે ' મારે મારી સર્જન પ્રક્રિયા વિશે ખાસ જણાવવા જેવું નથી. મારું બ્યુટીપાર્લર હતું. એ કારણે સ્ત્રીઓ સાથે નિકટતા વધું રહી છે. ૬૦ વર્ષ પછી મેં લખવાની શરૂઆત કરી. સૌથી પહેલાં મેં કવિતા લખવાનું શરૂ કર્યું. સુરેશભાઈને મોકલી તે છપાઈ ને આ દોર આગળ વધ્યો. કવિતા લખતાં લખતાં જ મને કવિતામાંથી વાર્તા મળતી થઈ અને મેં વાર્તા લખવાની શરૂઆત કરી. પ્રથમ વાર્તા 'ઘર', બીજી વાર્તા 'હીંચકો' લખી. નવનીત સમર્પણમાં છપાઈ. લલિતભાઈએ શુભેચ્છાઓ આપતાં કહ્યું - તમે વાર્તા લખવાનું શરૂ કરો.- એમની શુભેચ્છાઓ અને પ્રોત્સાહનથી પ્રેરણા મળી. મારું લખવાનું આગળ શરૂ થયું. ત્રણ લઘુનવલ લખી. પ્રથમ નવલકથા 'અશ્વત્થામા' લખી. આ નવલકથા ચાર વર્ષે લખાઈ રહી. ત્યાર બાદ તાજેતરમાં જ મારી બીજી નવલકથા 'કસ્તુરી મૃગ' આવી છે.' પ્રેરણાબેને આગળ કહ્યું કે એમની વાર્તાના પાત્રો એમને, એમની આસપાસથી મળ્યાં છે. તેઓ પહેલાં તેમની સાથે પાત્રોનો પરિચય કરે છે. પ્રસંગો મનમાં ઘૂંટે છે પછી વાર્તા લખે છે. આ છે એમની પંદર વર્ષની સર્જન પ્રક્રિયા...... ધારદાર કલમ ધરાવતા બંન્ને લેખકોની વાર્તા તેમજ એમની સર્જનાત્મકતા સાંભળવાની ખૂબ મજા તો આવી સાથે અમને પણ પ્રેરણા મળી કે એકાદ વાર્તા તો લખવી જ. ત્યારબાદ હેમાંગ તન્નાએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું. આભાર, અભિનંદન સાથે ફોટા લીધાં અને ફરી મળીશું કહી છૂટા પડ્યાં. આભાર હેમંતભાઈ, હેમાંગભાઈ તેમજ શ્રોતાજનો... મીનાક્ષીબેન વખારિયા,નીલાબેન સંઘવી,ગીતાબેન વેદ,મમતા પટેલ, અંજના ભાવસાર,કાજલ શાહ,પૂજા પંચાલ,સ્મિતા શુકલ, કિશોરભાઈ પટેલ,વિકાસ નાયક હાજર હતાં. આજની વાર્તા વિશે કંઈ કહ્યું નહીં એવું કદાચ તમને મનમાં થશે. તો મિત્રો આમંત્રિત લેખકોની વાર્તા કેવી હતી ? શું હતું વાર્તામાં ? ઘટનાઓ પાત્રો કેવાં હતાં ! કેવી રીતે આ વાર્તા લખાઈ ! જો આ બધાનાં જવાબ જોઈતા હોય તો મિત્રો, 'વાર્તાવંત' કાર્યક્રમમાં આવવું પડશે. તો આવતા મહિને વાર્તાવંતનાં ઉપક્રમમાં આવશો ને.

read more

બોરીવલી 'ઝરૂખો'માં 'મારું સફરનામું, રંગભૂમિ અને સિરિયલનું' વિષય પર ગોષ્ઠિ

બોરીવલી 'ઝરૂખો'માં 'મારું સફરનામું, રંગભૂમિ અને સિરિયલનું' વિષય પર ગોષ્ઠિ

મુંબઈની રંગભૂમિ હોય કે સિરિયલ કે હવે ઉમેરાયેલું OTT, મુંબઈના કલાકાર, લેખક, દિગ્દર્શક પોતાની આગવી છાપ છોડી જતાં હોય છે. મુંબઈ દરેક તેજસ્વી કલાકારને પોતાની સ્પેસ આપે છે. ' મસાલા મામી' , ' એક રૂમ રસોડું ' જેવાં નાટકોના લેખક તથા વાર્તાકાર જયેશ મહેતા તથા ૮૨ જેટલા નાટકો તથા ' સો દહાડા સાસુના ' , ' પ્રીત પિયુ ને પન્નાબેન ' જેવી સિરિયલોના અદાકાર તથા ડબિંગ આર્ટિસ્ટ તરીકે ખાસ્સી ઊંચાઈએ પહોંચનાર વરિષ્ઠ કલાકાર રાજુલ દીવાન આ વખતે 'ઝરૂખો 'માં સંજય પંડ્યા સાથે સંવાદ કરશે. શ્રોતાઓ પણ કેટલાક પ્રશ્નો પૂછી શકશે. ૬ એપ્રિલ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે આ જાહેર કાર્યક્રમનું આયોજન થયું છે અને સરનામું હંમેશ મુજબ એ જ છે .... સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમ. તો પહોંચી જજો આ રસપ્રદ ગોષ્ઠિ સાભળવા 'ઝરૂખો 'માં જ્યાં આ વખતની ગોષ્ઠિનું શિર્ષક છે... મારું સફરનામું, રંગભૂમિનું અને સિરિયલનું!

read more

વિશ્વભારતી સંસ્થાન દ્વારા 'જૂઈ મેળા'નું મુંબઈમાં આયોજન

વિશ્વભારતી સંસ્થાન દ્વારા 'જૂઈ મેળા'નું મુંબઈમાં આયોજન

વિશ્વભારતી સંસ્થાન,અમદાવાદ દ્વારા દર વર્ષે દેશના વિભિન્ન પ્રાંતમાં તેમ જ વિદેશમાં પણ આયોજિત થતા  જૂઈ મેળાનું આયોજન આ વર્ષે મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તારીખ 30મી માર્ચ ૨૦૨૪, શનિવારના રોજ યોજાનાર આ કાર્યક્રમનું આયોજન વિશ્વભારતી સંસ્થાન, યુનિવર્સિટી ઑફ મુંબઈના વિમેન્સ ડેવલપમેન્ટ સેલ, મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ અને લેખિની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો સમય સવારના ૧૦.૦૦થી સાંજના ૬.૦૦ વાગ્યાનો રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાતી, મરાઠી, હિન્દી અને ઓડિયા એમ ચાર ભિન્ન ભારતીય ભાષાનાં ૨૭ સ્ત્રી સર્જકો વિવિધ સાહિત્ય સ્વરૂપોમાં સ્વરચિત કૃતિઓનું પઠન કરશે. આ કાર્યક્રમમાં કાવ્ય, નિબંધ, નવલિકા, આદિ વિવિધ સાહિત્ય સ્વરૂપો, અનુવાદકળા અને પત્રકારત્વ વગેરે ક્ષેત્રોમાં પોતાનું મહત્વપૂર્ણ પ્રદાન કરનાર નારીપ્રતિભાને પારિતોષિક અર્પણ થશે અને સમાજ, સંસ્કૃતિ તથા શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર સન્નારીઓનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ માટેનું સ્થળ મણીબેન નાણાવટી વિમેન્સ કૉલેજ, વિલેપાર્લે (પશ્ચિમ), મુંબઈ છે. પ્રવેશ નિ:શુલ્ક છે, સર્વે સાહિત્યરસિકોને નોંઘ લેવા તથા ઉપસ્થિત રહેવા આમંત્રણ છે.

read more

બાલભારતી દ્વારા કાંદિવલીમાં 'વાર્તાવંત' નામે ગુજરાતી વાર્તાઓનું પઠન થશે

બાલભારતી દ્વારા કાંદિવલીમાં 'વાર્તાવંત' નામે ગુજરાતી વાર્તાઓનું પઠન થશે

પંખીઓ આકાશમાં જતાં હોય છે ત્યારે આપણને તેઓ ઊડતાં હોય એવું લાગે છે પણ હકીકતમાં તેઓ ઊડતાં નથી હોતાં. આકાશમાં હવાનાં પગથિયાં હોય છે અને પંખીઓ એ પગથિયાં ચડીને આકાશમાં પહોંચતાં હોય છે. પંખીઓ આકાશમાં પહોંચે એટલે હવા જમીન બની જાય અને, સાપ જેમ જમીન પર સરકતા હોય છે એમ, પંખીઓ હવા પર સાપની જેમ સરકતાં હોય છે. હવાનાં એ પગથિયાં કે હવાની જમીન આપણને દેખાતાં નથી પણ પંખીઓને દેખાતાં હોય છે એટલે જ તેઓ ઉપર ચડતાં અને સરકતાં હોય છે. કોઈ દીવાલ બનાવવા માટે આપણે એક ઉપર એક ઈંટો ગોઠવીએ છીએ અને એમ દીવાલ બનતી જાય છે. એમ જ આકાશમાં હવાની ઈંટો ગોઠવાતી જાય અને પગથિયાં બનતાં જાય અને પંખીઓ એ ચડીને આકાશમાં પહોંચતાં જાય. પછી એ ઈંટો જમીન બની જાય અને પંખીઓ આકાશમાં સરકવાં લાગે. સૃષ્ટિમાં આ એક જ આકાશ છે એવું નથી બીજાં પણ આકાશો છે. એમાંનું એક આકાશ એટલે કલ્પનાનું આકાશ જ્યાં વિચારોરૂપે કલ્પના રહે છે જે કવિઓ અને લેખકોને દેખાય છે. કવિ-લેખકોનું મન શબ્દોની ઈંટો વડે એ આકાશ સુધી પહોંચવાનાં પગથિયાં બનાવે છે અને પછી એ જ પગથિયાંની જમીન પણ બનાવે છે એમ આપણને સાહિત્યિક કૃતિઓ મળે છે. શબ્દોની ઈંટોના માલિક એવાં વાર્તાકારો બાદલ પંચાલ અને પ્રેરણાબેન લિમડીએ શબ્દોની એ ઈંટો દ્વારા કલ્પનાના આકાશમાં સરસ મજાનું વાર્તાલય બનાવીને એમાં વાર્તારાણીની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. બાલભારતી 'વાર્તાવંત' ખાતે, આ મહિનાની ૨૩ તારીખે શનિવારે સાંજે સાત વાગે આકાશમાં એ વાર્તાલયની દર્શનસભાનું આયોજન થયું છે. વાર્તાલયવાસી વાર્તારાણીનાં દર્શન તો તેઓ કરાવશે જ પણ વાર્તારાણીનાં દર્શન કરાવ્યા બાદ શબ્દોની ઈંટો દ્વારા તેઓ પ્રથમ વાર્તાલયની બાંધણી સુધી અને પછી વાર્તારાણી સુધી કેવી રીતે પહોંચ્યાં એનાં પણ દર્શન કરાવશે. એ દર્શન કરવા સહુ વાર્તાભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. .... હેમંત કારિયા વાર્તાના ઉત્સવ જેવા આ કાર્યક્રમમાં વાર્તારસિકોની ઉપસ્થિતિ એ ઉત્સવના મહત્વના અંગ સમાન છે. વાર્તારસિકો માટે આ અનેરો અવસર છે. એક વાર્તા પછી મધ્યાંતરમાં થતા કોફીકરણમાં કોફી પીતા પીતા રજૂ થયેલી અને રજૂ થનારી વાર્તા વિશે વાતો કરવાની જે મજા છે એ મજા તો સ્વર્ગમાં પણ નથી. તો બાલભારતી કાંદિવલી પશ્ચિમ, એસ. વી. રોડ ખાતે મળીએ શનિવાર તારીખ ૨૩-૦૩-૨૦૨૪ સાંજે સાત વાગે. વધુ માહિતી માટે સંપર્ક : હેમંત કારિયા. ૯૮૨૧૧૯૬૯૭૩ હેમાંગ તન્ના. ૯૮૨૦૮૧૯૮૨૪

read more

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બીજલ ગડાના પુસ્તકનું થયું વિમોચન

પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ અને બિઝનેસ કોચ બીજલ ગડાએ તેમના '15 મિનિટના મેજિક લુક'નું વિમોચન તાજેતરમાં કર્યું છે. પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં મેકઅપ ટિપ્સ આપતા તેમણે કહ્યું કે, 'દરેક નારી સુંદર છે, માત્ર તે પોતાને માટે સમય આપતી નથી.' બીજલએ અહીં 'સેલ્ફ લવ...'નો માત્ર આપ્યો છે. આ ખાસ દિવસે ઉદ્યોગના મહારથીઓની હાજરીમાં તેમના પુસ્તકનું વિમોચન કરાયું. સામાજિક અથવા પારિવારિક કાર્યક્રમો માટે બહાર જઈએ ત્યારે ડ્રેસિંગ અને મેક-અપ કેમ કરવો અને પોતાનો આત્મવિશ્વાસ વધારવા માટેનું ટેક્નિકલ નૉલેજ તેમણે આપ્યું. આ પુસ્તક અને સેમિનાર દ્વારા દરેક મહિલાને એકદમ નજીકથી અને નવી ટેક્નિક જાણવા મળી.

read more

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું ત્રિ-દિવસીય આયોજન

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું ત્રિ-દિવસીય આયોજન

ફાર્બસ ગુજરાતી સભા દ્વારા 'વ્યાપન પ્રકલ્પ'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિદ્વાન વક્તાઓ દ્વારા સમકાલીન ભારતીય સાહિત્ય : આચમન, આસ્વાદ, વિમર્શ પર ચર્ચા કરવામાં આવનાર છે. ફાર્બસ ગુજરાતી સભાના પૂર્વપ્રમુખ તેમ જ વિશ્વસાહિત્યના આજીવન ભાવક અને ગુજરાતી સાહિત્ય તથા સમાજની અનેકાનેક સંસ્થાઓના સમુદાર સંવર્ધક બળવંતભાઈ પારેખની જન્મશતાબ્દિના પ્રસંગે ૨૯, ૩૦, ૩૧ માર્ચ, ૨૦૨૪ના રોજ કનૈયાલાલ મુનશી સ્થાપિત ભારતીય વિદ્યાભવનના અંધેરીના પરિસરમાં આ કાર્યક્રમ યોજાનાર છે. પૂર્વસંધ્યા એટલે કે ૨૯ માર્ચ, શુક્રવારે સાંજે ૪.૩૦ થી ૫.૩૦ના રોજ સમૂહમાધ્યમોની ભાષાની નેમઃ સંમોહન, સંગઠન કે સંવેદન? આ વિષય પર ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું છે. ૫.૩૦ થી ૭.૩૦ કલાકે ઉડિયા ભાષાનાં વિખ્યાત સર્જક શ્રીમતી પ્રતિભા રાય સાથે એક સાહિત્ય ગોષ્ઠિનું આયોજન છે. ઉદ્ઘાટન બેઠક 30 માર્ચ શનિવાર, સવારે ૧૦.૦૦થી ૧૧.૩૦ થશે. તેમાં ઉદ્ઘાટન વક્તાઓ હશે મધુકર પારેખ. ૨.૦૦થી ૩.૩૦ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠી થશે. ૩.૩૦થી ૫.૩૦ દરમિયાન વીવિધ ગુજરાતી કવિઓ કાવ્યપાઠ કરશે. ૬.૦૦થી ૭.૩૦ સુધી અતુલ ડોડિયા 'મારી ચિત્રકળા : કેટલાક પડાવ, કેટલાક પડકાર' વિશે વાત કરશે. ૩૧ માર્ચ રવિવારે ૧૦.૦૦થી ૧૦.૩૦ દરમિયાન સરિતા જોષીનું વક્તવ્ય છે. જેમાં તે 'મારાં મનગમતાં નાટકોનાં પાત્રો અને એમની ભાષા' વિશે વાત કરશે. ૧૦.૩૦થી ૧૧.૪૫ દરમિયાન આપણી રંગભૂમિનું આજનું અર્ધશતક - એક અંતરખોજ અંગે ગોષ્ઠિ ગુજરાતીમાં થશે. તે ઉપરાંત ૨.૩૦થી ૩.૪૫ દરમિયાન બહુભાષી ગોળમેજી સંગોષ્ઠિ થશે. સાંજે ૪.૦૦થી ૫.૩૦ દરમિયાન બહુભાષી કાવ્યસંમેલન યોજાશે. સાંજે ૫.૪૫થી ૬.૩૦ સુધી કવિ ગુલઝારનો કાવ્યપાઠ અને તેમનું અભિવાદન કરવામાં આવશે. સાંજે ૬.૩૦થી ૭.૩૦ દરમિયાન બળવંત પારેખ સ્મૃતિ વ્યાખ્યાન માળાનો પ્રારંભ થશે જેમાં ગુલઝારજી मन-बसे कुछ भारतीय कवियों की रचनाओं पर मेरी अपनी बातें અંતર્ગત પોતાની વાત મૂકશે.

read more

સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

સાહિત્યમાં સ્ત્રી ચેતના આ વિષય પર બોરીવલીમાં ઝરૂખોએ ઉજવ્યો વિશ્વ મહિલા દિવસ

છેલ્લા ૧૪ વર્ષોથી બોરીવલીમાં 'ઝરૂખો'માં સાહિત્યના કાર્યક્રમનું આયોજન થાય છે. મહિનાના પહેલા શનિવારે સાઈબાબાના મંદિરના હૉલમાં નવા સર્જક, નવો વિષય, નવી વાત શ્રોતાઓ સમક્ષ રજૂ થાય છે. આ વખતે નવા વિષય સાથે 'ઝરૂખો' અંતગર્ત 'વિશ્વ મહિલા દિવસ' ને ધ્યાનમાં રાખીને આયોજન થયું. વિષય હતો 'સાહિત્યમાં સ્ત્રી ચેતના' દીપ પ્રગટ્યથી કાર્યક્રમની શરૂઆત થઈ.કવિ શ્રી સંજય પંડ્યાએ ભૂમિકા બાંધી. આખા કાર્યક્રમનું સંચાલન કવયિત્રી પ્રતિમા પંડ્યાએ વિષયને અનુરૂપ, સ્ત્રીને કેન્દ્રમાં રાખી એમની આગવી છટાથી કર્યું.વક્તા તરીકે ચાર મહિલાઓ હતી અને શ્રોતાગણમાં મહિલા વર્ગની હાજરી સારી એવી હતી. કાર્યક્રમની શરૂઆતમાં , અમેરિકાસ્થિત કવયિત્રી નંદિતા ઠાકોર, જે સ્વરકાર તેમજ ગાયિકા પણ છે, તેઓ રજૂ થયાં . પ્રતિમા પંડ્યાએ તેમના માટે કહ્યું, તેઓ અમેરિકામાં વાસ કરે છે પણ મુંબઈમાં શ્વાસ લે છે! નંદિતા ઠાકોરે એમનાં મધુર કંઠે વિષયને અનુરૂપ ગીતો સંભળાવ્યાં. એમાં એમનાં લખેલાં, એમનું સ્વરાંકન કરેલાં, ન સાંભળેલાં બાળગીતો પણ હતાં.એમની ગીત રચના ' કદીક અડાબીડ જંગલ વચ્ચે તને મળી'તી, એક એક થડની પડખેથી જાણે કોમળ વેલ ભળી'તી 'રજૂ કર્યું.ત્યારે બહેનોએ સખીપણાંનો પ્રેમ અનુભવ્યો.વધુ ગીતો આવરી શકાય એ હેતુથી ગીતના એક એક અંતરા એમણે રજૂ કર્યાં. ત્યાર બાદ રજૂ થયાં જાણીતાં કવયિત્રી, વાર્તાકાર ડૉ' સેજલ શાહ! એમણે 'ગુજરાતી કાવ્યોમાં સ્ત્રી ચેતના' વિષય પર ખૂબ સરસ વક્તવ્ય આપ્યું. સ્ત્રી ચેતના જેમણે આલેખી છે એવા ગીતોના સર્જક તથા એમની રચનાથી તેઓ માહિતગાર કરાવતાં ગયાં.એમના મીઠા અવાજમાં જાણે ઉપસ્થિત શ્રોતાઓ ડૂબતાં ગયાં, એમને સાંભળતાં રહ્યાં. એક એક વક્તા વચ્ચે પ્રતિમાબેન એમનાં સંચાલનમાં આગવું સાહિત્ય પીરસતાં હતાં. સેજલબેન શાહ પછી અલ્પાબેન વખારિયાએ ગીત રજૂ કર્યું.બધાંને ગમતું , બધાંની જીભે રમતું ગીત 'દયાના સાગર થઈને, કૃપાળુ નિધાન થઈને , છોને ભગવાન કહેવરાવો , મારાં રામ , તમે સીતાજીની તોલે ન આવો' આ ગીત એમણે રજૂ કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત બધાં જ એમની સાથે એમનાં સૂરમાં સૂર પૂરાવતાં હતાં. ત્યારબાદ એસ એન ડી ટી મહિલા વિદ્યાપીઠનાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ ડૉ.દર્શનાબેન ઓઝાએ 'ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી ચેતના' વિષય પર વક્તવ્ય આપ્યું. એમણે લગભગ સવાસો જેટલી વાર્તાઓથી શ્રોતાઓને પરિચિત કરાવ્યાં .દર્શનાબેને પહેલાંનાં સ્ત્રી સર્જકથી લઈને આજનાં સ્ત્રી સર્જક સુધીની વાતો કરી,એમનાં લેખન વિશેની વાત કરી. એમનાં વક્તવ્યમાં સ્ત્રી સર્જકના દરેક પાસાને વણી લીધું.એમની પાસે એટલી માહિતી હતી કે વીસ મિનિટ ઓછી પડે. ત્રણ વર્ષની ટબૂકડી કિયાંશા જાનીએ એક બાળકાવ્ય રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. અંતમાં નંદિતા ઠાકોરે ફરી એમનાં મધુર કંઠે સ્ત્રી ચેતનાનાં ગીતો સંભળાવ્યાં . આ કાર્યક્રમનું સંકલન અને પરિકલ્પના સંજય પંડ્યાનાં હતાં. તરુબહેન કજારિયા, કિશોર પટેલ, કલ્પના દવે, બાદલ પંચાલ,આશા પુરોહિત જેવાં કવિ તથા વાર્તાકાર પણ કાર્યક્રમમાં હાજર હતાં . (અહેવાલ :સ્મિતા શુકલ)

read more

બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

બાલભારતી 'બાળવાર્તાવંત'....... ચારણકન્યા જેવી 'ચૌદ વરસની ચાર કન્યા'

બાલભારતીમાં દર મહિનાનાં ચોથા રવિવારે યોજાતા વાર્તાવંત કાર્યક્રમમાં દર વખતે નોખું અનોખું આયોજન હોય છે અને એનું આમંત્રણ તો બધાથી હટકે હોય છે. ૨૫મી ફેબ્રુઆરીએ બાલભારતીમાં ચૌદ વરસની ચાર કન્યાના બાળવાર્તા પઠનનાં કાર્યક્રમનું ખૂબ સરસ આયોજન થયું. સુંદર ઉપક્રમ, કાર્યક્રમની શરુઆતમાં સંચાલક મમતા દુધરેજીયાએ ઝવેરચંદ મેઘાણી કૃત 'ચૌદ વરસની ચારણકન્યા'ની છટાદાર રજૂઆત કરી. સૌ પ્રથમ ધાર્મિક પરમારની વાર્તા 'રોબર્ટભાઈની સ્કૂલ'નું ક્રિશા બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. ભંગારનો સામાન રાખતા એક વેપારીને ત્યાં વપરાયેલાં રમકડાં આવે છે પછી રમકડાં વચ્ચે આપસમાં શું થાય છે એની સુંદર વાર્તા. બીજી વાર્તા હેમંત કારિયાની 'રાતરાણી દિવસે મહેંકે તો !'નું ધ્રુવી બલદાનિયા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. રાતરાણી અને સૂરજમુખીને પોતપોતાના ઊગવા અને આથમવાના સમય બદલાવાનું મન થયું. પછી શું થયું એની સુંદર વાર્તા. બે વાર્તા પછી મધ્યાંતરમાં કોફીની લિજ્જત તો ખરી જ પણ સાથે ગરમ ગરમ નાસ્તો ને ઠંડી ઠંડી ફ્રૂટી. બાળકોને તો મજા પડી ગઈ. સાથે સર્જક સાથે ચર્ચા વિચારણા તો ચાલુ જ રહી. મધ્યાંતર પછી સંચાલનનો દોર સંભાળ્યો તેજલ નાયકે‌. સૌ પ્રથમ જાણીતા કવિ, લેખક, નાટ્યકાર, પ્રકાશક એવા સતિશ વ્યાસની વાર્તા 'જંગલમાં ટીવી'નું હેતાંશી પરમાર તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. જંગલમાં ટીવી આવે છે એ જોઈને પ્રાણીઓમાં શું ઉથલપાથલ મચે છે એની સુંદર વાર્તા. ત્યારબાદ જાણીતા કવિ,વાર્તાકાર સંદીપ ભાટિયાની વાર્તા 'મુજસે દોસ્તી કરોગે'નું જાનવી મકવાણા તથા અન્ય વિદ્યાર્થીનીઓ દ્વારા ભાવવાહી નાટ્યાત્મક પઠન થયું. ઓમ નામનો એક નાનકડો છોકરો ખોવાઈ જાય છે પછી શું થાય છે એની સુંદર વાર્તા. આ વખતનાં કાર્યક્રમમાં પઠન સાથે અભિનયનો નવો જ ઉપક્રમ ખૂબ સરસ રહ્યો. મજા આવી ગઈ. સુંદર બોધપાઠ મળે એવી વાર્તાઓ સાંભળી બાળકોને તો મજા આવી જ પણ વાલીઓ અને અન્ય શ્રોતાજનોને પણ એટલી જ મજા આવી. સૌને લાગતું હતું જાણે અમે બાલમંદિરમાં ભણીએ છીએ. ત્યારબાદ ધાર્મિક પરમારે સ્વરચિત બાળકાવ્ય 'બિલ્લી થઈ ગઈ મોડર્ન'નું ભાવવાહી પઠન રજૂ કર્યું. કાર્યક્રમને અંતે બાલભારતીના પ્રમુખ શ્રી હેમાંગ તન્નાએ આભારવિધિ કરી હતી. બાલભારતીનો હૉલ વાલીઓ તેમજ બાળકોથી હકડેઠઠ્ઠ ભરેલો હતો. શ્રોતાજનોમાં વિશેષ ઉપસ્થિતિ હતી બાદલ પંચાલ, તથા પૂજા પંચાલ સાથે એમની દિકરી કથા, કવયિત્રી અંજના ભાવસાર, વિકાસ નાયક, એમનાં બાળકો, સ્મિતા શુકલ,શાળાનાં બાલવિભાગનાં અન્ય શિક્ષકો. (અહેવાલ : સ્મિતા શુકલ)

read more

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા SheRise વર્કશોપનું આયોજન

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારા દ્વારા SheRise વર્કશોપનું આયોજન

ઇનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બે એરપોર્ટ ટિયારાના ચાર્ટર પ્રેસિડેન્ટ તરીકે અલ્પા અપૂર્વ હંમેશા મહિલા સશક્તિકરણ કામ કરે છે. હાલમાં જ SheRise વર્કશોપનું આયોજન ચાલી રહ્યું છે. આ વર્કશોપ માટે NMIMS પ્રવિણ દલાલ સ્કૂલ ઑફ આંત્રપ્રિન્યોરશિપ એન્ડ ફેમિલી બિઝનેસ મેનેજમેન્ટનો સાથ તેઓને મળ્યો છે. .4થી 7મી માર્ચ સુધી, સવારે 9:30 થી સાંજના 4:30 વાગ્યા સુધી 4-દિવસીય કાર્યક્રમ થવાનો છે. પ્રોફેસર સીમા મહાજન જેઓ પ્રવિણ દલાલ સ્કૂલ ઓફ આંત્રપ્રિન્યોરશિપના નિયામક છે તેઓ દ્વારા આ કાર્યક્રમ ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે 200 મહિલાઓને સાહસિકતા અને નેતૃત્વમાં સશક્ત બનાવવા માટે સમર્પિત છે.

read more

'જૂની રંગભૂમિની સફર' કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

'જૂની રંગભૂમિની સફર' કાર્યક્રમ માણવો છે? તો પહોંચી જજો મુલુંડ રવિવારે સાંજે

૧૮૫૩ માં પારસી બિરાદરોએ મુંબઈમાં નાટ્યપ્રવૃત્તિની શરૂઆત કરી પછી એમાં હિન્દુઓએ ઝંપલાવ્યું અને લગભગ ૧૭૦ વર્ષથી આ પ્રવૃત્તિ સતત ચાલતી રહી છે .જૂની રંગભૂમિ લગભગ સવાસો વર્ષ જેવી ચાલી અને ત્યારબાદ એનું સ્થાન નવી રંગભૂમિએ લીધું . આજે જેઓ ૭૦ની આસપાસ પહોંચ્યા છે એમણે પ્રભુલાલ દ્વિવેદી, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, બાપુભાઈ નાયક, જયશંકર 'સુંદરી 'આ બધાં નામને હૃદયમાં સાચવી રાખ્યાં હશે. 'મીઠા લાગ્યા તે મને રાતના ઉજાગરા' કે 'નાગર વેલીઓ રોપાવ ...'ગીતો હજી પણ એમના કાનના ઢોળાવ ઉપર સ્થિર ઊભાં હશે . જૂની રંગભૂમિ ટેકનિકલ દૃષ્ટિએ , અભિનય અને રજૂઆતની દ્રષ્ટિએ પણ અદભુત રહી .સેંકડોની સંખ્યામાં સંસ્થાઓ ,કવિઓ, સંગીતકારો, અભિનેતા- અભિનેત્રી, દિગ્દર્શકો નિર્માતાઓ અને ટેકનીશીયનોએ પોતાનું ઉત્તમ યોગદાન આપ્યું. આ સવાસો વર્ષની સફર મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી , મુલુંડની સંસ્થા 'સર્જક મિલન'ના સહયોગથી ૩ માર્ચ રવિવારે સાંજે ૫ વાગ્યે મુલુંડમાં ઉજવી રહી છે. કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલે માળે ,આર આર ટી રોડ, મુલુંડ પશ્ચિમના સરનામે જૂની રંગભૂમિના અભિનેત્રી તથા ગાયિકા મહેશ્વરી ચૈતન્ય અને રજની શાંતારામ રંગભીની રજૂઆત દ્વારા જૂનાં ગીતો રજૂ કરશે. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટના પૌત્ર ડોક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ જૂની રંગભૂમિનો આંખે દેખ્યો હાલ રજૂ કરશે તો પ્રખ્યાત સંતુરવાદક અને અકાદમીના કાર્યાધ્યક્ષ શ્રી સ્નેહલ મજમુદાર પગવાજા પર સંગીતના સૂર રેલાવશે .સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ સતીશ વ્યાસ સંભાળશે .આ કાર્યક્રમની પરિકલ્પના અને સંકલન કવિ સંજય પંડ્યાનાં છે .આયોજન સહકાર રાજેશ ઠક્કર અને રમેશ બારોટનો છે .સહયોગી સંસ્થા સર્જક મિલનના રાકેશ જોશી અને લાલજી સર સર્વને આ નિ:શુલ્ક કાર્યક્રમ માણવા જાહેર નિમંત્રણ આપે છે. તો પહોંચી જજો મુલુંડ, રવિવારે સાંજે!

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK