Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
'અનેક ભાષા, એક રંગ' થકી મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ ઊજવાઈ

'અનેક ભાષા, એક રંગ' થકી મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ ઊજવાઈ

મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી, સિંધી, ગુજરાતી, સંસ્કૃત, તેલુગુ, બંગાલી, ગોરબંજારા સાહિત્ય અકાદમી દ્વારા મંત્રી શ્રી આશિષ શેલારજીના માર્ગદર્શન હેઠળ સરસ કાર્યકર્મો થતા રહે છે. બુધવાર તારીખ ૮મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દિગ્ગજ હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિના સ્મરણઅંજલિનો યાદગાર કાર્યક્રમ 'અનેક ભાષા, એક રંગ' વેદા કુંબા થિયેટર, અંધેરી ખાતે યોજાઈ ગયો. ભાષા અને સાહિત્યના આદાન - પ્રદાન અનુલક્ષીને પ્રેમચંદજીના આઠ નાટકોનું કુલ છ ભાષામાં પ્રસ્તુતિ થઇ. હિન્દીમાં બડે ઘરકી બેટી, ખૌફ ઍ રુસવાઈ અને ગૃહ નીતિની રજૂઆત થઇ. સંસ્કૃતમાં પુષ કી રાત, સિંધીમાં મેરી પહલી રચના, તેલુગુમાં કફન અને બંગાળીમાં માસુમ બચ્ચાની પ્રસ્તુતિ થઇ. નાટક ભજવનારા કલાકારની માતૃભાષા અલગ હતી એ ખાસ નોંધનીય વાત. દિગ્દર્શક હતા મુજીબ ખાન અને કલાકાર તરીકે ચેતન ગૌડા, શાલિની સનીલ, કાર્તિક પોથારા, રસિકા ખિરવાડકર, પૂનમ સિંયાલ, અંબાલા જનાર્દન, લીના યાદવ, શહનશાહ નસીન, વરુણ મહૅરા, સંદીપ ભટ્ટાચાર્ય, અજોય ગિરી, સાહિલ માધવાની, રમેશ ચૌવાલ, રાજુ દસારી, શંકર ચાનાગિરી, તેજસ પારેખ, ગીત દેશમુખ, યુક્તાર્થ શ્રીવાસ્તવ ઔર અક્ષય, ટાઇગરે ભાગ લીધો. સાંસ્કૃતિક ખાતાના સચિવ સચિન નિમ્બાલકરજીએ સૌ મહાનુભાવોને શાલ ઓઢાડી યથોચિત સન્માન કર્યું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સન્માનનીય સદસ્ય નિરંજન પંડયા હાજર રહ્યા. હિન્દી અકાદમીના માજી સદસ્ય જયેશ જોશી, તેલુગુ અકાદમીના માજી સદસ્ય અશોક કુન્ટે, સિંધી અકાદમીના માજી સદસ્ય દીપક ચાંદવાણી પણ આવ્યા હતા. (આલેખન : નિરંજન પંડ્યા)

read more

બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડો યોજાશે

બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડો યોજાશે

સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ પ્રેરિત બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડો તારીખ ૧૪.૧૨.૨૫ના રવિવારને દિવસે પ્રબોધન ઠાકરે, સ્વિમિંગ ક્લબમાં થશે. સમય બપોરે ત્રણથી સાંજે સાત સુધી કાર્યક્રમ થશે. આ માટે રજીસ્ટ્રેશન ફી યુવકદીઠ રૂ. ૫૦૦ અને યુવતીદીઠ રૂ. ૨૫૦ છે. ફોર્મ ૩૧.૧૦.૨૫ સુધી જ સ્વીકારાશે. ખાસ નોંધ કે ફોર્મ ભરનારને યુવક-યુવતી પસંદગી પુસ્તિકા વિનામૂલ્ય આપવામાં આવશે.

read more

અકાદમી દ્વારા ઘાટકોપરમાં કવિ સંમેલન

અકાદમી દ્વારા ઘાટકોપરમાં કવિ સંમેલન

મહારાષ્ટ્ર શાસન - સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગયા વર્ષે અકાદમીએ પચાસ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન વિવિધ વિસ્તારોમાં કર્યું હતું. આ વર્ષનો ચોથો કાર્યક્રમ કવિ સંમેલન છે, જે શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને પ્રગતિ સોશિયલ ગ્રુપ ઘાટકોપરના સહયોગથી શનિવાર તા. ૧૧ ઑક્ટોબરે રાત્રે ૮.૦૦ વાગ્યે ભૂરીબેન ઑડિટોરિયમ, કામા લૅન, ઘાટકોપર (પશ્ચિમ) ખાતે યોજાશે. કવિ સંમેલનમાં ઉદયન ઠક્કર, હિતેન આનંદપરા, આશા પુરોહિત, સુરેશ ઝવેરી અને રાજેશ હિંગુ ભાગ લેશે. કવિ નર્મદ, સંત કવયિત્રી ગંગાસતી તથા સુરેશ દલાલના કાવ્યો આધારિત નાટ્યાત્મક પ્રસ્તુતિ કલાકાર ચિરાગ વોરા, જ્હોની શાહ અને અર્ચના શાહ કરશે. સંચાલન રાજેશ રાજગોરનું છે. કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ માટે બિંદુ ત્રિવેદીનો ૯૮૨૧૩ ૪૨૨૭૩ નંબર પર સંપર્ક કરવો.

read more

જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન થયું

જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન થયું

તા.૨૮-૦૯-૨૦૨૫, રવિવારે જુહુ સ્કીમ જૈન સંઘના આંગણે JOY યુવા શિબિરનું આયોજન થયું હતું. આ આયોજનમાં પદ્મભૂષણ વિભૂષિત, જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લેવા કેળવણી મંડળ - NMIMS UNIVERSITYના સ્થાપક અમરીશભાઈ પટેલ પધાર્યા હતા. અમરીશભાઈ પટેલે આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન કર્યું. જુહુ સ્કીમ જૈન સંઘના ટ્રસ્ટીવર્ય રાકેશભાઈ મહેતાએ અમરીશભાઈનો પરિચય આપતાં એક પ્રસંગ યાદ કરીને કહ્યું કે ‘ડૉક્ટરોની એક ગૅધરિંગમાં હૉસ્પિટલની વાત ચાલી રહી હતી ત્યારે અમરીશભાઈને ડૉક્ટરોએ પૂછ્યું કે અમરીશભાઈ, શિરપુર જેવા નાનકડા ગામમાં તમે ૧૦૦૦ બેડની આલીશાન હૉસ્પિટલ બનાવો છો એ સારી વાત છે, પણ આટલાં મોંઘાં Instruments સાથે તમે ત્યાં હૉસ્પિટલ બનાવો છો તો એમાં કમાણી થશે નહીં.’ તરત જ અમરીશભાઈએ વળતો જવાબ આપ્યો, ‘જળગાંવથી શિરપુર સુધીના નાનામાં નાના માણસ સુધી આ સુવિધા પહોંચે એ માટે હું શિરપુરમાં હૉસ્પિટલ બનાવું છું. આ પુણ્યકાર્યમાં મને દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય તો પણ હું રાજી છું’

read more

અલિકા મંચ દ્વારા `બેઠા ગરબા'નું આયોજન

અલિકા મંચ દ્વારા `બેઠા ગરબા'નું આયોજન

અલિકા ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કાંદિવલી પૂર્વમાં કરે છે. મૂળ સ્વરૂપમાં ગવાતા પારંપરિક ગરબાઓનું ચલણ મર્યાદિત થઈ ગયું છે એવા સમયમાં અલિકા મંચ દ્વારા આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલિડેના સહયોગમાં `બેઠા ગરબા'નો કાર્યક્રમ તા. ૫ ઑક્ટોબરે સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે. અર્ચિતા મહેતાના સંચાલનમાં શ્રી નાગર મંડળ અંધેરીની બહેનો શબ્દવૈભવ અને અર્થવૈભવ ધરાવતા ગરબાઓની રજૂઆત કરશે. મધ્યાંતર પછી ડૉ. લકી કસાટ દ્વારા `આસ્થા કા મહાકુંભ' શીર્ષક હેઠળ દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં તેઓ કુંભમેળાના સ્વાનુભવ સાથે અનેક રસપ્રદ પાસાંઓ આવરી લેશે. ટ્રસ્ટીઓ વિપુલ શાહ અને જયેશ દેસાઈ વતી જાહેર જનતાને કાર્યક્રમમાં આમંત્રણ છે. નિઃશુલ્ક પ્રવેશ માટે સંપર્કઃ બીના પ્રહરાજ ૯૯૬૭૫ ૩૨૮૦૦, ૯૮૩૩૮ ૬૬૭૯૦. કાર્યક્રમનું સ્થળઃ અલિકા હૉલ, અલિકા નગર, લોખંડવાલા ટાઉનશીપ, કાંદિવલી (પૂર્વ).

read more

સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' કાર્યક્રમ

સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' કાર્યક્રમ

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' શ્રેણી અંતર્ગત ગુજરાતી કવિતા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પરિચય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કવિ સંમેલનમાં ઉદયન ઠક્કરની અધ્યક્ષતામાં હિતેન આનંદપરા, રાજેશ હિંગુ, મિતા ગોર મેવાડા, અંકિતા મારુ `જિનલ' અને ધાર્મિક પરમાર કાવ્યપઠન કરશે. અકાદમી વતી ઓમપ્રકાશ નાગર સ્વાગત કરશે અને પરિચય ટ્રસ્ટ વતી સ્નેહલ મુઝુમદાર આભાર વ્યક્ત કરશે. ૨૭ સપ્ટેમ્બરે સાંજે ૪.30 વાગ્યે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ (પશ્ચિમ) ખાતે આ કાર્યક્રમ યોજાશે.

read more

મરીન લાઈન્સમાં `આશ્રમ ભજનાવલિ' કાર્યક્રમ

મરીન લાઈન્સમાં `આશ્રમ ભજનાવલિ' કાર્યક્રમ

પરિચય ટ્રસ્ટ દ્વારા શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને જૈન મહિલા સમાજના સંયુક્ત ઉપક્રમે `આશ્રમ ભજનાવલિ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્હોની શાહ હિમાંશુ ઠાકર ગાંધીજયંતીને અનુલક્ષીને સાકાર થનાર આ કાર્યક્રમમાં જ્હોની શાહ અને હિમાંશુ ઠાકર પુસ્તકમાંથી ચૂંટેલાં ભજનોની રજૂઆત કરશે. મનજિત સિંગ ફાલ્ગુની વોરા મનજિત સિંગ સારંગી પર સંગત કરશે. ફાલ્ગુની વોરા ગાંધીજીના જીવનમાંથી તારવેલા વિશેષ પ્રસંગોને આવરી સંચાલન કરશે. ભાઈચંદ એમ. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમ ૨૬ સપ્ટેમ્બરે, સાંજે ૫.૦૦ વાગ્યે જૈન મહિલા સમાજ હૉલ, એચ ક્રોસ રોડ, મરીન લાઈન્સ (પશ્ચિમ) ખાતે યોજાશે. સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે.

read more

ફાર્બસ ગુજરાતી સભા આયોજિત : વ્યાપન સંવાદ

ફાર્બસ ગુજરાતી સભા આયોજિત : વ્યાપન સંવાદ

મુંબઈની જૂનામાં જૂની સાહિત્ય અને સંશોધનની સંસ્થા એટલે ફાર્બસ ગુજરાતી સભા. જેની સ્થાપના ૧૮૬૫માં થઇ, ત્યારથી લઇ આજ સુધી સાહિત્યના જતન-સંવર્ધન માટે કાર્યરત છે. આ સભાના વર્તમાન સમયમાં પ્રમુખ નવીનભાઈ દવે છે અને ટ્રસ્ટીઓ તરીકે મધુકર પારેખ, સિતાંશુ યશશ્ચંદ્ર, દીપક મહેતા, પ્રબોધ પરીખ અને સેક્રેટરી તરીકે સેજલ શાહ કાર્યરત છે. વર્તમાન સમયમાં સાહિત્યની વિભાવના, સિધ્ધાંત અંગે જયારે ઓછું કાર્ય થઇ રહ્યું છે ત્યારે એ દિશામાં ફાર્બસ ગુજરાતી સભાના ‘વ્યાપન સંવાદ’ આયોજનનું આગવું મહત્ત્વ છે. 'વ્યાપન સંવાદ - ૩-માં પ્રખ્યાત ફિલ્મકાર અને લેખક : સંજય છેલ, ફિલ્મ અને સાહિત્યનો અનુબંધ : એક મંથન શુક્રવાર, તારીખ ૧૯ સપ્ટેમ્બરના રોજ વાત કરશે. લેકચરનો સમય સાંજે ૪.૧૫ થી ૬.૦૦ સુધી રહેશે. વક્તાનો પરિચય ડો. અભય દોશી કરાવશે. આપણા સમયની સાહિત્યિક ગોષ્ઠિ, આપણી સાહિત્યક સમજણના આ સંવાદમાં અને મુંબઈની મંડળીની અનોખી પહેલમાં સહુને આમંત્રણ છે. સહભાગી સાહિત્યિક રસિકો ચર્ચક તરીકે જોડાશે. સ્થળ : ફાર્બસ ગુજરાતી સભા, ત્રીજે માળે, કીર્તન કેન્દ્ર. ઉત્પલ સંઘવી સ્કુલની સામે, સંત જ્ઞાનેશ્વર માર્ગ, જૂહુ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૪૯, ફોન નંબર : શ્રી રાજેશભાઈ દોશી ૮૩૬૯૭૯૫૭૯૩.

read more

હરીન્દ્ર દવેના જન્મદિને `ઊડે તેજનો ગુલાલ'કાર્યક્રમ

હરીન્દ્ર દવેના જન્મદિને `ઊડે તેજનો ગુલાલ'કાર્યક્રમ

હરીન્દ્ર દવેના જન્મદિન નિમિત્તે ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરી અને હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે `ઊડે તેજનો ગુલાલ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત આપણું આંગણું બ્લૉગના સંકલનમાં કાવ્યસંગીત, કાવ્યપઠન અને વાચિકમ દ્વારા વૈવિધ્યસભર પ્રસ્તુતિ કરવામાં આવશે. તેમાં સનત વ્યાસ, રાજુલ દીવાન, જ્હોની શાહ, હિમાંશુ ઠાકર, રક્ષા શાહ, મિતા ગોર મેવાડા, ડૉ. ભૂમા વશી, ડૉ. મંજરી મુઝુમદાર અને સ્નેહલ મુઝુમદાર ભાગ લેશે. સંકલન હિતેન-મુકેશનું છે. ૧૯ સપ્ટેમ્બરે સાંજે ૬.૩૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં હરીન્દ્ર દવેના ગીતો, એમની પંક્તિને આધાર બનાવી લખાયેલી નવી ગઝલો તથા `માધવ ક્યાંય નથી મધુવનમાં' નવલકથાના અંશનું પઠન કરવામાં આવશે. સ્થળઃ એસ. પી. જૈન સભાગૃહ, ભવન્સ કૅમ્પસ, અંધેરી (પશ્ચિમ)

read more

૬૦ વર્ષથી વધુની ઉંમરના નૃત્યકલાકારો ભજવશે મુંબઈમાં ‘PRIME’

૬૦ વર્ષથી વધુની ઉંમરના નૃત્યકલાકારો ભજવશે મુંબઈમાં ‘PRIME’

મુંબઈમાં 'પ્રાઈમ'નું આયોજન થયું છે. જેમાં 60 વર્ષથી વધુની વયના કલાકારોને દર્શાવતું સમકાલીન નૃત્ય રજૂ કરાશે. અવંતિકા બહલ દ્વારા આ કાર્યક્રમની પરિકલ્પના કરાઈ છે. નૃત્ય નિર્દેશન અને નિર્માણ પણ તેમણે જ કર્યું છે. આ કાર્યક્રમ શનિવાર અને રવિવાર, 20-21 સપ્ટેમ્બર,2025ના રોજ સાંજે 7:00 વાગ્યે IfBe, 10-12 કાલીકટ રોડ, બલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, મુંબઇ ખાતે યોજાશે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ડિઝાઇન કરવામાં આવેલ લાઈફસ્ટાઈલ એપ્લિકેશન Gen S Life એ અવંતિકા બહલના વિચારો સાથે સુસંગત થાય છે અને માટે જ આ સુંદર પહેલને સપોર્ટ કરવા આઉટરીચ પાર્ટનર તરીકે જોડાયુ છે. આ પ્રસ્તુતિમાં આઠ વરિષ્ઠ નર્તકો હશે. જે દરેક પોતાની કથા ભજવશે અને દાયકાઓના અનુભવને મંચ પર જીવંત કરશે. રૂપાલી ગુપ્તે અને પ્રસાદ શેટ્ટીના ઇન્સ્ટોલેશન્સ અને શ્રુતિ વિશ્વેશ્વરનની ફિલ્મ દ્વારા ઇમર્સિવ પ્રોડક્શન કરાયું છે. સુદર્શન સીએસઆર ફાઉન્ડેશન અને લક્ષ્મીદેવી નથમલ ગોએન્કા ટ્રસ્ટ દ્વારા સમર્થિત 'પ્રાઈમ' એ ભારતીય સમકાલીન નૃત્યમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે. આ વિશે અવંતિકા બહલ જણાવે છે કે, 'પ્રાઈમ થકી હું શરીરની એવી શક્યતાઓનું અન્વેષણ કરવા માંગતી હતી જે દાયકાઓથી જીવે છે, ટકી રહી છે અને વ્યક્ત થઈ છે. આ પ્રદર્શન યુવાનોતરફી નથી, પરંતુ મેમરી, મૂવમેન્ટ અને અનુભવ બાબતે છે. તે યાદ અપાવે છે કે વય સાથે કશું મર્યાદિત નથી, વય તો માત્ર અસ્તિત્વની પરિસ્થિતિ છે' કાર્યક્રમ :  પ્રાઈમકોરિયોગ્રાફર અને નિર્માતાઃ અવંતિકા બહલ કાસ્ટઃ ફેરેદૂન ભુજવાલા, ફ્રાન્સિસ કાર્ડોસો, ઝેલમ પરાંજપે, મનુએલા કાર્ડોસો, સરસ્વતી દેવદાસ, સુનીલા અશોક, વેંકટેશ્વરન અકીલેસ્વરન, વેંકટેશ ઐયર. ક્યારે?: શનિવાર અને રવિવાર, સપ્ટેમ્બર 20-21, 2025સમય: સાંજે 7:00 વાગ્યેસ્થળઃ IfBe, 10-12 કાલીકટ રોડ, બલાર્ડ એસ્ટેટ, ફોર્ટ, મુંબઈ ટિકિટઃ AltShows

read more

શ્રીમતી દક્ષાબેન પાઠક મેમોરિયલ વ્યાખ્યાનનું આયોજન અને અન્ન વિતરણ કાર્યક્રમ

શ્રીમતી દક્ષાબેન પાઠક મેમોરિયલ વ્યાખ્યાનનું આયોજન અને અન્ન વિતરણ કાર્યક્રમ

માટુંગામાં આવેલ સેવા મહલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ડૉ. બી.એમ.એન. કૉલેજ ઑફ હોમ સાયન્સ દ્વારા શ્રીમતી દક્ષાબેન પાઠક મેમોરિયલ લેક્ચર સિરીઝ અંતર્ગત “મહિલા અને સ્વાસ્થ્ય” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા મંડળ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડૉ. દિલીપ ત્રિવેદીએ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તથા ગેસ્ટ સ્પીકર તરીકે હાજર પ્રૉફેસર ડૉ. નિલેશ શાહ (મનોવૈજ્ઞાનિક, એલ.ટી.એમ.એમ.સી. હોસ્પિટલ, સાયન), આયોજક ડૉ. ભરત પાઠક અને તેમનો પરિવાર, તમામ અતિથિઓ, શિક્ષકો અને વિદ્યાર્થિનીઓનું સ્વાગત કર્યું. શિલ્પા શેટ્ટીગરે ગેસ્ટ સ્પીકરનો પરિચય આપ્યો. ત્યારબાદ ડૉ. નિલેશ શાહે 'ધ બેટર હૉક' વિષય પર વ્યાખ્યાન આપ્યું. ડૉ. બી.એમ.એન. કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. માલા પાંડુરંગે સમગ્ર કાર્યક્રમ અંગે પ્રતિસાદ વ્યક્ત કર્યો. આ પ્રસંગે રાધા અને નિતિ જય પાઠક પરિવાર તેમજ લાયન્સ ક્લબ ઑફ સાયન દ્વારા 250 જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મેનેજમેન્ટ સેક્રેટરી ડૉ. ભરત પાઠક, વસંત ખેડાણી, ટ્રેઝરર અતુલ સંઘવી, ભારતી પાઠક, શ્રીમતી કોકિલા મહેતા, એમ.એમ.પી. શાહ કોલેજનાં પ્રિન્સિપાલ ડૉ. અર્ચના પત્કી, રાધા પાઠક, નિતિ જય પાઠક, વિનોદ દાવડા, ચેતના ઝવેરી, શિરીષ મહેતા અને પારુલ હિમાણીએ વિદ્યાર્થિનીઓને અનાજ વિતરણ કર્યું. કાર્યક્રમમાં ડૉ. વત્સલા ત્રિવેદી, લાયન હુજૈફા ઘડિયાળી, લાયન મોહન વાયદાંડે, શિવાજીરાવ ભોંસલે સહિતના અનેક લાયન સભ્યો, પાઠક પરિવારના સભ્યો અને 300થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રૉફેસર મિલિના પેરીરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું, જ્યારે એનએસએસ પ્રોગ્રામ ઑફિસર શારદા સિરિસિલ્લાએ આભાર વ્યક્ત કર્યો.

read more

આ વર્ષે પણ 'મોદી પાર્કચા રાજા'એ રંગ રાખ્યો

આ વર્ષે પણ 'મોદી પાર્કચા રાજા'એ રંગ રાખ્યો

કાંદીવલીમાં આ વર્ષે પણ મોદી પાર્કચા રાજા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે આ મંડળ ૨૫મું વર્ષ ગૌરવપૂર્વક ઊજવી રહ્યું છે. આ વર્ષે અહીં ગણેશમૂર્તિ ખાસ હૈદરાબાદમાંથી લાવવામાં આવી છે. જે મુંબઈમાં એકમાત્ર હૈદરાબાદ સ્ટાઇલ કૉન્સેપ્ટ મૂર્તિ છે. આ વર્ષના બાપ્પાની મૂર્તિની ઊંચાઈ ૧૪ ફૂટ છે. મૂર્તિના દાગીનામાં વપરાયેલા હીરા સ્વરોસ્કી ડાયમન્ડ્સ છે, જેમાંથી આશરે ૩૫-૪૦ ડાયમન્ડ્સ જડવામાં આવ્યા છે. ઉપરાંત દરરોજ આ સોસાયટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણરૂપ હોય છે.

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK