Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
પદ્મ શ્રી અનુપ જલોટાએ લૉન્ચ કર્યું 'રોકી - ધ સ્લેવ'નું સંગીત

પદ્મ શ્રી અનુપ જલોટાએ લૉન્ચ કર્યું 'રોકી - ધ સ્લેવ'નું સંગીત

પદ્મશ્રી અનુપ જલોટાએ સ્ટાર એન્જલ ફિલ્મ પ્રોડક્શન્સની એક્શન ડ્રામા ‘રોકી - ધ સ્લેવ’ માટે મ્યુઝિક લૉન્ચ કર્યું છે. ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. શોભા બાર્લા દ્વારા નિર્મિત અને જેમ્સ જોન બાર્લા દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ રોકીની વાર્તા કહે છે. યુવાનનો ઉછેર એક તસ્કર દ્વારા થયો હતો, જેણે તેની માતાની હત્યા કરી હતી. રોકી સ્મગલરના ઘેરા રહસ્યની શોધ કર્યા પછી બદલો લે છે, જેમાં રોમેન્ટિક સબપ્લોટ ઊંડાણ ઉમેરે છે. કલાકારોમાં સુદેશ બેરી, શક્તિ કપૂર અને દલીપ તાહિલનો સમાવેશ થાય છે. અલકા યાજ્ઞિક અને મમતા શર્મા દર્શાવતો સાઉન્ડટ્રેક રેડ રિબન એન્ટરટેઈનમેન્ટ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે, જે ફિલ્મની થીમ પ્રેમ અને વેરને વધારે છે.

read more

કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ

કારગિલ વિજય દિવસ નિમિત્તે રવિવારે કાંદીવલીમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો એક વિશિષ્ટ કાર્યક્રમ

૨૬ જુલાઈ ૧૯૯૯ ભારતીયોના ચિત્તમાં અને હૃદયમાં સચવાયેલી તારીખ છે. કારગિલની પહાડીઓ પર દગાથી કબજો જમાવનાર પાકિસ્તાની ઘૂસણખોરોને પછાડીને ત્યાંના શિખરો પર ભારતીય સેનાએ ફરી કબજો મેળવ્યો હતો.      એ કારગિલ વિજય દિવસને ઉજવવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા કેઈએસ ભાષાભવનના સહયોગમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું છે 'કારગિલ યુદ્ધ અને યુદ્ધ સાહિત્ય.'      નિવૃત્ત લશ્કરી અધિકારી કર્નલ મનીષ કચ્છી ( નિવૃત્ત) કારગિલ યુદ્ધ વિષયક અજાણી માહિતી દ્રશ્ય શ્રાવ્ય રજૂઆત દ્વારા આપશે. કારગિલ યુદ્ધ વખતે લશ્કરના બૅક ઓપરેશનમાં એમણે પોતાની સેવા આપી હતી. તેઓ ઇન્ટેલિજન્સ અને ડિફેન્સ ક્ષેત્રના નિષ્ણાત છે એટલેપ્રશ્નોત્તરી દ્વારા પણ એમની પાસેથી માહિતી મેળવી શકાશે.       'ચિત્રલેખા' સાપ્તાહિકના તંત્રી હીરેન મહેતા કારગિલ યુદ્ધ વખતે યુદ્ધભૂમિ પર રહી રિપોર્ટિંગ કરનારા એકમાત્ર ગુજરાતી પત્રકાર હતા. એમણે એ સમયે  યુદ્ધ વિશેના ઘણા લેખો લખ્યા હતા. તેઓ પણ પોતાના વક્તવ્યમાં એ સમયને માહોલ શ્રોતાઓ સમક્ષ ખડો કરશે.      ‌ ત્રીજા વક્તા જાણીતા પત્રકાર તથા લેખક એવા પ્રફુલ શાહ છે. પ્રફુલભાઈએ વિવિધ મોરચે શહીદ થનારા આપણા જાંબાઝ જવાનો વિશે અનેક લેખો અને એક પુસ્તક લખ્યાં છે.         સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ત્રીજા માળના હૉલમાં યોજાયો છે ( લિફ્ટની વ્યવસ્થા છે). ૨૮ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે એશિયન બેકરીની સામેની ગલીમાં, ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે પહોંચી જજો. આ જાહેર કાર્યક્રમ છે.

read more

જીવન, હાસ્ય અને સપનાઓ: INT આદિત્ય બિરલા પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર રજૂ કરે છે ‘WELCOME ZINDAGI’

જીવન, હાસ્ય અને સપનાઓ: INT આદિત્ય બિરલા પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર રજૂ કરે છે ‘WELCOME ZINDAGI’

આવતાં 20મી જુલાઈએ ભારતી વિદ્યાભવન, ચૌપાટ્ટી ખાતે INTABCPA સાથે 'WELCOME ZINDAGI' ના ગુજરાતી નાટકનો આનંદ માણવા તૈયાર થઈ જાઓ. આકર્ષક કલા, સંસ્કૃતિ અને જીવનના ઉજવણીમાં જોડાઓ. મુંબઈના હૃદયમાં, એક નાના બે રૂમના ફ્લેટમાં, ત્રણ સભ્યોનું એક પરિવાર પ્રેમ અને સંચારની જટિલતાઓનો સામનો કરે છે. મળો ગણાત્રા પરિવારને - અરૂણ, નિવૃત્ત થવાના કગાળે આવેલા સચિવ; ભાનુ, પોષણકર્તા માતા; અને વિવેક, ભવિષ્યના પ્રખર યુવક. પેઢીઓ વચ્ચેના તંગાવ અને અરૂણ અને વિવેક વચ્ચેના મૌનના કારણે પરિવારમાં તણાવ વધી જાય છે. શું તેઓ વચ્ચેના અંતરને દૂર કરી, જીવનની સુંદરતાને સ્વીકારી શકશે? 'WELCOME ZINDAGI' પરિવાર, સપનાઓ અને જોડાણની શક્તિની ગંભીર અને હાસ્યમય અનુસંધાન છે. આ કથા અરૂણ, એક મહેનતુ ક્લાર્ક, અને તેના પુત્ર વિવેક, એક એમબીએ ગ્રેજ્યુએટ, ના આસપાસ ફરે છે. વિવેક પોતાના પિતાની નમ્ર અને પૂર્વાનુમાનયુક્ત જીવનમાંથી છૂટકઇને બિઝનેસમાં સફળતા મેળવવા માગે છે. ભાનુ, અરૂણની પત્ની અને વિવેકની માતા, તેમના વચ્ચેના મધ્યસ્થ તરીકે કાર્ય કરે છે. પરંતુ જ્યારે વિવેક તેના બિઝનેસ યોજના અંગે અરૂણ સાથે ચર્ચા કરવા માગે છે, ત્યારે ભાનુ પોતાનું સમર્થન પાછું ખેંચી લે છે, અને પિતા અને પુત્રનો સામનો થાય છે. તેમનો સંવાદ મધ્યમ વર્ગની મૂલ્યોથી લઈને ઉચ્ચ વર્ગની આકાંક્ષાઓ, સર્વિસ ક્લાસની વાસ્તવિકતાઓ અને બિઝનેસ ક્લાસના સપનાઓ વચ્ચેના મુખ્ય ટકરાવનું પ્રતિનિધિત્વ કરે છે. જટિલ વિષયો છતાં, કથામાં હાસ્યજનક તત્વો છે.

read more

કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

કવિ ઉમાશંકર જોશીના જન્મને ૧૧૩ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજ્યો છે સ્મૃતિ વંદના કાર્યક્રમ

૧૯૧૧ માં જન્મેલા કવિ ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાના મોટા ગજાના સર્જક! ગાંધીયુગના આ સર્જકે કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, નવલકથા, અનુવાદ, સંપાદન એમ વિવિધ ક્ષેત્રે ,દાયકાઓ સુધી યાદ રહે એવું, યોગદાન આપ્યું છે. ૨૧ જુલાઈ રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ બારિશી નેટવર્કના સહયોગથી ' ઉમાશંકર જોશી સ્મૃતિ વંદના' નામે કાર્યક્રમનું આયોજન કર્યું છે. વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ આ કાર્યક્રમમાં ટૂંકી વાર્તાનું વાચિકમ કરશે. જાણીતા સંગીતકાર તથા ગાયક સુરેશ જોષી તથા શ્રદ્ધા શ્રીધરાણી ઉમાશંકર જોશીનાં ગીતોનું ગાન કરશે. કવિ વાર્તાકાર સતીશ વ્યાસ કાવ્યો રજૂ કરશે. કવયિત્રી મીતા ગોર મેવાડા ઉમાશંકર જોશીની વાર્તા આધારિત સતીશ વ્યાસ લિખિત એકોક્તિ રજૂ કરશે. વિદ્યાવિહારની કે.જે.સોમૈયા કૉલેજની વિદ્યાર્થીનીઓ ભારતી હાથિયાણી, ભક્તિ લોડાયા, ત્રિશા નંદા,વૃત્તિકા ઝાલા અને પંક્તિ જોશી એક એકાંકીની ભજવણી કરશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.પ્રો.હિતેશ પંડ્યા કરશે. આ કાર્યક્રમ આઈયા બૅન્કવેટ હૉલ, શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પહેલા માળે, આર.આર.ટી.રોડ , મુલુંડ પશ્ચિમના સરનામે યોજાયો છે. કાર્યક્રમનું સંકલન અકાદમી વતી કવિ સંજય પંડ્યાએ કર્યું છે અને પરિકલ્પના અકાદમીના સભ્ય નિરંજન પંડ્યાની છે. આયોજન માટે સહયોગ ગિરીશ સોમનાથ ભટ્ટ તથા દિનેશ ચુનીલાલ ત્રિવેદીએ આપ્યો છે. સહુ ભાવકો હાજરી આપી શકે છે. સહયોગી સંસ્થા વતી રાકેશ જોષી તથા લાલજીસર આયોજન કાર્યભાર સંભાળી રહ્યા છે.

read more

TAFF ગ્રુપ દ્વારા અમદાવાદમાં ગુજરાતી ગઝલનો કાર્યક્રમ

TAFF ગ્રુપ દ્વારા અમદાવાદમાં ગુજરાતી ગઝલનો કાર્યક્રમ

Travel, Art, Food Fashion (TAFF)નાં પ્રયત્નો થકી આગામી તારીખ ૧૯ જુલાઈએ 'મેઘા રે' નામના ગઝલના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રુપ અમદાવાદમાં ટ્રાવેલ,આર્ટ,ફુડ અને ફેશન માટે પ્રખ્યાત અનેરું ગ્રુપ છે. જેના ફાઉન્ડર તન્મય શેઠ અને દર્શિની શેઠ છે. આ કાર્યક્રમ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઇવે પરના સ્વામિનારાયણ ગુરૂકુલના / ઓડીટોરીયમમાં ૧૯ જુલાઇ શુક્રવારે ૮ વાગ્યાથી થવાનો છે. તાહા મન્સૂરી સંચાલન કરવાના છે. અને આ મેઘા રે કાર્યક્રમનું થીમ ગીત પણ બનાવવામાં આવ્યું છે.. જેના ગીતકાર છે નૃતિ શાહ. આ ગીતના ગાયકો છે ગર્વિષ્ઠા જાદવ અને ભાવિન છે. કોણ કોણ લેશે ભાગ? આ અનોખા કાર્યક્રમમાં જાણીતા ગઝલકારો ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, હર્ષ બ્રહ્મભટ્ટ, વિપુલ પરમાર, લવ સિંહા, દિલિપ શ્રીમાળી, મધુસુદન પટેલ તેમજ ચેતન દૈયા અને ધારા ભટ્ટ જેવા ફિલ્મી કલાકારો હશે.

read more

'ઝરૂખો'માં બે નવલકથાઓ વિશે રસપ્રદ ચર્ચા થઈ

'ઝરૂખો'માં બે નવલકથાઓ વિશે રસપ્રદ ચર્ચા થઈ

છેલ્લા ચૌદ વર્ષથી બોરીવલીમાં શ્રી સાઇલીલા વેલ્ફેર ટ્રસ્ટના 'ઝરૂખો'માં મહિનાના પહેલા શનિવારે સાહિત્યના વિવિધ કાર્યક્રમનું આયોજન થાય છે.નવાં સર્જકો,નવો વિષય અને નવી વાતો સાહિત્યના ભાવક તેમજ ચાહક શ્રોતાજનો સમક્ષ રજૂ થાય છે. આ વખતે ઉપક્રમ હતો કે બે નવલકથાકાર તેમની નવલકથા વિશે વાત કરે અને બે સર્જક/ વિવેચક એનો આસ્વાદ કરાવે, એને વિવેચનાત્મક રીતે જુએ પણ ખરા! કાર્યક્રમની શરૂઆતમાં લેખિકા મમતા પટેલ રજૂ થયાં. તેમણે તેમની નવલકથા 'ધખતો સૂરજ'ની સર્જનપ્રક્રિયા વિશે વાત કરતાં કહ્યું , ' નવલકથા લખવી આસાન નથી.મેં એક એક શબ્દને ચૂંટ્યો અને એ બધાંજ શબ્દોને મોતીની જેમ એક માળામાં પરોવતી ગઈ અને પહેલી નવલકથા લખાઈ 'ધખતો સૂરજ'. આપણે ખુદને ભૂલીને બીજા પાત્રોમાં ભળી જવું પડે છે. એમાં કલ્પનાઓના રંગો ભરવા પડે છે. ઘણીવાર હું દિવસો સુધી કંઈ લખી ન શકું ને ઘણીવાર એટલો મૂડ આવી જાય કે કલમ સડસડાટ ઉપડે ને લખ્યા જ કરું.તેઓ કહે છે મારી આસપાસ કંઈ ઘટના બને કે હું તરત ડાયરીમાં લખી લેતી. ને એમાંથી સમયાંતરે વાર્તાને ઓપ આપતી.મમતાબેન તેમનાં લેખન કાર્ય વિશે જણાવતાં કહે છે ,' લેખિનીએ મને લખતી કરી.એ થકી હું આજે ચાર પુસ્તકોનું સર્જન કરી શકી. મારી સર્જન પ્રક્રિયામાં લેખિનીનો મહત્વનો ફાળો છે. મારા પરિવારનું પણ ખૂબ મહત્વનું યોગદાન છે.મારી વાર્તાઓ અખબાર તથા સામાયિકોમાં અવાનવાર પ્રકાશિત થતી રહે છે, પુરસ્કાર મળતા રહે છે ને હું પ્રોત્સાહિત થતી રહું છું' મમતાબેને એમની સર્જન પ્રક્રિયા વિશે ટૂંકમાં જણાવી એમની નવલકથાના અમુક અંશોનું વાચિકમ કર્યું. એમની બંન્ને દીકરીઓ પણ હાજર હતી. ત્યારબાદ નવલકથા 'ધખતો સૂરજ'નું વિવેચન જાણીતા વાર્તાકાર,વિવેચક તેમજ સંપાદક કિશોરભાઈએ કર્યું .' 'ધખતો સૂરજ ' પ્રેમકથા છે , ત્યાગ અને સમર્પણની કથા છે ,ત્રીજી વ્યક્તિ કથન કેન્દ્ર પદ્ધતિએ અને પારંપરિક સ્વરૂપમાં રજૂ થયેલી નવલકથા નાયિકાનાં મનોભાવને ધ્યાનમાં રાખીને લખાઈ છે. નાયિકા મીનુ સંવેદનશીલ છે. એ દ્રષ્ટિકોણથી વાર્તાની રજુઆત થઈ છે.નવલકથામાં નવીનતા એ છે કે વાર્તાનો અંત શરુમાં જ આપી દીધો છે.આરંભથી અંત સુધી લેખિકા વાચકને વાર્તારસમાં જકડી રાખવામાં સફળ રહ્યાં છે.' વાચિકમમાં જે નોંધનીય આલેખન રજૂ થયું એ પણ માણો. 'આપણું જીવન પણ સેન્ડવીચ જેવું જ છે ને, કેટકેટલું પીસાઈ જાય છે. જીવન બે સંબંધો વચ્ચે, ક્યારેક બે વ્યક્તિઓ વચ્ચે તો ક્યારેક બે વ્યક્તિઓની અલગ અલગ સમજણ વચ્ચે પીસાય છે ' ૧૬૦ પાનાની નવલકથામાં ક્યાંય વિરામ આવતો નથી, એ સળંગ કહેવાઈ છે એ વાત કિશોરભાઈએ નોંધી. સંચાલનનો આગળનો દોર હાથમાં લેતાં સંજય પંડ્યા કહે છે પચાસ કે એંસી વર્ષ પહેલાં જે લખાતું હતું તેનો વાચક વર્ગ વધુ હતો. કેમ કે પહેલાં રેડીઓ, ટીવી, મોબાઈલ જેવાં કોઈ માધ્યમો ન હતાં. માટે વાંચન તરફ લોકો વધુ વળતાં. આજે અનેક માધ્યમો ઉપલબ્ધ છે માટે વાંચન તરફ લોકો વળતાં નથી. નવલકથા લખાવી પણ ઓછી થઈ છે. સંજયભાઈએ બીજા લેખક અનિલ રાવલનો ટૂંકમાં પરિચય એમના શબ્દોમાં જ આપતાં કહ્યું: 'માણસની ઓળખ એક જ રહે, પણ વરસો વીતે એમ એમનો પરિચય બદલાતો રહે છે.' અનિલભાઈ તેમની સર્જન પ્રકિયા વિશે જણાવતાં કહે છે , 'સપનાં કંઈ ઓર હતાં પણ જિંદગીની નાવ બીજે જ લાંગરી. મૂળ નાટક અને સંગીતનો જીવ. અભિનયમાં ઊંડી રુચિ.એ બધું થોડો સમય થયું. બી. કોમ થયો પણ આંકડાઓ સાથે બિલકુલ જામ્યું નહીં .મારા ખાસ મિત્ર ,પત્રકારત્વની લાંબી મજલના સાથી પ્રફુલ શાહે થોડાં વરસો પહેલાં હિન્દીમાં લખેલી એક કાપલી મારા હાથમાં મૂકી અને કહ્યું; આના પરથી નવલકથા લખી શકાય પણ ઘણું રિસર્ચ કરવું પડે. કાપલી સાચવીને મૂકી દીધી. પત્રકારત્વનો જીવ એમ થોડો બેસી રહે ? જાસૂસીતંત્ર, એની ગુપ્ત કામગીરી વિશે રિસર્ચ કર્યું. ખૂબ વાચ્યું,શોધ્યું અને ટપકાવ્યું. મારે કેટલાંક સત્યો કાલ્પનિક રૂપે ઉજાગર કરવાં હતાં.અને ફાઈનલી વિદેશી ધરતી પર રહીને, જીવ હથેળી પર રાખીને દેશકાજે દેશની સલામતી માટે ગુપ્ત કામગીરી બજાવવા નીકળી પડેલા આપણાં અનામી એજન્ટોની દિલધડક રોમાંચક વાત બયાં કરતી નવલકથા ' ઓપરેશન તબાહી' નું અવતરણ થયું. સત્ય ઘટનાની એક નાનકડી કાપલીએ નવલક્થાનું સ્વરૂપ લઈ લીધું. એમ અનિલભાઈએ સર્જન પ્રક્રિયા વિશે ખૂબ રસપ્રદ વાત કરી.ને એમણે મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવેનો પણ આભાર માન્યો. અનિલભાઈ કહે છે કે વાર્તા લખો ત્યારે વાર્તાનો અંત પહેલાં મગજમાં હોવો જોઈએ તો તમે સારી વાર્તા લખી શકો. ત્યારબાદ કવિ,વાર્તાકાર તેમજ વિવેચક સંદીપભાઈ ભાટિયાએ 'ઓપરેશન તબાહી' નવલકથાનું વિવચન કરતાં કહ્યું, ' ડિટેક્ટિવ નવલકથા લખો તો વાચકો ભરપૂર મળે પણ ઇનામો ન મળે. આ નવલકથામાં દરેક પાત્રો યુનિક છે. એટલાં બધાં પાત્રો છે કે હું નામ ભૂલી જાઉં, મારે અનિલભાઈને ફોન કરવો પડે. એમણે શોલે ફિલ્મ સાથે સરખામણી કરતાં કહ્યું એમાં પણ ઘણાં પાત્રો છે પણ બધાંજ પાત્રો યુનિક છે. એમ 'ઓપરેશન તબાહી' નવલકથામાં પણ દરેક પાત્રોને ન્યાય મળ્યો છે. આ નવલકથા પરથી ચારથી પાંચ ફિલ્મ તો બની જ શકે. સતાવન પ્રકરણ સુધી લેખક દોડાવે છે. આપણે હાંફ્યા વગર દોડતા રહીએ ,વાંચતા રહીએ ,મૂકવાનું મન ન થાય એટલી સરસ નવલકથા છે.' પ્રશ્નોતરીનો દોરમાં ત્રણ ચાર પ્રશ્નો શ્રોતા તરફથી આવ્યા જેના સંતોષકારક જવાબ બંન્ને લેખકોએ આપ્યા. કવિ વાર્તાકાર સતીશ વ્યાસ, હેમંત કારિયા, કલાકાર અરવિંદ વેકરિયા, પ્રતિમા પંડ્યા, નીલાબેન સંઘવી, પ્રીતિ જરીવાલા,ગીતા ત્રિવેદી,સ્મિતા શુકલ,પૂર્ણાબેન મોદી,અંજના ભાવસાર,જ્યોતિ ઓઝા,અનિલભાઈ રાવલના પત્ની ગોપીબેન , સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેન્દ્રભાઈ રાવલ તથા અન્ય ભાવકો અને ચાહકોની હાજરી હતી . કવિ સંજય પંડ્યાએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અહેવાલ : સ્મિતા શુકલ

read more

કલા ગુર્જરી સંસ્થા શાસ્ત્રીય ગાન તેમ જ કચ્છ કલા ઉત્સવનું આયોજન

કલા ગુર્જરી સંસ્થા શાસ્ત્રીય ગાન તેમ જ કચ્છ કલા ઉત્સવનું આયોજન

કલા ગુર્જરી સંસ્થા દ્વારા દુર્ગાદેવી, સરાફ ગુર્જર ગીત-શાસ્ત્રીય ગાન સ્પર્ધા- ૨૦૨૪નું આયોજન થયેલ છે. સંસ્થાનાં કાર્યાલય દશરથલાલ જોશી પુસ્તકાલય ભવન, ડી.જે. સ્ટેશન રોડ, વિલેપાર્લે, મુંબઈ ખાતે યોજાનારી આ સ્પર્ધાનો સેમિ ફાઈનલ રાઉન્ડ તા. ૪/૮/૨૪ના તથા ફાઇનલ રાઉન્ડ ૧૧/૮/૨૪ના દિવસે આયોજિત છે. ગાયનશૈલી શાસ્ત્રીય અને સુગમ રાખવામાં આવી છે. આ સ્પર્ધા જુદા જુદા ચાર વિભાગમાં યોજાશે, જેમાં કિશોર વિભાગ (૫થી ૧૫ વર્ષ), યુવા વિભાગ (૧૬થી ૪૦ વર્ષ), વયસ્ક વિભાગ (૪૧થી ૫૯ વર્ષ) તથા સિનિયર સિટીઝન વિભાગ (૬૦થી ઉપરના). આ સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા લોકોએ તા. ૩૧/૭ સુધી સંસ્થાના ફોન નં. ૯૫૯૪૨ ૬૧૯૬૦નો સંપર્ક કરવા ગુર્જર ગાન પેટા સમિતિના અધ્યક્ષ ડો. દિવ્યકાંત આચાર્ય, સંસ્થાના પ્રમુખ હેમાંગ થગલા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ત્રિવેદી તથા મંત્રી પ્રણવ ભગતની યાદીમાં જણાવાયું છે. આ સાથે જ આ સંસ્થા દ્વારા કચ્છ કલા મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે. કચ્છ કલા મહોત્સવનું આયોજન રવિવાર, ૨૮મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યે અને નાણાવટી હૉસ્પિટલ ઑડિટોરિયમ, એસ.વી. રોડ, વિલે પાર્લે- પશ્ચિમમાં કરાયું છે. આ પ્રસંગે પૂર્વી કલાકેન્દ્ર ગ્રુપ ભુજ - કોરિયોગ્રાફર શૈલેશ સિંઘલ, પંચાલ ગ્રુપ મંડળ થાન, સુરેન્દ્રનગર- કોરિયોગ્રાફર યોગેશ પારડિયા ભાગ લેશે. સ કાર્યક્રમમાં કચ્છના રબારી અને ગઢવી કુટુંબની દીકરીઓ લોકનૃત્ય રજૂ કરવાની છે. પ્રવેશ નિઃશુલ્ક છે. વધુ માહિતી માટે મો. નં. ૯૫૯૪૨૬૧૯૬૦ ઉપર સંપર્ક કરવો.

read more

આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટમાં 'ઈશા રૂમી': બિયોન્ડ ફોર્મ પ્રસ્તુત થશે

આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટમાં 'ઈશા રૂમી': બિયોન્ડ ફોર્મ પ્રસ્તુત થશે

આગામી ૧૩ જુલાઈના રોજ સાંજે ૭ વાગ્યે, નહેરુ સેન્ટર ઑડિટોરિયમમાં સુનાદ ગ્રુપના કલાકરો ઈશા રૂમી પરફોર્મ કરશે. ઈશા રૂમી સંગીત અને નાટકનો અદ્ભુત સમન્વય છે. ઈશાવાસ્યમ હિન્દૂ પુરાણમાં સૌથી વધારે મહત્વ ધરાવતું ઉપનિષદ છે, INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સ દ્વારા આ નાટક ખૂબ સુંદર રીતે ભજવાશે. ઈશા રૂમી : બિયોન્ડ ફોર્મ, એ બે ગહન આધ્યાત્મિક ગ્રંથોનું અસાધારણ સંયોજન છે, જે ધ્રુપદની ભારતીય સંગીત પરંપરા દ્વારા જીવંત કરવામાં આવશે, ગાયકોનું સુમધુર જૂથ મનમોહક કળા પાથરશે અને એ અભિવ્યક્તિ ટાણે, સમય સ્થગિત લાગશે. આ અનુભવ પ્રેક્ષકો માટે તદ્દન નવો હશે. આ નાટ્યરચનામાં ૧૮ ઈશાવાસ્યમના શ્લોક લેવામાં આવ્યા છે, તેમાં મુખ્યત્વે દરેક વસ્તુમાં પરમાત્માનો વાસ, વ્યક્તિઓમાં ત્યાગની લાગણી તેમ જ આત્મજ્ઞાનની અનુભૂતિ દર્શાવી છે, પ્રખ્યાત સૂફી કવિ જલાલુદ્દીન રૂમી દ્વારા લખાયેલ મસનવી એક કાવ્યાત્મક માસ્ટરપીસ છે જે આત્માની રહસ્યમય યાત્રા અને દૈવીત્યના પ્રેમ અને હૂંફની શોધમાં છે.

read more

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જૂની રંગભૂમિના ગીતોની શિબિર

વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જૂની રંગભૂમિના ગીતોની શિબિર

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી યુવાનો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવા આયોજનમાં સતત વિવિધતા લાવે છે. આ વખતે અકાદમીએ વિદ્યાર્થીઓ તથા યુવાનો જૂની રંગભૂમિના ગીતો સમજે, માણે અને સાથે ગાવાની તાલીમ પણ લે એ માટે એક શિબિરનું આયોજન કર્યું છે. ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલયના સહયોગમાં આ શિબિરનું આયોજન ૧૧ અને ૧૮ જુલાઈએ સવારે ૧૦.૩૦ વાગ્યે કાલિદાસ સભાગૃહ, પહેલો માળ, ક.જે. સોમૈયા કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય, વિદ્યાવિહાર (પૂર્વ) ખાતે યોજાશે. શિબિરનું સંચાલન વરિષ્ઠ કલાકાર ઉત્કર્ષ મઝુમદાર કરશે. એમની સાથે ગીતોની રજૂઆત માટે અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મઝુમદાર તથા વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જોડાશે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાના છે તથા સોમૈયા મહાવિદ્યાલય તરફથી ડૉ. હિતેશ પંડ્યા અને ડૉ. પ્રીતિ દવેએ સંકલનમાં પોતાનું યોગદાન આપ્યું છે. શિબિરમાં સારી સંખ્યામાં વિવિધ શાળા કૉલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ નોંધણી કરાવી છે, પરંતુ હજી કેટલાક ભાવકોનો સમાવેશ શક્ય છે. નોંધણી માટે સંજય પંડ્યાનો 98210 60943 વ્હોટસએપ મેસેજથી જ સંપર્ક કરવો.

read more

સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા સમાજ (સુરત)ના ૭મા સ્નેહ મિલન સમારોહનું સુપેરે આયોજન, જાણો વિગતે

સંત શ્રી રોહીદાસ વંશી વઢિયારા સમાજ (સુરત)ના ૭મા સ્નેહ મિલન સમારોહનું સુપેરે આયોજન, જાણો વિગતે

૭ મો સ્નેહ મિલન સમારોહ આપ સર્વે આયોજકોને હાર્દિક અભિનંદન સાથે જણાવવાનું કે આપ દ્વારા તા.૦૬/૦૭/૨૦૨૪ ના શનિવારે આયોજિત ૭ મો સ્નેહ મિલન સમારોહ ખૂબ જ સરસ સુવ્યવસ્થિત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઉપયોગી શૈક્ષણિક આયોજન કરવામાં આવ્યું હતુ તેમાં સ્થાનિક રહેવાસીઓ અને જ્ઞાતિજનોએ મહેમાનોએ નાના ભૂલકાઓ થી લઈને વડીલોએ ભારી ઉત્સાહથી આ કાર્યક્રમ માં લાભ લીધો હતો સ્થાનિક સમાજ ના તમામ રહેવાસી ,હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને કાર્યકર્તા,દાતાઓનો આભાર જેમણે તન,મન,ધનથી સાથ સહકાર આપ્યો અને કાર્યક્રમને શાંતિ પૂર્વક પાર પાડ્યો તે બદ્દલ સર્વેનો હૃદય પૂર્વક ફરીથી ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં માં મુંબઈ થી પરમ પૂજ્ય સંત શિરોમણી રોહીદાસ વંશી વઢિયારા ચમાર સમાજ ના ઊપ સેક્રેટરી ભવાનભાઈ ડોડિયા તથા ઊપ ખજિનદાર જીવાભાઈ સોલંકી એ હાજરી આપી હતી સાથે મુંબઈ ની શ્રી બાબા રામદેવ પીર નવયુવક સેવા સંસ્થા ના અધ્યક્ષ દિનેશભાઈ સોલંકી તથા શ્રી ગુજરાતી સંકલ્પ સેવા સંસ્થા સમૃહ લગ્ન કમેટી ના પ્રમુખ હરેશભાઈ પરમાર તથા નવસમર્થન પ્રતિષ્ઠાન ના આલજીભાઈ ગોદાવરીયા તથા રાજેશભાઈ હાજર રહ્યા હતા સાથે ૨૧૨ વઢિયારા સમાજ ના પ્રમુખ રામજીભાઈ ચાવડા તથા ખજિનદાર મોહનભાઈ રાઠોડ પણ હાજર રહ્યા હતા અમદાવાદ થી રાઘવભાઈ સિંગલ ની પણ હાજરી હતી અને સુરત સંત રોહીદાસ વંશી વઢિયારા સમાજ ના પ્રમુખ અરવિંદભાઈ પરમાર અને એમની આખી ટીમ તથા સુરત યુવા ટીમ ની મહેનતથી આ કાર્યક્રમ સફળ થયો હતો

read more

'ઝરૂખો 'માં ' બે નવલકથા '  વિષય પર ગોષ્ઠિ

'ઝરૂખો 'માં ' બે નવલકથા ' વિષય પર ગોષ્ઠિ

'કરણ ઘેલો ' થી લઈને આજ સુધી નવલકથા લેખનક્ષેત્રે ઘણા પડાવ આવ્યા છે. કનૈયાલાલ મુનશી, ર.વ.દેસાઈના યુગ પછી સારંગ બારોટ, ચન્દ્રકાન્ત બક્ષી, વિઠ્ઠલ પંડ્યા, રઘુવીર ચૌધરી, દિનકર જોષી, વર્ષા અડાલજા, હરકિસન મહેતા, ભગવતીકુમાર શર્મા, ઈલા આરબ મહેતા, વીનેશ અંતાણી, ધ્રુવ ભટ્ટ , રજનીકુમાર પંડ્યા પોતાની નવલકથાઓ દ્વારા વાચકોના હૃદયમાં વર્ષોથી સ્થાયી છે. બિન્દુ ભટ્ટ, કાનજી પટેલ, ધીરેન્દ્ર મહેતા કે અશોકપુરી ગોસ્વામીએ નવલકથા ક્ષેત્રે કળાત્મકતા દેખાડી છે તો તાજેતરનાં વર્ષોમાં કાજલ ઓઝા વૈદ્ય વાચકોમાં પ્રિય થયાં છે. આજની નવલકથામાં મુંબઈના બે નવલકથાકાર શું આલેખે છે એ સમજવાનો સાહિત્યિક સાંજ 'ઝરૂખો માં પ્રયત્ન થશે. ૬ જુલાઈ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ' બે નવલકથા ' વિષય પર ગોષ્ઠિ થશે. સાડા ત્રણ દાયકા સુધી પત્રકારત્વ સાથે જોડાયેલા લેખક અનિલ રાવલ એમની નવલકથા ' ઑપરેશન તબાહી ' ની સર્જનપ્રક્રિયા વિશે વાત કરી વાચિકમ પણ કરશે. જાણીતા કવિ વાર્તાકાર સંદીપ ભાટિયા 'ઑપરેશન તબાહી' નવલકથા વિશે વાત કરશે. અનિલ રાવલે પોઈઝન માઈન્ડ્સ , થેન્ક યુ મિલોર્ડ, તીરંદાજ અને ત્રિકાળ જેવી નવલકથાઓ આપી છે. લેખિકા મમતા પટેલ પણ પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરશે.એમની બે નવલકથાઓ આવી છે, 'ધખતો સૂરજ' તથા 'ને સંધ્યા ખીલી ઊઠી'. એમનો એક વાર્તાસંગ્રહ પણ પ્રકાશિત થયો છે.' ધખતો સૂરજ ' નવલકથા વિશે જાણીતા વાર્તાકાર તથા વિવેચક કિશોર પટેલ વાત કરશે. સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. સર્વ સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે.કાર્યક્રમના અંત ભાગમાં શ્રોતાઓ પ્રશ્નો પણ પૂછી શકશે.

read more

વિનસ કિશોરભાઈ સંઘવીની કલાકૃતિઓનું જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું

વિનસ કિશોરભાઈ સંઘવીની કલાકૃતિઓનું જહાંગીર આર્ટ ગેલેરીમાં પ્રદર્શન યોજાયું

વિલે પારલેના જાણીતા જૈન અગ્રણી શ્રી કિશોરભાઈ ભીમજીભાઇ સંઘવીના સુપુત્રી કુ. વિનસ સંઘવીના આર્ટવર્ક એક વિઝ્યુઅલ સેમ્ફની છે,જે ઓર્કેસ્ટ્રલ એબ્સ્ટ્રેક્શનના સ્તરો દ્વારા તેના અનુભવોને પ્રતિબિંબિત કરે છે. તેણીની કલાત્મક રચનાઓ એકરૂપતાના અર્થને વ્યક્ત કરે છે, છુપાયેલ અથવા પ્રગટ થાય છે, વિશિષ્ટ સ્તરોમાં કેડેન્સ્ડ પેટર્ન અને ડિઝાઇન રચે છે. તેણીની કલાકૃતિઓ રંગો, આકારો, સ્ક્રિપ્ટો, સૌંદર્યલક્ષી લખાણ અને શબ્દોના અમૂર્તતા સાથેના ભાવો રજૂ કરે છે. રેઝોનન્સ, સ્ક્રિપ્ટો, ગ્રંથો, કોતરણી, ઐતિહાસિક સ્મારકોની કોતરણી પ્રત્યેના તેણીના પ્રેમને લોકોએ જોઈને ખૂબ ગમાડ્યો. જે તેણીના જીવનના અનુભવોની અભિવ્યક્તિ છે, ચિત્રો તેણીની માટે એક સંવેદના, એક વિચાર, એક લાગણી જન્માવે છે. તેણીની દરેક પેઇન્ટિંગ એક સંવેદના, એક વિચાર અથવા લાગણીનું ઉત્તેજિત કરે છે જે કલાકાર દર્શક અને પેઇન્ટિંગ વચ્ચે એક બોન્ડ બનાવે છે. તાજેતરમાં વિવિધ કલાકૃતિઓનું જહાંગીરાટ ગેલેરીમાં 10થી 16 જુન સુધી ઉજવવામાં આવ્યું હતું જેમાં પ્રેક્ષકો કલા પ્રેમીઓ અને પ્રસન્ન થયા હતા. વિનસ સંઘવી પોતે જે કાંઈ કલાકૃતિઓની ઉપજ થાય છે તેમાંથી જરૂરિયાત મંદ સંસ્થાઓમાં અમુક રકમનું દાન કરીને સંતોષ અનુભવે છે.

read more


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK