Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ'નું ટ્રેલર લોન્ચ- દિગ્ગજ કલાકારોની હાજરી

મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા ફિલ્મ 'સંઘવી & સન્સ'નું ટ્રેલર લોન્ચ- દિગ્ગજ કલાકારોની હાજરી

મુંબઈના અંધેરીમાં સ્થિત જાણીતા ક્લબ ખાતે ફિલ્મ અને મીડીયા જગતની હસ્તીઓની ખાસ ઉપસ્થિતિમાં આ સમારંભ યોજાયો હતો. આગામી ૧૮ જુલાઇના રોજ રીલીઝ થઇ રહેલી મલ્ટી સ્ટારર ગુજરાતી મેગા અને સંપુર્ણ પારિવારિક ફિલ્મ 'સંઘવી & સન્સ' નું ટ્રેલર મુંબઇના અંધેરી સ્થિત જાણીતા ક્બબ ખાતે થયું. ફિલ્મ અને મીડીયા જગતના દિગ્ગજોની ખાસ ઉપસ્થિતિ રહી હતી.પદ્મશ્રી મનોજ જોષી, ક્યોંકી સાસભી કભી બહુથી ફેમ હીતેન તેજવાણી, ગૌરવ પાસવાલા, કોમલ ઠક્કર, ધર્મેશ વ્યાસ, નિસર્ગ ત્રિવેદી સહિત ૩૮થી વધુ જાણીતા કલાકારોને લઈને તૈયાર થયેલી આ મોટા બજેટની મેગા ફિલ્મનું શુટીંગ અમદાવાદ સહિત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નસ્થળ માધવપુર અને વૃન્દાવન ખાતે કરવામાં આવ્યું છે. અત્યારથી જ ચર્ચાઓમાં રહેલી આ ફિલ્મના લેખક/દિગ્દર્શક છે ચંદ્રેશ ભટ્ટ તથા નિર્માતાઓ છે અનેક ફિલ્મોના અનુભવી અને GTPLના ડીરેક્ટર રાજુ રાયસિંઘાણી, આનંદ ખમાર, આકાશ દેસાઈ, અંકુર અઢીયા, સંજય ભટ્ટ અને હેત દોશી.

read more

આદિત્ય ઠાકરે જહાંગીર આર્ટ ગૅલૅરી ખાતે IAS નિધિ ચૌધરીના કલા પ્રદર્શનમાં પહોંચ્યા

આદિત્ય ઠાકરે જહાંગીર આર્ટ ગૅલૅરી ખાતે IAS નિધિ ચૌધરીના કલા પ્રદર્શનમાં પહોંચ્યા

પર્યાવરણ સંરક્ષણ આજના સમયનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. ચિત્રકામ આ વિષય પર જનજાગૃતિ માટે એક અસરકારક માધ્યમ બની રહ્યું છે. મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી અને નેશનલ ગૅલૅરી ઑફ આર્ટના ડિરેક્ટર નિધિ ચૌધરીની પેઇન્ટિંગ માત્ર પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવાની સાથે વર્તમાનની વાસ્તવિકતાને પણ અસરકારક રીતે રજૂ કરે છે, એમ વર્લીના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. મુંબઈની પ્રખ્યાત જહાંગીર આર્ટ ગૅલૅરીમાં આયોજિત નિધિ ચૌધરીના કલા પ્રદર્શનની મુલાકાત લેતા, ધારાસભ્ય ઠાકરેએ સામાજિક દ્રષ્ટિકોણથી પ્રેરિત તેમના પેઇન્ટિંગની પ્રશંસા કરી. વહીવટી જવાબદારીઓ સાથે પોતાની કલાને વહાલ કરતી નિધિ ચૌધરી પોતાની પેઇન્ટિંગ દ્વારા પર્યાવરણ વિષય પર મહત્ત્વપૂર્ણ સંદેશા આપી રહી છે. આ પ્રદર્શનમાં 40 પેઇન્ટિંગનો રાખવામાં આવી છે જે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ અને વૈશ્વિક વાર્તાઓ અને લોકવાયકાઓ પર આધારિત દ્રશ્યો રજૂ કરે છે. આ પેઇન્ટિંગ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, સંવેદનશીલતા અને મહાપુરુષોના વિચારોની ઝલક આપે છે. આ કલા નાગરિકો સાથે સીધી વાતચીત કરે છે અને તેમને વિચારવા માટે મજબૂર કરે છે, એમ આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું.

read more

અમદાવાદમાં ગુજરાતી બાળ-સાહિત્ય અનુવાદ કાર્યશાળાનું આયોજન

અમદાવાદમાં ગુજરાતી બાળ-સાહિત્ય અનુવાદ કાર્યશાળાનું આયોજન

નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (એનબીટી) દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગુજરાતી અનુવાદ કાર્યશાળાનું ઉદ્ઘાટન શુક્રવાર, 13 જૂને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના બોર્ડરૂમ ખાતે થયું. પ્રખ્યાત ગુજરાતી લેખક અને પ્રથમ સાહિત્ય અકાદમી બાલ સાહિત્ય પુરસ્કાર પ્રાપ્તકર્તા શ્રી યશવંત મહેતાએ મુખ્ય અતિથિ તરીકે કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું અને બાળકો માટે અનુવાદિત સાહિત્યની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. આ પ્રસંગે બોલતાં એનઆઈડીના ડિરેક્ટર ડૉ. અશોક મૌડલે સાહિત્યની દુનિયા અને ડિઝાઇનિંગ વચ્ચેના ઊંડા જોડાણો અને રાષ્ટ્રીય જીવનમાં પુસ્તકો કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. એનબીટીના મુખ્ય સંપાદક અને સંયુક્ત નિયામક શ્રી કુમાર વિક્રમે વાંચનની સંસ્કૃતિ બનાવવાના એનબીટીના મુખ્ય ઉદ્દેશના કેન્દ્રબિંદુ અને પુસ્તકો દ્વારા રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવામાં આ અનુવાદ કાર્યશાળાઓ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના પર ભાર મૂક્યો. ટ્રસ્ટના સંપાદક (ગુજરાતી) શ્રી ભાગ્યેન્દ્ર પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું અને ટ્રસ્ટના નવાં પુસ્તકો વિશે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું. ગયા ગુરુવારે અમદાવાદ શહેરમાં થયેલ કરુણ વિમાન દુર્ઘટનામાં થયેલા મૃતકોની ​​યાદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસીય વર્કશોપ દરમિયાન 20 પ્રખ્યાત તેમ જ યુવા લેખકો/અનુવાદકોનું જૂથ આશરે 100 પુસ્તકોનો અનુવાદ તૈયાર કરશે અને નવાં પુસ્તકોનું નિર્માણ કરશે. શ્રી અનિલ રાવલ, શ્રી રવિન્દ્ર અંધારિયા, સુશ્રી કાશ્યપી મહા, શ્રી પરીક્ષિત જોશી, શ્રી બ્રિજેશ પંચાલ, સુશ્રી સુરેખા રાઠવા, ડૉ. અનિલ ચૌહાણ, શ્રી સાહેબરાવ પાટીલ, સુશ્રી બકુલા પરમાર, ડૉ. હિના મિસ્ત્રી અને શ્રી વિષ્ણુ સુથાર જેવા અનુભવી અને ભાષા નિષ્ણાત વિદ્વાન અનુવાદકો કાર્યશાળામાં ભાગ લઈ રહયાં છે.

read more

'નવલકથાની સર્જનકથા - વિચારથી વિમોચન સુધી' વિષય પર વર્ષા અડાલજાએ સુંદર વક્તવ્ય આપ્યું

'નવલકથાની સર્જનકથા - વિચારથી વિમોચન સુધી' વિષય પર વર્ષા અડાલજાએ સુંદર વક્તવ્ય આપ્યું

તા. ૧૧ જૂન ૨૦૨૫ના રોજ સાંજે મુ. ભવન્સના ઉપક્રમે ગીતા મંદિરના હૉલમાં આદરણીય વર્ષાબહેન અડાલજાના ચાહકો અને સાહિત્યરસિકોની મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. અવસર જ એવો હતો કે વર્ષાબહેન પોતે પોતાની નવલકથાઓની સર્જનયાત્રામાં વિચારથી વિમોચન સુધીની વાત કરવાનાં હતાં. ભાઈશ્રી નિરંજન મહેતાએ સહુને આવકારી કાર્યક્રમની પ્રાસ્તાવિક ભૂમિકા બાંધી અને વધુ સમય ન લેતાં ડૉ. પ્રીતિબહેન જરીવાલાને મંચ પર એકોકિત ભજવવા આમંત્રણ આપ્યું. મૂળે કલાકાર, વ્યવસાયે ડૉક્ટર અને લેખિની સંસ્થા-મુંબઈનાં અધ્યક્ષ ડૉ. પ્રીતિબહેન જરીવાલાએ વર્ષાબહેનની નવલકથા 'રેતપંખી'ની નાયિકા સુનંદાની એકોકિત ભજવી, થોડી મિનિટો માટે સુનંદાને મંચ પર હૂબહૂ જીવંત કરી બતાવી. સર્જકની પ્રત્યક્ષ જ એમનાં એક પાત્રને ભજવી બતાવવું એ એક પડકાર ઉપરાંત અણમોલ ઘડી કહેવાય. પ્રીતિબહેન સાંગોપાંગ પાર ઊતર્યાં. પ્રીતિબહેને કહ્યું, છ દાયકાની સુદીર્ઘ, સફળ સર્જનયાત્રામાં આદરણીય વર્ષાબહેને નાટકો, પ્રવાસ સંપાદન, નવલિકાસંગ્રહો, નવલકથાઓનાં પુસ્તકો અને આત્મકથાનું એક પુસ્તક પણ આપ્યું છે. હજી પણ તેમની કલમ અવિરત ચાલ્યા કરે છે. અત્યારે તેમનાં ત્રણ પુસ્તકો - બાણ શય્યા અને બે વાર્તાસંગ્રહ પ્રેસમાં છે. તેઓ લેખિકા તો છે જ પણ એક સફળ અભિનેત્રી પણ રહ્યાં છે. તેઓની સફળતા આછળ તેમની સર્જન પ્રત્યેની સમર્પિત ભાવના રહી છે. કથાબીજનાં પાત્રની વ્યથા કથા, સંવેદના સમજવા તેઓ જાતે એની સાથે રહ્યાં છે. અઢળક સંશોધન કર્યું છે. એક ૠજુ હ્રદય જ એ સંવેદનાને આત્મસાત કરી કોરા કાગળને વાચા આપી શકે છે. ઘરથી દૂર રહીને વાર્તાસર્જન દ્વારા સમાજિક પ્રશ્નોનો ઉકેલ લાવી સમાજની સેવા કરી છે. આમ, સમાજ અને ગુજરાતી સાહિત્યની અમૂલ્ય સેવા કરી છે. એમણે સામાજિક તેમ જ રહસ્યકથાઓ પણ લખી છે, જેના પરથી ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકો પણ ભજવાયા છે. લેખિકા તરીકે તેમણે અંધારા ખૂણામાં દીવો પ્રગટાવવાનું કામ કર્યું છે. નવલકથાના વિચારથી વિમોચન સુધીનો વાર્તાલાપ શરૂ કરતાં વર્ષાબહેને કહ્યું, મને બહુવાર એક સવાલ પુછાયો છે કે તમને વિચાર કે કથાબીજ ક્યાંથી મળે છે? તેઓ કહે છે, કથાબીજ કે વિચાર તો આપણી આજુબાજુમાંથી મળી જતાં હોય છે, એને પામવું પડે. 'રેતપંખી' નવલકથાનું ઉદાહરણ આપી કહ્યું કે તેમણે નાનપણમાં એક પ્રૌઢ પુરુષ અને તેની પાછળ ચાલી આવતી યુવાન સ્ત્રીને તેમનાં ઘર પાસેથી પસાર થતાં જોયેલાં. બસ આ દૃશ્ય તેમનાં મનમાં અંકિત થઈ ગયું ને જ્યારે વર્ષો પછી નવલકથા લખવાની આવી ત્યારે તેમણે આ બે પાત્રોની આસપાસ કથાને વિસ્તારી. આવું કોઈ બીજ અંદર અંદર ધરબાયેલું પડ્યું હોય અને ક્યારે અંકુરિત થાય તે કહેવાય નહીં. કથાબીજને ખાતર-પાણી કેવું આપવું તે સર્જક ઉપર છે. સાધારણ વસ્તુને વિશેષરૂપે રજૂ કરવી એ કાબેલ સર્જકનું કામ છે. તેઓ કહે છે સાહિત્યએ મારા જીવનનું ઘડતર કર્યું અને નવલકથાઓએ મને અઢળક આપ્યું, એ ઈશ્વરના આશીર્વાદ છે. વર્ષાબહેને સતત એક કલાકથી વધુ સમય સુધી ઊભાં રહીને વગર થાક્યે વક્તવ્ય આપ્યું. ભાવકો એમની અનુભવવર્ષામાં તરબતર થઈને આનંદની લાગણી સાથે છૂટાં પડ્યાં. (અહેવાલ સાભાર લેખિકા શ્રીમતી જ્યોતિ હિરાણી અને મીનાક્ષી વખારિયા)

read more

મુંબઈમાં સિનિયર સિટીઝન માટે ફર્સ્ટ પિઝા મેકિંગ વર્કશૉપ તે પણ કાંદિવલીમાં, જાણો વિગતો

મુંબઈમાં સિનિયર સિટીઝન માટે ફર્સ્ટ પિઝા મેકિંગ વર્કશૉપ તે પણ કાંદિવલીમાં, જાણો વિગતો

વિકેન્ડના આયોજનમાં એક સ્વાદિષ્ટ અનુભવ માટે ભારતના ૬૦+ સમુદાય માટે સમર્પિત જીવનશૈલી પ્લેટફોર્મ, GenS Life દ્વારા શનિવાર, ૧૪ જૂન ૨૦૨૫ ના રોજ પિઝેરિયાના કાંદિવલી આઉટલેટ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે એક વિશિષ્ટ પિત્ઝા મેકિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવશે. આ ખાસ અનુભવ સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી યોજાશે, જેમાં ભાગ લેનારને પિત્ઝા ડોવ રોલ કરવાની, તેમના ટૉપિંગ્સ પસંદ કરવાની, બેક કરવાની અને પોતાના હાથથી બનાવેલા પિત્ઝાનો આનંદ માણવાની તક મળશે - આ બધું પ્રોફેશનલ શૅફના એક્સપર્ટ માર્ગદર્શન હેઠળ. માત્ર ૧૨ સીટ માટે મર્યાદિત, આ ઇવેન્ટ ફક્ત ૬૦ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ ખુલ્લી છે, જે વરિષ્ઠ નાગરિકો માટે આરામદાયક, આકર્ષક વાતાવરણ સુનિશ્ચિત કરે છે. GenS Life ના સ્થાપક મીનાક્ષી મેનને જણાવ્યું હતું કે, “GenS Life માં, અમે માનીએ છીએ કે નવા અનુભવો શોધવા માટે ઉંમર કોઈ અવરોધ નથી. આ વર્કશોપ ફક્ત પિત્ઝા વિશે નથી - તે આનંદ, કનેક્શન અને કોઈપણ ઉંમરે કંઈક નવું શોધવાની સ્વતંત્રતા વિશે છે. વર્કશૉપ વિગતો: ? સ્થળ: 14°41° પિઝેરિયા, કાંદિવલી ? તારીખ: શનિવાર, 14 જૂન 2025 ⏰ સમય: સાંજે 4 થી સાંજે 6 વાગ્યા સુધી ?️ ટિકિટ કિંમત: બિન-સભ્યો માટે રૂ. 1799 | GenS Life ના સભ્યો માટે રૂ. 1299 ? ₹1000 (સ્થળ પર ચૂકવવાપાત્ર બેલેન્સ) સાથે પૂર્વ-નોંધણી જરૂરી છે. સ્થળ પર કોઈ બુકિંગ નહીં થાય. નોંધણી હવે GenS Life અને 14°41° પિઝેરિયાની સત્તાવાર સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા ખુલ્લી છે. રસ ધરાવતા સહભાગીઓ સાઇન અપ કરવા માટે 'લિંક ઇન બાયો' પર ક્લિક કરી શકે છે. (ધ્યાન આપો: આ એક Paid વર્કશૉપ છે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમનો તેમાં કોઈ સહભાગ નથી)

read more

શનિવારે 'ઝરૂખો'માં શ્રાવણનો પાઠ 'અને નદીષ્ટ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ

શનિવારે 'ઝરૂખો'માં શ્રાવણનો પાઠ 'અને નદીષ્ટ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ

રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે, 'અનંતતા તરફની આપણી ગતિને ધનસંપત્તિ નહિ પણ સ્વતંત્રતા અને આનંદ જોઈએ છે.' લાઓ ત્ઝુએ કહ્યું છે, 'પ્રકૃતિ કદી ઉતાવળ નથી કરતી અને છતાં ય બધું પૂર્ણ હોય છે' પ્રકૃતિ આપણને આપણી જાતનો પરિચય કરાવે છે. આપણે પ્રકૃતિના જ અંશ છીએ એટલે નદી, તળાવ, વૃક્ષો , પર્વતનું સાન્નિધ્ય માનવીને શાતા આપે છે. ડૉ. ઉર્વશી પંડ્યા અને ડૉ. હિતેશ પંડ્યા શનિવાર ૭મી જૂને, સાંજે ૭.૨૦ વાગ્યે ઝરૂખોની સાહિત્યિક સાંજ, પ્રકૃતિ સાથે જેનો નાળસંબંધ છે એવાં બે પુસ્તકો, 'શ્રાવણનો પાઠ' અને 'નદીષ્ટ' સાથે ભાવકોને પરિચય કરાવશે. ડૉ. હિતેશ પંડ્યાનાં મૂળિયાં સાબરકાંઠાની ધરતી અને લોકજીવન સાથે જોડાયેલાં છે. ત્યાંની પ્રકૃતિ અને સંસ્કૃતિ બેયનો પડઘો એમના નિબંધોમાં પડે છે. એમના નિબંધસંગ્રહ 'શ્રાવણનો પાઠ'( રંગદ્વાર પ્રકાશન)ના નિબંધો અને એની સર્જનપ્રક્રિયા વિશે તેઓ વાત કરશે. બીજું પુસ્તક છે 'નદીષ્ટ'- મરાઠી ભાષાના જાણીતા લેખક મનોજ બોરગાંવકરની નવલકથાનો ડૉ. ઉર્વશી પંડ્યાએ ઉમદા અનુવાદ કર્યો છે. નદી સાથે એક વ્યક્તિ ભાવાત્મક રીતે જોડાય છે એનાં માનસિક સંચલનો આ નવલકથામાં કલાત્મક રીતે આલેખાયાં છે. નદી ફક્ત કથાનાયકમાં જ નહિ પણ ભાવકમાં પણ વહેતી હોય એવી અનુભૂતિ થાય છે. આ પુસ્તક વિશે ડૉ. ઉર્વશી પંડ્યા વાત કરશે( ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન) બાદલ પંચાલ યુવાન વાર્તાકાર બાદલ પંચાલ આ પુસ્તકોના ગદ્યખંડનું વાચિકમ કરશે. પુસ્તકોનાં મુખપૃષ્ઠ સંજય પંડ્યાના સંચાલનમાં આ જાહેર કાર્યક્રમ છે અને ભાવકો આ અદભૂત સાંજને માણવા સાઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર , બોરીવલી પશ્ચિમના સરનામે પહોંચી શકે છે.

read more

કલાગુર્જરી અને મા આનંદમયી ફાઉન્ડેશન દ્વારા કવિસંમેલન સંપન્ન

કલાગુર્જરી અને મા આનંદમયી ફાઉન્ડેશન દ્વારા કવિસંમેલન સંપન્ન

કલાગુર્જરી (સ્થાપક સંસ્થા) તથા 'મા' આનંદમયી ફાઉન્ડેશન (ગુજરાત)ના સંયુક્ત ઉપક્રમે 'કવિતાનો કંસાર' કાર્યક્રમ તા.૩૧/૦૫/૨૦૨૫ શનિવારે સંપન્ન થયો. સંસ્થાના પ્રમુખ હેમાંગ જાંગલા મા. મંત્રી પ્રણવ ભગત અને અન્ય સભ્યોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સર્વ કવિઓનું અનોખી રીતે સ્વાગત કરાયું હતું. કવિયત્રી શિલ્પા શેઠ (શિલ્પ), કવિ સુરેશ ઝવેરી (બેફિકર), ચેતન ફ્રેમવાલા, જયેશ ભટ્ટ, દિલીપ શ્રીમાળી, રાજેશ હિંગુ, ધાર્મિક પરમારે વિવિધ વિષયો ઉપર સુંદર રચનાઓ રજુ કરી શ્રોતાઓ ને રસતરબોળ કરી નાખ્યા હતા. કાર્યક્રમનું રચનાત્મક રીતે સંચાલન તેજસ દવેએ કર્યું હતું. વિવિધ કવિઓની રચનાઓનો તેમણે આ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. વિનય પાઠક દ્વારા કાર્યક્રમની રૂપરેખા બાંધવામાં આવી હતી. હાજર રહેલા સર્વ સાહિત્ય પ્રેમી શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી સર્વે કવિઓની રચનાને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. કાર્યક્રમના અંતે પ્રમુખ હેમાંગ જાંગલાએ સર્વે કવિઓનું સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યું હતું. આવા સફળ કાર્યક્રમના આયોજન બદલ તેજસ દવેએ હેમાંગ જાંગલાનો આભાર વ્યક્ત કર્યો હતો.

read more

મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશન દ્વારા કરિયર માર્ગદર્શન શિબિર યોજાશે

મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશન દ્વારા કરિયર માર્ગદર્શન શિબિર યોજાશે

શું તમને પણ થાય છે ને કે What next after 10th / 12th / Graduation? હાલમાં જ આપ સૌ વિદ્યાર્થીમિત્રો વિવિધ પરીક્ષામાં ઉત્તિર્ણ થયા છો તે બદલ હાર્દિક અભિનંદન. આ સાથે કારકીર્દીના ઘડતર માટે શું નિર્ણયો લેવા તેની થોડી ચિંતા પણ હશે. ધોરણ ૧૦ પાસ થયા પછી Arts, Science કે પછી Commerce શું લેવું? ધાર્યા પ્રમાણે ટકા ન આવ્યા તો શું થયું? કયા વિષયો લઈ આગળ ભણતર કરવું? આના વિશે વિદ્યાર્થી અને વાલીઓને પૂર્ણ જ્ઞાન કે માર્ગદર્શન હોતું નથી. પરિણામે અડોશ-પડોશમાં કે મિત્રોને પૂછીને ભવિષ્યના નિર્ણયો લેવાતા કોય છે જે આગળ જતા ઘણી વખત ખોટા પુરવાર થાય છે. ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા કરિયર માર્ગદર્શન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબીરમાં શ્રી. હિરેન પાસડ ધોરણ ૯, ૧૦, ૧૧, ૧૨ અને સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટેના વિવિધ વિકલ્પો વિશે સચોટ માર્ગદર્શન શનિવાર તા. ૩૧.૦૫ ૨૦૨૫ના રોજ સાંજે ૫.૦૦ કલાકે એ-ર હૉલ ખાતે આપવાના છે. શ્રી હિન પાસડ જેઓ મોટીવેશનલ સ્પીકર અને કારકિર્દી માર્ગદર્શક તરીકે કાર્યરત છે તેમજ અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને નમ્ર વિનંતી કે આ શિબીરમાં સમસયર ઉપસ્થિત રહી તમે તમારા પ્રશ્નોને/મૂંઝવણોનું નિરાકરણ કરશો. કરિયર માર્ગદર્શન શિબીરના આયોજન મહાલક્ષ્મી વિકાસ સેવા સમિતી અને ઈકો ફાઉડેશનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. સમય : શનિવાર તારીખ ૩૧.૦૫.૨૦૨૫ રોજ સાંજે ૫.૦૦ કલાકે સ્થળ : એ-ર સભાગૃહ, મહાલક્ષ્મી નવરંગ, ડૉ. આંબેડકર નગર, એ. કે. રાઠોડ માર્ગ, મહાલક્ષ્મી, મુંબઈ ૪૦૦ ૩૪. ખાસ નોંધ : ૧) વિદ્યાર્થી મિત્રોને પોતાના વાલીઓને સાથે લાવવા વિનંતી. ર) નોંધ કરવા પોતાના સાથે એક નોટબુક પેન લાવવી જરૂરી છે. આ આયોજનમાં સહયોગી સંસ્થા તરીકે મહાલક્ષ્મી મેઘવાળ પંચાયત વિ-૧૦ અને શ્રી તુલસીવાડી મેઘવાળ પંચાયત વિ-૦૯એ સાથ આપ્યો છે.

read more

વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી

વર્ષા તન્ના અને કામિની મહેતાની સહિયારી નવલકથા 'ઝંખના એક ક્ષણની'ને 'લેખિની'એ વધાવી

આજે તા.૧૦ મે ૨૦૨૫ની લેખિનીની માસિક સભા અમારાં સહુ માટે ખાસ બની રહી. આજના અજેન્ડામાં, વિષય હતો, સ્વરચિત વાર્તા પઠનનો અને લેખિનીની કાર્યકારી સમિતિની બે સુજ્ઞ સખીઓ, વર્ષાબહેન તન્ના અને કામિનીબહેન મહેતાએ મળીને લખેલી નવલકથા 'ઝંખના એક ક્ષણની' પુસ્તકનાં લોકાર્પણનો. જે આદરણીય કનુભાઈ અને ડૉ.સુશીલાબહેનનાં હસ્તે સંપન્ન થયું તેનો આનંદ. તદ્ઉપરાંત આજની સભા વિશિષ્ટ એ માટે રહી કારણ કે આદરણીય કનુભાઈ તેમ જ ડૉ.સુશીલાબહેનના વરદ હસ્તે લેખિની સંસ્થા-મુંબઈના પ્રાણ સમાન સહુનાં લાડીલાં પ્રીતિબહેનનું બહુમાન કરવામાં આવ્યું. આ સુખદ ઘટનાનાં સાક્ષી બનનાર અમ સહુના ચહેરાનો રાજીપો શબ્દાતીત હતો. પ્રીતિબહેન એટલે લેખિની અને લેખિનીનું નામ લેતા પ્રીતિબહેનનો ચહેરો જ નજર સમક્ષ તરવરી ઉઠે એટલી હદે તેઓ સંસ્થાને સમર્પિત છે. સહુને સાથે લઈને ચાલનારાં પ્રીતિબહેન લેખિનીઓનાં પ્રેરણાસ્રોત બનતાં રહ્યાં છે. કોઈએ ઓછું લખ્યું, સારું લખ્યું કે મધ્યમ લખ્યું હોય બસ કલમની ધાર નીકળતી રહે એ રીતે સહુને પ્રોત્સાહિત કરતાં રહે છે. કનુભાઈએ પ્રીતિબહેનની કર્તવ્યનિષ્ઠતાને બિરદાવતા કહ્યું કે એમને જ્યારે જ્યારે જે પણ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ત્યારે તેઓ શતપ્રતિશત પાર ઉતર્યાં છે. સાહિત્ય સંસદની હોય, લેખિની સંસ્થાની હોય, પારિવારિક હોય કે અન્ય કોઈપણ, તેઓએ દરેક ફરજ સારી રીતે નિભાવી છે. પ્રીતિબહેનના કહેવા પ્રમાણે આદરણીય કનુભાઈ અને સુશીલાબહેન તો તેમનાં દત્તક માવતર છે. ત્યાં પણ દીકરી તરીકેની ફરજ બજાવવામાં ઊણાં નથી ઉતર્યાં. આવો મોકો જવલ્લેજ મળે કે આપણી ગમતી વ્યક્તિને પોંખાતી જોઈ શકીએ. આ પ્રસંગે આભાર વિધિ કામિનીબહેન મહેતાએ કરી અને સભાનું સમાપન કર્યું હતું. ડો.સુશીલાબહેને કહ્યું કે હું બે શબ્દ બોલીશ નહીં પણ લખીને આપીશ. અમે તેની રાહમાં... અંતે સેવપુરી, પેંડા અને ચા-કૉફીને ન્યાય આપી ફરીને મળવા માટે વિદાય તો લેવી જ પડી... (અહેવાલ - મીનાક્ષી વખારિયા)

read more

બોરીવલીમાં કન્વેનશન સેન્ટર તોડાયું

બોરીવલીમાં કન્વેનશન સેન્ટર તોડાયું

બોરીવલીના કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટરમાં જ્યાં શુભ પ્રસંગો યોજાતા હોય છે તે આજે ડિમોલિશ કરવામાં આવ્યું છે. આ કરાયું ત્યારે એસી કોન્વોકેશન સેન્ટરમાં કોઈના પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી.જો કે ઇવેન્ટ મેનેજરે તાત્કાલિક તેમને અન્ય સ્થળે વ્યવસ્થા કરી આપી હોવાનું બહાર આવ્યું હતું. કે ડિવાઇન લૉન્સ એન્ડ કન્વેનશન સેન્ટર એક ભવ્ય એસી હોલ અને વ્યવસ્થા વાળું ઇવેન્ટનું સ્થળ હતું.

read more

કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આ વર્ષે પણ ૧૦૦ ટકા

કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આ વર્ષે પણ ૧૦૦ ટકા

પાંચમી મેના રોજ મહારાષ્ટ્ર રાજ્ય ઉચ્ચ માધ્યમિક બોર્ડનું ધોરણ 12નું આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ વિભાગનું પરિણામ જાહેર થયું. મુંબઈ વિભાગનું પરિણામ 91% આવ્યું છે. તેમાં મુંબઈની નામાંકિત કોલેજોમાં કાંદિવલી (પશ્ચિમ) સ્થિત કે.ઈ.એસ. સંચાલિત વિઠ્ઠલદાસ સંઘવી જૂનિયર કોલેજનું પરિણામ આગામી વર્ષે પણ 100 ટકા આવ્યું છે. કોમર્સનાં 1405 વિદ્યાર્થીઓ અને આર્ટ્સનાં 170 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી. ગત વર્ષે કોમર્સ વિભાગમાં 1366 વિદ્યાર્થીઓ અને આર્ટસમાં 147 વિદ્યાર્થીઓ હતા અને 100 ટકા પરિણામ હતું. આ વર્ષે 100 ટકા પરિણામ લાવનાર રાજ્યની સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે મેળવનાર આ એકમાત્ર સંસ્થા બની છે. આગામી વર્ષે એકાઉન્ટન્સી વિષયમાં 3 વિદ્યાર્થીઓ અને OCM વિષયમાં 1 વિદ્યાર્થી 100માંથી 100 માર્ક્સ મેળવી ઉચ્ચ સ્થાને છે. તે ઉપરાંત અન્ય વિષયો અને ભાષામાં 95થી વધુ માર્ક્સ સાથે સફળતા મેળવી છે. કોલેજમાં ડીસ્ટિંગસન તથા પ્રથમવર્ગમાં સફળતા મેળવનાર નો આંકડો ઉચો છે. કોલેજમાં શિક્ષણમાં ગુણાંક સાથે આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત થાય એ પ્રયત્નો સતત રહ્યા છે. સંસ્થાની ઝળહળતી ફતેહ માટે આચાર્યા ડો. લીલી ભૂષણે શિક્ષકોને અઢળક અભિનંદનથી વધાવ્યા. આચાર્યા ડો લિલી ભૂષણ સતત માર્ગદર્શન આપી પ્રોત્સાહન આપે છે. ઉપાચાર્ય શ્રી રાજીવ મિશ્રા તેમજ સુપરવાઈઝર સિમ્મી ધવનનું માર્ગદર્શન રંગ લાવ્યું. સંસ્થાના સંચાલકોએ પ્રસન્નતાપૂર્વક આ સફળતાને સહર્ષ વધાવી છે. અને સંસ્થાના પ્રમુખ શ્રી મહેશ શાહે સર્વ શિક્ષકોને અભિનંદન આપ્યા અને કહ્યું કે શિક્ષકોની અથાગ અને સ્માર્ટ કામની પદ્ધતિએ સતત સફળતાનો આંક ઉચ્ચ રાખ્યો છે. એકમાત્ર 100% પરિણામની કોલેજ છે. આ સંસ્થાને અભિનંદન

read more

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી

'અંજની, તને યાદ છે? ' એ સ્મૃતિકથા નથી, સંસ્કારની કથા છે - દીપક દોશી'જીવનમાં ખાટાં, મીઠાં અને તૂરાં સિવાયનાં અન્ય રસનાં સંસ્મરણો પણ હોય છે - દિનકર જોષી       લેખિકા મીનાક્ષી દીક્ષિતની લેખનશૈલી સરળ છે,  એમાં સાદી વાતો છે છતાં રસ પડે છે  કેમકે એમાં  સત્વ મળે છે. કોઈ જાતનો ભાર નથી લાગતો. હળવાશ અનુભવાય છે.પ્રસંગમાં છેલ્લે એકાદ ચોટ આવે છે જ્યાં તત્વજ્ઞાન પણ મળે છે. આ સ્મૃતિકથા નથી સંસ્કારની કથા છે. ' નવનીત સમર્પણના સંપાદક દીપક દોશીએ ' મને સાંભરે રે ' કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે આ વાત કરી હતી.એમણે એ સાંજે દરેક વક્તાએ પોતાનાં સંસ્કારની વાતો કરી એની પણ નોંધ લીધી. મીનાક્ષીબેને મનભર, રસભર સુક્ષ્મતાથી સ્મરણો લખ્યા છે કહી એમણે ઉમેર્યું,  'હું નથી માનતો કે સંસ્મરણો પતંગિયા જેવાં છે.સંસ્મરણો સંસ્કારગત છે. આપણે બધાં જ એ જીવ્યાં છીએ અને માણી શકીએ છીએ. જેઓ મીનાક્ષીબેનને નથી મળ્યાં એને પણ આ પુસ્તકો વાંચતાં તેઓ મળ્યાં હોય એટલો આનંદ થશે.' વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ બાળપણનો સાચું અને જૂઠું શું એ વિષયક પ્રસંગ ટાંકી જણાવ્યું હતું કે જીવનમાં ઘણા પ્રશ્નોના જવાબ નથી મળતા. ' ક્યારેક જૂઠું બોલવું પડે 'કહેનારી માસી સાચી કે સત્યના આગ્રહી ગાંધીજી સાચા એ ૮૮ વર્ષે પણ હું સમજી શક્યો નથી. જીવન ઘણા રસથી ,ખાટાં તૂરાં એવા અનેક રસથી પરિચિત કરાવે છે.  લેખિકા મીનાક્ષી દીક્ષિતની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમની ત્રણ દીકરીઓ મિતા, સૌમ્યા અને પૂર્વીબહેને કંઈક વિશિષ્ટ આયોજન કરવાનું વિચાર્યું.વરિષ્ઠ સર્જક દિનકર જોષીએ વિચારબીજ આપ્યું કે ત્રણ વરિષ્ઠ કલાકાર કે લેખિકા પોતાના બાળપણનાં સારાં માઠાં પ્રસંગોની વાત કરે. કેઈએસ ગુજરાતી ભાષાભવનના નેજા હેઠળ, ઝરૂખો અને લેખિની દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમ નિમિત્તે માતાની સ્મૃતિને ભાવકો સુધી વિસ્તારવાનો ઉપક્રમ તો ખરો જ પણ સાથે સાથે મીનાક્ષીબહેનના બે પુસ્તકો ' અંજની, તને યાદ છે? ' અને 'ઘેરે ઘેર લીલાલહેર ' પુસ્તકોની પ્રકાશક આર.આર શેઠની કંપની દ્વારા બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ અને એનું સહુ મહાનુભાવો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું.     'મને સાંભરે રે '  એ વિષય લઈને ત્રણ વિદુષીઓએ વક્તવ્ય આપ્યાં. વરિષ્ઠ અભિનેત્રી મીનળ પટેલ જાણીતા કવિ સંગીતકાર  નિનુ મજૂમદારના દીકરી છે અને એક ઉત્કૃષ્ટ કલાકાર છે એવો સંજય પંડ્યાએ પરિચય આપી નિનુ મજૂમદારના સ્વરાંકનવાળા ' ગોપીનાથ ' ફિલ્મના ગીત વિશે અને નિનુભાઈની ખેલદિલી વિશે વાત કરી. મીનળબહેને બાળપણનાં સ્મરણોને યાદ કર્યાં. તેમણે કહ્યું, ' મારાં એક ફોઈ હતાં. દર વર્ષે આવે ને દરિયા કિનારે બંગલો લઈને રહે. મારા પપ્પા અમને લઈને જાય. હું એક દિવસ પાછલે બારણે ગઈ દરવાજો ખોલ્યો તો સામે દરિયો એ જોઈ દોડતી આવીને કહ્યું.. પ્રલય થયો.પ્રલય થયો.ચાર વર્ષની છોકરીને દરિયો શું  એ ખબર ન હતી પણ પ્રલય શું છે એ ખબર હતી.'   મીનળબહેન કહે છે, '  મા અમને બધા જ શ્લોક શીખવે. એને કારણે મને ફાયદો એ થયો કે મને બધાં જ છંદ આવડતા.કોલેજમાં કમરખ અને શેતુરનાં ઝાડ હતાં. એમાંથી જાતે તોડીને શેતુર અને જમરૂખ ખાઈએ. પેટમાં દુખે એટલે ઘરનાં સમજી જાય કે કાચાં જમરૂખ ખાધાં છે. એક વાત સત્ય છે કે જાતે તોડીને , છુપાઈને ખાવાની જે મજા આવે એ મજા ખરીદીને ખાવામાં ન આવે.પહેલાં બીજામાં ભણતી હતી ત્યારે પહેલું નાટક કર્યું હતું.એસેમ્બલીમાં ગાવા પપ્પાએ એક ગીત લખી આપ્યું. એ ચાલી છુક છુક આગગાડી,કદી સીધીને કદી આડી.... અને એ ગીત ગાયા પછી આપણે હિરોઈન થઈ ગયાં.' આવી  અનેક યાદોને તાજી કરતાં છેલ્લે કહ્યું , 'એક છોકરો ખૂબ ચાંપલો હતો. એકવાર મને ગુસ્સો આવતાં એને ધડાધડ ચોડી દીધી.' નિનુભાઈના સ્વરાંકન'આઈ ગોરી રાધિકા બ્રિજમેં બલખાતી, બલીબલી જાયે જશુમતી મૈયા' નો રાજકપુરે' સત્યમ્ શિવમ્ સુંદરમ્ ' ફિલ્મમાં નિનુભાઈને ક્રેડિટ આપ્યા વગર ઉપયોગ કર્યો એનો ઉલ્લેખ પણ એમણે કર્યો.   ડૉ. કલ્પના દવેએ બાળપણાંને યાદ કરતાં કહ્યું 'શૈશવની પગલીઓમાં જંબુસર ગામની થોડી ધૂળ છે તો મુંબઈનાં પરાં વિસ્તારની થોડી છાપ છે.' તેઓ કહે છે, '  1955માં મારા પપ્પા વોશિંગ્ટન ગયા હતા. ત્યાંથી મારાં માટે ઢીંગલી લાવ્યાં હતા. મને આપતાં કહ્યું હતું મારી આ ઢીંગલી માટે આ ઢીંગલી છે. તારી સાથે જ રહેશે.તું જે કરીશ એ બધું જ એ કરશે. ને ઢીંગલી મારી અજાયબ દુનિયામાં વણાઈ ગઈ. આજે પણ શૉકેસમાં છે. રેડિયોમાં ગીતો સાંભળતાં  પ્રશ્ન થતો જે માને પૂછ્યો કે મા આટલા નાના રેડિયોમાં આટલા બધાં લોકો કેવી રીતે સમાતા હશે ? '  જંબુસર ગામની વાત કરતાં એમણે કહ્યું , ' જંબુસરમાં અમારું નાનું ઘર, ઝાડુવાળો આવે તો બારણાં બંધ કરી દેવાના નહીં તો ઠંડા પાણીએ નહાવું પડે. મારાં વાલીબા કાણ કૂટવા જાય. આવે ત્યારે એમની છાતી લાલ લાલ થઈ ગઈ હોય . મને નવાઈ લાગે ને હું પૂછું ,બા આ શું થયું છે તો કહે કાણ કૂટવા ગઈ તી'ને એટલે ! '  જન્મભૂમિમાં દાયકાઓ સુધી પત્રકાર, પૂર્તિ સંપાદક રહી ચૂકેલાં તરુબેન કજારિયા કહે છે ,' હું તમને કલકતા લઈ જાઉં છું.બાળપણને જીવવાનો મોકો મિત્રો જ આપે છે.બાળપણાંનાં આ સંભારણા વહેંચવાનો આ પહેલો અવસર છે. મારી મા અમારી પાંચ બહેનોની અને એક ભાઈની  ખૂબ કાળજી લેતી. મા આયુર્વેદની એક ઉક્તિ કહેતી ' આંખે ત્રિફળા દાંતે લુણ,પેટ ન ભરીએ ચારે ખૂણ ' 'મને સ્કૂલે જવાનો બહુ કંટાળો આવે. પપ્પા રમણીકભાઈ મેઘાણી મોં જોઈ પૂછે,  કેમ બેન સ્કૂલે નથી જવું? હું ના પાડું તો કહે , કઈ વાંધો નહીં .અહીં દુકાનમાં બેસો ને પુસ્તકો વાંચો.અમારાં ઘરે શિવકુમાર ભાઈ આવે ભજન ગાય.બધાં રડે પણ મને રડવું ન આવે. પણ એક સમય એવો આવ્યો કે કોઈપણ સંગીત વાગે મને રડવું આવે.બધાં કહે આના કપાળે તો કૂવો છે!વાર્તા સ્પર્ધા હતી. મારી મા સરસ વાર્તાઓ લખે.મેં એને લખીને મોકલવા કહ્યું.ઈનામની રકમ મળે તો કાર્ડિગન લેવાય.ઈનામ જાહેર થયું બાનું નામ ન જોયું. પૂછ્યું વાર્તાનાં ઈનામમાં તારું નામ નથી!  તો બા કહે મેં મોકલી જ નથી. હું નિરાશ થઈ ગઈ,  હવે પેલું કારડીગન નહીં લઈ શકાય.' છેલ્લું સંભારણું યાદ કરતાં તરુબહેને કહ્યું ,' મારી બહેનપણી 'છોટી બહેન ' ફિલ્મ જોઈ આવેલી અને એનાં ગીતો એ ગાયા કરે મને ગીતો બહુ ગમ્યાં .મેં પણ કહ્યું મારે' છોટી બહેન 'ફિલ્મ જોવી છે. અમે ગયાં .પિક્ચર પૂરું થયું ત્યાં સુધી એકપણ ગીત આવ્યું નહીં. હું ઊંચીનીચી થાઉં .મેં પૂછ્યું તો ભાઈ કહે ,ઈગ્લીશમાં હતું. પછી ઘરે આવીને ખબર પડી કે કરુણ ફિલ્મ હતી તેથી એ જોવા નોતા લઈ ગયાં પણ ચાર્લી ચેપ્લિનની 'લાઇમ લાઈટ ' જોવા લઈ ગયાં હતાં. '        અગાઉ સૂત્રધાર કવિ સંજય પંડ્યાએ કાર્યક્રમની રસપ્રદ ભૂમિકા માંડી મીનાક્ષી દીક્ષિતના બાળપણનો પ્રસંગ રજૂ કર્યો હતો. એમણે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું.      શીઘ્ર કવિ, ચિંતક તથા કેઈએસના પ્રેસિડેન્ટ મહેશ શાહે પણ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી.       કવયિત્રી તથા લેખિની પ્રમુખ  પ્રીતિ જરીવાળાએ મીનાક્ષીબેનના પુસ્તક 'અંજની તને યાદ છે.'માંથી થોડાક વિવિધ રસનાં અંશો આરોહ અવરોહ સાથે રજૂ કરતાં ,હળવાશથી લઈને કરુણ રસ સુધી ભાવકોને સફર કરાવી. કવિ , નાટ્યલેખક, અદાકાર દિલીપ રાવલે એમનો સ્વરચિત હાસ્યનિબંધ 'હળદરની હોળી અને ઓસામણની પિચકારી' રજૂ કર્યો.        કવયિત્રી પ્રતિમા પંડ્યાએ મીનાક્ષીબેનના હળવા નિબંધના પુસ્તક ' ઘેરે ઘેર લીલા લહેર 'માંથી ડાયટિંગને લગતા અંશની મજા પડે એવી વાતો ટાંકી. એમણે મીનાક્ષીબહેન સાથેની ઉષ્માસભર વાતોનો પણ ઉલ્લેખ કર્યો. મીનાક્ષીબહેનની વખણાયેલી  વાર્તા 'હીંચકો' પરથી યુવા નાટ્ય કલાકાર  પ્રીતા પંડ્યાએ લખેલી તેમજ ડિરેક્ટ કરેલી એકોક્તિ 'હીંચકો'  વાર્તાકાર ગીતાબેન ત્રિવેદીએ સુંદર અભિનય સાથે રજૂ કરી. કાર્યક્રમના આરંભે મીનાક્ષીબહેનનાં દીકરી મિતા દીક્ષિતે સ્વાગત વક્તવ્ય આપ્યું.હૉલ એ વખતે ભાવકોથી છલકાતો હતો અને વધારાની ખુરસીઓ મંચની આજુબાજુ મૂકાવવી પડી હતી. અંતિમ પડાવ તરફ જતાં દીકરી પૂર્વી દેસાઈએ હૃદયસ્પર્શી સંસ્મરણોની રજૂઆત કરી. પુત્રી સૌમ્યાબહેને ભાવસભર રીતે સહુનો આભાર માન્યો હતો. એક પ્રેમાળ માતા તથા વાચકોમાં અને નારાયણ દેસાઈ, ગુલાબદાસ બ્રોકર તથા ધીરુબહેન પટેલને પણ પ્રિય એવાં લેખિકાને આના કરતાં ઉત્તમ રીતે સંભારી શકાય ખરાં? (અહેવાલ: પૂરક માહિતી સ્મિતા શુકલ)

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK