ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના દસ્તાવેજ કેમ્પના વિરોધીઓને ભાસ્કર શેટ્ટીએ વખોડ્યા
શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટીએ ધારાવાસીઓને ડીઆરપી (DRP) કેમ્પમાં હાજર રહેવા અપીલ કરી શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટી (પ્રભાગ ક્ર. ૧૮૮) એ ધારાવીના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) દ્વારા અcluster (અનિર્ણીત - Undecided) મામલાઓ માટે આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. શેટ્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત પાત્ર બનવા માટેની આ એક સુવર્ણ તક છે. આ સાથે જ તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી પક્ષો દ્વારા ધારાવીના રહીશોને આ કેમ્પનો લાભ લેતા અટકાવવા અને નિરુત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. તેમણે તમામ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો છે કે તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વધુમાં વધુ લોકોને આ કેમ્પમાં આવવા પ્રોત્સાહિત કરે જેથી ધારાવાસીઓને ન્યાય અને યોજનાનો લાભ મળી શકે.
read more
મુંબઈમાં આમ પગલુઝને માટે લૉન્ચ કરાઈ આમબ્યુલન્સ અને પછી વાઇરલ થયો વીડિયો
મુંબઈના રસ્તાઓ પર આ અઠવાડિયે એક અનોખી એમ્બ્યુલન્સ જોવા મળી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટે નહોતી. આ હતી ‘આમ્બ્યુલન્સ’. કેરીપ્રેમીઓ માટે ખાસ તૈયાર કરાયેલો ઇન્સ્ટામાર્ટનો આ ક્રિએટિવ કેમ્પેઇન હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં ઉનાળો અને કેરી વચ્ચેનો સંબંધ કોઈને સમજાવવાની જરૂર નથી. કેરીની સીઝન શરૂ થાય એટલે લોકોની અંદરનો “આમ પાગલુ” બહાર આવી જાય છે. View this post on Instagram A post shared by INDIANS (@indians) આ જ ભાવનાને રમૂજી અંદાજમાં રજૂ કરવા માટે ઇન્સ્ટામાર્ટે મુંબઈની સડકો પર ‘આમ્બ્યુલન્સ’ ઉતારી છે. એમ્બ્યુલન્સ જેવી ડિઝાઇન કરાયેલી આ વાન પર “Down with mango fever?” જેવા મેસેજ લખાયેલા છે, જે લોકોને તરત જ આકર્ષી લે છે. આ વાનમાં કેરીથી જોડાયેલા વિઝ્યુઅલ્સ અને મસ્ત મજાના ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે લોકો રસ્તા પર જ ઉભા રહી વીડિયો અને ફોટા પાડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો આ “આમ્બ્યુલન્સ”ના વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, “દરેક હીરો કેપ પહેરતો નથી, કેટલાક માત્ર કેરીથી ભરેલી આમ્બ્યુલન્સ ચલાવે છે.” છેલ્લાં કેટલાક વર્ષોથી ઇન્સ્ટામાર્ટ કેરીની સીઝનને ક્રિએટિવ માર્કેટિંગ સાથે જોડતું આવ્યું છે. આ વખતે બ્રાન્ડે માત્ર એક પ્રોમોશનલ કેમ્પેઇન નહીં પરંતુ લોકોના ઉનાળાની લાગણીઓ અને નોસ્ટાલ્જિયાને ટચ કરતો અનુભવ સર્જ્યો છે. માર્કેટિંગની દુનિયામાં હવે ફિઝિકલ એક્ટિવેશન માત્ર રસ્તા સુધી મર્યાદિત નથી રહ્યાં. તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે. ‘આમ્બ્યુલન્સ’ પણ એનું જ એક મજેદાર ઉદાહરણ બની છે.
read more
રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી
રવિવાર 10 મે 2026 ના રોજ મધર્સ ડે (માતૃદિન)ના અવસરે રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા, માહિમ ખાતે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા બાળકોની પડખે ઊભી રહેલાઈ માતાઓનું સન્માન અને ઉજવણી કરવામાં આવી, જે દરેક પડકારનો સામનો શક્તિ, આશા અને બિનશરતી પ્રેમથી કરે છે. સંસ્થાએ આ માતાઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેઓ તેમની ગંભીર બીમારીઓ દરમિયાન સતત તેમના બાળકોની સાથે ઊભી છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.
read more
જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ
આપણા સુપ્રસિદ્ધ અધ્યાત્મરંગી કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૬૦ વર્ષની સર્જન કાવ્ય યાત્રામાંથી ચૂંટેલી ગઝલોનો સંગ્રહ ' ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.ગુજરાતી ગઝલના સમૃધ્ધ ઇતિહાસને દ્રષ્ટિએ નીવડેલા ગઝલકારોની ચુનંદી ગઝલોનું સંપાદન અધિકારી વિવેચક દ્વારા કરવામાં આવતી આ શ્રેણીમા આ સંગ્રહનું સંપાદન ધ્વનિલ પારેખે કર્યું છે.આ સંગ્રહનું લોકાર્પણ ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા કરશે. આ સમારંભ આગામી તા. ૧૭ મી મે ૨૦૨૬ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી જૈન ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે કરશે.આ કાર્યક્રમ 'આપણે હરિ ભજનમાં રહીએ' ના લોકાર્પણ સમારોહની સાથે સંલગ્ન છે.સૌ કવિતા અને સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક જાહેર નિમંત્રણ છે. પ્રવેશ નિઃશુલ્ક છે
read more
કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ
તાજેતરમાં આપણા અગ્રણી પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયેલાં અને કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત પ્રાચીન અર્વાચીન અને આધુનિક ભજનોના વિશિષ્ટ ગ્રંથ 'આપણે હરિ ભજનમાં રહીએ'નો એક લોકાર્પણ સમારંભ આગામી તા.૧૭ મી મે,રવિવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી.જૈન સભાગૃહમાં રાખવામાં આવ્યો છે. આ ભજન સંગ્રહનું લોકાર્પણ સુપ્રસિદ્ધ કવિ સાહિત્યકાર અને ભજન મર્મજ્ઞ શ્રી દલપત પઢિયાર કરશે અને આ સંપાદન વિશે ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ સમારોહમાં જાણીતા સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ શ્રી ભીખુભાઈ ચિતલિયા અને પ્રવીણ પ્રકાશનના માલિક સંચાલક શ્રી ગોપાલભાઈ માકડિયા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાં ઉપસ્થિત રહેશે. જાણીતા ગાયિકા સુ શ્રી રેખા ત્રિવેદી ભજનોની સ્વરગંગા વહાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાત્મરંગી અને આર્ષ કવિશ્રી જવાહર બક્ષી કરશે કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા આ સંપાદન વિશે થોડી વાત કરશે. સૌ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.
read more
બોરિવલીના દૈવી ઈટરનીટીમાં બુધવારે સાંજે 'નિબંધના ભાવવિશ્વમાં' કાર્યક્રમ અને પુસ્તક મેળાનું સાયુજ્ય
મુંબઈના જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર તેમ જ પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક ભવ્ય પુસ્તક મેળો હાલ બોરિવલીના સાઈબાબા નગરમાં ચાલી રહ્યો છે. એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં વિવિધ વિષયોનાં પુસ્તકોની ગોઠવણી કરવામાં આવેલ છે, જેનો મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ અને સાહિત્યપ્રેમીઓ લાભ લઈ રહ્યા છે. સ્વાદિષ્ટ વાનગી ઉપર ટોપિંગ હોય એમ આ પુસ્તક મેળા સાથે કેટલીક રસપ્રદ ગોષ્ઠિઓનું પણ આયોજન થઈ રહ્યું છે. બોરિવલીના દૈવી ઈટરનીટીમાં યોજાયેલ આ બૂકફેરમાં હવે બુધવારે સાંજે 'નિબંધના ભાવવિશ્વમાં' નામનો કાર્યક્રમ યોજવા જઇ રહ્યો છે. દાયકાઓ બાદ મઘઈ પાનની જોડી જેવા પુસ્તકમેળા અને સાહિત્યગોષ્ઠિનું સાયુજ્ય મુંબઈના સાહિત્યના ભાવકોને જોવા મળી રહ્યું છે એમ કહી શકાય. જાણીતા પ્રકાશક એન.એમ ઠક્કર અને પ્રજ્યોત સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા ભવ્ય પુસ્તકમેળામાં બુધવાર એટલે કે છઠ્ઠી મેની સાંજે સાડા સાત વાગ્યે કવિ-નિબંધકાર સંદીપ ભાટિયા નિબંધો વિશે વાત કરવાના છે. તેમની સાથે મુંબઈનાં જાણીતા લેખિકા નીલા સંઘવી તેમ જ સ્મિતા શુક્લ છેલ્લા કેટલાક દાયકાના ઉત્તમ નિબંધોના અંશનું વાચિકમ પ્રસ્તુત કરશે. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કવિ-લેખક-એન્કર સંજય પંડ્યા કરી રહ્યા છે. સમગ્ર આયોજનની વહીવટી વ્યવસ્થા આયોજક ટ્રસ્ટ વતી દર્શના વોરા સંભાળી રહ્યાં છે. સંજય પંડ્યા જણાવે છે કે અહીં એરકન્ડિશન્ડ વિશાળ લૉબીમાં સરસ રીતે પુસ્તકોની ગોઠવણી થઈ છે અને વાચકો ઉત્સાહપૂર્વક વિવિધ પ્રકાશકોનાં વાર્તાસંગ્રહ, નવલકથા, બાળ સાહિત્ય, કવિતા તથા અન્ય વિષયોનાં પુસ્તકો ખરીદી રહ્યાં છે. છઠ્ઠી મેની સાંજે પુસ્તકો ખરીદવા પહોંચી જજો અને સાડા સાત વાગે આ કાર્યક્રમમાં જરૂર હાજરી આપશો. આબાલવૃદ્ધ સહુને આકર્ષે એવા આ સ્થળનું સરનામું પણ નોંધી લેશો- દૈવી ઇટરનિટી, એમ કે એમ ભાટિયા સ્કૂલની સામે, સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમ. ભાવકોને સમયસર પહોંચી જવા આયોજકો દ્વારા નિમંત્રણ મોકલવામાં આવ્યું છે.
read more
કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ દ્વારા નવ બાળકોને મળ્યું નવું જીવન
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના ગરીબ પરિવારોના 2 થી 10 વર્ષના નવ યુવાન યોદ્ધાઓને ડૉ. શાંતનુ સેન અને તેમની ટીમની દેખરેખ હેઠળ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં સંપૂર્ણ આર્થિક સહાય દ્વારા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ સ્વસ્થ જીવન જીવવાની બીજી તક આપવામાં મળી. થેલેસેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા અને કૅન્સર સામે લડતા, આ બાળકોએ જીવલેણ બીમારીઓ પર વિજય મેળવ્યો છે અને હવે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
read more
મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ 11 એપ્રિલે ડૉ. બાલ ભાલેરાવ)ની પ્રતિમાનું અનાવરણ કરશે
મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ શનિવાર, 11 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે સ્વર્ગસ્થ ડૉ. રાજારામ અમૃત ભાલેરાવ (ડૉ. બાલ ભાલેરાવ)ની પ્રતિમાનું અનાવરણ કરશે. આ કાર્યક્રમ ગિરગાંવના કેલેવાડી સ્થિત સાહિત્ય સંઘ પરિસરમાં યોજાશે. આ કાર્યક્રમ ડૉ. ભાલેરાવની જન્મજયંતિ નિમિત્તે યોજાઈ રહ્યો છે. મરાઠી ભાષા, સાહિત્ય અને રંગભૂમિના પ્રચાર અને પ્રસારમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપવા માટે આ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત સાહિત્યકાર અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મધુ મંગેશ કર્ણિક દ્વારા કરવામાં આવશે. મુખ્ય મહેમાન અને વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં વિશ્વાસ પાટીલ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે, જેઓ હાલમાં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલન (અખિલ ભારતીય મરાઠી સાહિત્ય પરિષદ)ના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ પ્રસંગે, તેમનું સાહિત્ય સંઘ દ્વારા સન્માન પણ કરવામાં આવશે. ડૉ. ભાલેરાવની પ્રતિમાની સ્થાપનાની કલ્પના કરનાર અને તેને સાકાર કરવામાં સક્રિય ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ પ્રમુખ અચલા જોશી પણ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે હાજર રહેશે. અનાવરણ સમારોહ સાહિત્ય સંઘ ભવનના પહેલા માળે યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રદર્શન આ પ્રસંગને યાદ કરવા માટે, જ્ઞાનેશ પેંઢારકર અને તેમની ટીમ દ્વારા એ. એન. ભાલેરાવ થિયેટરમાં સાહિત્ય સંઘના નાટકોના લોકપ્રિય ગીતો સાથે એક સંગીતમય કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. વધુમાં, સાહિત્ય સંઘની યાત્રા અને વારસાને દર્શાવતું એક ફોટો પ્રદર્શન પણ યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં અસંખ્ય અગ્રણી લેખકો, કલાકારો અને નાટ્ય જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. મુંબઈ મરાઠી સાહિત્ય સંઘે મરાઠી સાહિત્ય અને રંગભૂમિ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને આ કાર્યક્રમમાં હાજરી આપવા આમંત્રણ પાઠવ્યું છે.
read more
સંસ્કૃતિ મહોત્સવ 2026 મુંબઈમાં કથક કલાના બે અનોખા પાસા ઘરાના અને પરંપરાનો સંગમ યોજાશે
મુંબઈમાં કથક નૃત્યની પરંપરા અને વારસાને રજૂ કરવાના ઉદ્દેશ્યથી સંસ્કૃતિ મહોત્સવ 2026’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમનું આયોજન પ્રખ્યાત કથક કલાકાર શીલા મહેતા દ્વારા સ્થાપિત સંસ્થા નુપુર ઝંકાર એકેડેમી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ રવિવાર, ૫ એપ્રિલ, 2026 ના રોજ સાંજે 7:00 વાગ્યે વીર સાવરકર ઓડિટોરિયમ ખાતે યોજાવાનો છે. આ વર્ષના ઉત્સવની થીમ ‘ઘરાણા અને પરંપરા’ છે. આ કાર્યક્રમમાં કથકના બે મુખ્ય પ્રવાહો રજૂ કરવામાં આવશે: ઘરાણા (જેનો અર્થ પારિવારિક વંશ) અને ગુરુ-શિષ્ય (શિક્ષક-શિષ્ય) પરંપરા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભારતીય શાસ્ત્રીય નૃત્યના સમૃદ્ધ વારસાને પ્રકાશિત કરવાનો અને યુગો સુધી તેની સાતત્યતા દર્શાવવાનો છે. વિશિષ્ટ કલાકારો અને પ્રદર્શન આ કાર્યક્રમમાં બે અગ્રણી કથક કલાકારો પ્રદર્શન કરશે. પંડિત કાલકા-બિંદાદિન ઘરાનાની સાતમી પેઢીના રામમોહન મહારાજને આ પરંપરાના અગ્રણી પ્રણેતા માનવામાં આવે છે. પંડિત શંભુ મહારાજના પુત્ર અને પંડિત બિરજુ મહારાજના ભાઈ, તેમણે લખનઉ ઘરાનાના વારસાને જાળવી રાખવા અને તેનો પ્રચાર કરવાનું ચાલુ રાખ્યું છે. તેમની સાથે નુપુર ઝંકાર એકેડેમીના સ્થાપક-નિર્દેશક શીલા મહેતા પણ પરફોર્મન્સમાં જોડાશે, જેમણે આંતરરાષ્ટ્રીય મંચ પર કથકને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રતિષ્ઠિત કનક નર્તન પુરસ્કાર પ્રાપ્તકર્તા, તેઓ કથક પ્રદર્શનમાં ચરણ-બેલ ગાયન શૈલીના નવીન ઉપયોગ માટે પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં લાઈવ મ્યુઝિક સાથે સંગીતમય સાથ આપવામાં આવશે. પંડિત કાલીનાથ મિશ્રા તબલા પર પરફોર્મ કરશે, વૈભવ માંકડ ગાયન આપશે, અને અલકા ગુજર સિતાર વગાડશે. ગુરુઓને શ્રદ્ધાંજલિ ઉત્સવ દરમિયાન, પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતાઓ - પંડિત બિરજુ મહારાજ અને પંડિત વિજય શંકરને ખાસ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ બન્ને ગુરુઓએ શીલા મહેતાની કલાત્મક યાત્રામાં માર્ગદર્શક અને માર્ગદર્શક તરીકે મુખ્ય ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમની વિગતો આ કાર્યક્રમ 5 એપ્રિલ, 2026 ના રોજ સાંજે 7:00 વાગ્યે દાદર પશ્ચિમમાં સ્થિત વીર સાવરકર ઓડિટોરિયમ ખાતે યોજાવાનો છે. પ્રવેશ માટેની ટિકિટની કિંમત રૂ. 250 છે. આ કાર્યક્રમ કથક ઉત્સાહીઓ અને કલામાં રસ ધરાવતા પ્રેક્ષકોને શાસ્ત્રીય નૃત્યની પરંપરાને નજીકથી અનુભવવાની તક પૂરી પાડશે.
read more
'ઝરૂખો'માં વરિષ્ઠ કવયિત્રી-વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
અમદાવાદસ્થિત કવયિત્રી, વાર્તાકાર ઉષા ઉપાધ્યાયે ૪૦ જેટલાં પુસ્તકો આપ્યાં છે, જેમાં કાવ્યસંગ્રહ છે 'જળ બિલ્લોરી', 'અરુંધતીનો તારો' અને 'શ્યામપંખી અવ આવ' 'અરુંધતીનો તારો' આ કાવ્યસંગ્રહનો અંગ્રેજી અને સંસ્કૃતમાં અનુવાદ પણ થયો છે અને આ કાવ્યસંગ્રહ પાટણ અને ઉત્તર ગુજરાતની યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં છે. એમણે ગુજરાતી ઉપરાંત હિન્દી ભાષામાં પણ સર્જન કર્યું છે અને ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ વર્ષોથી સેવા આપી રહ્યાં છે. ૨૧ માર્ચ ૨૦૨૬ શનિવાર સાંજે સાડા પાંચ વાગ્યે ન્યુ એમ કે હાઇસ્કુલ ,ફેક્ટરી લેન,( ગેટ નં ૧ થી પ્રવેશ),બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉષા ઉપાધ્યાય પોતાનાં કાવ્ય રજૂ કરશે, એમની એક ટૂંકી વાર્તાનું વાચિકમ થશે ત્યારબાદ સંજય પંડ્યા, પ્રતિમા પંડ્યા તથા ઉપસ્થિત ભાવકો એમની સાથે ગોષ્ઠિ કરશે. સાઈલીલા વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સર્વને જાહેર નિમંત્રણ પાઠવે છે.આ કાર્યક્રમ માટે સ્થળ સહયોગ બોરીવલી એજ્યુકેશન સોસાયટીનો છે.
read more
મુંબઈમાં યોજાશે 'અમે ગીતોના માણસ રે લોલ' કાર્યક્રમ
તમે સાંભળવાનું ચૂકી ગયા હોવ એવાં ગીતોની મહેફિલ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ઉપક્રમે સાંઈ સાર્વજનિક ટ્રસ્ટ અને શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ટ્રસ્ટના સહયોગમાં 'અમે ગીતોના માણસ રે લોલ 'નામે એક સંગીતમય કાર્યક્રમનું આયોજન શુક્રવાર ૬ માર્ચ સાંજે ૫ વાગે થયું છે. (ડાબેથી) જ્હોની શાહ, દર્શના જોશી, હિમાંશુ ઠાકર આ કાર્યક્રમમાં ઓછા સાંભળ્યા હોય એવાં ગીતોની રજૂઆત જાણીતા ગાયક કલાકારો જ્હોની શાહ , હિમાંશુ ઠાકર અને દર્શના જોશી કરશે. કવિ સંજય પંડ્યા આ કાર્યક્રમનું સંચાલન કવિ સંજય પંડ્યા કરી રહ્યા છે અને સંકલન પ્રતિમા પંડ્યાનું છે . શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, ગીતા હૉલ , ઓફ મથુરાદાસ રોડ ,કાંદીવલી પશ્ચિમના સરનામે ( રેલ્વે સ્ટેશનથી બે મિનિટના અંતરે) યોજાયેલા આ જાહેર કાર્યક્રમમાં બધા જ ભાવકો પહોંચી જાય એવું બંને સંસ્થા તથા અકાદમી નિમંત્રણ પાઠવે છે. વધુ માહિતી માટે ૯૩૨૦૦ ૧૬૧૦૪ પર અનંતભાઈ મહેતાનો સંપર્ક કરી શકાશે.
read more
નીપા શુક્લા UN CSW70 સત્રમાં સ્ત્રી ચેતના ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે
અમદાવાદ સ્થિત સ્ત્રી ચેતના ગુજરાતના સચિવ નીપા શુક્લા, યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમન (CSW70) ના 70 મા સત્રમાં સામેલ થશે. આ સત્ર 9 થી 20 માર્ચ, 2026 દરમિયાન ન્યુ યૉર્કમાં યુનાઇટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે યોજાશે. આ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વુમનનું 70મું સત્ર છે, જેને CSW70 તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વભરના વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે અને મહિલા સશક્તિકરણ અને ન્યાય જેવા વિષયો પર ચર્ચા કરશે. નીપા શુક્લા રામાભાઉ મ્હાલગી પ્રબોધિની (RMP) દ્વારા આ વૈશ્વિક બેઠકમાં ભાગ લેશે. સ્ત્રી ચેતના ગુજરાત એ અમદાવાદ સ્થિત એક સંસ્થા છે જે મહિલાઓના ગૌરવ, શિક્ષણ અને નાગરિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે કાર્ય કરે છે. તે ભારતીય સ્ત્રી શક્તિ (BSS) સાથે જોડાયેલી છે. ભારતીય સ્ત્રી શક્તિ એ 1988 માં સ્થાપિત રાષ્ટ્રીય સ્તરની સ્વૈચ્છિક સંસ્થા છે. આ સંસ્થા લિંગ સમાનતા, મહિલાઓની આર્થિક સ્વતંત્રતા અને કૌટુંબિક સુખાકારી માટે કામ કરે છે. સંસ્થાના ક્રિએટિવ પ્રયાસોના ભાગ રૂપે, ભારતીય સ્ત્રી શક્તિએ ‘રીરાઇટિંગ ધ મેનકોડ’ થીમ પર રાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ સ્પર્ધા શરૂ કરી. આ સ્પર્ધાનો હેતુ યુવાનો અને ફિલ્મ નિર્માતાઓને મહિલા સશક્તિકરણ, સમાનતા અને સામાજિક પરિવર્તન જેવા વિષયો પર ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ સ્પર્ધામાંથી અંતિમ ત્રણ વિજેતા ફિલ્મો CSW70 દરમિયાન ન્યૂ યૉર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલ ખાતે પ્રદર્શિત કરવામાં આવશે.
read more
ADVERTISEMENT