Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
ભક્તિવેદાંત હૉસ્પિટલ અને સંકટ મોચન હનુમાન મંદિર દ્વારા યોજાતી આંખ તપાસ શિબિરની ચોથી વર્ષગાંઠ

ભક્તિવેદાંત હૉસ્પિટલ અને સંકટ મોચન હનુમાન મંદિર દ્વારા યોજાતી આંખ તપાસ શિબિરની ચોથી વર્ષગાંઠ

સંકટ મોચન હનુમાન મંદિર સમિતિ, લોઢા હેરિટેજ દ્વારા શરૂ થયેલી આંખની સંભાળ પહેલને આજે 14 જૂન, 2022 ના રોજ ચાર વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષોમાં, હજારો જરૂરિયાતમંદ દર્દીઓએ મફત તપાસ અને મફત આંખની શસ્ત્રક્રિયાઓનો લાભ મેળવ્યો છે. સંસ્થા 2022 થી સતત ચાલી રહેલી આ પહેલ ભવિષ્યમાં પણ અવિરત સેવા પૂરી પાડતી રહેશે. આ બધું ફક્ત દાતાઓના સહકાર દ્વારા જ શક્ય બન્યું છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરનારા તમામ ડૉક્ટરો, સ્વયંસેવકો અને ભક્તોનો સંસ્થાએ હૃદયપૂર્વક આભાર સંસ્થાએ માન્યો છે. સંસ્થાએ પ્રાર્થના કરી છે કે આગળ વધતાં તેમનો સહયોગ ચાલુ રહેશે.

read more

'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે' ઍવોર્ડ માટે 22મી જૂન સુધીમાં અરજીઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં સબમિટ કરવા હાકલ

'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે' ઍવોર્ડ માટે 22મી જૂન સુધીમાં અરજીઓ એસ.એન.ડી.ટી. મહિલા યુનિવર્સિટીમાં સબમિટ કરવા હાકલ

મહિલા યુનિવર્સિટી વતી આ વર્ષે શરૂ કરાયેલા પ્રતિષ્ઠિત 'ભારત રત્ન મહર્ષિ ધોંડો કેશવ કર્વે ઍવોર્ડ' માટે SNDT અરજીઓ મગાવવામાં આવી છે. શિક્ષણ, સામાજિક કાર્ય, મહિલા સશક્તિકરણ અને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિ અથવા સંસ્થાના કાર્યને માન્યતા આપવા માટે આ ઍવોર્ડ આપવામાં આવશે. મહર્ષિ ધોંડો કેશવ કર્વે યુનિવર્સિટીની 111મી વર્ષગાંઠ નિમિત્તે 5મી જુલાઈ 2026ના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે અને પુરસ્કારનું સ્વરૂપ પ્રશસ્તિપત્ર અને રોકડ હશે. શિક્ષણ, સામાજિક કાર્ય અને સામાજિક સમસ્યા નિવારણ, મહિલા સશક્તિકરણ (મહિલાઓ માટેના કર્યો અને મહિલાઓ દ્વારા ઉત્કૃષ્ટ કાર્ય), નાણા, વહીવટ, સંરક્ષણ અને વિજ્ઞાન અને સંશોધન જેવા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપનાર વ્યક્તિઓ અથવા સંસ્થાઓના નામ આ ઍવોર્ડ માટે ધ્યાનમાં લેવામાં આવશે. ઍવોર્ડમાં રસ ધરાવતી વ્યક્તિઓ અથવા સંસ્થાઓ પાસેથી નામાંકન માટે 22 જૂન 2026 સુધી અરજીઓ મગાવવામાં આવે છે. અરજી રજીસ્ટ્રાર, SNDT મહિલા વિદ્યાપીઠ, 1, નાથીબાઈ ઠાકરસી માર્ગ, ન્યુ મરીન લાઈન્સ, મુંબઈ - 400020 ને સાંજે 5 વાગ્યે અથવા તે પહેલાં નિયત સમયમાં જરૂરી દસ્તાવેજો સાથે બે કૉપીમાં સબમિટ કરવાની રહેશે. ઍવોર્ડ, પાત્રતાના માપદંડો અને અરજી ફોર્મ સંબંધિત વિગતવાર માહિતી યુનિવર્સિટીના વેબસાઇટ www.sndt.ac.in પર ઉપલબ્ધ છે. યુનિવર્સિટી વતી વિનંતી કરવામાં આવી છે કે રસ ધરાવતા વ્યક્તિઓ અને સંસ્થાઓએ આ તકનો લાભ લઈ નિયત સમયમર્યાદામાં તેમની અરજીઓ સબમિટ કરવી જોઈએ.

read more

જવાહર બક્ષીની ૫૧ ગઝલોના આસ્વાદના પુસ્તક  “ઘેરો ગુલાલ”નું વિમોચન

જવાહર બક્ષીની ૫૧ ગઝલોના આસ્વાદના પુસ્તક “ઘેરો ગુલાલ”નું વિમોચન

ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હર્ષદ ત્રિવેદી દ્વારા સંપાદિત અને આર આર શેઠ કંપનીએ પ્રકાશિત કરેલા પુસ્તક “ઘેરો ગુલાલ “નું લોકાર્પણ થયું હતું. તેમાં ગુજરાતના ૫૪ અગ્રગણ્ય સાહિત્યકારોએ જવાહર બક્ષીની ૫૧ ચુનંદા ગઝલોનો આસ્વાદ કરાવ્યો છે. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદના સભાગૃહમાં આ પ્રસંગે હર્ષદ ત્રિવેદી,રવીન્દ્ર પારેખ તથા સમીર ભટ્ટે જવાહર બક્ષી ના આજીવન સર્જન કાર્યના વિવિધ પાસાંઓને બિરદાવ્યા હતાં. જવાહરની તમામ રચનાઓમાંથી પસાર થતાં આધુનિક ગઝલના સંધિકાળમાં આવેલા અને આજ સુધી કાર્યરત રહેલા જવાહર બક્ષીએ પરંપરાગત, પ્રયોગશીલ તથા અનેક પ્રકારોની ગઝલોમાં પ્રેમ, જીવન. સામાજિક નિસ્બત તેમજ આધ્યાત્મિક ગઝલો આપી મોટું કામ કર્યું છે. એ તપના કવિ છે. તેમણે પોતાને દ્રષ્ટિમાં યોગ્ય ન લાગતી ૭૦૦ ગઝલ ફાડી નાખી ૬૦ વર્ષના સર્જનમાં માત્ર ઉત્તમ અને શુદ્ધ કાવ્યમય બે ગઝલ સંગ્રહ આપ્યા છે. આજે આવો વિવેક જોવા મળતો નથી. જવાહર બક્ષીએ પ્રતિભાવ આપતાં જુનાગઢની મિલન સંસ્થા અને મુંબઈના શૂન્ય, મરીઝ, બેફામ સૈફ વગેરેના સહવાસમાં ગઝલની અનેક અભિવ્યક્તિ તથા ગઝલની સરહદો વિસ્તારતી રચના વિશે વાત કરી હતી તથા પોતાની ગઝલોનું પઠન કરી વિદ્વાન અને રસિક શ્રોતાઓની દાદ મેળવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન આર આર શેઠ પ્રકાશનના ચિંતન શેઠે કર્યું હતું. આ પુસ્તક હવે બધે જ ઉપલબ્ધ થશે.

read more

રંગભૂમિ વિશેની માહિતી આપતું પુસ્તક 'નાટ્ય રંગોત્સવ'નું મુંબઈમાં લોકાર્પણ

રંગભૂમિ વિશેની માહિતી આપતું પુસ્તક 'નાટ્ય રંગોત્સવ'નું મુંબઈમાં લોકાર્પણ

ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત પુસ્તક 'નાટ્યરંગોત્સવ' ( લેખક સતીશ વ્યાસ)નું 30 મે 2026 (શનિવાર)ના રોજ સાંજે 6:00 વાગે એસ. પી. જૈન ઓડિટોરિયમ, ભવન્સ કેમ્પસ, અંધેરી ખાતે યોજાશે. રંગભૂમિના ઇતિહાસ વિશેની નોંધો ધરાવતા આ પુસ્તકનું લોકાર્પણ જાણીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી કરશે તથા સંગીતકાર-લેખક સ્નેહલ મુઝુમદાર અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે વિકાસ ઘનશ્યામ નાયક અને શાહ કેયુરી શાહ ભવાઈનો અંશ રજૂ કરશે. ડૉક્ટર પ્રીતિ જરીવાલા એકોક્તિ રજૂ કરશે. ચિરાગ વોરા, રમાકાંત ભગત, નિલેશ જોશી તથા ભક્તિ રાઠોડ અને મીનળ પટેલ વાચીકમ્ (વાચિક અભિનય) રજૂ કરશે. અભિનેત્રી ભક્તિ રાઠોડ સર્જક સાથે સંવાદમાં સતીશ વ્યાસ સાથે ગોષ્ઠિ કરશે. અમી શાહ, રાજુલ દિવાન, મંજરી અને સ્નેહલ મુઝુમદાર, તુષાર ભૂતા(ડફલી) તથાસુરેશ રાજડા અને મીનળ પટેલ જૂની રંગભૂમિનાં ગીતોની ઝલક રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે તથા આભાર દર્શન શ્રીમતી લીના વ્યાસ કરશે. સમગ્ર કાર્યક્રમ ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી અને ભીખુભાઈ ચિતલિયાના સહકારથી યોજાઈ રહ્યો છે.

read more

કાંદિવલીની સોસાયટીમાં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ

કાંદિવલીની સોસાયટીમાં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ

કાંદિવલી સ્થિત પંચશીલ ગાર્ડન સોસાયટી કે જે 'ગોકુળિયું ગામ' તરીકે પણ જાણીતી છે. અહીં અધિકમાસ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. બહેનો દ્વારા'તુલી ચંદના'ની સામૂહિક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ પવિત્ર અવસરે પરંપરાગત રીતે 'ગોરમા' (ગૌરી વ્રત)નું પૂજન પણ કરવામાં આવ્યું હતું. અધિકમાસના વિશેષ મહિમાને સમજાવવા મીનાબેન ભુતા, મનીષા મુનિ, સ્મિતા જૈન અને સોનલ શેઠિયા દ્વારા દરરોજ નવી પૂજા અને અલગ-અલગ વાર્તાઓ કહેવામાં આવે છે. વ્રત અને કથાના આ સુંદર મહિમાને સાંભળીને ઉપસ્થિત તમામ વૈષ્ણવો અને ભક્તો આનંદ અને ભક્તિના રસમાં તરબોળ થઈ ગયા છે.

read more

જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ

જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક 'ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ

જવાહર બક્ષીની ગઝલોના આસ્વાદ પુસ્તક “ઘેરો ગુલાલ'નો લોકાર્પણ કાર્યક્રમ   ગુજરાતી ભાષામાં પુસ્તકોના પ્રકાશન ક્ષેત્રે વર્ષ ૧૯૨૬થી કાર્યરત સંસ્થા આર. આર. શેઠ પોતાની સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂર્ણ કરી ચૂકી છે. ગુજરાતી, ભારતીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ઉત્તમ લેખકોના પુસ્તકો ગુજરાતી વાચકો સુધી પહોંચાડવામાં આ સંસ્થાનું મહત્વનું પ્રદાન રહ્યું છે. સ્થાપનાના ૧૦૦ વર્ષ પૂરા કરવાની સિદ્ધિ તરીકે આર. આર. શેઠ ગુજરાતી ભાષાની પ્રથમ અને ભારતીય ભાષાઓની બીજા ક્રમાંકની પ્રકાશન સંસ્થા છે. આ ઐતિહાસિક ઘટનાનો સમગ્ર શ્રેય ગુજરાતી ભાષાના વાચકો અને લેખકોને જાય છે. આ ઐતિહાસિક ઘટનાની ઉજવણી પ્રસંગે ગુજરાતના મહત્વના શહેરોમાં ગુજરાતી ભાષાના ઉત્તમ લેખકોના પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીના ભાગરૂપે ગુજરાતી ભાષાના સમર્થ સર્જક અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૫૧ ગઝલોનો ગુજરાતી ભાષાના અગ્રણી સાહિત્યકારો, વિવેચકો અને કવિઓ દ્વારા કરવામાં આવેલા આસ્વાદના પુસ્તક ‘ઘેરો ગુલાલ’નું લોકાર્પણ ૩૦મી મે શનિવારે, સાંજે ૫ વાગ્યે અમદાવાદ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધન ભવનમાં થનાર છે.  આ પુસ્તકનું સંપાદન જાણીતા કવિ અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી હર્ષદ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે.આ પ્રસંગે સંપાદક હર્ષદ ત્રિવેદી તથા ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ જવાહર બક્ષીના સર્જન, પ્રદાન અને ગુજરાતી ગઝલમાં વિશેષ પ્રભાવ વિશે વાત કરશે.  જાણીતા લેખક રવીન્દ્ર પારેખ દ્વારા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. આ સંપાદનમાં સમાવિષ્ટ થયેલી કવિ જવાહર બક્ષીની થોડી ગઝલો લેખક પોતાની લાક્ષણિક શૈલીમાં રજૂ કરશે. સર્વ રસિકોને જાહેર આમંત્રણ છે અને પ્રવેશ નિઃશુલ્ક છે.

read more

ગાંધીનગરમાં 'સંનિધિ' કાર્યક્રમ અંતર્ગત જવાહર બક્ષીના ગઝલસંગ્રહનું લોકાર્પણ અને ગઝલ મહેફિલ

ગાંધીનગરમાં 'સંનિધિ' કાર્યક્રમ અંતર્ગત જવાહર બક્ષીના ગઝલસંગ્રહનું લોકાર્પણ અને ગઝલ મહેફિલ

ગુજરાતી સાહિત્ય અકાદમીનો સર્વોચ્ચ 'અમૃત ગઝલ પારિતોષિક' પ્રથમ પ્રાપ્ત કરનાર અગ્રગણ્ય ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ચૂંટેલી ગઝલોનો સંગ્રહ  'ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે. આ સંગ્રહનું લોકાર્પણ સંસ્થાના મહામંત્રી શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા કરશે. આ સમારંભ આગામી તા. ૨૨મી મે ૨૦૨૬, શુક્રવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ વાગ્યે ગુજરાત સાહિત્ય અકાદમી,ઝવેરચંદ મેઘાણી ભવન, કૃષિ ભવનની પાછળ, સેક્ટર -૧૦/એ, ગાંધીનગર ખાતે યોજાયો છે. આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે અને ગઝલો સાથે સંકળાયેલી રસપ્રદ વાતો કરશે. સહુ રસિકજનોને જાહેર આમંત્રણ છે.

read more

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના દસ્તાવેજ કેમ્પના વિરોધીઓને ભાસ્કર શેટ્ટીએ વખોડ્યા

ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના દસ્તાવેજ કેમ્પના વિરોધીઓને ભાસ્કર શેટ્ટીએ વખોડ્યા

શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટીએ ધારાવાસીઓને ડીઆરપી (DRP) કેમ્પમાં હાજર રહેવા અપીલ કરી શિવસેના નગરસેવક ભાસ્કર શેટ્ટી (પ્રભાગ ક્ર. ૧૮૮) એ ધારાવીના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ (DRP) દ્વારા અcluster (અનિર્ણીત - Undecided) મામલાઓ માટે આયોજિત કેમ્પમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે. શેટ્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત પાત્ર બનવા માટેની આ એક સુવર્ણ તક છે.   આ સાથે જ તેમણે વિપક્ષી દળો પર નિશાન સાધતા કહ્યું કે વિરોધી પક્ષો દ્વારા ધારાવીના રહીશોને આ કેમ્પનો લાભ લેતા અટકાવવા અને નિરુત્સાહિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત દુઃખદ છે. તેમણે તમામ રાજકીય પક્ષોને આગ્રહ કર્યો છે કે તેઓ પક્ષાપક્ષીથી ઉપર ઊઠીને વધુમાં વધુ લોકોને આ કેમ્પમાં આવવા પ્રોત્સાહિત કરે જેથી ધારાવાસીઓને ન્યાય અને યોજનાનો લાભ મળી શકે.

read more

મુંબઈમાં આમ પગલુઝને માટે લૉન્ચ કરાઈ આમબ્યુલન્સ અને પછી વાઇરલ થયો વીડિયો

મુંબઈમાં આમ પગલુઝને માટે લૉન્ચ કરાઈ આમબ્યુલન્સ અને પછી વાઇરલ થયો વીડિયો

મુંબઈના રસ્તાઓ પર આ અઠવાડિયે એક અનોખી એમ્બ્યુલન્સ જોવા મળી હતી, પરંતુ આ એમ્બ્યુલન્સ કોઈ મેડિકલ ઇમર્જન્સી માટે નહોતી. આ હતી ‘આમ્બ્યુલન્સ’. કેરીપ્રેમીઓ માટે ખાસ તૈયાર કરાયેલો ઇન્સ્ટામાર્ટનો આ ક્રિએટિવ કેમ્પેઇન હવે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. ભારતમાં ઉનાળો અને કેરી વચ્ચેનો સંબંધ કોઈને સમજાવવાની જરૂર નથી. કેરીની સીઝન શરૂ થાય એટલે લોકોની અંદરનો “આમ પાગલુ” બહાર આવી જાય છે.           View this post on Instagram                       A post shared by INDIANS (@indians) આ જ ભાવનાને રમૂજી અંદાજમાં રજૂ કરવા માટે ઇન્સ્ટામાર્ટે મુંબઈની સડકો પર ‘આમ્બ્યુલન્સ’ ઉતારી છે. એમ્બ્યુલન્સ જેવી ડિઝાઇન કરાયેલી આ વાન પર “Down with mango fever?” જેવા મેસેજ લખાયેલા છે, જે લોકોને તરત જ આકર્ષી લે છે. આ વાનમાં કેરીથી જોડાયેલા વિઝ્યુઅલ્સ અને મસ્ત મજાના ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે લોકો રસ્તા પર જ ઉભા રહી વીડિયો અને ફોટા પાડતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ લોકો આ “આમ્બ્યુલન્સ”ના વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે મજાકમાં લખ્યું હતું કે, “દરેક હીરો કેપ પહેરતો નથી, કેટલાક માત્ર કેરીથી ભરેલી આમ્બ્યુલન્સ ચલાવે છે.” છેલ્લાં કેટલાક વર્ષોથી ઇન્સ્ટામાર્ટ કેરીની સીઝનને ક્રિએટિવ માર્કેટિંગ સાથે જોડતું આવ્યું છે. આ વખતે બ્રાન્ડે માત્ર એક પ્રોમોશનલ કેમ્પેઇન નહીં પરંતુ લોકોના ઉનાળાની લાગણીઓ અને નોસ્ટાલ્જિયાને ટચ કરતો અનુભવ સર્જ્યો છે. માર્કેટિંગની દુનિયામાં હવે ફિઝિકલ એક્ટિવેશન માત્ર રસ્તા સુધી મર્યાદિત નથી રહ્યાં. તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જ ડિઝાઇન કરવામાં આવે છે. ‘આમ્બ્યુલન્સ’ પણ એનું જ એક મજેદાર ઉદાહરણ બની છે.

read more

રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી

રોનાલ્ડ મૅકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા ખાતે મધર્સ ડે પર માતાઓની હિંમતનું સન્માન અને ખાસ ઉજવણી

રવિવાર 10 મે 2026 ના રોજ મધર્સ ડે (માતૃદિન)ના અવસરે રોનાલ્ડ મેકડોનાલ્ડ હાઉસ ઇન્ડિયા, માહિમ ખાતે ગંભીર બીમારીઓ સામે લડી રહેલા બાળકોની પડખે ઊભી રહેલાઈ માતાઓનું સન્માન અને ઉજવણી કરવામાં આવી, જે દરેક પડકારનો સામનો શક્તિ, આશા અને બિનશરતી પ્રેમથી કરે છે. સંસ્થાએ આ માતાઓ દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો, જેઓ તેમની ગંભીર બીમારીઓ દરમિયાન સતત તેમના બાળકોની સાથે ઊભી છે અને દરેક મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહી છે.

read more

જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ

જવાહર બક્ષીના ગઝલ સંગ્રહ 'ટોળાંની શૂન્યતા છું' નો લોકાર્પણ સમારંભ

 આપણા સુપ્રસિદ્ધ અધ્યાત્મરંગી કવિ અને ગઝલકાર શ્રી જવાહર બક્ષીની ૬૦ વર્ષની સર્જન કાવ્ય યાત્રામાંથી ચૂંટેલી ગઝલોનો સંગ્રહ  ' ટોળાંની શૂન્યતા છું'નું પ્રકાશન તાજેતરમાં ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું છે.ગુજરાતી ગઝલના સમૃધ્ધ ઇતિહાસને દ્રષ્ટિએ નીવડેલા ગઝલકારોની ચુનંદી ગઝલોનું સંપાદન અધિકારી વિવેચક દ્વારા કરવામાં આવતી આ શ્રેણીમા આ સંગ્રહનું સંપાદન ધ્વનિલ પારેખે કર્યું છે.આ સંગ્રહનું લોકાર્પણ  ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા કરશે. આ સમારંભ આગામી તા. ૧૭ મી મે ૨૦૨૬ ને રવિવારે સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી જૈન ઓડિટોરિયમમાં રાખવામાં આવ્યો છે.આ અવસરે કવિ - ગઝલકાર શ્રી જવાહર બક્ષી પોતાની ગઝલોનું પઠન આસ્વાદ સાથે કરશે.આ કાર્યક્રમ 'આપણે હરિ ભજનમાં રહીએ' ના લોકાર્પણ સમારોહની સાથે સંલગ્ન છે.સૌ કવિતા અને સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક જાહેર નિમંત્રણ છે. પ્રવેશ  નિઃશુલ્ક છે

read more

કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ

કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત 'આપણે હરિ ભજનમાં રહીએ'નો લોકાર્પણ સમારંભ

તાજેતરમાં આપણા અગ્રણી પ્રકાશક પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા પ્રકાશિત કરાયેલાં અને કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા દ્વારા સંપાદિત પ્રાચીન અર્વાચીન અને આધુનિક ભજનોના વિશિષ્ટ ગ્રંથ 'આપણે હરિ ભજનમાં રહીએ'નો એક લોકાર્પણ સમારંભ આગામી તા.૧૭ મી મે,રવિવારના રોજ સાંજે ૬-૩૦ કલાકે ભવન્સ કલ્ચરલ સેન્ટરના એસ.પી.જૈન સભાગૃહમાં રાખવામાં આવ્યો છે. આ ભજન સંગ્રહનું લોકાર્પણ સુપ્રસિદ્ધ કવિ સાહિત્યકાર અને ભજન મર્મજ્ઞ શ્રી દલપત પઢિયાર કરશે અને આ સંપાદન વિશે ચાવીરૂપ વક્તવ્ય આપશે. આ સમારોહમાં જાણીતા સાહિત્યપ્રેમી ઉદ્યોગપતિ શ્રી ભીખુભાઈ ચિતલિયા અને પ્રવીણ પ્રકાશનના માલિક સંચાલક શ્રી ગોપાલભાઈ માકડિયા ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે જ્યારે સમગ્ર કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ જહાં ઉપસ્થિત રહેશે. જાણીતા ગાયિકા સુ શ્રી રેખા ત્રિવેદી ભજનોની સ્વરગંગા વહાવશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અધ્યાત્મરંગી અને આર્ષ કવિશ્રી જવાહર બક્ષી કરશે કવિશ્રી પ્રફુલ્લ પંડ્યા આ સંપાદન વિશે થોડી વાત કરશે. સૌ સાહિત્ય રસિકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ છે.

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK