Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > વૉઈસ ઑફ મુંબઈ

મિડે-ડે સિટિઝન જર્નાલિઝ્મ વિભાગ દ્વારા તમારી વાત બનશે 'વૉઈસ ઑફ મુંબઈ'

તમારું નામ
તમારી અટક
તમારો ફોન કોડ
તમારો ફોન નંબર
ઈ-મેઇલ આઇડી
વિષયનું ટાઈટલ્
તસવીર પસંદ કરો
તસવીર પસંદ કરો
કૃપા કરીને આ બૉક્સને ચેક કરો.
વૉઇસ ઑફ મુંબઈમાં નવીનતમ
શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સમૂહ લગ્નનું આયોજન

શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સમૂહ લગ્નનું આયોજન

શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સંચાલિત સમૂહ લગ્ન સમિતિએ તારીખ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ રવિવારે શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતે ૫૦મા સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કર્યું છે. આ માટેના ફોર્મ શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ, કાંદિવલી તેમજ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતેથી મળી જશે. તે ફોર્મ ભરીને ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫માં બપોરે ૧૨થી સાંજે ૬.૩૦ સુધી આપવાના રહેશે.

read more

શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સમૂહ જનોઈનું આયોજન

શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સમૂહ જનોઈનું આયોજન

શ્રી હાલાઈ લોહાણા મહાજન (મુંબઈ) દ્વારા સંચાલિત સમૂહ જનોઈ સમિતિએ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રવિવારે શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતે સમૂહ જનોઈ પ્રસંગનું આયોજન કર્યું છે. આ માટેના ફોર્મ શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ, કાંદિવલી તેમજ શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, મુંબઈ ખાતેથી મળી જશે. તે ફોર્મ ભરીને ૨૦ નવેમ્બર, ૨૦૨૫માં બપોરે ૧૨થી સાંજે ૬.૩૦ સુધી આપવાના રહેશે.

read more

મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નિકળશે છ’રીપાલિત સંઘ

મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નિકળશે છ’રીપાલિત સંઘ

મુંબઈ મહાનગરમાં ૨૧૩ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત શ્રી એવર સાઈન પેરેડાઈઝ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ કાંદીવલી અને મુંબઈ મહાનગરના રાજા શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદા મલાડથી શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદા પાયધુનિ તીર્થના છ’રીપાલિત મહા સંઘનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી વજ્રસેન વિજયજી મસા અને પરમ પૂજ્ય આચાર્યશ્રી હેમપ્રભ સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી હર્ષ કીર્તિ વિજયજી મ.સા., પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હેમહર્ષ વિજયજી મ.સા. તેમજ મુનિરાજ શ્રી હેમ કીર્તિ વિજયજી મ.સા. આદિઠાણાની પુનિત પાવન નિશ્રામાં માગસર સુદ એકમ શુક્રવાર તારીખ ૨૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ છ’રીપાલિત સંઘનું મંગલ પ્રયાણ થશે અને માગસર સુદ ત્રીજ રવિવાર તારીખ ૨૩ નવેમ્બરના રોજ પાયધુનિ તીર્થના આંગણે મંગલ પ્રવેશ બાદ સંઘવી માતૃશ્રી પુષ્પાબેન કેશવજી ભારમલ સુમરીયા પરિવારને સંઘમાળા પરિધાન કરાવવામાં આવશે. જૈન શાસનમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાનો મહિમા ખૂબ જ અદભુત અને અપરંપાર અવર્ણનીય છે ત્યારે દાદાના ધામમાં છ’રીપાલિત સંઘનું આયોજન કરવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. પૂજ્ય સાધુ ભગવંતો ઉપરાંત સાધ્વીજી શ્રી પદ્મ દર્શનાશ્રીજી મ.સા., શ્રી પદ્મરેખાશ્રીજી મ.સા. આદીઠાણા મુંબઈ નગર પધારતા દાદર જ્ઞાનમંદિરમાં શ્રી શીતલનાથ દાદાની છત્રછાયામાં પ્રથમ ચાતુર્માસ સંપન્ન થયું આ દરમિયાન છ’રીપાલિત સંઘ કાઢવાનું બીજુ પણ થયું હતું જે કાંદીવલી જૈન સંઘથી ફળીભૂત થઈ રહ્યું છે. આ પ્રસંગે કારતક વદ અમાસ તારીખ ૨૦ નવેમ્બરના રોજ ગુરુદેવનો સામૈયા સાથે ભવ્ય પ્રવેશ અને પ્રવચન થશે. સંઘપતિને વિજય તિલક, શ્રીફળ અર્પણ અને લીલી ઝંડીનો ચડાવો થશે. યાત્રિકોને કીટ વિતરણ કરવામાં આવશે નવો ગ્રહ પાટલા પૂજન, શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દાદાની સંધ્યા ભક્તિ અને વિશિષ્ટ આરતી સાથે દાદાનો સ્વર્ણિમ ઈતિહાસનું રસપાન શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ જિનાલય મલાડ ખાતે થશે. માગશર સુદ એકમ શુક્રવારે મલાડથી અંધેરી સુધી સંઘનું પ્રયાણ શરૂ થશે. ભક્તામર પાઠ અને ચૈત્ય વંદન ગુરુ માંગલિક સમૂહ સ્રાત્ર પૂજા વિશિષ્ટ ઔષધીઓ દ્વારા શકસ્તવ અભિષેક સામૂહિક એકાસણા પ્રવચન માતા-પિતાના ઉપકાર સ્મરણ માત પિતૃ વંદના સંધ્યા ભક્તિ વગેરે ચિત્રકૂટ ગ્રાઉન્ડ અંધેરી વેસ્ટ ખાતે યોજાશે. માગસર સુદ બીજના રોજ બીજો વિહાર અંધેરીથી વરલી સુધી થશે. વરલીના જાવોરી ગ્રાઉન્ડ ખાતે જાગરણ સામૂહિક પ્રતિક્રમણ ભક્તામર પાઠ સ્ત્રઆત્ર મહોત્સવ સામૂહિક એકાસણા સંઘપતિ બહુમાન સાથે મુંબઈ નગરના રાજાના ૮૦૦ વર્ષના ઇતિહાસ અને ૨૧૩ વર્ષના મુંબઈના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવશે અને સાથે શ્રી ગોડીજી પાર્શ્વનાથા દાદાના ભવ્યાતિભવ્ય વધામણા કરાશે. માગસર સુદ ત્રીજના રોજ ત્રીજા દિવસે વરલીથી પાયધુની ગોડીજી પાર્શ્વનાથ તીર્થમાં છ’રીપાલિત સંઘનો પ્રવેશ થશે. સવારે સંઘપતિને તીર્થમાળા આરોપણવિધિ શરૂ થશે તેમજ સામૈયા સાથે સામૂહિક દર્શન ચૈત્ય વંદન થશે. સંઘમાળા પહેરાવવાનો અદભુત અને અવર્ણનીય પ્રથમ વાર અવસર નિહાળવા મળશે.

read more

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રૂફ રીડિંગ કાર્યશાળા અને ગમતાંનો કરીએ ગુલાલ કાર્યક્રમ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રૂફ રીડિંગ કાર્યશાળા અને ગમતાંનો કરીએ ગુલાલ કાર્યક્રમ

ગુજરાતી સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા શનિવાર ૧૫ નવેમ્બરે બે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કેઈએસ ગુજરાતી ભાષા ભવનના સહયોગમાં સવારે ૮.૦૦થી ૧૧.૦૦ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય, સુભાષ લૅન, કાંદિવલી (વેસ્ટ) ખાતે `પ્રૂફ રીડિંગ અને શુદ્ધ લેખન કાર્યશાળા' યોજાશે. તેમાં મૂળાક્ષર, સ્વર-વ્યંજન, જોડણીપરિચય, અનુસ્વાર, સમાસરચના, સંધિ વગેરે વિશે પ્રશિક્ષક તરીકે સેજલ શાહ અને સતીશ વ્યાસ સમજૂતી આપશે. સંયોજક સંજય પંડ્યા છે. બીજો કાર્યક્રમ `ગમતાંનો કરીએ ગુલાલ' અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકિલમ ફાઉન્ડેશનના સહયોગમાં સાંજે ૭.૩૦ વાગ્યે અસ્પી નૂતન એકેડેમી સ્કૂલ, માર્વે રોડ, મલાડ (વેસ્ટ) ખાતે યોજાશે. મહારાષ્ટ્રનાં પંદરથી વધુ શહેરોમાં સફળતાપૂર્વક ભજવાયેલા આ પ્રયોગમાં કવિતા, કાવ્યસંગીત અને એકોક્તિનો સમાવેશ થાય છે. કલાકાર રાજુલ દીવાન, વૈશાલી ત્રિવેદી, પ્રફુલ્લ પંડ્યા, દિગંત મેવાડા, શનાયા હાર્દિક શાહ, રાઘવ દવે અને વશિષ્ઠ દવે તેમાં ભાગ લેશે. સંચાલન મુકેશ જોષીનું છે. બંને કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. અકાદમી સંપર્કઃ ૨૨૬૭ ૨૫૩૯.

read more

શ્રી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ, મલાડ (પૂર્વ) દ્વારા રજત જયંતિ પ્રસંગે યોજાશે ડાયરો

શ્રી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ, મલાડ (પૂર્વ) દ્વારા રજત જયંતિ પ્રસંગે યોજાશે ડાયરો

શ્રી જલારામ જયંતિ ઉત્સવ સમિતિ, મલાડ (પૂર્વ)ની રજત જયંતિ પ્રસંગે સાંઈરામ દવે અને સાથી કલાકારો દ્વારા ડાયરો તેમજ હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શનિવારે તારીખ 25/10/2025ના સાંજે છ કલાકે કરવામાં આવ્યું છે. 25 તારીખથી 29 તારીખ એટલે કે જલારામ જયંતિ સુધી શ્રીરામ ભગવાન, શ્રી જલારામબાપા તથા વીરબાઇમાના મંદિરની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ - રામલીલા મેદાન, ગૌશાળા લેન, હીરા બજાર, મલાડ પૂર્વ

read more

મુંબઈના મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા 'સ્નેહ સંમેલન' યોજાશે

મુંબઈના મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા 'સ્નેહ સંમેલન' યોજાશે

મુંબઈના મોડાસા એકડા દશા ખડાયતા સમાજ દ્વારા નવા વર્ષ નિમિતે 'સ્નેહ સંમેલન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી હરિ.....શ્રીમતી મણીબેન કાન્તીલાલ છોટાલાલ શાહ પરિવાર નૂતનવર્ષ સ્નેહ સંમેલન ફંડના નેજા હેઠળ પ્રમુખશ્રી અજયભાઈ ડાયાલાલ શાહના પ્રમુખપદે પૂજ્ય વડીલોના અંતઃકરણથી આશીર્વાદ મેળવવા અને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરવાના હેતુથી તા.૨૬-૧૦-૨૦૨પ ને રવિવાર રોજ જમનાદાસ અડુકીયા સ્કૂલ, બાલિકા વિદ્યાલય માર્ગ, શાન્તીલાલ મોદી રોડ, રામગલી, કાંદિવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. ખાતે સાંજે ૫-૦૦ કલાકે નૂતનવર્ષ સ્નેહ સંમેલન રાખવામાં આવેલ છે. દીપ પ્રજ્વલન બાદ મંગલાચરણ થશે. ત્યારબાદ સ્વાગત સમારોહ થશે. આ કાર્યક્રમમાં જ્ઞાતિ ગૌરવ સન્માન, તેજસ્વી તારલાઓનું સન્માન તેમ જ નવા આવેલ ચંદ્રકની જાહેરાત પણ થનાર છે. રાત્રે આઠ કલાકે ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. આ વખતે સેલ્ફી પોઈન્ટનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

read more

'અનેક ભાષા, એક રંગ' થકી મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ ઊજવાઈ

'અનેક ભાષા, એક રંગ' થકી મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ ઊજવાઈ

મહારાષ્ટ્ર રાજ્ય હિન્દી, સિંધી, ગુજરાતી, સંસ્કૃત, તેલુગુ, બંગાલી, ગોરબંજારા સાહિત્ય અકાદમી દ્વારા મંત્રી શ્રી આશિષ શેલારજીના માર્ગદર્શન હેઠળ સરસ કાર્યકર્મો થતા રહે છે. બુધવાર તારીખ ૮મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ દિગ્ગજ હિન્દી સાહિત્યકાર મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિના સ્મરણઅંજલિનો યાદગાર કાર્યક્રમ 'અનેક ભાષા, એક રંગ' વેદા કુંબા થિયેટર, અંધેરી ખાતે યોજાઈ ગયો. ભાષા અને સાહિત્યના આદાન - પ્રદાન અનુલક્ષીને પ્રેમચંદજીના આઠ નાટકોનું કુલ છ ભાષામાં પ્રસ્તુતિ થઇ. હિન્દીમાં બડે ઘરકી બેટી, ખૌફ ઍ રુસવાઈ અને ગૃહ નીતિની રજૂઆત થઇ. સંસ્કૃતમાં પુષ કી રાત, સિંધીમાં મેરી પહલી રચના, તેલુગુમાં કફન અને બંગાળીમાં માસુમ બચ્ચાની પ્રસ્તુતિ થઇ. નાટક ભજવનારા કલાકારની માતૃભાષા અલગ હતી એ ખાસ નોંધનીય વાત. દિગ્દર્શક હતા મુજીબ ખાન અને કલાકાર તરીકે ચેતન ગૌડા, શાલિની સનીલ, કાર્તિક પોથારા, રસિકા ખિરવાડકર, પૂનમ સિંયાલ, અંબાલા જનાર્દન, લીના યાદવ, શહનશાહ નસીન, વરુણ મહૅરા, સંદીપ ભટ્ટાચાર્ય, અજોય ગિરી, સાહિલ માધવાની, રમેશ ચૌવાલ, રાજુ દસારી, શંકર ચાનાગિરી, તેજસ પારેખ, ગીત દેશમુખ, યુક્તાર્થ શ્રીવાસ્તવ ઔર અક્ષય, ટાઇગરે ભાગ લીધો. સાંસ્કૃતિક ખાતાના સચિવ સચિન નિમ્બાલકરજીએ સૌ મહાનુભાવોને શાલ ઓઢાડી યથોચિત સન્માન કર્યું. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના સન્માનનીય સદસ્ય નિરંજન પંડયા હાજર રહ્યા. હિન્દી અકાદમીના માજી સદસ્ય જયેશ જોશી, તેલુગુ અકાદમીના માજી સદસ્ય અશોક કુન્ટે, સિંધી અકાદમીના માજી સદસ્ય દીપક ચાંદવાણી પણ આવ્યા હતા. (આલેખન : નિરંજન પંડ્યા)

read more

બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડો યોજાશે

બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડો યોજાશે

સમસ્ત બ્રાહ્મણ મહાસંઘ પ્રેરિત બ્રહ્મનાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુવક-યુવતી પરિચય મેળવડાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાવડો તારીખ ૧૪.૧૨.૨૫ના રવિવારને દિવસે પ્રબોધન ઠાકરે, સ્વિમિંગ ક્લબમાં થશે. સમય બપોરે ત્રણથી સાંજે સાત સુધી કાર્યક્રમ થશે. આ માટે રજીસ્ટ્રેશન ફી યુવકદીઠ રૂ. ૫૦૦ અને યુવતીદીઠ રૂ. ૨૫૦ છે. ફોર્મ ૩૧.૧૦.૨૫ સુધી જ સ્વીકારાશે. ખાસ નોંધ કે ફોર્મ ભરનારને યુવક-યુવતી પસંદગી પુસ્તિકા વિનામૂલ્ય આપવામાં આવશે.

read more

અકાદમી દ્વારા ઘાટકોપરમાં કવિ સંમેલન

અકાદમી દ્વારા ઘાટકોપરમાં કવિ સંમેલન

મહારાષ્ટ્ર શાસન - સાંસ્કૃતિક કાર્ય વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યના સંવર્ધન માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગયા વર્ષે અકાદમીએ પચાસ વૈવિધ્યસભર કાર્યક્રમોનું આયોજન વિવિધ વિસ્તારોમાં કર્યું હતું. આ વર્ષનો ચોથો કાર્યક્રમ કવિ સંમેલન છે, જે શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ અને પ્રગતિ સોશિયલ ગ્રુપ ઘાટકોપરના સહયોગથી શનિવાર તા. ૧૧ ઑક્ટોબરે રાત્રે ૮.૦૦ વાગ્યે ભૂરીબેન ઑડિટોરિયમ, કામા લૅન, ઘાટકોપર (પશ્ચિમ) ખાતે યોજાશે. કવિ સંમેલનમાં ઉદયન ઠક્કર, હિતેન આનંદપરા, આશા પુરોહિત, સુરેશ ઝવેરી અને રાજેશ હિંગુ ભાગ લેશે. કવિ નર્મદ, સંત કવયિત્રી ગંગાસતી તથા સુરેશ દલાલના કાવ્યો આધારિત નાટ્યાત્મક પ્રસ્તુતિ કલાકાર ચિરાગ વોરા, જ્હોની શાહ અને અર્ચના શાહ કરશે. સંચાલન રાજેશ રાજગોરનું છે. કાર્યક્રમમાં નિઃશુલ્ક પ્રવેશ માટે બિંદુ ત્રિવેદીનો ૯૮૨૧૩ ૪૨૨૭૩ નંબર પર સંપર્ક કરવો.

read more

જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન થયું

જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન થયું

તા.૨૮-૦૯-૨૦૨૫, રવિવારે જુહુ સ્કીમ જૈન સંઘના આંગણે JOY યુવા શિબિરનું આયોજન થયું હતું. આ આયોજનમાં પદ્મભૂષણ વિભૂષિત, જૈનાચાર્ય વિજયરત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ લેવા કેળવણી મંડળ - NMIMS UNIVERSITYના સ્થાપક અમરીશભાઈ પટેલ પધાર્યા હતા. અમરીશભાઈ પટેલે આ અવસરે પૂજ્ય ગુરુદેવશ્રીના ૪૯૮મા પુસ્તક ‘Relation Airlines’નું વિમોચન કર્યું. જુહુ સ્કીમ જૈન સંઘના ટ્રસ્ટીવર્ય રાકેશભાઈ મહેતાએ અમરીશભાઈનો પરિચય આપતાં એક પ્રસંગ યાદ કરીને કહ્યું કે ‘ડૉક્ટરોની એક ગૅધરિંગમાં હૉસ્પિટલની વાત ચાલી રહી હતી ત્યારે અમરીશભાઈને ડૉક્ટરોએ પૂછ્યું કે અમરીશભાઈ, શિરપુર જેવા નાનકડા ગામમાં તમે ૧૦૦૦ બેડની આલીશાન હૉસ્પિટલ બનાવો છો એ સારી વાત છે, પણ આટલાં મોંઘાં Instruments સાથે તમે ત્યાં હૉસ્પિટલ બનાવો છો તો એમાં કમાણી થશે નહીં.’ તરત જ અમરીશભાઈએ વળતો જવાબ આપ્યો, ‘જળગાંવથી શિરપુર સુધીના નાનામાં નાના માણસ સુધી આ સુવિધા પહોંચે એ માટે હું શિરપુરમાં હૉસ્પિટલ બનાવું છું. આ પુણ્યકાર્યમાં મને દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય તો પણ હું રાજી છું’

read more

અલિકા મંચ દ્વારા `બેઠા ગરબા'નું આયોજન

અલિકા મંચ દ્વારા `બેઠા ગરબા'નું આયોજન

અલિકા ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કાંદિવલી પૂર્વમાં કરે છે. મૂળ સ્વરૂપમાં ગવાતા પારંપરિક ગરબાઓનું ચલણ મર્યાદિત થઈ ગયું છે એવા સમયમાં અલિકા મંચ દ્વારા આપણું આંગણું બ્લૉગ અને કવિશા હૉલિડેના સહયોગમાં `બેઠા ગરબા'નો કાર્યક્રમ તા. ૫ ઑક્ટોબરે સાંજે ૫.૦૦ વાગ્યે યોજાશે. અર્ચિતા મહેતાના સંચાલનમાં શ્રી નાગર મંડળ અંધેરીની બહેનો શબ્દવૈભવ અને અર્થવૈભવ ધરાવતા ગરબાઓની રજૂઆત કરશે. મધ્યાંતર પછી ડૉ. લકી કસાટ દ્વારા `આસ્થા કા મહાકુંભ' શીર્ષક હેઠળ દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં તેઓ કુંભમેળાના સ્વાનુભવ સાથે અનેક રસપ્રદ પાસાંઓ આવરી લેશે. ટ્રસ્ટીઓ વિપુલ શાહ અને જયેશ દેસાઈ વતી જાહેર જનતાને કાર્યક્રમમાં આમંત્રણ છે. નિઃશુલ્ક પ્રવેશ માટે સંપર્કઃ બીના પ્રહરાજ ૯૯૬૭૫ ૩૨૮૦૦, ૯૮૩૩૮ ૬૬૭૯૦. કાર્યક્રમનું સ્થળઃ અલિકા હૉલ, અલિકા નગર, લોખંડવાલા ટાઉનશીપ, કાંદિવલી (પૂર્વ).

read more

સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' કાર્યક્રમ

સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' કાર્યક્રમ

રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી દ્વારા `સાહિત્ય મંચ' શ્રેણી અંતર્ગત ગુજરાતી કવિતા-પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. પરિચય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કવિ સંમેલનમાં ઉદયન ઠક્કરની અધ્યક્ષતામાં હિતેન આનંદપરા, રાજેશ હિંગુ, મિતા ગોર મેવાડા, અંકિતા મારુ `જિનલ' અને ધાર્મિક પરમાર કાવ્યપઠન કરશે. અકાદમી વતી ઓમપ્રકાશ નાગર સ્વાગત કરશે અને પરિચય ટ્રસ્ટ વતી સ્નેહલ મુઝુમદાર આભાર વ્યક્ત કરશે. ૨૭ સપ્ટેમ્બરે સાંજે ૪.30 વાગ્યે પરિચય ટ્રસ્ટ, મહાત્મા ગાંધી મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ (પશ્ચિમ) ખાતે આ કાર્યક્રમ યોજાશે.

read more


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK