ગુજરાતી ગઝલને જેણે શ્વાસમાં જીવી છે તેવા મુંબઈના કવિ શોભિત દેસાઈનો આજે જન્મદિવસ છે. શુદ્ધ ગુજરાતી ગઝલ માટે પણ તેઓનું નામ જાણીતું છે. શોભિત દેસાઈની કલમેથી આપણને નાટકો પણ મળ્યાં છે. સાહિત્યને આવરી લેતા અનેક શો તેઓએ કર્યા છે. ઉર્દૂ કવિ મિર્ઝા ગાલિબ પરનો તેમનો વન-મેન-શો `આનંદ-એ-બયાન` ખૂબ જાણીતો છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
11 November, 2025 12:49 IST | Mumbai | Dharmik Parmar