ગુજરાત પાસે ખાણીપીણીનો એવો અખૂટ ખજાનો છે કે દરેક ગામમાં કોઈ એક પ્રખ્યાત વાનગી તો હોય જ. એમાંય જો વાત `સાક્ષરભૂમિ` નડિયાદની હોય, તો ત્યાંનો તો મિજાજ જ કંઈક ઓર છે. સામાન્ય રીતે લોકો નડિયાદને પૂજ્ય સંતરામ મહારાજના મંદિર અને ત્યાં મળતા તીખા-તમતમતા ભુસા એટલે કે ચવાણું માટે ઓળખે છે, પણ જો તમે માત્ર ભુસું ખાઈને પાછા ફર્યા હોવ, તો તમારી નડિયાદની મુલાકાત અધૂરી ગણાશે. તાજેતરમાં જ શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆતમાં એક કૌટુંબિક પ્રસંગે મારે મીના આંટી સાથે નડિયાદ જવાનું થયું અને નડિયાદી ભૂમિ પર પગ મૂકતા જ જાણે તેની પ્રખ્યાત વાનગીઓ મને આમંત્રણ આપતી હોય તેમ પેટમાં ભૂખ સળવળી ગઈ. એટલે અમે અમારા ફુડી મિત્ર ધ્રુવેશભાઈને ફોન કરી કહ્યું, કંઈક એવું ખવડાવો, જે નડિયાદ સિવાય બીજે ક્યાંય ન મળે અને તેઓ સાથે હોય એટલે બીજું પૂછવું જ શું? તેઓ અમને `કિંગ ઓફ પફ` પાસે એટલે કે સંતરામ રોડ પર આવેલી પ્રખ્યાત `પંજાબ બેકરી` તરફ લઈ ગયા.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
12 December, 2025 12:23 IST | Nadiad | Gujarati Mid-day Online Correspondent