કવિવારમાં આજે કવિ ગૌરાંગ ઠાકરનો કાવ્યગુચ્છ ધરવો છે. ગૌરાંગ ઠાકર ભારતીય જીવન વીમા નિગમમાં ઇજનેર છે. ભરૂચમાં તેમનો જન્મ. કર્મભૂમિ સુરત હોવાને નાતે સુરતના અનેક મૂર્ધન્ય સાહિત્યકારો સાથે ઘરોબો કેળવી શક્યા છે. નાનપણમાં જ માતાના અવસાનની પીડાએ કદાચ ગૌરાંગ ઠાકરને કાવ્ય-સર્જન તરફ દોર્યાં હશે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
14 April, 2026 01:26 IST | Mumbai | Dharmik Parmar