અમદાવાદનું નામ આવે એટલે મનમાં માણેકચોક, લો ગાર્ડન કે વસ્ત્રાપુરમા મળતા ગરમાગરમ સ્ટ્રીટ ફૂડના દ્રશ્યો તરત જ જીવંત થઈ જાય. પરંતુ શહેરના પૂર્વ ભાગમાં આવેલું કુબેરનગર, જેને અમદાવાદનું સિંધી હૃદય પણ કહેવામાં આવે છે, ત્યાંનો સ્વાદ કંઈક અલગ જ છે. અહીંની ગલીઓમાં ફરતા તમને સિંધી સંસ્કૃતિની સુગંધ તો મળશે જ, પરંતુ સાથે એવી વાનગીઓ પણ મળશે જે વર્ષો સુધી યાદ રહી જાય. થોડા દિવસ પહેલાં હું, મીના આંટી અને મિત્ર કમલ ટેકવાની સાથે એ જ સ્વાદની શોધમાં કુબેરનગરના રાજાવીર સર્કલ પહોંચી હતી. સ્થાનિક લોકોએ એક જ નામ વારંવાર કહ્યું, "Best Panipuri". નામ ભલે સાદું હોય, પરંતુ અહીં મળતો સ્વાદ ખરેખર પોતાના નામને સાર્થક કરે છે.
31 July, 2026 03:00 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent