જૈન ધર્મનું સૌથી પવિત્ર અને આત્મશુદ્ધિનું પર્વ એટલે પર્યુષણ. ‘પરિ’ એટલે બધી બાજુથી અને ‘ઉષણ’ એટલે આત્માની નજીક વસવું. એટલે જ પર્યુષણ માત્ર ધાર્મિક પર્વ નથી, પરંતુ પોતાની અંદર ડોકિયું કરી આત્મશુદ્ધિ, સંયમ, તપ અને ક્ષમાભાવને જીવનમાં ઉતારવાનો અવસર છે. વર્ષ ૨૦૨૬માં શ્વેતાંબર જૈનો માટે પર્યુષણ પર્વ ૮ સપ્ટેમ્બરથી શરૂ થઇ ગયો છે જે ૧૫ સપ્ટેમ્બરે સંવત્સરી સાથે પૂર્ણ થશે. આ દિવસોમાં ઉપવાસ, એકાસણાં, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, તપ અને આત્મચિંતન દ્વારા મન-વચન-કર્મની શુદ્ધિ કરવામાં આવે છે. જયારે દિગંબર જૈનો ૧૬થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન દશલક્ષણ પર્વમાં દસ ઉત્તમ ધર્મોનું પાલન કરશે અને ક્ષમાવાણી દ્વારા ક્ષમાયાચના કરશે. પર્યુષણમાં તપ અને ઉપવાસનું જેટલું મહત્વ છે એટલુંજ આહારના નિયમોનું છે. લીલોતરી શાકભાજી અને કંદમૂળનો ત્યાગ, શુદ્ધતા અને સાત્વિકતાના નિયમો વચ્ચે વિવિધ પ્રકારની દાળ, અનાજ અને ઉપલબ્ધ સામગ્રીમાંથી બનતી વાનગીઓ રસોડામાં તૈયાર થાય છે. રસપ્રદ વાત એ છે કે ઘણી વસ્તુઓનો ત્યાગ હોવા છતાં જૈન રસોઈમાં સ્વાદની કોઈ કમી રહેતી નથી. તો આવો, પર્યુષણ સ્પેશ્યલ રેસિપી શીખીએ.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
11 September, 2026 11:10 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent