કવિવારની શ્રેણીના આ મણકામાં શિકાગોસ્થિત કવિ અશરફ ડબાવાલાની રચનાઓ રજૂ કરવી છે. ભાષાના કવિઓને વિદેશની ધરતી પર માન-સન્માન આપનાર અશરફભાઈ અને તેમનાં ધર્મપત્ની ડૉ. મધુમતી મહેતા તો ભાષાનું ઘરેણું છે. આ ડૉક્ટર દંપતી શિકાગોમાં ભાષાસંવર્ધન માટે સતત પ્રયાસરત રહે છે. અશરફભાઈનો જન્મ અમેરલીમાં ૧૯૪૮ની સાલમાં ૧૩મી જુલાઇએ થયેલો. તેઓની પાસેથી આપણને `અલગ`, `ધબકારાનો વારસ` અને `વાણીપત` નામના સંગ્રહો મળે છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
28 July, 2026 02:38 IST | Mumbai | Dharmik Parmar