શ્રાવણ આવે એટલે ઘરમાં ભક્તિનો માહોલ ઘેરાય, મંદિરોમાં ‘હર હર મહાદેવ’નો નાદ ગુંજે અને રસોડામાં ફરાળની સુગંધ પ્રસરે. એક તરફ સંયમ અને સાધનાનો આ પવિત્ર મહિનો છે, તો બીજી તરફ ગુજરાતની ખાણીપીણીની પરંપરા માટે પણ આ સમય વિશેષ છે. કારણ કે ઉપવાસમાં પણ સ્વાદ સાથે સમાધાન કરવાની ગુજરાતીઓની તૈયારી ઓછી જ હોય. હવે તો ફરાળની થાળી પણ સમય સાથે બદલાઈ રહી છે જેમાં પરંપરાગત સાબુદાણા અને બટાટાની સાથે તેમાં મખાના, રાજગરો, મોરૈયો, સિંગદાણા, બદામ, પનીર, દહીં અને સૂકોમેવો જેવી સામગ્રીનો પ્રવેશ થયો છે. આવો જાણીએ એવી જ કેટલીક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી થાળી વિશે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
14 August, 2026 02:27 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent