કવિવારની શ્રેણીમાં આજે ઈશ્ક પાલનપુરીની શબ્દયાત્રા તરફ વળવું છે. કવિનો જન્મ બનાસકાંઠામાં. ઝેરડા ગામમાં કવિનું બાળપણ વીત્યું. લગનથી અભ્યાસ કર્યો. આદિપુર કચ્છથી ફાર્મસીની સ્ટડી પૂર્ણ કરીને ઈશ્ક પાલનપુરીએ મેડિકલ સ્ટોર કર્યો. આગળ તેઓ કોર્ટક્લાર્કની પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થયા. વિદ્યાર્થીવસ્થામાં સહપાઠીનું મૃત્યુ કવિના હ્રદયને વિહવળ કરી મૂકે છે અને ત્યાંથી જ કવિતારૂપી ફણગો ફૂટે છે. પછી તો આ શબ્દયાત્રા આગળ વધતી જાય છે ને પાલનપુરી ગઝલ ઘરાનાના વારસ તરીકે ઈશ્ક પાલનપુરીની નોંધ લેવાઈ.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
10 February, 2026 10:36 IST | Mumbai | Dharmik Parmar