હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ અવસરે ચાણોદ અને સિદ્ધપુર ગુજરાતના એવા બે પ્રાચીન તીર્થસ્થાનો છે, જ્યાં પિતૃઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. વિવિધ તીર્થસ્થાનોમાં માતૃ શ્રાદ્ધ વિધિ કરતા હજારો શ્રદ્ધાળુઓ પાટણ જિલ્લાની પ્રાચીન નદી સરસ્વતીના કિનારે વસેલા ઐતિહાસિક શહેર સિદ્ધપુરમાં ભેગા થાય છે. અહીંનું ખાસ આકર્ષણ છે `છોટાકાકા મગદળવાળા`, જ્યાં શ્રાદ્ધ દરમિયાન ભાવના અને પરંપરાનો ખાસ અનુભવ થાય છે. પરંપરાગત રીતરિવાજ સાથે તથા અતિશય કાળજીપૂર્વક બનાવાતું આ મગદળ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી ચૂક્યું છે. ચાર પેઢીથી સંચાલિત આ પ્રખ્યાત પરંપરા શ્રદ્ધા અને સ્વાદનું અનોખું સંકલન રજૂ કરે છે. આ લેખનું મથાળું વાંચતાં જ તમને અંદાજ આવી ગયો હશે કે આજે હું સિદ્ધપુરના પ્રખ્યાત મગદળની ખાસિયતો અને તેની પ્રસિદ્ધિ વિશે વાત કરવા જઈ રહી છું.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
12 September, 2025 03:52 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent