આઠ દાયકાથી સુરતની જય શંકર લસ્સી તેની અનોખી ઘટ્ટતા અને પીઓ લસ્સી જીઓ અસ્સી ના સૂત્ર સાથે લોકોના દિલ જીતી રહી છે. સુરત વિશે કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જમણ નસીબદારને જ મળે. તાપી નદીના કિનારે વસેલા આ સોનાની મુરત જેવા શહેરમાં સ્વાદની એવી સોડમ છે કે રસ્તે ચાલતા માણસને પણ ભૂખ લાગી જાય. સુરતીઓ ખાવાના જેટલા શોખીન છે એટલા જ આગ્રહી પણ છે. અને જ્યારે વાત ઉનાળાની બળબળતી બપોરની હોય ત્યારે સુરતીલાલાઓને ઠંડક આપવા માટે કોઈ ઠંડું પીણું નહીં પણ જય શંકર લસ્સીનો એક ગ્લાસ જ કાફી છે. તો ચાલો આજે તમને લઈ જઉં સુરતના હૃદયસમા ચોક બજાર વિસ્તારમાં જ્યાં છેલ્લા 80 વર્ષથી એક સ્વાદની વિરાસત અડીખમ ઉભી છે. આ માત્ર એક લસ્સીની દુકાન નથી પણ સુરતના ઈતિહાસ અને સંઘર્ષની જીવતી જાગતી ગાથા છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
03 April, 2026 07:55 IST | Surat | Gujarati Mid-day Online Correspondent