આજે વડોદરાના અનુઆધુનિક શાયર મકરંદ મુસળેની ગઝલોથી રૂબરૂ થવું છે. મૂળ તેઓ મહારાષ્ટ્રના છે. મકરંદ મુસળે ગઝલો, ગીતો તેમ જ અછાંદસ કૃતિઓ પણ લખે છે. `માણસ તોયે મળવા જેવો` તેમનું ગઝલનું પુસ્તક જાણીતું છે. વર્ષ ૨૦૦૫માં શયદા એવોર્ડથી સન્માનિત આ સર્જકનું એક નાટક `ગોપાળ અને સયાજી` ઘણે ઠેકાણે ભજવાયું છે. વ્યવસાયે તેઓ એક કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
16 June, 2026 02:12 IST | Mumbai | Dharmik Parmar