ગઇકાલે પ્રણવ પંડ્યાનો જન્મદિવસ હતો. આજે કવિવારના ફળિયે તેઓની ગઝલો લઈને બેસવું છે. કવિ પ્રણવ પંડ્યાનો જન્મ અમરેલીમાં. વર્ષ ૧૯૯૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તેઓએ અંગ્રેજી વિષય સાથે માસ્ટર્સ ઑફ આર્ટ્સની ડિગ્રી મેળવી. પ્રણવભાઈ ચલાલામાં શિક્ષક તરીકે કાર્યરત છે. નાનાં ભૂલકાંઓ સાથેનો સહવાસ પણ તેમની કૃતિઓમાં સબળ રીતે ઊતરી આવેલો જોઈ અનુભવી શકાય છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
17 March, 2026 12:18 IST | Mumbai | Dharmik Parmar