આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધીર દેસાઈની. તેમનો જન્મ પેટલાદમાં થયો હતો. શિક્ષણ મુંબઈ અને વડોદરાથી મેળવ્યું. મુંબઈ તેમની કર્મભૂમિ રહી. બહુ જ જલ્દી સુધીરભાઈની કાવ્યયાત્રા આરંભાઈ હતી. કુટુંબનું સાહિત્યિક વાતાવરણ જ તેઓની સાહિત્યયાત્રાનું બીજ બની રહ્યું. `ક્યારેક` નામના માસિકનું તંત્રીપદ શોભાવીને તેઓએ સાહિત્યસેવા કરી છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
17 February, 2026 02:16 IST | Mumbai | Dharmik Parmar