કવિવારની શ્રેણીમાં આજે મુંબઈના સર્જક દેવેન્દ્ર જોશીની ગઝલો મૂકવી છે. ૭૮ વર્ષના દેવેન્દ્રભાઈએ ગઝલ-સર્જન થકી પોતાની જાતને નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રાખી છે. મૂળે ટેક્સ્ટટાઇલ ટેકનોલોજીમાં સ્નાતક દેવેન્દ્ર જોશી વર્ષ ૨૦૦૩માં ઇંડિયન પેટ્રોકેમિકલમાંથી સેવાનિવૃત્ત થયા ત્યાર પછી આ કવિએ પોતાને સાહિત્ય અને સંગીતમાં ઓતપ્રોત કરી નાખી છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
24 March, 2026 01:11 IST | Mumbai | Dharmik Parmar