અમદાવાદ શહેરની ધમાલ, ટ્રાફિકનો ઘોંઘાટ અને આધુનિકતાની આંધળી દોટ વચ્ચે જો કોઈ વસ્તુ આપણને ઘડીભર થંભાવી શકે, તો તે છે ચટાકેદાર સ્વાદ. અમદાવાદના પૂર્વ ભાગમા આવેલું વસ્ત્રાલ એટલે વિકાસની તેજ રફ્તાર ધરાવતો વિસ્તાર. અહીં ડગલે ને પગલે તમને પકોડીની લારીઓ થી લઇ ચાયનીસ વાનગીઓ, સેન્ડવીચ, પીઝા, ઠંડા પીણાં, ચટાકેદાર ચાટ અને પુરી-શાકના કાઉન્ટર જોવા મળશે. પણ છેલ્લા ત્રણ વર્ષથી વસ્ત્રાલની ગલીઓમાં એક એવી સુગંધ પ્રસરી છે, જે મુસાફરો અને સ્વાદરસિયાઓને પાંજરાપોળ પાસેની તન્મન ચોકડી પર ઊભા રહેવા મજબૂર કરી દે છે. આ સુગંધ છે, ગાયત્રીબેન ગઢવીના હાથના ગરમાગરમ `દહેગામના પ્રખ્યાત મીની પાંવ પકોડા`ની. કહેવાય છે કે રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય, જો મનમાં ઉમંગ હોય તો મંજિલ મળી જ રહે છે. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવનાર ગાયત્રીબેન ગઢવીની વાર્તા કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કૉલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
08 May, 2026 03:34 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent