કહેવાય છે કે અમદાવાદીઓને ખાવા પીવા માટે કોઈ બહાનાની જરૂર નથી હોતી, બસ એક નવો સ્વાદ અને ત્યાં પહોંચવા માટે એક્ટિવાની ચાવી જોઈએ. વાત જ્યારે ખાણી-પીણીની હોય ત્યારે માણેકચોક કે લૉ ગાર્ડન તો સૌના મોઢે હોય જ, પણ આજે મારે તમને એક એવા અનોખા વિસ્તારની સફરે લઈ જવા છે, જેનું નામ જ એક વાનગી પરથી પડી ગયું છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પૂર્વ અમદાવાદના મણિનગર (ઈસ્ટ) અને ખોખરાને જોડતા એ ઐતિહાસિક `ઈડલી ચાર રસ્તા`ની. 2013માં તિરુચીના એક ભાષણમાં નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું, “મણિનગરમાં આપણી પાસે એક નાનું તમિલનાડુ છે.” રાષ્ટ્રીય સ્તરે આ વિસ્તારની ઓળખ કદાચ ત્યારે બની, પરંતુ અમદાવાદીઓ માટે પૂર્વ મણિનગર-ખોખરા તો દાયકાઓથી જ પોતાના અંદર એક નાનું તમિલનાડુ સમેટીને બેઠું છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
20 February, 2026 01:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent