આજે આપણે કવિવારની શ્રેણીમાં અનુઆધુનિક યુગના કવિ જયન્ત વસોયાની શબ્દસૃષ્ટિમાં મહાલવાનું છે. તેમનું પૂરું નામ જયંતિલાલ વશરામભાઇ વસોયા. કવિનો જન્મ ઉપલેટામાં ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૯ને દિવસે થયેલો. કવિ પોતે જ એમની એક ગઝલમાં કહે છે કે `કેમ કે હું ક્યાંય સ્પર્ધામાં નથી` કવિએ ઓછું લખ્યું છે પણ જરાય આછું નથી લખ્યું. તેમની ગઝલોમાં જીવન જીવવાની દિશા છે અને જીવનના વિવિધ રંગોનો ઉઘાડ છે. જીવનની સાથે કાવ્યસાધનામાં પણ તે સતત શબ્દોને મઠારતા રહ્યા જેને પ્રતાપે તેમનું ભાવવિશ્વ સહજ અને સઘન રીતે ઊઘડી શક્યું છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
20 January, 2026 02:12 IST | Mumbai | Dharmik Parmar