કવિવારના આજના એપિસોડમાં વાત કરીએ વેણીભાઈ પુરોહિતની. ગુજરાતી ભાષાના આ ઉત્તમ કવિ અને વાર્તાકારનો જન્મ ખંભાળિયામાં થયેલો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં તેમ જ માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં પૂર્ણ કરેલ. તેઓએ પ્રૂફરીડિંગથી લઈને વિવિધ અખબારોમાં પત્રકાર તરીકે પણ નોંધપાત્ર કામ કર્યું. નોંધપાત્ર છે કે તેમણે ૧૯૪૨ની લડતમાં દશ માસ જેલવાસ પણ ભોગવ્યો હતો. નાનપણથી જ વેણીભાઈને સંગીતનો વારસો મળ્યો હતો.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
09 June, 2026 02:00 IST | Mumbai | Dharmik Parmar