આજના કવિવાર (Kavivaar)ના એપિસોડમાં આપની સમક્ષ જૂની રંગભૂમી ઊઘડે તો નવાઈ નહીં. કારણ કે ગુજરાતી નાટકોમાં પોતાનાં ગીતોથી આગવું અને સમૃદ્ધ કામ કરી જનાર પ્રભુલાલ દ્વિવેદીને યાદ કરવા છે. પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ વીરપુરમાં થયેલો. સત્તર વર્ષની વયે તો કરાચીમાં ગયેલા. મુંબઈમાં ૩૧મી જાન્યુઆરી, ૧૯૬૨ના દિવસે તેઓએ આ દુનિયાને અલવિદા કહેલું.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.
18 November, 2025 12:58 IST | Mumbai | Dharmik Parmar