ગુજરાતી રંગભૂમિ પર તાજેતરમાં ભજવાતું આ પ્રયોગશીલ નાટક, “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટ્ય રસિકો માટે એક સાથે અનેક પાસાઓને આવરી લેતો એક મંથનાત્મક સંવાદ છે. આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પોતીકી ઓળખ-નિર્માણ માટે સતત પ્રયત્નશીલ એવા અનેક અગ્રણીઓમાંના એક, પંડિત દીનદયાલ ઉપાધ્યાય હતા. “ભારતનો લાડકવાયો દીનદયાલ” નાટક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના જીવનની અને ખાસ તો રાષ્ટ્ર પ્રત્યેના તેમના સમર્પણ અને સશક્ત વિચારોની એક આનંદયાત્રા છે તેમ તેના સર્જકોનું કહેવું છે.
12 May, 2026 07:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent