આજે કવિવારની શ્રેણીમાં મુંબઈનાં કવયિત્રી આશા પુરોહિતની રચનાઓ માણવાના છીએ. સર્જકની સાથે આશાબહેનની બીજી ઓળખ છે ભરતનાટ્યમ વિશારદ તરીકેની. આપણને આશાબહેન પાસેથી `હું ચાતક તું શ્રાવણ` નામનો કાવ્યસંગ્રહ મળે છે. કાવ્યપ્રસ્તુતિ માટે જાણીતાં આશા પુરોહિતે આકાશવાણી મુંબઈ તેમ જ દૂરદર્શન મુંબઈ અને રાજકોટમાં પણ કાવ્યપાઠ કર્યો છે. ગુર્જરી ચેનલ પર કાવ્યસુસંગત કાર્યક્રમો રજૂ કરનાર આશા પુરોહિતે ઓલ ઈન્ડિયા રેડિયોની મુંબઈ શાખામાં ન્યૂઝ રીડર તરીકે પણ સેવા આપી છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
05 May, 2026 02:10 IST | Mumbai | Dharmik Parmar