સમકાલીન ગુજરાતી શાયરોમાં જેણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે એવા કવિ ભાવેશ ભટ્ટની રચનાઓ સાથે આજે કવિવારને આંગણેથી રૂબરૂ થવું છે. અમદાવાદમાં જન્મેલા ભાવેશભાઈએ એસ.એસ.સી બાદ ગુજરાત કૉલેજમાં એડમિશન લીધું પણ ભણતર પૂરું ન કરી શક્યા. ભાવેશભાઈએ પોતાની ગઝલો થકી ભાષાને સજાવી છે. આધુનિક યુગની ગુજરાતી ગઝલનો તે આગવો અવાજ છે
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
13 January, 2026 02:23 IST | Mumbai | Dharmik Parmar