આજે કવિવારમાં વાત કરવી છે મિલિન્દ ગઢવીની કવિતાઓની. જૂનાગઢમાં મેંદરડા તાલુકામાં આવેલ દતરા ગામમાં તેમનો જન્મ થયો હતો. વર્ષ ૨૦૦૯માં તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કોમર્સ શાખામાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. માત્ર ૧૧ વર્ષની ઉંમરે પહેલવહેલીવાર કવિતા લખનાર મિલિન્દ ગઢવીએ તો બારમા ધોરણમાં જ ગઝલના છંદો શીખીને છંદોબદ્ધ રચના કરવાનું શરૂ કરી નાખ્યું હતું. આજે તો અનેક ફિલ્મો માટે સુપરહીટ ગીતો લખનાર મિલિન્દભાઈ ઉત્તમ ગીતકાર તરીકે જાણીતા બન્યા છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
28 April, 2026 02:15 IST | Mumbai | Dharmik Parmar