શિયાળાની ગુલાબી ઠંડી હવે ધીમે ધીમે અલવિદા લઈ રહી છે અને વસંતની હળવી આહટ વાતાવરણમાં મિસરીની જેમ ઓગળી રહી છે. પ્રકૃતિ પરિવર્તનના આ આરે ઊભી છે, ત્યારે રાત્રિના ઘેરા અંધકાર વચ્ચે શિવતત્વનો દિવ્ય ઉજાસ પ્રગટે છે અને આપણા આંગણે પધારે છે, મહાશિવરાત્રી. કલ્પના કરો... વહેલી સવારનો સમય હોય, હવામાં ગુંજતો ‘ઓમ નમઃ શિવાય’નો મધુર નાદ, ભક્તિમાં લીન ચહેરાઓ, અને મંદિરોમાં પ્રસરી રહેલી ભીની માટી તથા તાજા પુષ્પોની સુગંધ... આ સમગ્ર વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિક ઊર્જા વહેતી હોય છે. હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે 15 ફેબ્રુઆરીએ શિવ અને શક્તિના મિલનનો પાવન અવસર ઉજવાશે. વહેલી સવારે સ્નાન કરીને ભીના વસ્ત્રે શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરતા ભક્તોની અવિરત શ્રદ્ધા આપણી અખંડ આસ્થાનું જીવંત પ્રતિબિંબ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શિવરાત્રીના આ પવિત્ર પર્વમાં દૂધને આટલું બધું વિશેષ મહત્વ કેમ આપવામાં આવે છે? ચાલો, આજે આ પરંપરાના મૂળ સુધી જઈએ અને જાણીએ કે કેવી રીતે આ પરંપરાગત અમૃત સમાન પીણું આજના આધુનિક ડાયટમાં પણ ‘ટ્રેન્ડિંગ’ બની શકે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
13 February, 2026 12:19 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent