ભારતીય સંસ્કૃતિમાં મંદિરોમા મળતો પ્રસાદ સદીઓ જૂની સેવાભાવની પવિત્ર પરંપરા દર્શાવે છે. એવામાં અમદાવાદથી ચિલોડા સર્કલ માર્ગે શિહોલી-દશેલા રોડ નજીક, ગાંધીનગર પાસે સાબરમતી નદીના રળિયામણા તટે વસેલું સાદરા ગામ એક અનોખા આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઊભરી આવે છે. અહીં લીલાછમ વનરાજી વચ્ચે શ્રી જક્ષણી માતાજીનું ભવ્ય મંદિર છે, જે લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ માત્ર સદીઓ જૂની શ્રદ્ધાનું જ નહીં, પણ અદભૂત કુદરતી સૌંદર્યનું પણ સંગમસ્થાન છે. અહીં દર પૂનમે ૫,૦૦૦ થી ૧૦,૦૦૦ જેટલા શ્રદ્ધાળુઓ નિઃશુલ્ક મહાપ્રસાદ માણે છે. આ ઉપરાંત, શ્રી જક્ષણી અન્નપૂર્ણા કેન્દ્ર દ્વારા ૩૬૫ દિવસ, માત્ર ₹૬૦/-ના દરે શુદ્ધ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેન્દ્રની ભોજન સેવા અને સમગ્ર પરિસરને નિહાળવાના વિશેષ ઉદ્દેશ સાથે મેં પણ સાદરાની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
14 November, 2025 12:21 IST | Gandhinagar | Gujarati Mid-day Online Correspondent