આજે કવિવારની શ્રેણીમાં વાત કરવી છે કવિ સુધાંશુની. તેમનું મૂળ નામ દામોદર કેશવજી ભટ્ટ. પણ તેમનું `સુધાંશુ` ઉપનામ જ તેમની ઓળખ છે. જન્મસ્થળ પોરબંદર. સૌરાષ્ટ્ર દૈનિકમાં નોકરીથી શરૂઆત કરી. મુંબઇમાં જન્મભૂમિ સાથે પણ તેઓએ અમૂક વર્ષો પત્રકારત્વમાં સેવા આપી. તેમના જીવન અને સાહિત્ય પર ઝવેરચંદ મેઘાણીનો ખૂબ પ્રભાવ. મેઘાણીની આંગળી પકડીને લોકસાહિત્યમાં અને પછીથી ભજનસાહિત્યમાં પણ તેમણે ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું. પરંપરાગત ભજનોના ઢાળ પર બેસીને તેઓએ અનેક નવલાં ભજનો પણ પીરસ્યાં છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
30 December, 2025 11:36 IST | Mumbai | Dharmik Parmar