શિયાળાની સવાર અને સાંજ જ્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે, ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલો વિચાર એક જ આવે ગરમાગરમ, ઘીથી લદબદ અને મસાલેદાર દેશી ભોજન. જો તમે પણ કાઠિયાવાડી ભોજનના સાચા રસિયા હો, અને સ્વાદની શોધમાં અમદાવાદથી લોંગ ડ્રાઈવ પર નીકળવા તૈયાર હો, તો ગાંધીનગર પાસેનું ‘રાંધેજા’ ગામ તમારા માટે એક તીર્થસ્થાન સમાન બનશે. આમ તો રાંધેજા છેલ્લા ૯૫ વર્ષથી તેની પ્રખ્યાત ‘ભેળ’ માટે જાણીતું છે, પરંતુ છેલ્લા સાત વર્ષથી અહીં એક નવું આકર્ષણ ઉમેરાયું છે, જે શિયાળાના મેનૂનો સરતાજ બની ગયું છે. આ સ્થળ એટલે હર્ષદભાઈ પટેલનું ‘હરિ ઓમ ફૂડ એન્ડ સ્પાઇસીસ હાઉસ’. ગાંધીનગરના પાદરે આવેલા રાંધેજા ગામની ચોકડી પાસે, હર્ષદભાઈના બંગલાના આંગણામાં ધમધમતું આ ફૂડ જોઈન્ટ હવે ભોજનપ્રેમીઓ માટે ‘વિન્ટર ડેસ્ટિનેશન’ બની ચૂક્યું છે. મારી આ મુલાકાત માત્ર ભોજન માટે નહીં, પણ એક અનુભવ માટે હતી, જેની ભલામણ મને મીના આંટીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ત્યાંનો મસાલો અને સ્વાદ જેવો બીજે ક્યાંય નથી." બસ, આ શબ્દો પર વિશ્વાસ મૂકીને અમે સાંજ પડ્યે હરિઓમનો સ્વાદ માણવા ઉપડી ગયા.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
21 November, 2025 02:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent