03 March, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવ (Middle East Crisis) ની અસર હવે ભારતીય બજાર (Indian Markets)માં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને કિસમિસ વધુ મોંઘા થઈ શકે છે. ભારત (India) અને ઈરાન (Iran) કેલિફોર્નિયા (California), યુએસએ (USA)થી મોટા પ્રમાણમાં પિસ્તા આયાત કરે છે. અત્યારે બંદરો બંધ હોવાથી ડ્રાયફ્રુટ મોંઘા થવાની શક્યતા છે.
ઈરાન વિશ્વના અગ્રણી સૂકા મેવાના ઉત્પાદકો અને નિકાસકારોમાંનો એક છે, ખાસ કરીને પિસ્તા અને વિવિધ પ્રકારની કિસમિસ. ભારતના પિસ્તાનો મોટો હિસ્સો ઈરાનથી આયાત કરવામાં આવે છે. હાલમાં, ગલ્ફ તણાવને કારણે, બંદર અબ્બાસ અને ચાબહાર જેવા મુખ્ય ઈરાની બંદરો બંધ છે. જહાજો આવી શકતા નથી, જેના કારણે કાર્ગો ફસાઈ જાય છે. ચાલુ કટોકટી વચ્ચે, ઈરાનથી સૂકા મેવાનો પુરવઠો ખોરવાઈ ગયો (Middle East Crisis pushes up Dry Fruit prices in India) છે, જેના કારણે પિસ્તાના ભાવમાં વધારો થયો છે.
બજારના નિષ્ણાતોના મતે, પિસ્તાના ભાવ પ્રતિ કિલોથી ૪૦ રુપિયાથી ૧૦૦ રુપિયા સુધી વધ્યા છે. છાલવાળા પિસ્તા પહેલા ૧૨૦૦ રુપિયાથી ૧૩૦૦ રુપિયા પ્રતિ કિલો અને બીજવાળા પિસ્તા ૧૫૦૦ રુપિયાથી ૧૬૦૦ રુપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા હતા, જે હવે વધુ મોંઘા થઈ ગયા છે.
અંજીર મોટાભાગે અફઘાનિસ્તાન (Afghanistan)થી આવે છે, જ્યાં તણાવ અને રસ્તાની સમસ્યાઓ પહેલાથી જ પ્રવર્તી રહી છે, અને ગલ્ફ કટોકટીને કારણે પરિસ્થિતિને વધુ વણસી છે. ભાવમાં પ્રતિ કિલો ૧૦૦ રુપિયા સુધીનો વધારો થવાના અહેવાલો છે. દરમિયાન, સ્થાનિક કિસમિસનો પાક લગભગ સુકાઈ ગયો છે. હવે, આપણે આયાત પર વધુને વધુ નિર્ભર છીએ, તેથી પુરવઠામાં ઘટાડો થવાને કારણે આ પણ વધુ મોંઘા થવાની સંભાવના છે.
અખરોટના ભાવ હજુ સુધી વધ્યા નથી. દરમિયાન, કાશ્મીર (Kashmir)થી સ્થાનિક અખરોટ પણ બજારમાં આવી રહ્યા છે. પરિણામે, અખરોટના ભાવ હાલમાં સ્થિર છે. ગલ્ફ તણાવ આગામી એકથી બે મહિના સુધી અખરોટના ભાવને અસર કરે તેવી શક્યતા નથી.
ઈરાનના બંદર અબ્બાસ અને ચાબહાર બંદર બંધ થવાથી દરિયાઈ માર્ગ બંધ થઈ ગયો છે. ભારત માટે દરિયાઈ માર્ગ મુખ્ય માર્ગ હતો, પરંતુ બંદર બંધ થવાથી સૂકા મેવાના શિપમેન્ટ અટકી ગયા છે.
નોંધનીય છે કે, ભારત-પાકિસ્તાન તણાવ પહેલાથી જ અફઘાનિસ્તાનથી થતા શિપમેન્ટ પર અસર કરી ચૂક્યો છે. ઈરાનથી સપ્લાય બંધ થવાથી હવે બજારની અનિશ્ચિતતા વધી છે.
સુકા મેવાના વધતા ભાવની સીધી અસર ભારતમાં સામાન્ય માણસ પર પડશે. તહેવારો, લગ્નો અને રમઝાન દરમિયાન સૂકા મેવાની માંગ વધે છે. તેથી, ભાવમાં વધારાથી ખર્ચમાં વધારો થશે. જો તણાવ ચાલુ રહેશે, તો પિસ્તા, અંજીર અને કિસમિસના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.