આસામ પૂર માટે અગિયાર લાખ ડોનેટ કર્યા કરણે

06 July, 2022 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરે હાલમાં જ આસામ પૂર માટે અગિયાર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આસામમાં પૂર આવતાં ૯૦ લાખ લોકોને એની અસર થઈ છે.

કરણ જોહર

કરણ જોહરે હાલમાં જ આસામ પૂર માટે અગિયાર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આસામમાં પૂર આવતાં ૯૦ લાખ લોકોને એની અસર થઈ છે. તેમ જ આ વર્ષે અત્યાર સુધીમાં ૧૮૦ લોકો મૃત્યુ પામ્યા છે. અગાઉ રોહિત શેટ્ટીએ પાંચ લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. અર્જુન કપૂરે પાંચ લાખ, ભૂષણ કુમારે અગિયાર લાખ અને સોનુ નિગમે પણ પાંચ લાખ રૂપિયા ડોનેટ કર્યા હતા. આ સાથે જ મુકેશ અંબાણી અને દલાઈ લામા જેવા લોકોએ પણ દાન કર્યું હતું. સીએમ ફન્ડમાં દાન કરવા બદલ આસામના ચીફ મિનિસ્ટર હિમંતા બિસ્વા શર્માએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ પ્રોડ્યુસર અને ધર્મા પ્રોડક્શન્સના કરણ જોહરે સીએમ રિલીફ ફન્ડમાં અગિયાર લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું એ બદલ તેમનો આભાર. આ સાથે જ આસામ પૂર દરમ્યાન મદદ માટે ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોને આગળ લાવવા બદલ રોહિત શેટ્ટીનો આભાર માનીએ છીએ.’

bollywood news karan johar