22 March, 2026 10:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કંગના રનૌતે
કંગના રનૌત સામાન્ય રીતે પોતાનાં બોલ્ડ નિવેદનોને કારણે જાણીતી છે, પણ હાલમાં તેણે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે અલગ અંદાજમાં આદિત્ય ધરની દિલખુલ્લી પ્રશંસા કરી છે, એને લઈને ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા શરૂ થઈ છે. હકીકતમાં કંગનાએ તાજેતરમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ જોઈ હતી અને ફિલ્મ જોયા બાદ તેણે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપીને લખ્યું કે ‘આ ફિલ્મની સૌથી મોટી સફળતા પાછળ આદિત્ય ધરનો હાથ છે અને હવે તેઓ એક સુપરસ્ટાર ફિલ્મમેકર તરીકે ઊભરી આવ્યા છે. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટરોની તેમની યોગ્યતા મુજબ કદર નથી થતી. ફિલ્મમેકર્સ વધુ મહેનત કરે છે છતાં ઓછું વેતન મેળવે છે અને ઘણી વખત સુપરસ્ટાર્સ દ્વારા દબાણમાં રહે છે. આજકાલ યુવાનોમાં અભિનેતા બનવાની ઇચ્છા વધુ હોય છે, પરંતુ આદિત્ય ધર જેવી સફળતા જોઈને હવે ઘણા યુવાનો ફિલ્મમેકિંગ તરફ પ્રેરિત થશે.’ કંગનાએ આદિત્ય ધરને સલામ કરતાં લખ્યું કે તેઓ હીરો કરતાં પણ વધુ તેજસ્વી રીતે ચમકી રહ્યા છે અને ઇન્ડસ્ટ્રીને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.