રજનીકાન્ત, ચિરંજીવી, NTR બધા બૉલિવૂડની રીમેક બનાવી ભગવાન બન્યા: રામ ગોપાલ વર્મા

06 June, 2025 06:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

`સત્ય` અને `કંપની` જેવી ફિલ્મો બનાવી ચૂકેલા RGV એ કહ્યું, `જો તમે ધ્યાન આપશો, તો તમને ખબર પડશે કે દક્ષિણના મોટાભાગના વ્યાપારી દિગ્દર્શકો સિનેમા સાથે ખૂબ ઓછા જોડાયેલા છે. તેઓ અમારી જેમ સિનેમા વિશે વાત કરી શકતા નથી, પરંતુ તેઓ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.`

રામ ગોપાલ વર્મા (ફાઇલ તસવીર)

દક્ષિણ ભારતીય ફિલ્મોએ બૉક્સ ઑફિસ મબલખ કમાણી તેમજ દર્શકો વચ્ચે પ્રખ્યાત બને છે. જ્યારે બૉલિવૂડ સતત બમ્પર હિટ માટે સંઘર્ષ કરી રહ્યું છે. હિન્દી સિનેમા પર નવી અને મૌલિક વાર્તાઓ પર કામ ન કરવાનો સતત આરોપ લાગી રહ્યા છે. રિમેકનો યુગ ચાલી રહ્યો છે. જાવેદ અખ્તર પછી, હવે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ ભારતીય સિનેમામાં આ પરિવર્તન પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે. રજનીકાંત, ચિરંજીવી, એનટી રામા રાવ અને રાજકુમાર જેવા દક્ષિણ સુપરસ્ટારનું નામ લેતા, તેમણે કહ્યું કે તે બધાને ફક્ત બૉલિવૂડ ફિલ્મોના રિમેકના આધારે ખ્યાતિ મળી. રામ ગોપાલ વર્માએ બૉલિવૂડમાં રિમેકના ટ્રેન્ડ વિશે વાત કરતાં તેમણે કહ્યું, `શરૂઆતમાં, સમગ્ર દક્ષિણ સિનેમા, એટલે કે, ચારેય ભાષાઓ, અમિતાભ બચ્ચનની ફિલ્મોની રિમેક બનાવતા હતા. રજનીકાંત, ચિરંજીવી, એનટી રામા રાવ અને રાજકુમાર 70 અને 80 ના દાયકાની બચ્ચનની ફિલ્મોની રિમેક બનાવતા હતા.`

RGV એ આગળ કહ્યું, `પછી જ્યારે 90 ના દાયકામાં અમિતાભ બચ્ચને પાંચ વર્ષનો લાંબો બ્રેક લીધો. તે જ સમયે, સંયોગથી સંગીત કંપનીઓ પ્રવેશી. તેઓ ફક્ત તેમનું સંગીત વેચવા માટે ફિલ્મો બનાવતા હતા. તે સમયે `મૈંને પ્યાર કિયા` જેવી ફિલ્મો આવી. પરંતુ દક્ષિણે ક્યારેય કહેવાતી મસાલા અને ,માસ ઓડિયન્સવાળી ફિલ્મો બનાવવાનું બંધ કર્યું નહીં, જેની શરૂઆત તેમણે અમિતાભ બચ્ચનને જોઈને કરી હતી. આ રીતે, તે રિમેક ફિલ્મોને કારણે દક્ષિણના સ્ટાર્સ મોટા દેવતા બની ગયા અને તે આજે પણ ચાલુ છે.`

રામ ગોપાલ વર્માએ એમ પણ કહ્યું કે તે સમયના બૉલિવૂડ દિગ્દર્શકો વિદેશી સિનેમા વિશે વધુ માહિતી મેળવવા લાગ્યા. આનું મુખ્ય કારણ તેમનું અંગ્રેજીનું જ્ઞાન અને શહેરી વિસ્તારોમાં તેમનો ઉછેર હતો. `સત્યા` અને `કંપની` જેવી ફિલ્મો બનાવી ચૂકેલા RGV એ કહ્યું, `જો તમે ધ્યાન આપશો, તો તમને ખબર પડશે કે દક્ષિણના મોટાભાગના વ્યાપારી દિગ્દર્શકો સિનેમા સાથે ખૂબ ઓછા જોડાયેલા છે. તેઓ અમારી જેમ સિનેમા વિશે વાત કરી શકતા નથી, પરંતુ તેઓ ખૂબ જ ડાઉન ટુ અર્થ છે.`

RGV એ વધુમાં જણાવ્યું કે બીજા એક દિગ્દર્શકે તેમને `પુષ્પા` ના દિગ્દર્શક સુકુમાર વિશે કંઈક કહ્યું હતું. રામ ગોપાલ વર્માએ તેમનું નામ ન લીધું, પણ કહ્યું, `અમે `પુષ્પા` ની રિલીઝના ત્રણ-ચાર દિવસ પહેલા ફિલ્મ જોવા ગયા હતા. તે પછી તે દિગ્દર્શકે કહ્યું કે પુષ્પાને જોઈને દર્શકો ઉલટી કરશે. તે અભિનેતાનો ઉલ્લેખ પણ કરી રહ્યા ન હતા. તે ફક્ત પાત્ર વિશે વાત કરી રહ્યા હતા.` રામ ગોપાલ વર્માએ અંતે કહ્યું, `ખરેખર તે દિગ્દર્શકો સિક્સ-પૅકવાળા સારા દેખાતા હીરોથી એટલા ટેવાઈ ગયા છે કે તેઓ પાન ચાવતા હીરોને બિલકુલ સમજી શકતા નથી. તેઓ ફિલ્મ જોઈ રહ્યા નથી. હવે તેઓ ફિલ્મને ફિલ્મ તરીકે નથી જોઈ રહ્યા. તેઓ તેને એવી રીતે જુએ છે કે દર્શકો તેમાં શું જોશે.`

ram gopal varma chiranjeevi amitabh bachchan rajinikanth jr ntr pushpa bollywood buzz bollywood bollywood news