દેહદાનનો સંકલ્પ કર્યો રિતેશ-જેનિલિયા દેશમુખે

03 July, 2020 09:29 PM IST  |  Mumbai Desk | Agencies

દેહદાનનો સંકલ્પ કર્યો રિતેશ-જેનિલિયા દેશમુખે

રિતેશ અને જેનિલિયી દેશમુખ

રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે નૅશનલ ડૉક્ટર્સ ડે નિમિત્તે દેહદાન કરવાનો ફેંસલો લીધો હતો. આ સાથે તેમણે લોકોને પણ દેહદાનની અપીલ કરી છે. આ વાતની માહિતી તેમણે એક નાનકડી ક્લિપ દ્વારા આપી છે. એ વિડિયોમાં રિતેશ કહી રહ્યો છે કે ‘જેનિલિયા અને હું આ દિશામાં ખૂબ વિચાર કર્યા બાદ અને અનેક ચર્ચાવિચારણા કર્યા બાદ આજે તમને જણાવવા માગીએ છીએ કે અમે બન્નેએ એક સંકલ્પ લીધો છે કે અમે દેહદાન કરવાનાં છીએ.’ એ વિડિયોમાં જેનિલિયા કહી રહી છે કે ‘હા, અમે નિર્ણય લીધો છે કે અમે દેહદાન કરવાનાં છીએ અને અમને લાગે છે કે જીવનદાન આપવા જેવી વિશેષ ગિફ્ટ તો કંઈ ન હોઈ શકે. જો તમને પણ એમ લાગતું હોય કે તમે દાન કરવા માગો છો તો પ્લીઝ અંગદાન માટે આગળ આવો.’ આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રિતેશે કૅપ્શન આપી હતી કે ‘ગિફ્ટ ઑફ લાઇફ કરતાં સારી ગિફ્ટ કંઈ ન હોઈ શકે. જેનિલિયા અને મેં સંકલ્પ લીધો છે કે અમે ઑર્ગન્સ ડોનેટ કરવાનાં છીએ. અમે બધાને આ નેક કામમાં જોડાવા માટેની અપીલ કરીએ છીએ. ‘ધ લાઇફ આફ્ટર લાઇફ’ના સહભાગી બનો.’

bollywood bollywood gossips bollywood news riteish deshmukh genelia dsouza