જાસૂસી શો ‘પૅન્થર્સ’ લઈને આવી રહ્યો છે રૉની સ્ક્રૂવાલા

31 July, 2021 03:19 PM IST  |  Mumbai | Agency

આ આંખ ઉઘાડતો શો રહેશે. વાસ્તવિકતા પર પ્રકાશ પાડવાની સાથે જ લોકોને મનોરંજન પણ આપશે. આરએસવીપી આ યોગ્ય પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યો છે.

રૉની સ્ક્રૂવાલા

રૉની સ્ક્રૂવાલા ભારતમાં જાસૂસી એજન્સીઓ પર આધારિત વેબ-સિરીઝ ‘પૅન્થર્સ’ લઈને આવી રહ્યો છે. એનું શૂટિંગ ૨૦૨૨માં શરૂ કરવામાં આવશે. શોમાં ૬૦ અને ૭૦ના દાયકા દરમ્યાન ભારત-પાકિસ્તાનની જાસૂસીની સ્ટોરી પર પ્રકાશ પાડવામાં આવશે. રેન્સિલ ડિસિલ્વા ડિરેક્ટ કરશે. સાથે જ આ શોમાં મુખ્ય આકર્ષણ એ રહેશે કે ૧૯૭૦માં રાજીવ ગાંધી દ્વારા સંચાલિત એક ઍરલાઇન્સને હાઇજૅક કરવાની ઘટનાને પણ દેખાડવામાં આવશે. આ ઘટનાનો ઉલ્લેખ RAWના ભૂતપૂર્વ એજન્ટે પોતાની બુકમાં કર્યો છે. તેમનું એમ પણ કહેવું છે કે કોઈ પણ જોખમને નિષ્ફળ બનાવવામાં RAW સક્ષમ છે. આ શો વિશે રૉની સ્ક્રૂવાલાએ કહ્યું હતું કે ‘રાજકીય અસ્થિરતા વિરુદ્ધ વધતી જાસૂસી એજન્સીની સ્ટોરીને ‘પૅન્થર્સ’માં દેખાડવામાં આવશે. આ આંખ ઉઘાડતો શો રહેશે. વાસ્તવિકતા પર પ્રકાશ પાડવાની સાથે જ લોકોને મનોરંજન પણ આપશે. આરએસવીપી આ યોગ્ય પ્રોજેક્ટને પ્રોડ્યુસ કરી રહ્યો છે. આ શોને ડિરેક્ટ કરવા માટે રેન્સિલ યોગ્ય વ્યક્તિ છે.’

bollywood news bollywood bollywood gossips