‘જયેશભાઈ જોરદાર’ને થિયેટર્સમાં રિલીઝ કરવા ઉતાવળી થઈ રહી છે શાલિની પાન્ડે

23 September, 2021 02:18 PM IST  |  Mumbai | Harsh Desai

જન્મદિવસ હોવાથી તેણે વિશ માગી છે કે થિયેટર્સ જલદી શરૂ થાય

‘જયેશભાઈ જોરદાર’ને થિયેટર્સમાં રિલીઝ કરવા ઉતાવળી થઈ રહી છે શાલિની પાન્ડે

શાલિની પાન્ડેનું કહેવું છે કે તે તેની ડેબ્યુ ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને થિયેટર્સમાં રિલીઝ કરવા માટે ખૂબ જ આતુર છે. શાલિનીએ ‘અર્જુન રેડ્ડી’માં કામ કર્યું હતું અને એ ફિલ્મ દ્વારા તેને ખૂબ જ નામના મળી હતી. તે હવે રણવીર સિંહ સાથેની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેનો આજે જન્મદિવસ છે અને તે ૨૮ વર્ષની થઈ રહી છે. આ દિવસ માટે તેની વિશ છે કે બહુ જલદી થિયેટર્સ શરૂ થઈ જાય. આ વિશે વાત કરતાં શાલિનીએ કહ્યું હતું કે ‘હું છેલ્લા એક વર્ષથી મારી ડેબ્યુ ફિલ્મ માટે રાહ જોઈ રહી છું. દર્શકો આ ફિલ્મ જુએ એ માટે હવે હું ઉતાવળી થઈ રહી છું. મને ખબર છે કે આ ખૂબ જ સારી ફિલ્મ છે અને અમે આ સ્પેશ્યલ ફિલ્મને ખૂબ જ પ્રેમ અને ડેડિકેશનથી બનાવી છે. દરેક ફિલ્મને પ્રેમ અને ડેડિકેશનથી જ બનાવવામાં આવે છે, પરંતુ આ મારી પહેલી હિન્દી ફિલ્મ છે. મારા માટે આ અનુભવ ખૂબ જ મોટો અને ઇમોશનલ રહ્યો હતો. દર્શકો આ ફિલ્મને જુએ એની હું રાહ જોઈ રહી છું, કારણ કે મને ખાતરી છે કે લોકોને આ ફિલ્મ અને મારું પાત્ર ગમશે. થિયેટર્સ શરૂ થાય એવી મારી ઇચ્છા છે, કારણ કે હું ઇચ્છું છું કે લોકો થિયેટર્સમાં જાય. હું પણ થિયેટરમાં જવા માગું છું અને મોટી સ્ક્રીન પર ફિલ્મ જોવા માગું છું. હું ઇચ્છું છું કે લોકો જેમ બને એમ એ અનુભવનો ફરી અહેસાસ કરે. મારા માટે આ ફિલ્મ એટલી સ્પેશ્યલ છે કે હું જ્યારે પણ એ વિશે વાત કરું ત્યારે હું એક્સાઇટેડ થઈ જાઉં છું.’

bollywood news harsh desai bollywood gossips bollywood