સંજય કપૂરનો પ્રોપર્ટી વિવાદ વધ્યો: કરિશ્મા કપૂરના બાળકોએ હાઈ કોર્ટમાં કરી આ અપીલ

10 September, 2025 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

12 જૂન, 2025 ના રોજ લંડનમાં સંજય કપૂરના મૃત્યુ પછી, તેમની લગભગ 30,000 કરોડ રૂપિયાની મિલકત અંગેનો વિવાદ વધુ ઊંડો બન્યો. દરમિયાન, સંજયની ત્રીજી પત્ની પ્રિયા સચદેવની પુત્રી સફિરાએ પોતાની અટક `ચટવાલ` બદલીને `કપૂર` રાખ્યું હોવાનું પણ કહેવાય છે.

કરિશ્મા અને સંજય કપૂર તેમનાં બાળકો દીકરી સમાઇરા અને દીકરા કિઆન સાથે

બૉલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના બાળકો સમાઇરા અને કિઆન તેમના પિતા સંજય કપૂરના અવસાન થાય બાદ હવે તેમની મિલકતમાં હિસ્સો મેળવવા માટે દિલ્હી હાઈ કોર્ટ પહોંચ્યા છે. બન્નેએ આરોપ લગાવ્યો છે કે તેમની સાવકી માતા પ્રિયા સચદેવ (પ્રિયા કપૂર) એ સંજયના વસિયતનામા સાથે છેડછાડ કરી છે જેથી તે કાયદેસર રીતે માન્ય નથી. બાળકોનું કહેવું છે કે તેમને વસિયતનામાની માત્ર એક ઝલક બતાવવામાં આવી હતી, પરંતુ તેમને સતત તેની સત્તાવાર કૉપી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમણે કોર્ટને આ દસ્તાવેજની નકલ પ્રદાન કરવા અને મામલો ઉકેલાય ત્યાં સુધી વસિયતનામાના અમલ પર રોક લગાવવા અપીલ કરી છે.

30,000 કરોડ રૂપિયાની મિલકતનો વિવાદ

12 જૂન, 2025 ના રોજ લંડનમાં સંજય કપૂરના મૃત્યુ પછી, તેમની લગભગ 30,000 કરોડ રૂપિયાની મિલકત અંગેનો વિવાદ વધુ ઊંડો બન્યો. દરમિયાન, સંજયની ત્રીજી પત્ની પ્રિયા સચદેવની પુત્રી સફિરાએ પોતાની અટક `ચટવાલ` બદલીને `કપૂર` રાખ્યું હોવાનું પણ કહેવાય છે.

કોર્ટનું સમન્સ

દિલ્હી હાઈ કોર્ટે પ્રિયા કપૂરને સમન્સ જાહેર કર્યા છે અને તેને તેની મિલકતોની સંપૂર્ણ યાદી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. જોકે, જસ્ટિસ જ્યોતિ સિંહની બૅન્ચે હાલ માટે મિલકતો પર યથાવત સ્થિતિનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે કરિશ્મા કપૂરના બાળકોને વસિયતનામાની નકલ કેમ આપવામાં આવી રહી નથી. ન્યાયાધીશે ટિપ્પણી કરી કે જો ગુપ્તતાનો મામલો હોય, તો ગુપ્તતા ક્લબ બનાવી શકાય છે, જેમ કે બૌદ્ધિક સંપદા (IP) સંબંધિત કેસોમાં કરવામાં આવે છે.

પ્રિયા કપૂરનો પક્ષ

સુનાવણી દરમિયાન, પ્રિયા કપૂરના વકીલે કહ્યું કે આ કેસ સાંભળવા યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે કેસ દાખલ થયાના માત્ર છ દિવસ પહેલા, બાળકોને ટ્રસ્ટ તરફથી 1,900 કરોડ રૂપિયાની મિલકત આપવામાં આવી હતી. "એવું નથી કે આ બાળકો અચાનક રસ્તા પર આવી ગયા છે. હું વિધવા છું, મારો છ વર્ષનો દીકરો છે. છેલ્લા 15 વર્ષથી કરિશ્મા ક્યાંય જોવા મળી નથી." વકીલે કહ્યું. કરિશ્મા કપૂરના બાળકો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કોર્ટને જણાવ્યું હતું કે કેસ હવે ઔપચારિક રીતે નોંધવામાં આવશે અને તેમને સંજયની અંગત મિલકતો વિશે વધુ માહિતી એકત્રિત કરવી પડશે. આગામી સુનાવણી 9 ઑક્ટોબર માટે નક્કી કરવામાં આવી છે. આ દરમિયાન, સંજયની માતા રાની કપૂરે પણ વસિયતનામાની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના વકીલે દાવો કર્યો હતો કે લગભગ 10,000 કરોડ રૂપિયાની મિલકત તેમની હોવી જોઈએ અને આ કંઈક અવિશ્વસનીય રીતે ખોટું છે. મુખ્ય વિવાદ 21 માર્ચ, 2025 ના રોજના કથિત વસિયતનામા છે, જેમાં સંજય કપૂરની સંપૂર્ણ અંગત મિલકત પ્રિયા કપૂરને આપવામાં આવી હોવાનું કહેવાય છે. કરિશ્મા કપૂરના બાળકોનો આરોપ છે કે આ દસ્તાવેજ દ્વારા તેમને ગેરકાયદેસર રીતે હિસ્સાથી વંચિત રાખવામાં આવ્યા છે.

sunjay kapur bollywood buzz bollywood news celebrity divorce bollywood gossips bollywood delhi high court