07 June, 2021 06:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
`સારાભાઈ વર્સિસ સારાભાઈ`, `એક હઝારોં મેં મેરી બહેના હૈ` સહિત અનેક સીરિયલ્સમાં કામ કરી ચૂકેલી ટેલીવિઝન અભિનેત્રી તરલા જોશીનું નિધન થઈ ગયું છે. રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.
અભિનેત્રી નિયા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા તેમના નિધનની માહિતી આપી. નિયાએ તરલા જોશી સાથે `એક હઝારોં મેં મેરી બહના હૈ` સીરિયલમાં કામ કર્યું હતું. નિયાએ અભિનેત્રીની અનેક તસવીરો શૅર કરતા લખ્યું કે, "RIP બડી બીજી આપ યાદ આએંગી. તરલાજી આપ હંમેશાં બડી બીજી રહેંગી."
જણાવવાનું કે, અભિનેત્રી તરલાએ `એક હઝારોં મેં મેરી બહના હૈ`માં બડી બીજીનું પાત્ર ભજવ્યું હતું. આ શૉ ખૂબ જ હિટ રહ્યો. તરલા જોશીના નિધન થકી ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છે. ટીવી સેલેબ્સ ટ્વીટ કીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
તરલા જોશીને સારાભાઈ વર્સેસ સારાભાઈ અને બંદિની જેવા શૉઝ માટે ઓળખવામાં આવે છે. બંદિનીમાં તેમણે વસુધા બેનનું પાત્ર ભજવ્યું હતું તો સારાભાઇ વર્સેસ સારાભાઇમાં તે ઇન્દ્રવદનની માના રોલમાં જોવા મળ્યાં હતાં.